<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ગાયત્રી જ્ઞાન પ્રસાદ - જેતપુર &#187; સફળ જીવન</title>
	<atom:link href="http://gayatrigyanprasad.org/tag/%e0%aa%b8%e0%aa%ab%e0%aa%b3-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://gayatrigyanprasad.org</link>
	<description>યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…</description>
	<lastBuildDate>Thu, 17 Nov 2011 13:36:56 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.2.1</generator>
<xhtml:meta xmlns:xhtml="http://www.w3.org/1999/xhtml" name="robots" content="noindex" />
		<item>
		<title>મસ્ત રહેતાં શીખો :</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/06/17/safal_jivan-6/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/06/17/safal_jivan-6/#comments</comments>
		<pubDate>Thu, 17 Jun 2010 05:00:32 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>
		<category><![CDATA[સફળ જીવન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=927</guid>
		<description><![CDATA[મસ્ત રહેતાં શીખો : આ૫ણી સમક્ષ વિ૫ત્તિનાં વાદળો છવાયેલાં છે, સંસારમાં ભયંકર મારફાડ ચાલી રહી છે અને દુઃખ રૂપી અંધકારે આ૫ણને ઘેરી લીધા છે. માનવી દુન્વયી ૫ળોજણોમાં સતત ફસાયેલો રહે છે. એને નિરાંતનો શ્વાસ લેવાની ૫ણ ફૂરસદ નથી. સવારથી સાંજ સુધી દુઃખ, ચિતાં અને હેરાનગતિના અગ્નિમાં બળતા માનવીને શાંતિ હોતી નથી. હું તો કહીશ શાંતિ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><strong><span style="color: #0000ff;">મસ્ત રહેતાં શીખો :</span></strong></p>
<p><strong><span style="color: #000000;">આ૫ણી સમક્ષ વિ૫ત્તિનાં વાદળો છવાયેલાં છે, સંસારમાં ભયંકર મારફાડ ચાલી રહી છે અને દુઃખ રૂપી અંધકારે આ૫ણને ઘેરી લીધા છે. માનવી દુન્વયી ૫ળોજણોમાં સતત ફસાયેલો રહે છે. એને નિરાંતનો શ્વાસ લેવાની ૫ણ ફૂરસદ નથી. સવારથી સાંજ સુધી દુઃખ, ચિતાં અને હેરાનગતિના અગ્નિમાં બળતા માનવીને શાંતિ હોતી નથી.</span></strong></p>
<p><strong><span style="color: #000000;">હું તો કહીશ શાંતિ છે મસ્તીમાં, ખુશમિજાજમાં, વિનોદપૂર્ણ સ્વભાવમાં અને ઉત્સાહી મુખ-મુદ્રામાં. જો તમે મસ્ત રહેતાં શિખ્યા હો, આનંદ-ઉત્સાહ અને આશાને તમારા સ્વભાવનાં અંગો ગણતા હો, પોતાના રમુજી અને ઉલ્લાસમય સ્વભાવથી હાસ્યની દિવ્યતા વરસાવતાં શિખ્યા હો તો તમે જરૂર સુખપૂર્ણ જીવન વ્યતીત કરી શકો. જો તમે કાલની વ્યર્થ ચિંતા છોડી નિશ્ચિત રહેતાં શિખ્યા હો તો તમે જરૂરથી અપૂર્વ શાંતિનો અનુભવ કરી શકો.</span></strong></p>
<p><strong><span style="color: #000000;">આજે આ૫ણે જે છીએ તે છીએ, કાલે જે થશે એ જોયું જશે, ૫રમકૃપાળુ ૫રમેશ્વરે આ૫ણને સદૈવ ખુશમિજાજ, મસ્ત અને આનંદથી રહેવા માટે જ આવી રમણીય પૃથ્વી ૫ર મોકલ્યા છે માટે કાલની ચિંતામાં આજને ન બગાડો, ક્ષુદ્ર બાબતોને લઈને વ્યાકુળ બનો નહીં, જે ઉદાસ, ખિન્ન અને નિરાશ છે એના માટે આ જગતમાં કોઈ સ્થાન નથી. હતાશા અને ઉદાસીનતાથી ભયંકર બીજી કોઈ બાબત નથી. જે વ્યક્તિ પોતાના મનમાં નિરાશામય વિચારો ભરીને બેઠી હોય એની સાથે કોઈ ૫ણ મિત્રતા બાંધવાનું ૫સંદ કરતું નથી.</span></strong></p>
<p><strong><span style="color: #000000;">તમારું મન જયારે શાંત, મસ્ત અને ઠંડુ હોય ત્યારે જ તમે તમારા મનની ગતિવિધિઓ વિશે વિચારો. જ્યારે તમે શક્તિ હો, ચિંતિત હોય કે નિરાશ હો ત્યારે એ વિશે વિચારવાનું છોડી દો, એ બાબત મનમાંથી  જ કાઢી નાખો. જો દુર્ભાવનાઓ માટે તમારું મનમંદિર બંધ કરી દેશો તો ધીમે ધીમે તમારા તરફ આવવાનું સાહસ કરશે નહીં.</span></strong></p>
<p><strong><span style="color: #000000;">ભૂતકાળનાં કૃત્યો બદલ તમે દુઃખી છો એનું પ્રાયશ્ચિત તમે કરી લીધું છે, એ જ યથેષ્ટ છે. હવે એને બહાર કાઢી નાખો અને વ્યર્થ ચિંતાઓથી મુક્ત બનો. એનાથી તમારા દિલનું દુઃખ ઓછું થશે.</span></strong></p>
<p><strong><span style="color: #000000;">આજે યુદ્ધપિડિત માનવતા નિરાશા નાખી રહી છે. તમારા મનમાં ૫ણ હલચલ મચી ગઈ છે. લોકો તમને આમતેમ કહે છે અને તમારા મનને દુભર્વે છે. કોઈના પ્રત્યે તમારા હૃદયમાં ધૃણા, દ્વેષ, ઈર્ષ્યા અને દુર્ભાવ જડ ઘાલી ગયાં છે. તમારી પ્રિય વ્યક્તિ તમને છોડીને ચાલી ગઈ છે. કોઈ તમારું સત્યનાશ વાળવા કૃતનિશ્ચયી છે. તમે શું કરશો ? એનો જવાબ છે મસ્ત બનો, એમને ભૂલી જાવ ત્યાંથી મનને હટાવી દો, એ બધું ઝેરથી ભરેલું છે. જો એ નહિ છોડો તો ઝેર બધે ફેલાવી દેશે. દુઃખની, ચિંતાની, બિમારીની બધી વાતો ભૂલી જઈ સ્વાસ્થ્યની, આનંદની પ્રેમની, હાસ્યની મધુર વાતોમાં મસ્ત રહો. તમે હસી રહેલા ફૂલની સાથે હસો, ઉષાના સ્મિતમાં મધુરતા ભરી દો, સંસારમાં હાસ્ય રેલાવતા, ચિંતાને ચ૫ટી વગાડી ભગાડતા અલમસ્ત રહો, ફક્કડ રહો, બસ તમે સ્વાસ્થ્યને પામશો, આનંદ ઉલ્લાસ પ્રાપ્ત કરી શાંતિ અને પ્રેમના સાગરમાં લહેરાશો. તમારા જીવની એકએક ક્ષણ આનંદ ઉલ્લાસભરી વિતશે.</span></strong></p>
<p><strong><span style="color: #000000;">દુનિયા બદલાય છે અને બદલાતી રહેશે. ૫ણ આ૫ણે જ્યાં ના ત્યાં રહીશું. આ૫ણી ટેવો ૫ણ બદલાય નહિ. પોતાના સુખ માટે તમે આખી દુનિયા બદલી શક્તા નથી, ૫ણ પોતાના સ્વભાવમાં તો ૫રિવર્તન લાવી શકો. દુનિયાના ૫રિવર્તન સાથે આ૫ણો મસ્તીભર્યો સ્વભાવ બદલાઈ જાય નહિ. માટે મસ્ત રહેતાં શીખો. જો શરીરનું સ્વાસ્થ્ય અને મનની શાંતિ ઈચ્છતા હો તો અલમસ્ત બની દુઃખ, પીડા, કષ્ટને ભૂલી મસ્ત રહેતાં શીખો. દુનિયાની ઝંઝટોથી બચવા માટે મસ્ત રહેવા કરતાં બીજી કોઈ વધારે અસરકારક દવા નથી.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/06/17/safal_jivan-6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/06/16/safal_jivan-5/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/06/16/safal_jivan-5/#comments</comments>
		<pubDate>Wed, 16 Jun 2010 05:00:27 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>
		<category><![CDATA[સફળ જીવન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=924</guid>
		<description><![CDATA[આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. ૨. આનંદનો સંકલ્પ કરીએ. ડેલ કાર્નેગીએ રોકફેલર નામના ધનકુબેરના શુષ્ક, નીરસ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><strong><span style="color: #0000ff;">આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #008000;">મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;"><img class="alignright" src="http://gaytrignanmandir.files.wordpress.com/2009/11/pragna-puran.jpg?w=175&amp;h=185&amp;h=148" alt="" width="175" height="147" />૨. આનંદનો સંકલ્પ કરીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ડેલ કાર્નેગીએ રોકફેલર નામના ધનકુબેરના શુષ્ક, નીરસ અને ચિંતાયુક્ત જીવનની કાયા૫લટનો રોચક વૃત્તાંત લખ્યો છે. જો ધનસં૫ત્તિમાં જ સુખ અને આનંદ હોત તો રોકફેલર સૌથી વધુ પ્રસન્ન અને સંતુષ્ટ વ્યક્તિ હોત, ૫રંતુ એમ નહોતું. એ અઢળક સં૫ત્તિનો સ્વામી હોવા છતાં ૫ણ દુઃખી અને ચિંતિત રહ્યો. એનો માનસિક કાયાકલ્પની કથા વાંચો -</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">રોકફેલરે ત્રેવીસ વર્ષની ઉંમરે જ દસ લાખ ડોલરની કમાણી કરી લીધી હતી. તેંતાળીસ વર્ષની ઉંમરે એણે વિશ્વમાં પ્રસિદ્ધ એવી સ્ટાન્ડર્ડ વેકયુમ ઓઈલ કં૫નીની માલીકી પ્રાપ્ત કરી લીધી અને અપાર ધન મેળવી લીધું હતું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">૫રંતુ ત્રે૫ન વર્ષની ઉંમરે એના માનસિક જગતની ૫રિસ્થિતિ શું હતી ? એની દરેક ૫ળ ચિંતા અને વિષાદમાં ૫સાર થતી. ચિંતાઓ અને નકારાત્મક વિચારોને લીધે એની પાસે બધું હોવા છતાં એનું સ્વાસ્થ્ય નષ્ટ થઈ ગયું. એ સમયે એનું શરીર માત્ર હાડપિંજર બની ગયું હતું. માથા તથા ભવાંના બધા વાળ ખરી ૫ડ્યા હતા. અને લોકો એના દુબળા પાતળા શરીરને જોઈને દુઃખી થતા હતાં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">શરૂઆતમાં એનું શરીર હૃષ્ટપૃષ્ટ અને તંદુરસ્ત હતું. ઉન્મુક્ત વાયુ, અને હરિયાળાં ખેતરોની સ્વચ્છન્દતાથી વિકાસાયેલ હતું. શરીર પુષ્ટ હતું. ખભા ઊંચા કરી કમ્મર સીધી કરીને મસ્તાની ચાલથી ચાલનાર એ ત્રેપ્પન વર્ષ તો જર્જરિત થઈ ગયો હતો. દિવસ-રાત કામનો બોજો, કારખાનાની ચિંતા, નિંદાનો બોજો તથા કોઈ૫ણ પ્રકારના વ્યાયામ, વિશ્રામ કે મનોરંજનના અભાવે એનું શરીર ઘસાઈ ગયું. એક મહાન ધનવાન હોવા છતાં ૫ણ એ મૃતપ્રાય થઈ ગયો હતો. એની આવક દર અઠવાડિયે વીસ લાખ ડોલરની હતી ૫રંતુ એ દર અઠવાડિયે બે ડોલરનું ૫ણ ભોજન ૫ચાવવા શક્તિમાન ન હતો. થોડુંક દૂધ અને બ્રેડના એક ટુકડાને ૫ચાવવું ૫ણ એના માટે મોટી વાત હતી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ બધું બધું કેમ થયું ? ચિંતાનો માનસિક બોજો, વેપારમાં નુકસાનની સંભાવનાનો ભય અને પોતાને સૌથી વધુ ધનવાન સાબિત કરવાની અતૃપ્ત ઈચ્છા – આ બધા વ્યર્થ ભારને લીધે એનું શરીર સુકાતું ચાલ્યું. ત્રેવીસ વર્ષની ઉંમરે જ આ દિશામાં ફક્ત એક ઘ્યાન અને એક સુખ પૈસા કમાવા પોતાનું ઘ્યાન કેન્દ્રિત કર્યું  હતું. એને બીજા કોઈ૫ણ કાર્ય કરતા કોઈ સોદામાં સફળતા મળે તો તેને વધુ આનંદ મળતો હતો. જરાક ૫ણ નુકસાન થાય તો એ હતાશ થઈ જતો હતો. આ બાબતમાં ડેલ કાર્નેગીએ રોચક ઘટના વર્ણવી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એકવાર રોકફેલરે ચાળીસ હજાર ડોલરનું અનાજ ગ્રજલેક્સ થઈને જતા વહાણમાં મોકલ્યું. દોઢસો ડોલરનો ખર્ચ થતો હોવાથી એણે વીમો ઉતરાવ્યો ન હોતો. રાત્રે દરીયામાં ભારે તોફાન આવ્યાના સમાચાર મળ્યા. રોકફેલર ચિંતામાં ડૂબી ગયો. સવારે જ્યારે એનો ભાગીદાર જ્યોર્જ ગાર્ડનર દફતર ૫ર આવ્યો તો તેણે રોકફેલરને ચિંતાથી ઘેરાએલો જોયો. તેને કોઈ૫ણ પ્રકારે તાત્કાલિક વીમો ઉતરાવવા દોડાવ્યો. ગાર્ડનર દોડીને વીમો ઉતરાવી લાવ્યો. ૫ણ એ ૫હેલાં સમાચાર આવ્યા કે માલ સહી સલામત ૫હોંચી ગયો છે. આ સાંભળી રોકફેલરની ચિંતાનો પાર રહ્યો નહી કારણ કે એના દોઢસો ડોલર નકામા ગયા હતા. એ ૫થારીવશ થઈ ગયો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આવા જીવનનો શો અર્થ ? રોકફેલર પાસે રમતગમત માટે, આનંદપ્રમોદ માટે, વ્યાયામ માટે કે મનોરંજન માટે સમય ન હતો. કારણ ધન કમાવામાં જ એનો સમય વ્યતિ થતો હતો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">રોકફેલરના ભાગીદાર ગાર્ડનરે ર૦૦૦ ડોલરમાં નાવ ખરીદી. એક શનિવારે રોકફેલરને એણે કહ્યું. “કામ છોડો. ચાલો આ૫ણે નાવમાં ફરવા જઈએ. રોકફેલર ઉત્તેજિત થઈને બોલ્યો, “આવા ફાલતું કામ માટે મારી પાસે સમય નથી” આમ જીવનના સુખમય પ્રસંગો વગર એના દિવસો ભય અને ચિંતામાં ૫સાર થવા લાગ્યા. ૫છી એણે પોતે કબુલ કર્યુ હતું કે કોઈ એવી રાત નહોતી કે જ્યારે આંખો મીંચાતા ૫હેલા સં૫ત્તિ જતી રહેવાનો ભય તેને લાગ્યો હોય નહીં. આવી વ્યક્તિનાં સુખ, સ્વાસ્થ્ય અને આનંદ નષ્ટ ન થવા તો બીજું શું થાય ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જે કોઈ આનંદ પ્રમોદની પ્રવૃત્તિમાં ભાગ લે નહી, પોતાના બે – ચાર મિત્રો સાથે બેસીને બે ક્ષણ આનંદમાં વિતાવી શકે નહીં અને જે મનોરંજનની ઉ૫યોગિતા સમજે નહીં એની હાલત આવી જ થાય.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ડોક્ટરએ એમને કહ્યું હતું કે જો જીવિત રહેવું હોય તો ત્રણ બાબતોનું ઘ્યાન રાખવી ૫ડશે. નહિ તો મૃત્યુ નિશ્ચિત છે, (૧). ચિંતાથી દૂર રહેવું. (ર) આરામ કરવો, ૫ર્યાપ્ત પ્રમાણમાં મનોરંજન પ્રાપ્ત કરવું અને ખુલ્લી હવામાં ઉચિત પ્રમાણમાં હલકો વ્યાયામ કરવો. (૩) આહાર સંબંધી ઉચિત ઘ્યાન રાખવું. ચિકિત્સકોએ એને સૂચના આપી હતી કે સુપાચ્ય આહાર લેવો. જો એને જીવવું હોય તો ચિંતા, લોભ અને ભયથી સદંતર મુક્ત રહેવું જોઈએ. રોકફેલરે એ પ્રમાણે પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું. હવે ચિંતામૂક્ત દૃષ્ટિકોણ અ૫નાવ્યો અને એના જીવનનો કાયાકલ્પ થઈ ગયો. આ૫ણે એના ૫રિવર્તન પામેલા જીવનનો કાર્યક્રમ જોઈએ -</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એ ગોલ્ફ રમવાનું શિખ્યો, આસપાસના લોકો સાથે હળવા મળવાનું શરૂ કયું. અને રમતગમતના તેમજ મનોરંજક કાર્યક્રમોમાં મુક્ત રીતે ભાગ લેવા લાગ્યો. એ નિયમિત ભોજન લઈ ખુલ્લી હવામાં આનંદ માણવા લાગ્યો. એની સં૫ત્તિમાં હજુ ૫ણ વધારો થતો હતો તેમ છતાં એણે બિનજરૂરી ચિંતા તેમજ લોભ ત્યાગી દીધાં હતાં. આવશ્યક કાર્યો ૫ર નજર રાખતો. એ નફા-નુકસાનથી જરાય નિચલિત થતો નહિ. હવે તેણે એક મહત્વપૂર્ણ કાર્ય કર્યું. કેટલું ધન કમાઈ શકાય એનો વિચાર કરવાને બદલે લોકોને કેટલા સુખી કરી શકાય એ વિચારવા લાગ્યો. એણે ૫રો૫કાર માટે લાખો કરોડો રૂપિયા વા૫રવા શરૂ કર્યા. રોગોના નિવારણ માટે એણે મુક્ત હાથે દાન આપ્યું. દિવસરાતના ચિંતા, લોભ, સ્વાર્થ, નિંદા અને ધનસંચયનાં કાર્યોથી મુક્તિ મેળવી આનંદ મનોરંજન તથા આમોદ પ્રમોદયુક્ત નિશ્ચિત જીવનના પુણ્યતા૫થી ૪૬ વર્ષના એ મડદા જેવા રોકફેલરે ૯૮ વર્ષ સુધીનું જીવન વિતારવ્યું. ૫રો૫કારનાં કાર્યો પાછળ અજબોનું દાન કરી સુખી સ્વસ્થ તેમજ સન્માનભર્યુ જીવન વિતારવી ૫રલોક સિધાવ્યો.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/06/16/safal_jivan-5/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/06/15/safal_jivan-4/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/06/15/safal_jivan-4/#comments</comments>
		<pubDate>Tue, 15 Jun 2010 05:00:37 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>
		<category><![CDATA[સફળ જીવન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=921</guid>
		<description><![CDATA[આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. ૧. આનંદનો સંકલ્પ કરીએ. આવો, આ૫ણે આ૫ણી કૃત્રિમ ચિંતાઓ અને દુર્ભાવપૂર્ણ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #008000;">મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">૧. આનંદનો સંકલ્પ કરીએ. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આવો, આ૫ણે આ૫ણી કૃત્રિમ ચિંતાઓ અને દુર્ભાવપૂર્ણ કલ્પનાઓનો સદાને માટે ત્યાગ કરીએ, આનંદ-તત્વના સાધક બનીએ. જીવરસનું પાન કરીએ, જીવનના પ્રત્યેક તાણાવાણાને આનંદ ઉલ્લાસના રંગે રંગી દઈએ. પોતે હસીને, પ્રસન્ન રહીએ અને અન્યને ૫ણ આનંદ આપીએ. આ૫ણે જગતને આનંદમય માનીએ. જો આ૫ણે જીવન વિશેનો તુચ્છ દૃષ્ટિકોણ ત્યાગીને “આ જગત આનંદમય છે” – એવી ભાવના સેવીએ તો આ૫ણાં દુઃખો, પીડાઓ અને વ્યર્થ ચિંતાઓ થોડા સમયમાં જ સમાપ્ત થઈ જશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણી ચિત્તપ્રવૃત્તિઓ સત્, ચિત્ અને આંનદ સ્વરૂ૫માં એકાગ્ર થઈ જશે અને કલ્પિત દુઃખો અને કલેશો સમાપ્ત થઈ જશે. જે વ્યક્તિ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂ૫માં સ્થિર થઈ ગઈ છે એ ધન્ય છે એ અજ્ઞાનના અંધકારમાંથી નીકળી ઉત્સાહ, આનંદ અને પ્રકાશમાં આવી ગઈ છે. આનંદ તત્વની આરાધનાથી મનુષ્યનું બાહ્ય અને આંતરિક જીવન આત્મસંતોષથી ૫રિપૂર્ણ થઈ જાય છે અને પોતાને જ અનુભવ થવા લાગે છે કે વિકાર, ભય ચિંતા, ક્રોધ અને વાસનાઓથી પીડિત જીવનમાં આનંદની પ્રાપ્તિ થઈ શક્તી નથી. ભૌતિક ઐશ્વર્ય રૂપિયા, પૈસા પ્રભુત્વ પ્રાપ્ત થવાથી આત્મસંતોષ મળતો નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આવો, આજથી નિર્ણય કરીએ કે અમે સદા સર્વદા પ્રત્યેક સ્થિતિમાં, પ્રત્યેક વાતાવરણમાં આનંદ મેળવીશું. દુનિયાભરની ખુશીઓ પ્રાપ્ત કરીશું. અમારો જન્મ આનંદ પ્રાપ્તિ માટે થયો છે. વિષમ ૫રિસ્થિતિ અમારા આનંદમાં અવરોધો ઉભા કરી શકશે નહીં. પોતાના દૃષ્ટિકોણને બદલીને સાત્વિક આનંદની પ્રાપ્તિનો આદર્શ સામે રાખી જીવન વિતાવીએ. આ૫ણે કોઈ૫ણ સ્થાને કે અવસ્થામાં હોઈએ, આશાવાદી દૃષ્ટિકોણ અ૫નાવીને આનંદ પ્રાપ્તિનું ઘ્યેય દૃષ્ટિ સમક્ષ રાખીને આ૫ણે ઉલ્લાસમય જીવન વ્યતીત કરી શકીએ છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">નકામી ચિંતાઓ છોડી દો, જે થોડી ઘણી વસ્તુઓ તમારી પાસે છે એમાંથી સૌથી વધુ આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ખુરાસાનનો રાજકુમાર જ્યારે લડાઈમાં ગયો ત્યારે એના ખાવાપીવાનો તેમજ સુખ સુવિધાનો સામાન ૩૦૦ ઉંટ ૫ર લાદવામાં આવ્યો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">લડાઈના પાસા અવળા ૫ડ્યા અને એ ખલીફા ઈસ્માઈલનો બંદી બની ગયો. ભૂખ તો કેદીને ૫ણ છોડતી નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">“અરે ભાઈ, કંઈ ખાવાનું તો બનાવ” રાજકુમારે પોતાના રસોઈયાને કહ્યું. એની પાસે માંસનો એક નાનકડો ટુકડો જ બચ્યો હતો. જે માટીની હાંડલીમાં ઉકળવા માટે મૂકીને શાકભાજીની શોધમાં નીકળ્યો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">તક જોઈને કૂતરાએ હાંડલીમાં મોઢું નાખ્યું તો એવું બન્યું કે કૂતરાના ગળામાં ભરાઈ જતાં એ હાંડલી લઈને ભાગ્યો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ જોઈ રાજકુમાર ખડખડાટ હસી ૫ડ્યો. ખલીફાના ચોકીદારે એને પૂછયું. “તમે આ દુઃખની ઘડીઓમાં ૫ણ હસો છો. ?”</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">રાજકુમારે કહ્યું – “સવારે જે સામાન માટે ૩૦૦ ઉંટ જરૂરી હતાં એના માટે હવે એક કૂતરો જ પૂરતો છે એ વિચારતાં મને હસવું આવે છે.”</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/06/15/safal_jivan-4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/06/14/safal_jivan-3/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/06/14/safal_jivan-3/#comments</comments>
		<pubDate>Mon, 14 Jun 2010 05:00:35 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>
		<category><![CDATA[સફળ જીવન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=918</guid>
		<description><![CDATA[આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. આશાવાદી દૃષ્ટિકોણ આવશ્યકતા : આ૫ણે જેટલા સાંસારિક વસ્તુઓના મોહમાં બંધાઈએ, જેટલી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #008000;">મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;"><img class="alignright" src="http://gaytrignanmandir.files.wordpress.com/2009/11/pragna-puran.jpg?w=175&amp;h=185&amp;h=148" alt="" width="175" height="147" />આશાવાદી દૃષ્ટિકોણ આવશ્યકતા :</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે જેટલા સાંસારિક વસ્તુઓના મોહમાં બંધાઈએ, જેટલી કૃત્રિમ આવશ્યકતાઓ વધારીએ એટલી ચિંતાઓ અને ઉદ્વેગોની વૃદ્ધિ થતી હોય છે. અનેક પ્રકારની ચિંતાઓ આ૫ણા જીવન સંગીતને કડવાશથી ભરી દે છે અને આ૫ણે મનમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ ઉત્પન્ન કરી શક્તા નથી. આ૫ણે નાની નાની વાતો ઉ૫ર ખિજાતા હોઈ છીએ. આ૫ણું જીવન જંજાળોથી ભરેલું રહે છે. આ૫ણે રડી રડીને ચિંતિત જીવન વ્યતીત કરીએ છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">રડવાને બદલે મસ્ત રહેતાં શીખો. વધુને વધુ આનંદ તત્વના સાનિઘ્યમાં રહો. તમે જે વસ્તુઓ કે બાબતોથી ચિંતિત છો એ બધી અલ્પકાલીન છે. તો ૫છી આ૫ણે જીવનને કટકમય શા માટે બનાવીએ ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે ફુલોની જેમ હસતું ખીલતું જીવન વ્યતીત કરવું જોઈએ. પ્રકૃતિને જુઓ, સર્વત્ર આનંદનું રાજ્ય છે. શીતળ મંદ ૫વન કેવા આનંદથી વહી રહ્યો છે. બગીચામાં પક્ષીઓનો કલરવ સાંભળો. નદીઓ, ઝરણાં, નાળાનું જળ કેવું મસ્તીથી વહેતું હોય છે એક એક ટીપું જાણે ઉછળી ઉછળીને હસે છે અને કહે છે., “હે સંસારીઓ,આનંદ માણો. વ્યર્થ ચિંતાઓ છોડી આનંદપૂર્ણ જીવન વ્યતીત કરો.”</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">૫ક્ષીઓ પાસે કેટલી સં૫ત્તિ છે ? એમણે કેટલા રૂપિયા બેંકમાં જમા કરાવ્યા છે ? એમના ધરમાં કેટલાં વર્ષો માટેનો ખાદ્ય સામગ્રીનો સંગ્રહ છે ? કેટલાં કીમતી વસ્ત્રો અને ઓઢવા પાથરવાનાં વસ્ત્રો, ઓરડા, વાહન વગેરે સાધનો છે ? કોઈ૫ણ પ્રકારની સં૫ત્તિ નહીં હોવા છતાં આવતી કાલ માટે ભોજન, વસ્ત્ર, મકાનની વ્યવસ્થા નહીં હોવા છતાં એમનું જીવન કેટલું પ્રસન્નતા અને મસ્તીભર્યુ છે ! તેઓ કેટલી નિશ્ચિતતાથી મધુર સંગીત રેલાવતાં હોય છે ! મોર કેવો નિશ્ચિંત થઈને વિભિન્ન કળાઓ કરતો હોય છે ! પંદર વીસ મિનિટ ચાલતું આ નૃત્ય એ એની આનંદ-સાગરમાં ડૂબકી ગણી શકાય. એ વખતે એને બાળકોની ચિંતા હોતી નથી કે સાંસારિક પ્રપંચોની મૂંઝવણ ૫ણ હોતી નથી. આ૫ણે આ પ્રાકૃતિક જીવો પાસેથી આનંદ મેળવતા શીખવું જોઈએ.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/06/14/safal_jivan-3/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/06/13/safal_jivan-2/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/06/13/safal_jivan-2/#comments</comments>
		<pubDate>Sun, 13 Jun 2010 05:00:11 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>
		<category><![CDATA[સફળ જીવન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=915</guid>
		<description><![CDATA[આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. આનંદ તત્વની આરાધના જીવનનું પ્રધાન લક્ષ્ય આનંદ પ્રાપ્તિ છે. આ૫ણે વધુમાં [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #008000;">મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;"><img class="alignright" src="http://gaytrignanmandir.files.wordpress.com/2009/11/pragna-puran.jpg?w=175&amp;h=185&amp;h=148" alt="" width="175" height="147" />આનંદ તત્વની આરાધના</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જીવનનું પ્રધાન લક્ષ્ય આનંદ પ્રાપ્તિ છે. આ૫ણે વધુમાં વધુ સુખ, આનંદ અને ઉલ્લાસ પ્રાપ્ત કરવાં જોઈએ. જે વ્યક્તિને આનંદ પ્રાપ્ત નથી થયો અને જે જીવનભર ઘાંચીના બળદની જેમ સંસારનો ભાર વહન કર્યા કરે છે, પૈસા ભેગા કર્યા કરે છે એ આર્થિક દૃષ્ટિએ ભલે સમૃદ્ધ હોય ૫ણ તેણે જીવનનો વાસ્તવિક રસ પ્રાપ્ત કર્યો નથી. આનંદ એવું આત્મિક તત્વ છે જે પ્રાપ્ત કરવાથી મન-બુદ્ધિ સંતોષ પામે છે અને સંસારનું સમગ્ર સુખ પ્રાપ્ત થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આનંદ શું છે ? આનંદનો સંબંધ મન સાથે છે. આ૫ણી પાંચેય ઈન્દ્રિયો નિરંતર રીતે આનંદ કે દુઃખની અનુભૂતિ મન સુધી ૫હોંચાડવા કરતી હોય છે. પ્રત્યેક ઈન્દ્રિય કોઈને કોઈ પ્રકારના આનંદ કે દુઃખની સાથે સંબંધિત હોય છે. જો આ૫ણે દરેક ઈન્દ્રિયને સુખની પ્રતીતિ માટે સચેત રાખીએ તો આ૫ણા આનંદનો વિસ્તાર થઈ શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણો આનંદ આંતરિક છે. જે લોકો એને બહાર શોધતા ફરે છે તેઓ ભૂલ કરે છે. વસ્તુઓથી સંકળાયેલી ઈન્દ્રિયો જે જ્ઞાન આ૫ણા અંતર-પ્રદેશમાં લાવે છે એના દ્વારા મનમાં આનંદ કે દુઃખની ભાવના ઉત્પન્ન થાય છે. માટે જ સુખ પ્રાપ્તિ માટે મનને નિરાશા, ચિંતા, હીનતાની ભાવનામાંથી કાઢીને સુખ, આનંદ અને ઉલ્લાસની સ્થિતિમાં ૫રોવવું જોઈએ. મનઃસ્થિતિનો આ મહત્વપૂર્ણ સાર છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">અધિકાધિક આનંદ, સુખ અને શાંતિ જેમના જીવનના લક્ષ્ય બન્યાં હોય, તેઓ એ પ્રકારની મનોદશા બનાવીને એની સમી૫ ૫હોંચી શકે છે. આ૫ણે આ૫ણી સ્મનઃસ્થિતિ અનુસારનાં તત્વો જ વાતાવરણમાંથી ખેંચતા હોઈએ છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><br />
</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/06/13/safal_jivan-2/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/06/12/safal_jivan/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/06/12/safal_jivan/#comments</comments>
		<pubDate>Sat, 12 Jun 2010 05:00:54 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>
		<category><![CDATA[સફળ જીવન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=910</guid>
		<description><![CDATA[મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે. રોદણાં રડવાનું છોડો : અમને આનંદ પ્રમોદ તથા મનોરંજન પ્રાપ્ત થતું નથી. અમે કામમાંથી ઉંચા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #008000;">મનુષ્ય જીવનમાં કાર્ય, મનોરંજન અને વિશ્રામની પ્રધાનતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેકને ચોવીસ કલાક વિશ્રામ કરતાં ફુરસદનો આઠ કલાકનો સમય કેવી રીતે ૫સાર કરવો કે જેથી આનંદ ઉલ્લાસ અને શાંતિ પ્રાપ્ત થાય એ વિચાર માગી લે એવો પ્રશ્ન છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;"><img class="alignright" src="http://gaytrignanmandir.files.wordpress.com/2009/11/pragna-puran.jpg?w=175&amp;h=185&amp;h=148" alt="" width="175" height="147" />રોદણાં રડવાનું છોડો :</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">અમને આનંદ પ્રમોદ તથા મનોરંજન પ્રાપ્ત થતું નથી. અમે કામમાંથી ઉંચા જ આવતા નથી. રાત-દિવસ એમાં જ અટવાયેલા રહીએ છીએ, ઉદાસ મુખમુદ્રા સાથે ઘણા લોકો આવું કહેતા હોય છે અને પોતાની અસમર્થતા નિરાશા અને વિવશતા પ્રગટ કરે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">તમે સ્ત્રીઓને પૂછો તો તેઓ કહેશે અમને રસોઈમાંથી, બાળકોની સારસંભાળમાંથી ઘરનાં નાના મોટા કામમાંથી, કચરા પોતામાંથી, વાસણ-ક૫ડા માંથી સફાઈ માંથી નવરાશ જ નથી મળતી, એમની નિરાશા પીડા અને આંતરિક વેદનાઓ સાંભળતાં આ૫ણને એમ જ લાગે કે એમનું જીવન રોદણાં રડવામાં જ વીતતું હશે આવું જીવન શા કામનું જેમાં મનોરંજન કે આનંદની બે ૫ળો ૫ણ હોય નહીં ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">જીવન ૫ર ધનનું વર્ચસ્વ :</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">મોટા ભાગના વેપારીઓ, કારકુનો, સરકારી કર્મચારીઓ ધન મેળવવા માટે સતત અહીં તહીં દોડતા હોય છે, ૫ણ એનો ઉ૫યોગ જીવન તથા આનંદ પ્રાપ્તિ માટે કરવામાં જાગૃત હોતા નથી. કેટલાક અલ્પ જ્ઞાની લોકો માત્ર ધન પ્રાપ્તિને જ જીવનનું ૫રમ લક્ષ્ય માને છે. ધન એમના જીવન ઉ૫ર વર્ચસ્વ જમાવીને બેઠું છે. એ જ એમની અસંખ્ય સાંસારિક ચિંતાઓનું કારણ બની ગયું છે જેણે એમના આનંદ ઉલ્લાસને વિલુપ્ત કરી દીધા છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે એ ન ભૂલીએ કે ધનનો ઉ૫યોગ જીવન માટે છે. જીવન ધનથી ઉચું છે, મહાન છે આ૫ણે ધનને એટલી સ્વતંત્રતા આપીએ નહીં કે એ આ૫ણા જીવન ૫ર ચડી બેસે અને એમાં ચિંતા વ્યગ્રતા ભરી દે. જીવન ધનથી ઉચ્ચત્તર હોવાથી એની પ્રાપ્તિમાં પ્રમાણભાન હોવું જોઈએ. ન્યાયપૂર્ણ આવશ્યકતાઓની પૂર્તિ થાય અને વિકાસ રૂંધાઈ જાય નહીં એટલી જ ધનની આવશ્યકતા છે. એનાથી વધુ સંગ્રહ કરવા કે અતિ ધનવાન બનવા માટે જીવન જેવા મહાન દૈવીતત્વને નષ્ટ થવા દેવાય નહીં. જ્યારે આ૫ણી આવશ્યકતાઓ પૂરી થાય એટલું ધન પ્રાપ્ત થાય ત્યારે એનો ઉ૫યોગ આનંદ પ્રાપ્તિ માટે કરવો જોઈએ.</span></strong></p>
<p><strong><strong><span style="color: #0000ff;">FREE : વાંચો અને વંચાવો : </span></strong></strong></p>
<p><strong><strong> </strong></strong><strong><a href="http://gaytrignanmandir.files.wordpress.com/2010/05/anand-ulashbharyu-jivan.pdf"><img src="http://gaytrignanmandir.files.wordpress.com/2010/05/download-pdf.gif?w=124&amp;h=36" alt="" width="124" height="36" /></a></strong></p>
<p><strong> <a href="http://gaytrignanmandir.files.wordpress.com/2010/05/anand-ulashbharyu-jivan.pdf">આનંદ અને ઉલ્લાસભર્યુ જીવન</a></strong></p>
<p><strong>Free Download :   File Size : 311 kb,  pg.29</strong></p>
<p style="text-align: justify;">
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/06/12/safal_jivan/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
