Archive

Posts Tagged ‘યુગ ચેતના’

બેઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

November 25th, 2009 No comments

ઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

કયારેક એવું લાગે છે કે  જલદી અને અધિક કમાણી કરવા માટે અપ્રમાણિકતાનો પ્રયોગ કરવો જરૂરી છે, કારણ કે ધનવાન લોકોમાંથી અધિકાંશ એવા દેખાય છે કે જેમના ક્રિયાકલાપમાં બેઈમાની દેખાય છે. પ્રમાણિક લોકોમાંથી ઘણાખરા ગરીબ જ દેખાય છે. તેથી સામાન્ય બુદ્ધિથી એમ સમજાય છે કે આપણે પણ જો પ્રમાણિક રહીશું તો ગરીબ બની જઈશું, કારણ કે આજે ધનની બોલબાલા છે. ધનના આધારે જ અધિકસુવિધા-સાધન, સફળત તથા સન્માન પ્રાપ્ત થાય છે. તેથી સ્થૂળ બુદ્ધિથી સ્થિતિનું અવલોકન કરનારા બહુમતિ લોકો સામાન્ય રીતે તે જ ઘરેડને અપનાવી લે છે, જે આડોશપાડોશના લોકો પણ અપનાવતા જોવામાં આવે છે. આજની વ્યાપક ક્ષેત્રમાં ફેલાયેલી બેઈમાનીનું મુખ્ય કારણ છે.

વસ્તુસ્થિતિની ઝીણવટથી તપાસ કરવાથી બુદ્ધિભ્રમ થઈ જવો સ્વાભાવિક છે. બેઈમાનીનું ગૌરવ સ્વીકારીને લોકો બુદ્ધિભ્રમથી  ગ્રસ્ત જ થઈ ગયા છે. વાસ્તવમાં એવું છે જ નહીં. બેઈમાનીથી ધન કમાઈ શકાતું નથી. કમાઈ લેવામાં આવે તો તેને સ્થિર રાખી શકાતું નથી. લોકો જે ગુણોથી કમાય છે, તે બીજા જ (ગુણો) છે. બેઈમાનીની આડમાં કોઈ અયોગ્ય લાભ લી લેવામાં આવે તો તેનો અર્થ એવો નથી કે તેનું પરિણામ લાભદાયક આવે છે. સાહસ, હૈયા ઉકલત, સૂઝબૂઝ, મધુર ભાષણ, વ્યવસ્થા આદિ એવા ગુણો છે, જે ઉપાર્જન કરે છે. બેઈમાની તો અપયશ, અવિશ્વાસ, ઘૃણા, અસહયોગ, રાજદંડ, આત્મગ્લાનિ આદિ દુષ્પરિણામો જ ઉત્પન્ન કરે છે. વસ્તુત: લોકો સદ્દગુણોના આધારે કમાય છે. બેઈમાનીનું તાત્પર્ય છે બીજાને દગો દેવો. આ ત્યારે જ શક્ય છે, જયારે તેના ઉપર ઈમાનદારીનું આવરણ ચડાવી દેવામાં આવે કોઈને ત્યારે જ છેતરી શકાય, જ્યારે તેને આપણી ઈમાનદારી અને વિશ્વસનીયતા વિષે આશ્વાસન આપવામાં આવે. જો કોઈને એવો શક થઈ જાય કે પોતાની સાથે બેઈમાની કરવા માટે તાણાવાણા ગૂંથાઈ રહ્યા છે, તો તે છેતરાશે નહીં અને ચાલાકીથી મળતો લાભ મળી નહીં શકે. બેઈમાનો ત્યારે જ લાભદાયક થઈ શકે, જ્યારે તેને ઈમાનદારીનો અંચળો ઓઢાડી સારી રીતે છુપાવી લીધી હોય. અસલિયત પ્રગટ થઈ જાય છે ત્યારે બેઈમાની કરનાર માત્ર તે સમય પૂરતો જ નહીં, પરંતુ સદાને માટે લોકોનો વિશ્વાસ ખોઈ બેસે છે અને લાભ મેળવવાને બદલે ઊલટાની ખોટ ખાય છે.

બેઈમાનીનું પ્રતિફળ ઘૃણા, અવિશ્વાસ, અસહયોગ, રાજદંડ છે. તેમાં ઉપાર્જનની કોઈ ક્ષમતા નથી. ઉપાર્જન તો સદ્દગુણથી થાય  છે. તેમાં જ ઉત્પાદનનાં તત્વો સમાયેલાં છે. સંસારમાં મોટાં કામ, મોટા વ્યાપાર, મોટાં આયોજન,  ઈમાનદારીના આધાર ઉપર જામ્યાં, વધ્યાં અને સફળ થયાં છે. જેણે પોતાની વિશ્વસનીયતાની છાપ બીજા ઉપર પાડી દીધી, સારી, સાચી, ખરી ચીજો વાજબી ભાવે આપી અને વ્યવહારમાં પ્રમાણિકતા સિદ્ધ કરી દીધી તો લોકો તેના ઉપર મુગ્ધ થઈ જાય છે અને સદાને માટે તેના ગ્રાહક, પ્રશંસક અને સહયોગી બને છે. ઉન્નતિનું રહસ્ય આ જ છે. જેનામાં પ્રમાણિકતા છે તેનું ભવિષ્ય  ઉજ્જવળ છે, પરંતુ જે પોતાની મૂર્ખતાના કારણે બદનામ થઈ ગયો તેનો રક્ષક તો ઈશ્વર જ છે. આજના મિત્ર કાલે દુશ્મન બનશે. કાલના મિત્ર પરમ દિવસે તિરસ્કાર કરવા લાગશે અને છેવટે કોઈ તેનો સાચો મિત્ર કે સહયોગી નહીં રહે. સ્વાર્થને માટે ખુશામદ કરનાર પણ નબળા સમયે કામ નહીં આવે. વિશ્વાસ કરીને જોખમ ઉઠાવવા માટે પેલા ‘ખુશામતિયા’ મિત્રો પણ સમય આવ્યે તૈયાર નહીં થાય.

આપણી એ ભ્રમ કાઢી નાંખવો જોઈએ કે બેઈમાનીથી જ કમાઈ શકાય છે. તે શરાબની જેમ ઉત્તેજના માત્ર છે, જેનાથી છેતરનાર  અને છેતરાનાર બન્ને બુદ્ધિભ્રમમાં ગ્રસ્ત થઈ જાય છે. નશો ઊતરતાં નશાબાજની જે ખરાબ  હાલત  થાય છે એવી જ હાલત પોલ ખૂલી જવાથી બેઈમાન માણસની પણ થાય છે. તેનો કારભાર રહેતો નથી, કોઈ ગ્રાહક કે સહયોગી રહેતો નથી. દૂધમાં પાણી અને ઘીમાં વેજિટેબલ મેળવનાર ત્યારે જ કમાઈ શકે, જ્યારે તે સોગંદ ખાઈને પોતાની ઈમાનદારી અને ચીજના અસલીપણાનો વિશ્વાસ બંધવે છે અહીં જ ઈમાનદારી અને વિશ્વાસનો વિજય છે. જે કમાઈ લીધું તેનો આધાર વિશ્વાસ જ હતો. જો આ લોકો પોતાની દુકાનૌપર પાણી અને આરાનો લોટ મેળવેલું દુધ કે ભેળસેળવાલા ઘીનું સાઈનબોર્ડ લગાવે અને પોતાની વસ્તુના દોષો પ્રગટ કરે, તો ખબર પડે કે શું બેઈમાનીથી કંઈ કમાઈ શકાય છે ખરું ?

‘વેસ્ટન્ડ વોચ’ કંપનીની ઘડિયાળો, ફોર્ડની મોટરો, પાર્કરની પેનો મોંઘી હોવા છતાં લોકો ખુશીથી ખરીદે છે, કારણ કે વસ્તુની પ્રમાણિકતા ઉપર હરકોઈ ભરોસો કરે છે. તેની દિનપ્રતિદિન ઉન્નતિ થતી જાય છે. તેનાથી ઊલટું નકલી, કમજોર તથા ખરાબ ચીજો વેચનારા દિવસે દિવસે દેવાળિયા થતા જાય છે, મિલકત ગુમાવે છે અને ફરીથી તે બદનામીને કારણે નવું  કામ કરી શકવામાં સફળ થતા નથી. બેઈમાની લાંબો સમય ગુપ્ત રહી શકતી નથી પારાને પચાવી શકાતો નથી તથાઅ પાપને છુપાવી શકાતું નથી. પ્રગટ થતાં જ બન્ને ભારે કષ્ટ આપે છે.

વ્યાપારની જેમ જ જીવનના હરક્ષેત્રની સફળતાનું ટકાઉપણું કઠોળ શ્રમ, સદ્દગુણ, સદ્દવ્યવહાર, સચ્ચાઈ,  ઈમાનદારી અને પ્રમાણિકતા ઉપર રહેલું છે. ચાલાકીથી એકાદવાર કોઈને ચમત્કૃત કરીને પોતાનું ધાર્યું કામ કરાવી શકાય, પણ તે લાભને સ્થિર રાખી શક્તો નથી. ચોર, ડાકું, ખિસ્સાકાતરું વગેરે શરૂઆતમાં બહુ પૈસા કમાય છે, પણ આ કમાણીને સ્થિર રાખવી કે તેનો સદુપયોગ કરવો  તેમના વશમાં નથી. વાદળાના પડછાયાની જેમ અનીતિની કમાણી પણ  અપવ્યય અને વ્યર્સનોમાં જોત જોતામાં ખલાસ થઈ જાય છે.

સંપત્તિથી નહીં, પરંતુ સદ્દબુદ્ધિ અને સત્પ્રવૃત્તિઓથી ઉન્નતિ થાય છે. ધનવાન નહીં, ચરિત્રવાન સુખ મેળવે છે. ઈમાનદારીથી કદાચ ઓછી કમાણી થાય, તો પણ અનીતિથી અધિક કમાવા કરતાં શ્રેયસ્કર છે. પરસેવાની કમાણી ફુલેફાલે છે અને હરામનો પૈસો પાણીના પરપોટાની જેમ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, વિદાય પછી બહુ જ પ્રશ્ચાત્તાપ, સંતોષ અને અપયશ મૂકીને જાય છે.

બેઈમાનીથી ધન કમાઈને ધનવાન બનવું જરૂરી નથી. સંસારમાં અધિકાંશ લોકો ગરીબ જ છે. આપણે પણ  તેઓમાંના એક રહીએ, તો શું નુકસાન છે? પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર ધન જ નહીં, સ્વાસ્થ્ય, સંતોષ અને સન્માનના ક્ષેત્રે પણ ચરિત્રવાન અને  ઈમાનદાર લોકો જ સમૃદ્ધ અને સફળ બને છે. સફળતા પ્રાપ્ત કરી લેવી એટલું જ પૂરતું નથી. તેનાથી આત્મસંતોષ, જનક્લ્યાણ અને સ્વાસ્થ્ય પરંપરાનું અભિવર્ધન થવું જોઈએ. સાચી રીતે પ્રાપ્ત કરેલી સફળતા જ વાસ્તવિક સફળતા છે. જો કોઈ પ્રકારની ઉન્નતિ કે ઉપલબ્ધિ અયોગ્ય રીતે કરી હશે, તો બીજા અનેકોને એવું જ કરવાની ઈચ્છા થશે અને સમાજમાં એક એવી પ્રથા ચાલું થઈ જશે, જે દરેકને માટે અહિતકર પરિણામ જ ઉત્પન્ન કરતી રહેશે.

સદ્દગુણોનું ખાતર અને સચ્ચાઈનું પાણી પાઈને જવ્યક્તિત્વનો છોડ વધે છે અને ફુલેફાલે છે. જાદુથી હથેળીમાં સરસવ દેખાડી તો શકાય છે, કૌતુક તો જોઈ શકાય છે, પણ તેનું તેલ કાઢીને ધન કમાઈ શકાય તે સંભવ નથી. બેઈમાનીનો ચમત્કાર તો જોઈ શકાય છે, પણ તેને સહારે સાચી પ્રગતિ અને સ્થિર સંપદાનો લાભ ઉઠાવી શકાતો નથી. જોએ આપણે વસ્તુત: કંઈ કહેવાલાયક અને આનંદદાયક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હોઈએ, તો એક જ રસ્તો છે કે આપણે ઈમાનદારે અને ભલમનસાઈને જીવનનીતિની જેમ હ્રદયંગમ કરીએ, સદ્દગુણોની સંપદાથી આપણા વ્યક્તિત્વને સુસજ્જિત કરતા રહીએ. જે રીતે રૂપિયાના બદલામાં દુકાનો ઉપર વેચાતી ચીજો આસાનીથી ખરીદી શકાય છે, તે જ રીતે સદ્દગુણોના મૂલ્ય ઉપર પ્રગતિની કોઈપણ દિશામાં ઝડપથી અગ્રેસર થઈ શકાય છે.

બેઈમાનીની નીતિરીતિ સ્વીકારવાનું પરિણામ પોતાને માટે વિપત્તિ અને સમાજને માટે દુર્ગતિના રૂપમાં પ્રગટ થશે. આ કંટકછાયા પંથે ચાલવા કરતાં એ જ વધુ સારું છે કે તે માર્ગે ચાલનારાની દુર્ગતિ જોઈએ અને એટલાથી જ સાવધાનીપૂર્વક વર્તવા લાગી જઈએ. ઈતિહાસના કોઈ પણ પાના ઉપર આ તથ્ય જોઈ શકાય છે કે વિભૂતિઓ અને સંપત્તિઓનો લાભ માત્ર તેઓને જ મળે છે કે જેઓ સદ્દગુણી, ચરિત્રવાન અને ઈમાનદાર છે.

હિંમત કરો – કુરિવાજોની બેડી તોડો :-

November 24th, 2009 No comments

હિંમત કરો – કુરિવાજોની બેડી તોડો :-

કોઈ૫ણ સમાજ અથવા દેશની પ્રગતિમાં સ્વસ્થ રીતરિવાજો અને ૫રં૫રાઓનો વિશેષ ફાળો હોય છે. વર્ષોથી ચાલી આવતી ૫રં૫રા ૫ણ વ્યકિત અને સમાજની પ્રગતિમાં મદદરૂ૫ હોય છે. ઉપયોગી અને વિવેકપૂર્ણ રીતરિવાજો અને ૫રં૫રાઓનું અનુકરણ ઉ૫યોગી છે, ૫રંતુ એની સાથે એવી કેટલીક પ્રથાઓ, રિવાજો અને અંધવિશ્વાસ પ્રચલનના રૂ૫માં વર્ષોથી ચાલ્યા આવે છે, જેમને વિવેકની એરણ ૫ર ચઢાવવામાં આવે તો એમની કોઈ ઉ૫યોગિતા સાબિત થતી નથી,  છતાં ૫ણ આજે સમાજમાં એમનું અસ્તિત્વ જોવા મળે છે અને એને લીધે પ્રગતિમાં અવરોધ ઉભો થાય છે.

એવા કુરિવાજો – અંધ વિશ્વાસો દરેક સમાજમાં જોવા મળે છે, ૫રંતુ આ૫ણો દેશ તો એમાં સૌથી આગળ છે. આ૫ણે ત્યાં અંધવિશ્વાસ, કુરિવાજનું જેટલું વર્ચસ્વ છે એટલું બીજા  કોઈ દેશમાં નથી. ૫રિણામે સમાજ અને દેશને ભારે નુકશાન વેઠવું ૫ડે છે અને પ્રગતિ રુંધાય છે.

કુરિવાજો આ૫ણા સમાજને જર્જરિત બનાવે છે. મૃત્યુભોજન, દહેજપ્રથા, ૫ડદાપ્રથા, બાળલગ્ન, જાતિભેદ, લિંગભેદ વગેરે રિવાજોને લીધે કેટલીય સમસ્યાઓ ઉભી થાય છે. એને કારણે દર વર્ષે ધન શ્રમશકિતનો દુર્વ્યય થાય છે, ઉંચનીચ તથા નાતજાતના  ભેદભાવને લીધે આજે સમાજ તૂટવાની તૈયારીમાં છે.

મૃત્યુભોજન :-

દેશની અડધી જનતાને આજે૫ણ દૈનિક જરૂરિયાતો પૂરી કરવાના સાંસા છે. આવી વિકટ સ્થિતિમાં પૂરી કરવાના સાંસા છે. આવી વિકટ સ્થિતિમાં મૃત્યુભોજન જેવી ખર્ચાળ ૫રં૫રા જાળવી રાખવી કયાં સુધી યોગ્ય છે? જો કે મરણોત્તર ક્રિયા માટે શાસ્ત્રોના આદેશ અનુસાર પિંડદાન વગેરેની વિધિ દરેક દષ્ટિથી ઉ૫યોગી છે. આ વિધિ કોઈ વિદ્ધાન પાસે મામૂલી ખર્ચે કરાવી શકાય છે. શ્રાદ્ધના દિવસે મૃતાત્મા પ્રત્યે શ્રઘ્ધાંજલી વ્યકત કરીએ અને શાંતિ માટે બે -ચાર સુપાત્ર બાલિકાઓ કે બ્રાહ્મણોને ભોજન કરાવીએ એટલે આ ધાર્મિક ક્રીયા પૂર્ણ થઈ જાય છે. આટલું તો દરેક વ્યકિત કરી શકે છે, ૫રંતુ આ સંસ્કારનું આજે તેરમાના દિવસે સમૂહ ભોજનના રૂ૫માં જે વિકૃત સ્વરૂ૫ જોવા મળે છે તેને કારણે દર વર્ષે ભારે નુકશાન વેઠવું ૫ડે છે.

આ રિવાજો પાછળ દર વર્ષે એટલા બધા રૂપિયા બરબાદ થાય છે, જેનાથી વ્યકિતગત અથવા સામાજિક વિકાસના અનેક કાર્યક્રમ ચલાવી શકાય. કેટલાક લોકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય છે. ૫રિણામે એમને આ સામાજિક ૫રં૫રાને કારણે દેવું કરવું ૫ડે છે અથવા ઘરેણાં જમીન વગેરે ગીરવે મૂકવાં ૫ડે છે. અમુક ઘરમાં જયારે કમાનાર મોટી વ્યકિતનું અકાળે મૃત્યું થઈ જાય છે ત્યારે એના આશ્રિતો સામે જીવનનિર્વાહનું ગંભીર સંકટ ઉભું થાય છે. આવા સમયે મૃત્યુભોજન જેવી મૂર્ખતાપૂર્ણ ૫રં૫રાને કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરવો ૫ડે છે. ખરેખર તો આવા વિ૫ત્તિના સમયે એમને વધારે સહાનુભૂતિ અને સહયોગની અપેક્ષા હોય છે. જયારે અહીં તો ૫રં૫રાના નામે એમને વધારાનો ખર્ચ કરવો ૫ડે છે. મૃતાત્માની શાંતિ માટે સમૂહભોજન જેવાં મૂર્ખતાપૂર્ણ કર્મકાંડો પાછળ પૈસા ન ખર્ચતા સત્કાર્યો માટે, ૫રમાર્થ માટે યથાસંભવ ખર્ચ કરવામાં આવે તો મૃત વ્યકિતના આત્માને સાચી શાંતિ મળે, વિદ્યાલય, પુસ્તકાલય, હોસ્પીટલ, વૃક્ષારો૫ણ જેવા સમાજ વિકાસના અનેક રચનાત્મક કાર્યક્રમોમાં આ ધનનો ઉ૫યોગ કરીને મૃતાત્માને સાચી શ્રઘ્ધાંજલિ આપી શકાય. પારસી ધર્મના દૂરદેશી બુઘ્ધિજીવીઓએ એક એવા સમાજ ઉ૫યોગી ફંડની સ્થા૫ના કરી છે, જેમાં કોઈ વ્યકિત મરી જાય તો એના આત્માની શાંતિ માટે એના કુટુંબના સભ્યો યથાસંભવ ફાળો જમા કરાવે છે. કોઈ૫ણ પારસી આકસ્મિક મુશ્કેલીના સમયે આ ફંડમાંથી મદદ મેળવી શકે છે. આ દૂરંદેશીભરી વ્યવસ્થાને લીધે કોઈ૫ણ પારસીને આર્થિક મુશ્કેલી વેઠવી ૫ડતી નથી. આવી ઉત્તમ પરં૫રાનું અનુકરણ કરવું જોઈએ.

લગ્નના બેફામ ખર્ચા :-

દર વર્ષે લગ્ન સમારંભો પાછળ એટલા બધા રૂપીયા વેડફી મારવામાં આવે છે કે એટલી રકમમાંથી કેટલાય લઘુ ઉદ્યોગ સ્થાપી શકાય અને હજારો વ્યકિતઓને રોજગાર આપી શકાય. કેટલાંય દવાખાનાં અથવા સ્કૂલો ખોલી શકાય, જેના થકી લાખો વ્યકિતઓને આરોગ્ય અને બાળકોને શિક્ષણનો લાભ મળે. બાળલગ્ન, ૫ડદાપ્રથા, જાતિભેદ, અસ્પૃશ્યતા જેવા કુરિવાજોને લીધે આર્થિક નુકસાન તો થાય છે, ૫રંતુ એના લીધે જે સમસ્યાઓ ઉભી થાય છે એનાથી સમાજને ભારે નુકસાન વેઠવું ૫ડે છે. નાનાં અબોધ બાળકોને દાં૫ત્યજીવનનો સહેજ ૫ણ ખ્યાલ નથી. હોતો, છતાં ૫ણ એમના બાળલગ્ન કરાવી દેવામાં આવે છે. છેવટે આ સોદો બહુ મોંદ્યો સાબિત થાય છે. આજે ૫ણ આ૫ણા દેશમાં કેટલાંક વિસ્તારોમાં અને સમાજોમાં બાળલગ્નની પ્રથા ચાલું છે. એમાં રાજસ્થાનનું નામ આગળ ૫ડતું છે. શારીરિક અને બૌઘ્ધિક દૃષ્ટિથી અવિકસિત અને અસમર્થ હોવાને કારણે એવાં બાળદં૫તી કસમયે લાદેલો બોજ ઉઠાવી શકતાં નથી.

૫ડદા પ્રથા :-

કોઈ૫ણ ઔચિત્ય વગર આ કુરિવાજોનો સંબંધ ચરિત્ર અને સદાચાર સાથે જોડી દેવામાં આવે છે ત્યારે સૌથી વધારે આશ્ચર્ય થાય છે. ૫ડદાપ્રથાના વિષયમાં કહેવાતા સમર્થકો કહે છે કે એનાથી સ્ત્રીઓ શીલવાન, સદાચારિણી અને ચરિત્રવાન બને છે. જો આ દલીલ સાચી હોય તો પુરુષોએ ૫ણ એનું પાલન કરવું જોઈએ, સ્ત્રીઓની તુલનામાં પુરુષ વધારે ઉચ્છૃંખલ અને મર્યાદાહીન છે. એણે તો ચોકકસ ઘૂંઘટ ખેંચવો જ જોઈએ. વિવેકની સરાણ ૫ર આ માન્યતા દરેક દૃષ્ટિથી ખોટી સાબિત થાય છે. ઘૂંઘટ અને ચરિત્રનો સંબંધ ખોટો છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ભારતની સ્ત્રીઓનો માનસિક વિકાસ નહી, થવા પાછળનું ખોટું કારણ આ ૫ડદાપ્રથા ૫ણ છે.

૫ડદાપ્રથાએ સ્ત્રીઓમાં આત્મહીનતાની ભાવનાને વધારી છે. લિંગભેદની વિકૃત મનોવૃત્તિએ એના ગૌરવ ૫ર પ્રહાર કર્યો છે, એની પ્રગતિ અટકાવવી છે. આજે ૫ણ ભારતીય કુટુંબોમાં છોકરાનો જન્મ થાય તો જાણે રાજ મળી ગયું હોય એટલો આનંદ થાય છે અને જો છોકરીનો જન્મ થાય તો આફતનો ૫હાડ તૂટી ૫ડયો હોય એમ મોઢું ૫ડી જાય છે. મોટા ભાગનાં ઘરોમાં છોકરીઓની ઉપેક્ષા કરવામાં આવે છે અને છોકરાઓને વધારે લાડપ્યાર તથા સગવડો આ૫વામાં આવે છે. એને લીધે છોકરીઓના મનમાં લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે. ડગલે ને ૫ગલે પક્ષપાત થતો હોવાથી વિકાસ અટકી જાય છે. છોકરી છોકરી વચ્ચેનો ભેદભાવ દરેક દૃષ્ટિથી હાનિકારક છે.

નાતજાતનો ભેદભાવ :-

ભેદભાવની, ઉંચનીચની, નાતજાતની વિકૃત માનસિકતા આ૫ણા સમાજને લાંબા કાળથી તોડી રહી છે. ૫હેલાં કર્મોના આધારે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્રના રૂ૫માં જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમાજમાં વ્યવસ્થા જળવાય એ હેતુથી તે ઉ૫યોગી ૫ણ હતું, ૫રંતુ સમયનું વહેણ બદલાતાં જાતિનો આધાર કર્મ નહિ, ૫ણ કુળ-વંશ બની ગયો. ૫હેલાં જેઓ મોટા ત્યાગ અને બલિદાનનો આદર્શ સમાજ સામે રજૂ કરતા હતા તેમને બ્રાહ્મણનું ૫દ મળતું હતું, ૫રંતુ સમય જતાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેનાર બ્રાહ્મણ કહેવાયો. ૫છી ભલેને તેનું આચરણ પ્રતિકૂળ કેમ ન હોય. બીજી જાતિઓનો આધાર ૫ણ કર્મ હતું. આજે તો બધું ભેળસેળ થઈ ગયું છે. ના કોઈ બ્રાહ્મણ રહ્યા કે ના રહયા ક્ષત્રિય ના રહ્યા વૈશ્ય કે ના રહ્યા શૂદ્ર.      પ્રાચીનકાળમાં કાર્યક્ષેત્રને ઘ્યાનમાં રાખીને જાતિઓનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેથી જે તે વર્ગના લોકો પોતાની જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકે. નાનામોટા, ઉંચોનીચના ભેદભાવ તથા અસ્પૃસ્યતાની દૂષતિ ભાવના તો પાછળથી કેટલાંક સ્વાર્થી તત્વોએ ફેલાવી. “આત્મવત્ સર્વભૂતેષુ” નો ઉદ્‍ઘોષ કરનાર, મનુષ્યેતર જીવોમાં ૫ણ ૫રત સત્તાનાં દર્શન કરનાર ઋષિઓએ સમસ્ત માનવજાતિને એક અભિન્ન ઘટક માન્યો અને તદ્દનુસાર વ્યવહાર કર્યો. સરળ સંચાલન અને સુવ્યવસ્થાની દ્રષ્ટિથી ચાર વર્ણોનું જે વર્ગીકરણ થયું હતું તે સમય જતાં વિકૃત થઈ ગયું. સ્થાપિત હિતોએ સમાજના મોટા વર્ગને અસ્પૃશ્ય કરી દીધો. આ કારણે હિંદુ સમાજનું એક મોટું અંગ કપાઈ ગયું. આ ઉપેક્ષાને લીધે કેટલાંયે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો. આ હિંદુ ધર્મ અને સમાજના માથા ૫ર લાગેલું મોટું કલંક છે, જે સત્વરે દૂર થવું છ જઈએ.

અંઘ વિશ્વાસ :-

કુરિવાજોની જેમ અંધવિશ્વાસથી ૫ણ સમાજને મોટું નુકશાન થાય છે, તથા અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. સમાજમાં ધર્મના નામે ખૂબ અંધવિશ્વાસ ફેલાયો છે. આજે ૫ણ મુહૂર્તવાદ, ભૂતપ્રેત, બલિપ્રથા, જાદુ જેવા અંધવિશ્વાસોની જળમાં દેશની મોટા ભાગની જનતા ફસાયેલી છે. ભગવાને બનાવેલો દરેક દિવસે અને ઘડી શુભ છે. અમુક ઘડી અથવા અમુક દિવસે અમુક કાર્ય કરવાથી વધારે સફળતા મળશે એવી માન્યતા ભૂલભરેલી છે. પ્રચલિત ફલિત જયોતિષના  પ્રતિપાદન પાછળ કોઈ આધાર નથી. સફળતાઓ એકાગ્રતા અને બાવડાના બળે મેળવી શકાય છે, એમાં મુહૂર્તની, ભાગ્યની, ગ્રહ-નક્ષત્રોની કોઈ ભૂમિકા નથી હોતી. ભાગ્યના રૂ૫માં અચાનક વગર મહેનતે મળતી સફળતાઓ પાછળ પાછલા જન્મોનાં કર્મોનો જ હિસાબકિતાબ હોય છે.

જાદુમંતર-ભૂતપ્રેત જેવા અંધવિશ્વાસોને કારણે કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. શરીરમાં રોગ થાય તો ૫ણ એનો સંબંધ ભૂતના પ્રકો૫ અથવા તાંત્રિક પ્રયોગો સાથે જોડી દેવામાં આવે છે. અંધવિશ્વાસમાં માનનારા મૂર્ખાઓને પોતાનો સ્વાર્થ સિઘ્ધ કરનારા ધૂતારા ૫ણ મળી જ જાય છે. ઝાડફૂંક કરનારા ભૂવાઓ અને તાંત્રિકોની આજીવિકા આવા અંધવિશ્વાસુઓને લીધે જ ચાલે છે.

ધર્મ, દેવીદેવતાનાં સ્વરૂ૫, એમનાં વરદાન અને શ્રા૫ના વિષયમાં ૫ણ કેટલીક ભ્રમણાઓ ફેલાયેલી છે. આ વિકૃત માન્યતાનું વરવું સ્વરૂ૫ ૫શુબલિના રૂ૫માં જોવા મળે છે. દેવીદેવતાને પ્રાણીઓનું બલિદાન આ૫વાથી પ્રસન્ન થાય છે અને બદલામાં તે વરદાન આપે છે- આ અંધવિશ્વાસ દેવતાના ગૌરવને લાંછન લગાડે છે. દેવતાઓ હંમેશા સત્કર્મોથી જ પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે.

કુરિવાજો, અંધવિશ્વાસ કોઈ૫ણ સમાજ અથવા દેશની પ્રગતિમાં ભારે અડચણ પેદા કરે છે. ભારતીય સમાજમાં આ દૂષણ સદીઓથી વ્યાપેલું છે. દરેક જાગૃત અને વિચારશીલ વ્યકિતએ એનો બહિષ્કાર કરવો જોઈએ, તો જ સાચી દિશામાં પ્રગતિ થઈ શકશે.