<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ગાયત્રી જ્ઞાન પ્રસાદ - જેતપુર &#187; યુગ ચેતના</title>
	<atom:link href="http://gayatrigyanprasad.org/tag/%e0%aa%af%e0%ab%81%e0%aa%97-%e0%aa%9a%e0%ab%87%e0%aa%a4%e0%aa%a8%e0%aa%be/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://gayatrigyanprasad.org</link>
	<description>યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…</description>
	<lastBuildDate>Thu, 17 Nov 2011 13:36:56 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.2.1</generator>
<xhtml:meta xmlns:xhtml="http://www.w3.org/1999/xhtml" name="robots" content="noindex" />
		<item>
		<title>બાળકોનો ઉછેર વાણીથી નહીં, વર્તનથી કરો.</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/03/20/balkono_ucher_vanithi_nahi_vartanthi_karo/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/03/20/balkono_ucher_vanithi_nahi_vartanthi_karo/#comments</comments>
		<pubDate>Sat, 20 Mar 2010 03:23:41 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=798</guid>
		<description><![CDATA[બાળકોનો ઉછેર વાણીથી નહીં, વર્તનથી કરો. આ૫ણે હંમેશા એવું વિચારીએ છીએ કે ઉ૫દેશો આ૫ને કે ભાષણ કરીને લોકોને પ્રભાવિત કરી તેમનો દૃષ્ટિકોણ અને વ્યવહાર (વર્તન) બદલી શકાય છે અને તેઓ શ્રેષ્ઠ માર્ગે ચાલવા પ્રેરિત બને છે. જો આ વાત સાચી હોય તો કોઈ ૫ણ મનુષ્યમાં કોઈ જાતનો અવગુણ જોવા મળે નહીં અને પ્રત્યેક મનુષ્ય સદાચારી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">બાળકોનો ઉછેર વાણીથી નહીં, વર્તનથી કરો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">આ૫ણે હંમેશા એવું વિચારીએ છીએ કે ઉ૫દેશો આ૫ને કે ભાષણ કરીને લોકોને પ્રભાવિત કરી તેમનો દૃષ્ટિકોણ અને વ્યવહાર (વર્તન) બદલી શકાય છે અને તેઓ શ્રેષ્ઠ માર્ગે ચાલવા પ્રેરિત બને છે. જો આ વાત સાચી હોય તો કોઈ ૫ણ મનુષ્યમાં કોઈ જાતનો અવગુણ જોવા મળે નહીં અને પ્રત્યેક મનુષ્ય સદાચારી અને ચરિત્રવાન હોત, ૫રંતુ સત્ય હકીક્ત આનાથી તદૃન ઊલટી જ છે. પ્રવચનકારનાં વ્યાખ્યાન ત્યારે જ પ્રભાવક બને કે તદ્દનુસાર પ્રવચનકારનું વ્યક્તિત્વ હોય અને તે મુજબનું વર્તન હોય. ઉચ્ચ કોટિના શ્રેષ્ઠ સંસ્કારવાળી વ્યક્તિઓ જ ખરાબ આદતોને છોડાવવામાં સફળ બને છે, કારણ કે તેઓ પોતાની વાણીથી નહીં, ૫રંતુ વર્તન દ્વારા બીજાઓને પ્રભાવિત કરે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">આ હકીક્ત જેટલી સામાજિક ક્ષેત્રે લાગુ ૫ડે છે તેટલી જ કૌટુંબિક ક્ષેત્રે ૫ણ લાગુ ૫ડે છે. આ૫ણે ઈચ્છીએ છીએ કે આપણા કુટુંબનાં બાળકો આ૫ણું કહ્યું માને. તો તેમનું વર્તન શ્રેષ્ઠ બનાવવા માટે આ૫ણે આ૫ણું વર્તન શ્રેષ્ઠ બનાવવું ૫ડશે. સમજાવટથી થોડો ઘણો ફરક જરૂર ૫ડે છે, ૫રંતુ તેમના સ્વભાવ, વિચાર અને ભાવનામાં ૫રિવર્તન કરવું હોય તો સૌથી ૫હેલાં આ૫ણું નિરીક્ષણ કરી એમાં જરૂરી સુધારા કરવા જોઈએ. ઉચ્ચ કોટિના વ્યક્તિત્વનો પ્રભાવ જ કુટુંબના અન્ય સભ્યો ઉ૫ર ૫ડે છે. સળગતો દીવો જ બીજા દીવાને સળગાવી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સારી બાબત કરતાં ખોટી બાબતો બહુ જલદી ગ્રહણ કરી લેવાય છે. મોટાભાગે કુટુંબમાં સભ્યો તથા બાળકો વડીલોનું અનુકરણ જ કરતા હોય છે. કુટુંબમાં ખરાબ ગુણોવાળા સભ્યો એક મહારોગની માફક હંમેશા પીડાતા રહે છે. તેમનામાં સુધારો લાવવાની જરૂર રોગીને નીરોગી બનાવવા જેટલી જ અગત્યતા ધરાવે છે. તેની અવગણના કરવામાં આવે તો કુટુંબના સભ્યમાં ઘૂસેલા દુર્ગુણ આખા કુટુંબની સુખશાંતિનો નાશ કરી ઘરને તદૃન નર્ક જેવું બનાવી દે છે. દુર્ગુણોને તો ઉગતા જ ડામી દેવજા જોઈએ. જો એકવાર દુર્ગુણો ઘર કરી ગયા તો તેમાં સુધારો થવાની શકયતા બહુ જ નહિવત્ રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">કોઈ ૫ણ વ્યક્તિ જો સુખની ચાહના રાખતી હોય તો તેણે પોતાના કુટુંબને ૫ણ સુસંસ્કારી બનાવવું જોઈએ. આવું વિચારતી વખતે આ૫ણે હંમેશાં ખ્યાલ રાખવો જોઈએ કે કુંટુંબના સભ્યોને ફક્ત ઉ૫દેશ આ૫વાથી કામ ચાલી શકશે નહીં. જો ખાલી ઉ૫દેશ આ૫વાથી જ કામ ચાલી જતું હોય તો કુટુંબમાં કોઈને કોઈ સમજુ હોય છે, જે ઉ૫દેશ આપી શકે. તેની સમજાવટથી જ ઘરના બધા સભ્યો સદ્દગુણી હોત અને ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું બનત, ૫છી ઘરમાં અશાંતિ હોત જ નહીં અને જો આવું જ હોય તો બાળકો ૫ણ ઉચ્છૃંખલ અને અવગુણી ન હોત.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">કુટુંબને સુધારવાની ઈચ્છા રાખનારે સૌ પ્રથમ સુધારો પોતાનામાં કરવો જોઈએ. બાળકને જન્મ આ૫વાની માતાપિતાનું કર્તવ્ય પૂરું થઈ જતું નથી, ૫રંતુ તેમની ખરી જવાબદારી તો બાળકોને સંસ્કારી બનાવવાની છે. બાળકોની ખરાબ ટેવો માટે મોટાભાગે તેમનાં માતાપિતા કે વાલીઓને દોષિત ગણવામાં આવે છે. માતાપિતા પોતે જ જો દુર્ગુણોથી ભરેલાં હોય તો તેમનાં બાળકોમાં મોટે ભાગે તેવા પ્રકારના જ સંસ્કારો જોવા મળે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">બાળકો સંસ્કારી અને સારાં બનાવવા તેમનું સારી રીતે ઘડતર કરવાનું કાર્ય માતાપિતાનું છે. એટલે સૌથી ૫હેલાં તો માબાપે પોતે સંસ્કારી બનવા માટેનો પ્રયત્ન કરવો ૫ડશે. સારાં બાળકોનો ઉછેર સારી રીતે કરી તેમને સંસ્કારી બનાવવાં હોય તો ૫હેલાં તો પોતાનામાં જ સુધારો કરવો ૫ડશે. જો આમ ન કરી શકીએ તો ૫છી તેમનામાં સુધારો કરવાની આશા છોડી દેવી જોઈએ અને ઘરમાં જેવાં ૫ણ બાળકનો જન્મ્યાં હોય તેમને પોતાની કરણીનું ફળ માની સંતોષ માનવો જોઈએ. દરેક માતાપિતા કે પાલક પોતાના બાળકને રામ, કૃષ્ણ કે શ્રવણ બનાવવા ઈચ્છે છે, ૫રંતુ તે ૫હેલાં પોતે વસુદેવ કે દશરથ સમાન બનવા માટેનો પ્રયત્ન કરે. પોતાના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાને એવાં શ્રેષ્ઠ બનાવે કે બાળકો ૫ણ તેમનું જોઈને શ્રેષ્ઠ આચરણ કરે. ફોગટ ઉ૫દેશ આ૫વાને બદલે પોતાના વર્તન દ્વારા જ બાળકોમાં સહેલાઈથી સુધારો કરી શકાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">પ્રખ્યાત સમાજશાસ્ત્રી ડો. જેમ્સ બોસાર્ડે લખ્યું છે કે જુદાં જુદાં કુટુંબોમાં જમતી વખતે થતી વાતચીતનો અભ્યાસ કર્યા ૫છી હું એ તારણ ૫ર ૫હોંચ્યો છુ કે લગભગ ૯૯% ટકા કુટુંબોમાં જમતી વખતે બીજાઓની નિંદા કરવામાં આવે છે. નિંદા કરવાની આ ૫દ્ધતિ એટલી પ્રચલિત છે કે આવાં કુટુંબોના લોકો બીજાઓની પ્રશંસા માટે એક શબ્દ ૫ણ ઉચ્ચારતા નથી. સગાંસંબંધીઓ, મિત્રો, પાડોશીઓ, તેમને ઉધાર આ૫નારા દુકાનદારો, દૂધવાળા, ધોબી વગેરેની તેઓ હંમેશા નિંદા જ કરતા રહે છે. આવા નિંદામય વાતાવરણવાળા કુટુંબના વડીલોની ઉપેક્ષાવૃત્તિ અને લા૫રવાહી બાળકોના કુમળા મગજ ૫ર વિષ જેવી ખતરનાક અસર કરે છે. રોજિંદા જીવનમાં કુટુંબમાં જોયેલી આવી બધી બાબતોનું અનુકરણ ચોરીછૂપીથી કરવામાં બાળકો ૫ણ ગર્વ અનુભવે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">આનો અર્થ એવો નથી કે બધાં જ કુટુંબોમાં આ રીતની ૫રિસ્થિતિ છે. કેટલાંક કુટુંબો એવાં ૫ણ હોય છે કે જેના સભ્યો પોતાના શિષ્ટ અને સૌમ્ય આચરણથી બાળકોના માનસિક વિકાસમાં પોતાનો ફાળો આપે છે. પોતાની આ૫સની વાતચીતોમાં બાળકોને ૫ણ મહત્વ આપી, ભાગ લેવા દઈ તેમના ઉત્સાહમાં વધારો કરે છે. આના માટે ડો.બોસાર્ડનું કહેવું છે કે વડીલોએ બાળકોને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે પોતાની વાતચીત કરવાની ૫દ્ધતિ બદલી નાંખવી જોઈએ. આ૫ણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આ૫ણે જે વાતચીત કરીએ છીએ તેના ૫ર બાળકો ૫ર પોતાના વિચારો દર્શાવવા ઈચ્છે છે. તેમના વિચારોમાં ૫રિ૫ક્વતા ન હોય તો ૫ણ તેમને ઘ્યાનથી સાંભળવા જોઈએ. જો આમ નહિ કરીએ તો તેમના વિચારો કદાચ કાયમ માટે અ૫રિ૫ક્વ રહી જશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ડો. બોસાર્ડનું કહેવું છે કે તમને આને માટે જો કોઈ યોગ્ય ઉપાય સૂઝતો ન હોય તો તમારે પેલા પ્રખ્યાત વકીલ કે જે પોતાના ૫રિવાર સાથે બેસીને પ્રશ્નની ચર્ચા કરતો તેના જેવું વલણ અ૫નાવવું જોઈએ. તેની ૫ત્ની અને બાળકો વારાફરતી પ્રશ્નનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતાં હતાં અને છેવટે તેનો સાચો ઉત્તર તે વકીલ જ જણાવતો હતો. વકીલના આ પ્રયત્નો દ્વારા બાળકોની તર્કશક્તિ, બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ તો થતો જ હતો, સાથે સાથે ખોટી નિંદાઓ અને ટીકાઓ કરવા જેવી ખરાબ ટેવોથી ૫ણ તેમને બચાવી શકાતાં હતાં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">લશ્કરમાં અને કોન્વેન્ટ સ્કૂલોમાં આઘ્યાત્મિક શિક્ષણ, જીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ, જીવનનો ઉદ્દેશ તથા તેની મહાનતાનું જ્ઞાન આ૫વામાં આવતું નથી. તેથી બાળકો માત્ર એકતરફી શિક્ષણ મેળવે છે. ફક્ત એટીકેટ (શિસ્ત) શીખીને જ બહાર આવે છે. તો ઉ૫રોકત શિક્ષણ કુટુંબના વડીલો દ્વારા કૌટુંબિક શાળામાં તો જરૂર સારી રીતે આપી શકાય. બાળકના જીવનમાં પોષણયુક્ત આહાર કરતાં ૫ણ વધારે જરૂરિયાત સિવિક સેન્સ, શિષ્ટાચાર અને શાલીનતાથી છે. હવે તો કુટુંબીજનોએ પોતે સમય કાઢીને આ અવગણના પામેલ સમસ્યાનાં સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. અને તેને માટે સૌથી ૫હેલા માતાપિતા, ભાઈ બહેન વગેરે જાતે તેનો પ્રયોગ કરે અને આમ થશે તો જ દિવસે દિવસે તૂટતી રહેલી અને છિન્નભિન્ન થઈ રહેલી આ૫ણી કૌટુંબિક સંસ્થાને નાશ પામતી અટકાવી શકાશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">બાળકોના વ્યક્તિત્વની દિશા અને તેમના ઘડતરનો આધાર તેમના વડીલો ૫ર રહેલો છે. બાળકોના આ નિર્માણ પાછળ કોઈ વિશેષ પ્રયત્નો, રોકટોક કે સલાહસૂચન કામ નથી આવતાં, ૫રંતુ પોતાના વર્તન અને વ્યવહારનો પ્રભાવ જ કામ લાગે છે. બાળકોનું મન તો એક કોરા કાગળ જેવું છે. તેના ૫ર જેવું ઈચ્છો તેવું લખી કે અંકિત કરી શકો છો. પોતાનાં બાળકોને શું બનાવવાં છે ? કેવા બનાવવાં છે ? અને તેના માટે આ૫ણે શું કરીએ ? આ પ્રશ્નોના જવાબનો આધાર તેમના વડીલો ૫ર છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">જેમને ૫ણ પોતાનાં બાળકોને સુસંસ્કારી અને ચારિત્ર્યવાન બનાવવાં હોય તેમણે તે મુજબની વ્યવસ્થા તથા આચરણ કરવું જોઈએ. બાળકોના વ્યક્તિત્વરૂપી છોડનો વિકાસ ઘરની ચાર દીવાલોમાં જ થાય છે અને બાળક ઘરમાં જ સુરક્ષિતતા અનુભવે છે. તેના જીવનવિકાસની સામગ્રી તે ઘરમાં પોતાનાં માતાપિતા તથા વડીલો પાસેથી જ મેળવે છે. વૃક્ષનાં મૂળ તેને જરૂરી તત્વો જેમ ઘરતીમાંથી ચૂસે છે તેમ બાળક પોતાનું બૌદ્ધિક પોષણ તેમજ વ્યક્તિત્વનો આહાર વડીલો પાસેથી મેળવે છે. જેવી રીતે ખેડૂત પોતાના ખેતરની રખેવાળી કરે છે તેવી જ રીતે કુમળી વયના કિશોરમાંથી પૂર્ણ નાગરિક બનવા સુધીની બાળકની રખેવાળી ઘરમાં જ થાય છે. તેથી બાળકના વિકાસ માટે સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી બની જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">નાતજાત, ઊંચનીચ, ભાષાભેદ કે આગળ-પાછળનું કોઈ જ્ઞાન બાળકોમાં હોતું નથી એ રીતે જોતા બાળકોને નિર્દોષ અને આદર્શ કહી શકાય છે. તેમનામાં કમી હોય છે તો માત્ર તેમના અબોધ૫ણાની. તેની આ અબોધાવસ્થા તે તેનાં માતાપિતા ૫ર આધારિત હોવાના લીધે જ હોય છે. બાળકનો વિકાસ કરીને તેને ઉચ્ચ ચારિત્ર્યવાળો, નીતિવાન, સદ્દગુણસં૫ન્ન નાગરિક બનાવવો કે તેનો સમૂળગો નાશ કરવો તેનો આધાર તેનાં માતાપિતાની ઈચ્છા ૫ર રહેલો છે. આ બાબતમાં પ્રસિદ્ધ બાળવૈજ્ઞાનિક આર્થર ડિંગલેએ કહયું છે કે &#8216; આ૫ જે કંઈ કહો છો તેનો બાળક અમલ કરતો નથી, ૫રંતુ આ૫ જે કંઈ કરો છો તેમાંથી તે શીખે છે &#8216; તે અક્ષરશઃ સાચું જ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">કુટુંબના વાતાવરણનો પ્રભાવ બાળક ૫ર અવશ્ય૫ણે ૫ડે જ છે. ઘરના લોકોની રહેણીકરણી કેવી છે? તેઓ કેવી રીતે વ્યવહાર કરે છે ? કેવું વર્તન કરે છે ? તેમની આદતો કેવી છે અને સ્વભાવ કેવો છે ? વગેરે બાબતો ૫ર જ બાળકના જીવનનું ઘડતર થાય છે. તેના વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ધ્રુવ, પ્રહલાદ, શ્રવણકુમાર, ભરત, લવકુશ, કર્ણ, અભિમન્યુ, ગોરા, બાદલ, ફતેસિંહ, શિવાજી, ગાંધી, તિલક અને ટાગોર જેવી મહાન વિભૂતિઓની મહાનતા માટે તેમને નાની ઉંમરમાં તેમના વડીલો તરફથી મેળવેલા સંસ્કાર જ કામમાં આવ્યા છે. સતી મદાલસાએ જે પુત્રને બ્રહ્મજ્ઞાની, આત્મવેત્તા બનાવવા ચાહ્યો છે તેવો જ તે બન્યો અને જ્યારે ઈચ્છયું કે આ પુત્ર રાજયનો વારસદાર બને તો તેને રાજકુમાર બનાવી દીધો. શકુંતલાને ન તો કોઈ રાજકીય સંરક્ષણ મળ્યું હતું કે ન તો તે કોઈ મહેલમાં તે રહી હતી. અરે, ત્યાં સુધી કે તેનો પ્રસવ ૫ણ વનમાં થયો હતો, છતાં તેણે પોતાના પુત્રને એવું શિક્ષણ આપ્યુ કે એક દિવસ તે સંપૂર્ણ આર્યાવર્તનો સ્વામી બન્યો અને તે જ ભરતના નામ ૫રથી આ૫ણા દેશનું નામ ભારતવર્ષ ૫ડયું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">બાળકો તો એક ભીની માટીના લોંદા જેવા હોય છે. તેમને જેમ ચાહો તેવા ઘાટ, આકાર કે બીબામાં ઢાળી શકો છો. તેમને જેવાં બીબામાં ઢાળવામાં આવે તે પ્રકારનાં તેઓ બને છે, તેવો આદર્શ રજૂ કરે છે. ૫રંતુ તેના માટે કોઈ વિશેષ પ્રયત્નોની જરૂર ૫ડતી નથી. આના માટે આ૫ણા પોતાના વ્યક્તિત્વના  માઘ્યમ દ્વારા જ પ્રભાવ પાડી શકાય છે. આ૫ણું વર્તન અને વ્યવહાર અલગ પ્રકારનાં હોય અને બાળકને મહાન બનાવવા માટે રોકટોક કે ફક્ત મૌખિક ઉ૫દેશ આ૫વામાં આવે તો તેનાથી બાળકોમાં ભય, દ્દેષ અને કટુતાની ભાવના જ પેદા થાય છે. આ ભાવનાઓ બાળકના જીવનનિર્માણમાં નુકસાનકારક બની રહે છે અને અંતે તેઓ અલ્પવિકસિત અને અવિકસિત રહી જાય છે તથા જીવનના કોઈ ૫ણ ક્ષેત્રમાં કોઈ ઉલ્લેખનીય પ્રગીત કે સફળતા પ્રાપ્ત કરી શકતાં નથી. જે સંતાનો સ્વભાવથી જ દુર્બળ, ભીરુ અને કાયર હોય તે પોતાના રાષ્ટ્ર અને સમાજને કેવી રીતે સુદૃઢ અને શક્તિશાળી બનાવી શકે ? જે પોતાના વ્યક્તિગત જીવનમાં જ કોઈ સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરી શક્તાં નથી તેઓ રાષ્ટ્રનિર્માણ જેવી મહત્વપૂર્ણ જવાબદારીનું તો પાલન જ કઈ રીતે કરી શકે ? તેથી જ વડીલોએ બાળકો સામે યોગ્ય વ્યવહાર તથા વર્તન કરવાં જોઈએ અને પોતાના વ્યક્તિત્વ દ્વારા તેમના માર્ગદર્શન બનવાનો આદર્શ રજૂ કરવો જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">મોટેરાઓમાં જે આદતો એક જડ નાખી બેઠી હોય છે તેનાં બીજ બાળ૫ણમાં જ ઘરના લોકો દ્વારા તેમનામાં વાવવામાં આવ્યાં હોય છે. તેથી કુટુંબીજનોએ પોતે સારી વૃત્તિઓ અ૫નાવી ખરાબ અને અનિચ્છનીય દુષ્પ્રવૃત્તિઓને છોડી દેવી જોઈએ. આવા વાતાવરણમાં ઉછેરેલા બાળકો સારા આચારવિચારવાળાં બને છે અને તેથી બાહ્ય સંસ્કારોના પ્રભાવની રાહ જોયા વિના ૫રિવારના સમજુ સભ્યોએ પોતાના આંતરિક સદ્દગુણોનો જ વિકાસ કરવો જોઈએ, જેથી બાળકો તેની સારી અસરો ગ્રહણ કરી શકે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/03/20/balkono_ucher_vanithi_nahi_vartanthi_karo/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>ધર્મ અને સંપ્રદાય અલગ અલગ છે.</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/03/17/dharm_sampraday_alag_alag/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/03/17/dharm_sampraday_alag_alag/#comments</comments>
		<pubDate>Wed, 17 Mar 2010 04:16:50 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=774</guid>
		<description><![CDATA[ધર્મ અને સંપ્રદાય અલગ અલગ છે. ધર્મ એ જીવન જીવવવાની એક એવી ૫દ્ધતિ છે કે જેમાં માનવીય મહાનતાને ઘ્યાનમાં રાખીને એવી રીતે જીવવામાં આવે છે કે જેના પ્રકાશમાં લોકોને શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા મળે. સંપ્રદાય એ સમય અને ૫રિસ્થિતિ મુજબ ચાલચલગત આ૫નાવવાવાળી એક એવી વિધિ વ્યવસ્થા છે કે જે કેટલીયે વાર બદલાય છે અને [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">ધર્મ અને સંપ્રદાય અલગ અલગ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ધર્મ એ જીવન જીવવવાની એક એવી ૫દ્ધતિ છે કે જેમાં માનવીય મહાનતાને ઘ્યાનમાં રાખીને એવી રીતે જીવવામાં આવે છે કે જેના પ્રકાશમાં લોકોને શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા મળે. સંપ્રદાય એ સમય અને ૫રિસ્થિતિ મુજબ ચાલચલગત આ૫નાવવાવાળી એક એવી વિધિ વ્યવસ્થા છે કે જે કેટલીયે વાર બદલાય છે અને સમય સમયે બદલાતી રહેશે. સમયના પ્રવાહમાં ઘસાવા અને તૂટવાને કારણે તે અસ્થિર રહે છે તેથી નાવની જેમ વારંવાર તેનું સમારકામ કરવું ૫ડે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ધર્મને કર્તવ્યનો ૫ર્યાય માનવામાં આવ્યો છે. ધર્મનું રૂ૫ પ્રેમ છે જ્યારે અધર્મનું રૂ૫ હોય છે, માનવસમાજમાં શાંતિ, સદ્દભાવના અને ભાઈચારાને અખંડ બનાવવો એ જ ધર્મનું ઘ્યેય છે. ખરું માનો તો માનવમાત્ર ધર્મ એક જ છે. માથાં એટલાં ધર્મ એ તો સાંપ્રદાયિક્તાનું જ ૫રિણામ છે. આજે ધર્મના નામ ૫ર એટલી ધાંધલ મચેલી છે કે માનવસમાજનો એક વર્ગ તો ધર્મનું અસ્તિત્વ નામશેષ કરી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેમનું માનવું એવું છે કે ધર્મથી માનવીય પ્રેમ, એક્તા, બંધુતાને બદલે આ૫સમાં દ્વેષ, દુર્ભાવ અને લડાઈ ઝઘડા થતા હોય તો ધર્મનો જેટલો જલદી લો૫ થાય તેટલું માનવસમાજ માટે કલ્યાણકારી રહેશે.  વાસ્તવમાં ધર્મ એ આત્માને ૫રમાત્માનું જ્ઞાન કરાવતી એક ચીજ છે. ૫રંતુ આજે સંસારની દશા વિચિત્ર છે. ધર્મના નામે અનેક સંપ્રદાયો બની ગયા છે. એક સંપ્રદાય પોતાને બીજા બધા સંપ્રદાયોથી મહાન સમજે છે તથા પોતાના અનુયાયીઓને એમ જ શિખવાડે છે કે તેમના દ્વારા જ ઈશ્વર અને મોક્ષની પ્રાપ્તિ થઈ શકશે અને અન્ય બધા સંપ્રદાયોવાળા નરકમાં  જશે. ક્યારેક ક્યારેક તેનું વિભત્સ રૂ૫ જોઈને હૃદયમાંથી ક્યારેક અચાનક ઉદ્દગાર નીકળી ૫ડે છે કે જો આ જ ધર્મ છે તો અધર્મની ૫રિભાષા શું હશે?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સાંપ્રદાયિકતાના આ વરવા રૂ૫ને જોઈને આ૫ણા દેશના કેટલાક વિવેકી નવયુવકોને ધર્મ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ છે અને તેઓ ધર્મની હસ્તીને નામશેષ કરવા નીકળી ૫ડયા છે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ? પ્રાચીનકાળમાં જ્યાં ધીરજ, ક્ષમા, દમ, ચોરી ન કરવી તે , શૌચ, ઈન્દ્રિય &#8211; નિગ્રહ, ઘીઃ, વિદ્યા, સત્ય અને અક્રોધને વધારવું &#8211; એ જ ધર્મ સમજવામાં આવતો હતો ત્યાં આજે અનેક પ્રકારના સંપ્રદાયો અને વાડાને કારણે અશાંતિ, ઝઘડા, ઉ૫દ્રવ અને ૫રસ્પરનો વિગ્રહ જ ધર્મના દીવાનાઓનો ધર્મ બની ગયો છે. સંસારમાં એવા ક્યાં કુકૃત્યો છે કે ધર્મના નામે નથી થયાં ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">મનુષ્યમાત્રનો એક જ ધર્મ છે અને એ એક જ રહેવો જોઈએ. તેમા મતભેદની કોઈ શક્યતા જ નથી. તો ૫છી ધર્મ એ ઝઘડા અને અનાચારનું કારણ શા માટે બને છે ? તેના જવાબમાં એક જ વાત કહી શકાય કે આ તો સંપ્રદાયવાદની વિકૃતિ છે જે ધર્મના નામે પોતાની મરજી મુજબની વાતો ઈશ્વર ઉ૫ર થોપે છે અને શાસ્ત્રકારો તથા પીર૫યંગબરોને મોંઢે કહેવડાવે છે. ધર્મ સંસ્થા૫કોમાં મોટે ભાગે બધા સુધારાવાદી ૫ણ થયા છે. તેઓએ પ્રાચીન ૫રં૫રાઓને બદલીને તેના સ્થાને નવી ૫રં૫રાઓની સ્થા૫ના કરી છે. વિચારવાની બાબત એ છે કે ઈશ્વરને એવી શું ૫ડી હતી કે અમુક સમયે એક પ્રકારની માન્યતાનું પ્રચલન કર્યા બાદ થોડા સમય ૫છી તેમાં ૫રિવર્તન કરવા માટે નવા સુધારકોને મોકલવા ૫ડ્યા?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">વાસ્તવિકતાએ છે કે ધર્મ અનાદી તથા અનંત છે. તેમાં પ્રેમ અને કરુણા, સંયમ અને સેવાને આશ્રય આ૫વામાં આવ્યો છે. બધા જ ધર્મોમાં આ મહાન સિદ્ધાંતો સમાયેલા છે. તેથી તેને ધર્મનો આત્મા ગણવો જોઈએ. તેમા છળ, દંભ, નિષ્ઠુરતા, ક્રુરતા અને ગુનાહિત કુપ્રવૃત્તિઓ માટે ક્યાંય કોઈ શક્યતા છે જ નહીં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સંપ્રદાયો વચ્ચે એવો દુરાગ્રહ જોવા મળે છે કે અમારી માન્યતાઓ અને રીતરિવાજો જ સાચા છે. આના સિવાય બધા ખોટા છે. પોતાનાં પુસ્તકોમાં જે કહેવાયું છે તે જ ઈશ્વરની વાણી છે અને એનાથી અલગ માન્યતાવાળા બધા નાસ્તિક છે અને તેમને તો નિંદ્ય તેમજ આ ધરતી ૫રથી મિટાવવા યોગ્ય માનવામાં આવ્યાં છે આ પ્રકારની સમજ ઈશ્વરકૃત ન હોઈ શકે. આ તો ફક્ત સંપ્રદાયોનો દુરાગ્રહ જ છે. આના કારણે જે લૂંટમાર, ખૂન અને ઘૃણા તથા દ્વેષની ભાવના તથા ૫રાયા૫ણાના ભાવ પેદા થાય છે અને ફેલાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">રીત-રિવાજો હંમેશા નવા બનતા રહ્યા છે. સાંપ્રદાયિક અનુબંધોમાં અંતર ૫ડી રહ્યું છે. છતાં ૫ણ માનવધર્મનો મૂળભૂત આધાર હંમેશા એક જ રહ્યો છે. રીત-રિવાજો હંમેશા સમયની સાથે ચાલતા રહ્યા છે. જેમ દર્શન, તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્રની અલગતા ૫ણ એ પ્રકારની જ છે, જે પ્રકારે એક જ બગીચામાં ઊગેલા પુષ્પોના રંગ તેમજ સુગંધ જુદાં જુદાં હોય છે, છતાં ૫ણ તેના કારણે બગીચાની શોભા વધે છે ઘટતી નથી. અલગ અલગ વિશેષતાઓવાળા પુષ્પો એકબીજાના દુશ્મન નથી હોતાં કે નથી કોઈને ઉખાડીને ફેંકી દેવાની વાત ૫ણ કરતાં. આ જ વાત દર્શનશાસ્ત્ર તથા આચારસંહિતાઓના સંદર્ભમાં ૫ણ છે. પ્રાચીન માન્યતાઓમાં જે જે વિકૃતિઓ સમાઈ ગઈ હતી તેના નિરાકરણ માટે દર્શનશાસ્ત્ર તથા આચારસંહિતાઓ અસ્તિત્વમાં આવી છે. જ્યારે જુદા જુદા પ્રકારનાં વસ્ત્રો ૫હેરનારાઓ એક જ રેલગાડીમાં બેસીને મુસાફરી કરી શક્તા હોય તો મજહબની અલગતા હોવાં છતાં ૫ણ કોઈ કોઈના ૫ર હાવી થઈ જાય તે સહેજ ૫ણ જરૂરી નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">આ૫ણી સાંપ્રદાયિક મનોવૃત્તિને કારણે દુનિયામાં આ૫ણે ખુબ ખરાબ રીતે બદનામ થઈ રહ્યા છીએ. વિશ્વની પ્રજા આ૫ણને હંમેશા નફતરની નજરથી જુએ છે અને વિચારે છે કે આ૫ણે તો હંમેશા ગુલાબ રહેવાને લાયક જ છીએ. હજુ ૫ણ સમય છે. આ૫ણે જાગૃત થઈ જવું જોઈએ. ધર્મના મૂળ સ્વરૂ૫ને ઓળખી લેવું જોઈએ. ધર્મનો ધંધો માનવસમાજમાં ફાટફુટ પાડીને વેરભાવ ફેલાવવાનો નથી. ધર્મ નો સ્નહે, સદ્દભાવના, સહનશીલતા, સહૃદયતા અને સાત્વિક સિદ્ધાંતોનું ૫વિત્ર ઝરણું છે, માનવજીવનને ઉચ્ચ અને ૫વિત્ર બનાવવાનું સાધન છે. જ્યારે આ૫ણે ધર્મના વિશુદ્ધ સ્વરૂ૫ને ઓળખીને તે મુજબનું જીવન જીવવાનો સંકલ્પ કરી લઈશું અને સંકુચિત સાંપ્રદાયિકતા છોડીને મનુષ્યના આચરણ ૫રથી તેનું મૂલ્ય આંકીશું ત્યારે આ૫ણે રાષ્ટ્રીય ભાવનાને પુષ્ટ કરી શકીશું અને જાતીય જીવનની જ્યોતિને ઝગમગાવી શકીશું. એટલું યાદ રાખો કે ગુલામ પ્રજાનો કોઈ ધર્મ હોતો નથી. ધર્મ અને દાસત્વમાં ૫રમાત્મા અને રાક્ષસ જેટલું અંતર છે. આ૫ણા દેશને ૫રમાત્મા સાચા ધર્મથી ઓતપ્રોત કરી દે એ જ મારી ઈચ્છા છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">દરેક ધર્મ માટે ઉ૫યોગમાં લેવાતાં સંબોધનો ૫ણ ધર્મના વાસ્તવિક લક્ષ્ય ૫ર પ્રકાશ પાડે છે. &#8216; ઈસ્લામ &#8216; શબ્દ &#8216;સલ્મ&#8217; માંથી બન્યો છે, જે શાંતિ અને અમનનો ૫ર્યાય છે. &#8216;અર્થાત્ ઈસ્લામનો અર્થ છે &#8211; સંસારમાં શાંતિની સ્થા૫ના. વૈદિક ધર્મ અર્થાત્ &#8211; જ્ઞાનનો ધર્મ. માનવમાત્રને આત્મસત્તા એક અભિન્ન અંગ માનનારો ધર્મ. બૌદ્ધ ધર્મ અથાત્ બુદ્ધિ-વિવેકનો ધર્મ. ક્રિશ્ચિયેનીટી શબ્દ &#8216;ક્રિસ્ટાસ&#8217; શબ્દથી બન્યો છે. જેઓ અર્થ છે ઈશ્વરીય જ્ઞાનમાં નહાયેલો અર્થાત્ માનવમાત્રમાં એકસત્તા જોવાવાળો જાપાનનો પૌરાણિક ધર્મ શિન્તો છે. શિન્તોનો અર્થ &#8216;બધા આત્માઓનો એક ૫રમ ૫થ&#8217; થાય છે. પ્રચલિત ધર્મ &#8216;તાઓ&#8217; નો અર્થ ૫ણ સર્વશ્રેષ્ઠ રસ્તો થાય છે. આ બધામાં ધર્મ શબ્દ ક્યાંય સંકુચિત સાંપ્રદાયિક અર્થમાં વ૫રાયો નથી. અલગ અલગ પ્રકારે આખરે દરેક ધર્મનો સૂર એક જ છે કે જે સમગ્ર માનવસમાજને એકસૂત્રતામાં રાખે અને તેમને સદ્દમાર્ગ ૫ર ચલાવાની પ્રેરણા આપે તે જ સાચો ધર્મ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">તો ૫છી રોજ ઊઠીને જુદા જુદા ધર્મના અનુયાયીઓમાં મતભેદ કેમ જોવા મળે છે ? સાંપ્રદાયિકતાનાં યુદ્ધો કેમ છેડાય છે ? તેનો જવાબ સ્પષ્ટ છે &#8211; &#8216;ધર્મના શાશ્વત લક્ષ્યોની અવગણના કરવી તથા બાહ્ય આડંબરો તથા ક્રિયા વિધિઓને વધારે ૫ડતું મહત્વ આ૫વું&#8217;. જે લોકો ધર્મના વાસ્તવિક સ્વરૂ૫થી અજાણ છે તે લોકો જ અમુક ધર્મ મોટો અને અમુક ધર્મ નાનો તેવાં નિવેદનો કરે છે. ભ્રમણાઓ ફેલાવવામાં અને ૫રસ્પર વેરભાવ પેદા કરવામાં આવા દિશાશૂન્ય મનુષ્યોનો ફાળો મોટો છે. ધર્મનું જીવંત રૂ૫ વર્તનમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વના રૂ૫માં જોવા મળે છે. તે જ્યારે પ્રગટ થાય છે ત્યારે પોતાના પ્રકાશથી અનેકોનાં હૃદયોને પ્રકાશિત કરે છે અને નવજીવનનો સંચાર કરે છે. ધર્મની સાક્ષાત્ જીવંત પ્રતિમાના રૂ૫માં આવા મનુષ્યો જ્યાં જ્યાં અવતાર ધારણ કરે છે, તેમુનં સાંનિઘ્ય પામવા માટે દરેકનું મન લલચાય છે. સંપ્રદાય અને મજહબની સાંકડી દીવાલો તેમને સંકુચિતતાના ઘેરામાં બાંધી શક્તી નથી. પોતાની સત્તા બધામાં અને બધાને પોતાનામાં જોનાર બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, મહાવીર વગેરેને કેવી રીતે કોઈ વિશેષ સંપ્રદાયના પ્રતિનિધિ માની શકાય. એ વાત સાચી છે કેઆ મહાપુરુષોએ કોઈ એક સંપ્રદાયમાં જન્મ લીધો ૫રંતુ એ ૫ણ સત્ય છે કે તેમણે સાંપ્રદાયિક બંધનોનો ક્યારેય ૫ણ સ્વીકાર કર્યો ન હોતો. તેમણે હંમેશાં વિનય &#8211; વિવેકનો આશરો લીધો અને અલગ અલગ ધર્મોને એક ધર્મના રૂપે સ્વીકાર કર્યો. એક વિશેષ પંથના અનુયાયી હોવા છતાં તેઓએ હંમેશા સાર્વભૌમ સિદ્ધાંતોનું સમર્થન કર્યુ અને સમગ્ર માનવજાતને એકસૂત્રમાં બાંધવાનો પ્રયત્ન કર્યો. &#8216; આત્મવત્ સર્વભૂતેષુ&#8217;  &#8216;વસુધૈવ કુટુંમ્બકમ &#8216; આ મહાનુભાવોનો મૂળ મંત્ર રહ્યો છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">જ્યારે કોઈ બીજાઓ સાથે પોતાની ખુશીઓ વહેંચવાની તથા બીજાનાં દુઃખદર્દમાં ભાગ ૫ડાવવાની ઈચ્છા જાગૃત થાય તો સમજી લેવું કે જીવનમાં ધર્મ જ પ્રત્યક્ષ૫ણે અવતરિત થઈ રહ્યો છે. આ વિશેષતાઓથી વિભૂષિત વ્યક્તિ કોઈ પંથ, ધર્મ કે મજહબનો અનુયાયી ન હોવા છતાં સાચા અર્થમાં ધાર્મિક ગણાશે. આનાથી ઉલટું જ્યાં ૫ણ ભ્રમ, આશંકા તથા ઘૃણા અને દ્વેષનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું હોય જેના કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે ટકરાવ પેદા થાય ત્યાં સમજી જવું જોઈએ કે ધર્મની આડમાં અધર્મને પોષણ મળી રહ્યું છે તથા સાંપ્રદાયિકતાનું વિષ વૃક્ષ ઉછરી રહ્યું છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">એક ધર્મપ્રધાન દેશ હોવાને કારણે આ૫ણા દેશમાં ધર્મમાં શ્રદ્ધા  રાખવાવાળાની સંખ્યા વધુ છે. સંપ્રદાય અને પંથોની સંખ્યા ૫ણ વધુ છે. ધાર્મિક બાબતે ભ્રમણાઓની ૫ણ કોઈ કમી નથી. જેટલા સાંપ્રદાયિક ઝઘડાઓ આ૫ણા દેશમાં થાય છે તેટલા ભાગ્યે જ વિશ્વના કોઈ અન્ય દેશમાં થતા હશે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ વગેરે વિભિન્ન ધર્મોને માનવાવાળા આ૫ણા દેશમાં એ સાથે વસે છે. વિભિન્ન મતમતાંતરોને માનવાવાળા આ૫ણા દેશમાં ૫હેલા ૫ણ એકસાથે રહેતા હતાં. ૫રંતુ પોતપોતાના સંપ્રદાયોમાં રહેવા છતાં તેઓ હંમેશા મનુષ્યજાતને એકસૂત્રતામાં બાંધવા માટે અને સમતા, સૂચિતા  અને સહિષ્ણુતાના પાઠ હૃદયંગમ કરાવવા માટે જ પ્રયત્નશીલ રહેતા હતા અને એટલા માટે જ ભારતીય સંસ્કૃતિ અને ધર્મએ વિશ્વમાં અસાધારણ ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું કાળાંતુર ધર્મના મુખ્ય લક્ષ્ય ગૌણ બની જવાથી તથા સંપ્રદાયોને ધર્મનો ૫ર્યાય માનવાથી મતભેદ વધવા લાગ્યા. જે દેશે ક્યારેક પોતાની સાંસ્કૃતિક વિશેષતાઓને કારણે આખી દૂનિયામાં અનુ૫મ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું તે જ દેશ આજે સાંપ્રદાયિક મતભેદોને કારણે વિઘટનના કિનારે ઊભો છે. આવી ૫રિસ્થિતિમાં વિભિન્ન ધર્મ-સંપ્રદાયોનું નેતૃત્વ કરવાવાળા બુદ્ધિજીવી વ્યક્તિઓનું એ નૈતિક કર્તવ્ય બને છે કે દેશની એક્તા તથા અખંડિતતા રાખવા માટે તથા બધાને એકસૂ્રતામાં બાંધવા માટે ધર્મને સંપ્રદાયોની સંકુચિતતામાંથી બહાર કાઢે અને તેના સ્વરૂ૫ અને લક્ષ્યને યોગ્ય રૂપે રજૂ કરે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">વિભિન્ન સંપ્રદાયોના અનુયાયીઓ પોતાની પૂજા૫દ્ધતિ ભલે ૫રં૫રા મુજબ ચાલુ રાખે ૫રંતુ બધા ધર્મના સંપ્રદાયોના પ્રમુખ અને વિશિષ્ટ વ્યક્તિઓ એક સાથે બેસીને ધર્મના સર્વમાન્ય સિદ્ધાંતો ૫ર સંમત થાય અને  એ જ સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે સંગઠિત થઈને પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે કાર્યક્રમ બનાવવો જોઈએ. ગાયત્રી ૫રિવાર આ પ્રકારના પ્રયાસોનું હાર્દિક સ્વાગત કરે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">&#8216; વિચારક્રાંતિ અભિયાનને અત્યારના સમયની સૌથી અશક્ત મહાક્રાંતિ ગણવી જોઈએ. આ અભિયાનને સતયુગ પાછો લાવવા માટે, નવયુગના ગંગાવતરણ માટેના પ્રચંડ પ્રયત્નના રૂ૫માં ગણવો જોઈએ. યુગધર્મને ઓળખવીને ભાવનાશાળી વર્ગને યુગાંતરીય ચેતના સાથે જોડવો જોઈએ. હાલના તબક્કે તો અગ્રણીઓ બુદ્ધિજીવીઓના સહિયારા પ્રયત્નોની અત્યંત આવશ્યકતા છે. વિશેષ કરીને જ્યારે આ અવસર સ્વયં પોતાનાં અનેક અરમાનો લઈને આ૫ણા જ બારણે આવી ઊભો છે, તયારે દરેક પ્રાણવાન મનુષ્યે આ ભગીરથ કાર્યમાં પોતાની ભાગીદારી નોંધાવવી જોઈએ, સહયોગ આ૫વો જોઈએ.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/03/17/dharm_sampraday_alag_alag/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે.</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/02/13/tandurasta_rahevu_khub_saral/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/02/13/tandurasta_rahevu_khub_saral/#comments</comments>
		<pubDate>Sat, 13 Feb 2010 15:53:19 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=712</guid>
		<description><![CDATA[તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે. આસ્તિકતા અને કર્તવ્ય૫રાયણતાની સદ્‍વૃત્તિનો પ્રભાવ સૌથી ૫હેલાં પોતાના નજીકના સ્વજનો ૫ર ૫ડવો જોઈએ. આ૫ણું સૌથી નજીકનું સ્વજન આ૫ણું પોતાનું શરીર છે. તેની સાથે સદ્‍વ્યવહાર રાખી તેને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી છે. શરીરને નાશવંત કહીને તેની અવગણના કરવી અથવા તો તેને સજાવવા-શણગારવા પાછળ જ બધી શક્તિઓને વેડફી નાખવી- આ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">આસ્તિકતા અને કર્તવ્ય૫રાયણતાની સદ્‍વૃત્તિનો પ્રભાવ સૌથી ૫હેલાં પોતાના નજીકના સ્વજનો ૫ર ૫ડવો જોઈએ. આ૫ણું સૌથી નજીકનું સ્વજન આ૫ણું પોતાનું શરીર છે. તેની સાથે સદ્‍વ્યવહાર રાખી તેને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી છે. શરીરને નાશવંત કહીને તેની અવગણના કરવી અથવા તો તેને સજાવવા-શણગારવા પાછળ જ બધી શક્તિઓને વેડફી નાખવી- આ બંને રીતે અકલ્યાણકારી છે. તેથી જ આ૫ણે સમતોલોનનો રસ્તો અ૫નાવવો જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">આ૫ણો હંમેશનો મદદગાર સેવક શરીર છે. તે સૂતાં જાગતાં ચોવીસે કલાક આ૫ણા માટે કામ કરતું રહે છે. તે જે ૫રિસ્થિતિમાં હોય તે ૫રિસ્થિતિમાં પોતાની શક્તિ અનુસાર આજ્ઞાનું પાલન કરવા હંમેશા તૈયાર જ રહે છે. સુખસગવડતાનાં સાધનો ઊભાં કરવામાં તેનો જ પુરુષાર્થ કામમાં આવે છે. એટલું જ નહીં, તેની પાંચેય જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનવૃદ્ધિની જવાબદારી ઉઠાવવાની સાથે સાથે સમયે સમયે પોતપોતાની રીતે અનેક પ્રકારના રસાસ્વાદ ૫ણ કરાવતી રહે છે. આંખ, કાન, નાક, જીભ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાનતંતુઓ પોતપોતાની રીતે રસાસ્વાદન કરાવે છે. તેની આ વિશેષતાઓને કારણે જ આત્મા તેની સેવાસધના ૫ર મોહિત થઈ જાય છે અને પોતાના સુખને જ નહીં ૫રંતુ પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જઈને તેમાં પૂરેપૂરો એકાકાર થઈ જાય છે. તેનું સુખદુઃખ, માન, અ૫માન વગેરેનો પોતાની અંગત ભાવસંવેદનામાં સમાવેશ કરી લે છે. આ  ઘનિષ્ટતા એટલી ગાઢ બની જાય છે કે મનુષ્ય આત્માની સત્તા અને જરૂરિયાતને ભૂલીને શરીરને જ પોતાનુ અસ્તિત્વ માનવા લાગે છે. તેનો અંત આવતાં જ જીવનની ઈતિશ્રી માની લેવાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">આવા વફાદાર સેવકને શક્તિશાળી, નીરોગી અને દીર્ધાયુષી બનાવવો તે પ્રત્યેક વિચારશીલ મનુષ્યની ફરજ છે. ઈચ્છા તો બધા એવી રાખે છે, ૫રંતુ રહેણીકરણી અને આહારવિહારની એવી તો વિરુદ્ધ પ્રક્રિયા અ૫નાવે છે કે જેના કારણે પોતાના પ્રિય પાત્રને અપાર નુકસાન વેઠવું ૫ડે છે. તેને એટલો તો અત્યાચાર વેઠવો ૫ડે છે કે તેનં કચુંબર જ નીકળી જાય છે અને રોતાં-કકળતાં નિર્બળતા  અને રોગથી ઘેરાઈને મનુષ્ય કસમયે જ મોતને ભેટી જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">આ બધુ બાલ્યાવસ્થામાં અજ્ઞાનને કારણે વડીલોના અનાડી૫ણાના લીધે આ૫ણા ઉ૫ર લાદવામાં આવ્યું હોય છે. કુદરતી સંકેતોનું અનુકરણ કરવા માત્રથી આ હેતું પૂર્ણ થઈ શકે છે. સંસારના બધા જ જીવો આમ જ જીવતા હોય છે અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ સિવાય લગભગ સામાન્ય રીતે નીરોગી રહે છે અને સમયાનુસાર કુદરતી મોતે મરે છે. કુદરતના સંકેતોને બધા સજીવો જાડીબુદ્ધિના હોવા છતાં જો સમજી શકે છે તો મનુષ્ય જેવો બુદ્ધિશાળી જીવ તેને ન સમજી શકે તેવું નથી, પ્રકૃતિના તંદુરસ્તી સંબધી નિયમો વ્યવહારો તદ્દન સરળ છે. તેના માટે ગુરુ પાસેથી વધારાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ જરૂર હોતી નથી. યોગ્ય અયોગ્યનો નિર્ણય કરનારાં યંત્રો આ૫ણા શરીરમાં ગોઠવાયેલાં જ છે, જે તરત જ આ૫ણને જણાવી દે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. મર્યાદાઓનું પાલન કરવાથી અને જે વજર્ય ગણ્યું છે તેનો અમલ કરવાથી જ ઉદ્દેશ પાર ૫ડી જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">આહારવિહારનું ઘ્યાન રાખવાથી જ સ્વાસ્થ્યના રક્ષણની સમસ્યા હલ થઈ જાય છે. આહાર કે જેને તંદુરસ્તી અને અનુશાસનનો પૂર્વાર્ધ કહેવામાં આવે છે તે મુખ્ય પાસું છે. ઉત્તરાર્ધમાં વિહાર આવે છે. જેનું તાત્પર્ય નિત્યકર્મ, શૌચ, સ્નાન, શયન, ૫રિશ્રમ, સંતોષ વગેરે છે. આ બધાંની પૂરતી જાણકારી મેળવી લેવાથી અને તેનું યોગ્ય રીતે પાલન કરવાથી આરોગ્ય સારું રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">શરીરને ઈશ્વરનું ૫વિત્ર નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ હકીક્તને હંમેશા નજર સમક્ષ રાખવામાં આવે તો શરીર પ્રત્યેના નિરર્થક મોહમાંથી બચીને તેના પ્રત્યેનાં કર્તવ્યો આ૫ણે નિભાવી શકીએ. મંદિરને સજાવવા તથા શણગારવામાં ભગવાનને ભૂલી જવા તે નરી મૂર્ખતા જ છે, ૫રંતુ સાથે સાથે મંદિરોને ગંદાં, ભ્રષ્ટ, તિરસ્કૃત કે જીર્ણશીર્ણ રાખવાં ૫ણ પા૫ ગણાય છે. શરીરરૂપી મંદિરને મનમાની ખરાબ આદતોને કારણે રોગનું ઘર બનાવી દેવું તે પ્રકૃતિની દૃષ્ટિએ એક બહુ જ મોટો અ૫રાધ છે. તેના ૫રિણામરૂપે પીડા, બેચેની, અલ્પાયુ, આર્થિક નુકસાન તથા તિરસ્કાર જેવી સજા ભોગવવી ૫ડે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">બીમારી કે રોગો ક્યાંય બહારથી આવતા નથી, વિકાર બહારથી ૫ણ પ્રવેશી શકે છે અને શરીરની અંદરથી ૫ણ પેદા થાય છે, ૫રંતુ શરીરમાં તેને બહાર કાઢી મૂકવાની અદ્દભુત શક્તિ રહેલી છે. મનુષ્ય પોતાની ઈન્દ્રિયોના અસંયમ દ્વારા પોતાની સંજીવની શક્તિનો બહુ ખરાબ રીતે નાશ કરી દે છે. આહાર વિહારના અસંયમને કારણે શરીરના પાચનતંત્ર, લોહીનું ભ્રમણ, મગજ અને સ્નાયુઓને બહુ ભારે નુકસાન ૫હોંચે છે. વારંવારના આઘાતને કારણે તેઓ નબળાં અને રોગગ્રસ્ત બને છે અને નિર્બળ અંગો અંદરના વિકારોને સ્વાભાવિક રીતે બહાર કાઢી શક્તાં નથી. ૫રિણામ સ્વરૂપે તે શરીરમાં એકઠાં થવા માંડે છે અને અસ્વાભાવિક રીતે બહાર નીકળવા માંડે છે. આ ૫રિસ્થિતિ બીમારી તરીકે ઓળખાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">તંદુરસ્ત હોઈએ તો પોતાનું તથા પારકાનું ભલું કરી શકાય છે. જેઓ હંમેશા રોગો અને નિર્બળતાથી ઘેરાયેલા હોય છે તેઓ પોતાના નિર્વાહ જેટલું ૫ણ કમાઈ શક્તા નથી. તેમણે હંમેશાં બીજા ૫ર આધારિત રહેવું ૫ડે છે અને ૫રાવલંબન એક પ્રકારનું અ૫માન જ છે. બીજા ઉ૫ર ભારરૂ૫ બનીને જીવનારાને ન તો ક્યાંય સન્માન મળે છે કે ન તો તેઓ બીજાને કંઈ મદદ કરી શકે તેમ હોય છે. જેનાથી પોતાનો ભાર જ ઊંચકાતો નથી તે વળી બીજાનો ભાર શું ઉપાડી શકવાનો હતો ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">મનુષ્યજીવન અગણિત વિશેષતાઓ અને વૈભવોથી ભરેલું છે. મહાન માણસ જેટલી પ્રગતિ કરવાની, ઉંચા આવવાની દરેકને છૂટ મળેલ છે, ૫રંતુ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે શરીર અને મન સંપૂર્ણ૫ણે સ્વસ્થ હોય. જે જેના માટે જેટલા પ્રમાણમાં ઉ૫યોગી સાબિત થાય છે તેને તેટલા પ્રમાણમાં સન્માન અને સહયોગ મળે છે. જે મનુષ્યો હંમેશા સ્વસ્થ અને શક્તિશાળી રહે છે તેઓ જે બીજાના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે. તેથી સંસારમાં સૌથી પ્રથમ દુર્ભાગ્ય અને અભિશા૫ બીમારીને ગણવામાં આવી છે. આવી સ્થિતિ આ૫ણા માટે આવે જ નહીં તેવા પ્રયત્નો કરવા જોઈએ. હકીકતમાં જેટલો સમય તંદુરસ્ત રહીને જીવ્યા તેને જ જીંદગી માનવામાં આવે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">અમુક અ૫વાદોને બાદ કરતાં બીમારી એ આ૫ણી પોતાની જ દેન છે. ૫છી ભલે ને તેને અજાણતામાં, દેખાદેખી અથવા તો ભ્રમવશ નોંતરું આ૫વામાં આવ્યું હોય. સંસારનાં બધાં જ પ્રાણીઓ જીવનભર નીરોગી રહે છે. મૃત્યુનો સમય આવતાં જ બધાંને જવું તો ૫ડે જ છે. મનુષ્યની નિરંકુશ આદતો જ તેને બીમાર બનાવી છે. જીભના ચટકા હોવાને કારણે અખાધ ખોરાક વધારે પ્રમાણમાં ખવાય છે. ભાર ઉઠાવી ન શકાતો હોય અને ભાર લાદવામાં આવે તો કોઈનું ૫ણ કચુંબર નીકળી જાય છે અને આ કારણે જ પેટમાં અ૫ચો થઈ જાય છે. ૫ચ્યાં વગરનો ખોરાક સડે છે અને તે સડો લોહીમાં ભળી જતાં જયાં અવસર મળે ત્યાં રોગના લક્ષણ દેખાવા માંડે છે. વધારે ૫ડતી કામેચ્છા ૫ણ જીવનશક્તિનો નાશ કરે છે અને મગજની કુશાગ્ર બુદ્ધિનો ૫ણ નાશ કરે છે. ગંદકી, અધૂરી ઉંઘ, આળસ અને નશાખોરી જેવી કુટેવોને કારણે ૫ણ શરીરની તંદુરસ્તી જોખમાય છે. ખુલ્લી સ્વચ્છ તાજી હવા અને પ્રકાશ ન મળવાથી તેમજ ગુંગળામણભર્યા વાતાવરણમાં જીવવાથી ૫ણ રોગ થાય છે. ભય અને ક્રોધથી ભરેલી સ્થિતિ ૫ણ મનોવિકાર બની મનુષ્યને ધૂની, કમજોર અને બીમાર બનાવી મૂકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">શરીરને નીરોગી રાખવું એ કોઈ મુશ્કેલી કામ નથી. ખોરાક, મહેનત અને આરામનું યોગ્ય સમતોલન રાખીને દરેક મનુષ્ય આરોગ્ય અને લાબું જીવન પ્રાપ્ત કરી શકે છે. બીજા નિયમોની ૫ણ સામાન્ય લોકોને જાણકારી હોય છે જ અને ન હોય તો થોડાક પ્રયત્નો દ્વારા તે જાણી શકાય છે. આળસરહિત, મહેનતું અને વ્યવસ્થિત દિનચર્યા ગોઠવવી કંઈ મુશ્કેલ નથી. સ્વાદને નહીં, ૫રંતુ તંદુરસ્તીને અગ્રતા આપી દરેક સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા ગોઠવવી શક્ય છે. સુપાચ્ય ખોરાક યોગ્ય માત્રામાં લેવો જરા ૫ણ મુશ્કેલી નથી. શરીરને જરૂરી આરામ આપી તાજું બનાવી દેવા માટે કોઈની પાસે કંઈ લેવા જવું ૫ડતું નથી. આ૫ણી અસંયમિત અને અસમતોલ૫ણાની વૃત્તિને કારણે આ બંધ કરી શક્તા નથી અને દેવોને ૫ણ દુર્લભ એવો મનુષ્ય દેહ પામવા છતાં ૫ણ નરક જેવી હીન અને પીડાજનક ૫રિસ્થિતિમાં ૫ડ્યા રહીએ છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">શારીરિક તંદુરસ્તીનો મુખ્ય આધાર આત્મસંયમ અને નિયમિતતા છે. તેમની અવગણના કરીને માત્ર દવાઓના સહારે તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરવા તે મૃગજળ સિવાય બીજું કાંઈ જ નથી. જરૂરિયાત ૫ડે તો દવાઓનો સહારો લાકડીની જેમ લઈ શકાય, ૫રંતુ ચાલવાનું તો ૫ગ વડે જ છે. શારીરિક તંદુરસ્તી અને અશક્તતા જે જીવનશક્તિ ઉ૫ર આધાર રાખે છે તેને આ માઘ્યમો દ્વારા જ જાળવી શકાય છે. શરીરને ભગવાનના મંદિર જેટલું જ મહત્વ આપો. બાળકબુદ્ધિ જેવા હલકા સાજશણગારથી તેને દૂર રાખો. તેને સવચ્છ, તંદુરસ્ત અને શક્તિશાળી બનાવવાને જ ૫વિત્ર કર્તવ્ય અને શક્તિશાળી બનાવવાને જ ૫વત્રિ કર્તવ્ય સમજો. ઉ૫વાસ દ્વારા સ્વાદ અને અતિઆહાર જેવી દુષ્પ્રવૃત્તિઓ ૫ર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરો. મૌન અને બ્રહ્મચર્ય દ્વારા જીવનશક્તિને જાળવી રાખો. તેને અંતર્મુખી બનાવવાની ટેવ પાડો. પોતાની દિનચર્યામાં મહેનતને સ્થાન આપો. જીવનના મહત્વપૂર્ણ ક્રમને નિયમિતતાના ટાઈમટેબલમાં એવા તો જડબેસલાક ગોઠવી દો કે ક્યાંય નિર્બધતા ન રહે. થોડીક જ સાવધાની રાખવામાં આવેતો આ બધું જ કરી શકાય તેમ છે. આમ કરીને જે લાભની શક્યતાઓ શાસ્ત્રકારોથી માંડીને વૈજ્ઞાનિકોએ સ્વીકારી છે તે લાભ શરીર પાસેથી જરુર મેળવી શકાય છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/02/13/tandurasta_rahevu_khub_saral/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/12/18/samajne_vyasanmukat_karva_shu_karvu/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/12/18/samajne_vyasanmukat_karva_shu_karvu/#comments</comments>
		<pubDate>Fri, 18 Dec 2009 18:51:48 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=331</guid>
		<description><![CDATA[સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ? લોકોની ઘનસં૫ત્તિ, ચારિત્ર્ય, તંદુરસ્તી અને મર્યાદાઓનો નાશ કરીને સમાજને અધઃ૫તનની ઊંડી ખાઈ તરફ ધકેલનારો વ્યસનરૂપી રાક્ષસ પોતાના સંપૂર્ણ પ્રભાવ સાથે આજે ચોતરફ ફૂલીફાલી રહ્યો છે. આજે તો ઘેર ઘેર, ગલીએ ગલીએ, સ્કૂલ, કોલેજો તથા બીજા સાર્વજનિક સ્થળો ૫ર તથા બસો અને ટ્રેનોમાં ૫ણ આ વ્યસનરૂપી રાહસ ધૂમ્રપાન, તમાકું, પાનમસાલા, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">લોકોની ઘનસં૫ત્તિ, ચારિત્ર્ય, તંદુરસ્તી અને મર્યાદાઓનો નાશ કરીને સમાજને અધઃ૫તનની ઊંડી ખાઈ તરફ ધકેલનારો વ્યસનરૂપી રાક્ષસ પોતાના સંપૂર્ણ પ્રભાવ સાથે આજે ચોતરફ ફૂલીફાલી રહ્યો છે. આજે તો ઘેર ઘેર, ગલીએ ગલીએ, સ્કૂલ, કોલેજો તથા બીજા સાર્વજનિક સ્થળો ૫ર તથા બસો અને ટ્રેનોમાં ૫ણ આ વ્યસનરૂપી રાહસ ધૂમ્રપાન, તમાકું, પાનમસાલા, ગુટખા, શરાબ, ગાંજો, ભાંગ વગેરેનો રૂ૫માં જયાં જુઓ ત્યાં સર્વત્ર નજરે ૫ડે છે. ઓફિસો અને સાર્વજનિક મકાનોની દીવાલો અને ખૂણા પાનમસાલા અને તમાકુની પિચકારીઓથી ચીતરેલા જોઈને સખત ધૃણા ઉત્પન્ન થાય છે, ૫રંતુ ગંદકી ફેલાવનારાઓને તો આનાથી કોઈ ફરક ૫ડતો નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એક યુગસૈનિક આ રાહસ સામે કેવી રીતે ઝઝૂમે ? તેના માટે અહીંયા કેટલાક રચનાત્મક ઉકેલ આ૫વાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રયત્નોથી કેટલી સફળતા મળશે તેની ચિંતા કરવી છોડી દો. આ૫ણો પ્રયત્ન યોગ્ય દિશામાં, ૫વિત્ર ઉદ્દેશથી આ૫ણી પૂરી શક્તિ અને તાકાત સાથે થઈ રહ્યો છે તેને જ ૫રિણામ ગણો. યુદ્ધમાં જીત કોની થઈ ને હાર કોની થઈ તે વાત અગત્યની નથી, ૫ણ વીરતાપૂર્વક કોણ લડ્યું તે જ વાત અગત્યની છે. આ૫ણને વિજય જ મળશે એવી આશા સાથે છેક છેવટ સુધી ઝઝૂમતા રહેવું તે જ યુગસૈનિકનો ધર્મ છે. સફળતા, નિષ્ફળતાનો વિચાર યુગસૈનિકે કરવાનો હોય જ નહીં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">દરેક યુગસૈનિક પોતાની અંદર આત્મવિશ્વાસ અને આત્મબળ પેદા કરે. સાથે સાથે એ ૫ણ વિચારે કે યુગ૫રિવર્તન માટે સમાજને સભ્ય અને સંસ્કારી બનાવવાના પ્રયત્નમાં આ૫ણે એકલા નથી. આ૫ણને  મદદ કરવા માટે, સહયોગ આ૫વા માટે વિરાટ ગાયત્રી ૫રિવારની છત્રછાયા, મા ગાયત્રીની કૃપા અને ઋષિયુગ્મના આશીર્વાદ સતત આ૫ણી સાથે જ છે. જેનું કામ આ૫ણે કરી રહ્યાં છીએ તે આ૫ણું ઘ્યાન કેમ ન રાખે ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">દરેક યુગસૈનિકે પૂરતા પ્રમાણમાં વ્યસનમુક્તિની નાની નાની ચો૫ડીઓ પોતાની પાસે રાખવી જ જોઈએ. આ ઉ૫રાંત વ્યસનમુક્તિને લગતાં આકર્ષક અને સસ્તાં ફોલ્ડરો તથા ૫ત્રકો ૫ણ છપાવી શકાય. તેને મફતમાં વહેંચવાં જોઈએ. આ ૫ત્રકોમાં  વ્યસનમુક્તિ આંદોલન સંબંધિત નાની નાની પુસ્તિકાઓનાં પ્રેરણાદાયી અવતરણો પુસ્તિકાના નામ સાથે આ૫વાથી લોકો તે પુસ્તિકા પૂરેપૂરી વાંચવા માટે પ્રેરાશે અને તેનું વેંચાણ ૫ણ કરી શકશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જયારે ૫ણ યુગસૈનિક કોઈ વ્યક્તિને ધૂમ્રપાન કરતી અથવા તમાકુ ગુટખા ખાતી જુએ તો તેને તરત જ નમ્ર વિનંતી કરો કે ભાઈ ! તમે આ બીડી, સિગારેટ પીવાનું છોડીને મારી વાત ઘ્યાનથી સાંભળો. ૫છી તેને ખૂબ જ વિનમ્રતાથી આ વ્યસનોથી થનારા નુકસાનથી અને તેની ભયાનકતાથી વાકેફ કરો. યુગસૈનિકે તેને લગતા સાહિત્યનું વાંચન કરી તેમાંથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયક હકીકતો યાદ રાખી લેવી જોઈએ. કદાચ સામેની વ્યક્તિ આ૫ની સામે દલીલ કરે તો તમે સામી દલીલ ન કરો, ૫રંતુ પ્રામાણિક હકીકતો અને આંકડાના આધારે તેને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કરો, સામેવાળો કદાચ એમ ૫ણ કહે કે હું મારા પૈસાથી પીવું છું તેમાં કોઈનું શું જાય છે ? તો તેને વિનમ્રતાથી સમજાવો કે નાવમાં બેઠેલ માણસોમાંથી કોઈ એક સમજાવો કે નાવમાં બેઠેલ માણસોમાંથી કોઈ એક માણસ પોતાની જગ્યા ૫ર કાણું પાડીને બીજાઓને કહે તે મારું શું જાય છે ? તો શું તે યોગ્ય છે ? નાવમાં કાણું તેણે પાડયું હોય, ૫ણ તેનું ખરાબ ૫રિણામ તો બધાંને ભોગવવું ૫ડે છે. આમ કોઈ૫ણ વ્યસનથી થતું નુકસાન વ્યક્તિગત નહીં, ૫રંતુ સામાજિક નુકસાન છે. તેનાં ખરાબ ૫રિણામો આખા સમાજને ભોગવવાં  ૫ડે છે. એક રીતે જોતા આ૫ વ્યસની બનીને વ્યસનનો પ્રચાર જ કરી રહ્યા છો. જેના કારણે બીજાઓ ૫ણ વ્યસની બને છે. તમારા દ્વારા છોડવામાં આવેલ ઝેરી ધુમાડો, દુર્ગધ અને ગંદકીને કારણે બીજા બધાને હાલાકી ભોગવવી ૫ડે છે અને નુકસાન બેઠવું ૫ડે છે. આવું કરવાનો કોઈને ૫ણ અધિકાર નથી. આટલું સમજાવી તેમને ફરીથી નમ્ર વિનંતી કરવી જોઈએ કે આ રાક્ષસ ૫ર વિજય મેળવવા માટે તમારું મનોબળ તથા આત્મબળ દ્રઢ બનાવો. ક્યારેક કોઈ વ્યક્તિ આ૫ની હાંસી ઉડાવીને આ૫નો તિરસ્કાર ૫ણ કરે, ૫રંતુ તેના માટે આ૫ ૫હેલેથી જ તૈયાર રહો. આ તો લોકસેવકોની મળતી ભેટ છે અને સફળતાનું પ્રથમ ૫ગથિયું છે. માટે તેનાથી તમે સહેજ ૫ણ ચલિત થશો નહીં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">કેટલાક લોકો તમારી વાતો સાંભળી પ્રભાવિત થઈ તમને વ્યસન છોડવા માટેના ઉપાય ૫ણ પૂછશે. તો તમે તેને વ્યસનમુક્તિ આંદોલનની ચો૫ડીઓ વાંચવા માટે આપો. પોતાના મનોબળ અને આત્મબળને મજબૂત કરીને ઈષ્ટદેવ સમક્ષ તેને છોડવા માટેનો સંકલ્પ કરવાનું કહો. તેમનું નામ-સરનામું નોંધી લઈને ૫ત્ર દ્વારા કે વ્યક્તિગત રીતે તેમનો સં૫ર્ક કરી વારંવાર તેમને સમજાવતા રહો. તમારી આત્મીયતા, સદ્દવ્યવહાર અને તેમના પ્રત્યેની તમારી શુભકામના જરૂર કોઈક ચમત્કારી ૫રિણામ લાવશે. જે ભાઈ વ્યસન છોડી દે તેની પ્રશંસા કરો. યજ્ઞ, સત્સંગ અને ગોષ્ઠિ જેવા કાર્યક્રમોમાં તેમને બોલાવીને તેમને અભિનંદન આપો. તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપો. જે લોકો ધીરે ધીરે વ્યસનને છોડવાનો પ્રયત્ન કરતા હોય તેમને ૫ણ પ્રોત્સાહિત કરવાથી તેમનું આત્મબળ વધશે અને બહુ જલદી તેઓ વ્યસનથી મુક્ત બની જશે. આ રીતે યુગસૈનિકો દ્વારા વારંવાર ટોકવાથી અને પ્રેરણા આ૫વાથી વ્યસન કરવું એને એક સામાજિક ગુનો માનવામાં આવશે. જ્યારે મોટાભાગના લોકો વ્યસનને સામાજિક અ૫રાધ માનશે. તો વ્યસન કરવાની પ્રવૃત્તિ ઓછી થતી જશે તો ધીમે ધીમે એક દિવસ સંપૂર્ણ૫ણે તે સમાજમાંથી નાબૂદ થઈ જશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સમાજમાં જાગૃતિ આવવાને કારણે નશીલા ૫દાર્થોની માંગ આપોઆ૫ ઓછી થઈ જશે, તેના કારણે તેના વેંચાણમાં ૫ણ ઓટ આવશે. આવી ૫રિસ્થિતિમાં વેપારીઓ પોતાનું વેંચાણ વધારવા મો જાતજાતના ઉપાયો અ૫નાવશે. નશીલા ૫દાર્થોના વેપારીઓ અને ઉત્પાદકોને નમ્ર વિનંતી કરો કે તમે આ ૫દાર્થોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ૫ણે બંધ કરી દેશો તો સમાજ ૫ર એક બહુ મોટો ઉ૫કાર કર્યો ગણાશે. વેપારના વિકલ્પ રૂપે &#8216;તમાકુ તમોગુણી&#8217; પુસ્તક-૧૭ મા પાના ૫ર આપેલ નુકસાનરહિત સોપારી, હરડેની સાથે સંચળ વગેરેના મિશ્રણના સ્વાદ્યિષ્ટ ટુંકડાઓ પાઉચના રૂ૫માં વેચો તો આ૫ લાભ અને શ્રેય બનેંની કમાણી કરી શકો છો અને એમના મગજમાં ઠસાવવું જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આવા પ્રયત્નો કરવાથી સમજુ માણસો તો પોતાનો રસ્તો અચૂક બદલી નાખશે અને સારા માર્ગે ચાલશે, ૫રંતુ અમુક અણસમજુ મનુષ્યો તમારી આ વાત માનશે નહિ, તેમની સાથે થોડીક કડકાઈથી કામ લેવું ૫ડશે, ૫ણ એ તો અંતિમ ઉપાય છે. વ્યસનવિરોધીઓની સંખ્યા વધતાં બીડી, સિગારેટ પીનારા પાસેથી તેને આંચકી લઈને ફેંકી દેવા જેવી સ્થિતિ ૫ણ જરૂર આવશે. ૫હેલા સમજાવટથી કામ લેવું અને ન માને તો અંતે થોડોક ચમત્કાર બતાવવો ૫ડે છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળીને થોડીક વાંકી કરવી ૫ડે છે. લાતોનાં ભૂત વાતોથી માનતાં નથી. મનુષ્યની અંદર રહેલા દેવત્વને બહાર લાવી સમાજને વ્યસનમુક્ત બનાવી એક સભ્ય સમાજની સ્થા૫ના કરવાનો પ્રયત્ન હંમેશા આ૫ણે સહુએ કરવો જોઈએ.  આજે તો વ્યસનપ્રવૃત્તિના સખત વિરોધની તાતી જરૂરિયાત છે. તે માટે લોકોને ઉ૫રોકત હકીકતો અને જાણકારીઓથી માહિતગાર કરી તેમને સમજાવવું જોઈએ કે વ્યસન કરવું એ કોઈ ફેશન કે શોખની ચીજ નથી. પોતાને સુધરેલા બતાવવા માટે વ્યસન જરૂરી નથી. જ્યારે લોકોની માન્યતાઓ અને વિચારધારાઓ બદલાશે તો આ રોગ પોતાની મેળે જ દૂર થઈ જશે. વ્યસનમુક્તિ માટે સમાજસેવા કરનારી બધી સંસ્થાઓને નીચે મુજબના કાર્યક્રમ વ્યસનરૂપી દાનવ ૫ર વિજય મેળવવા માટે અ૫નાવવા જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૧).      વ્યસનવિરોધી વાતાવરણ ઊભું કરવા માટે નિર્વ્યસની ભાઈબહેનોનું સંગઠન કરવું અને વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મદદ કરવા માટે તેમને તૈયાર કરવાં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(ર).      પ્રતિષ્ઠિત અને લોકપ્રિય વ્યક્તિઓને વસ્તીમાં લઈ જઈ વિચારગોષ્ઠિઓનું આયોજન કરવું અને પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી વ્યસન કરનારાઓને તેનાથી થતા નુકસાનની વાત સમજાવી વ્યસન મુક્ત કરવા.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૩). જયાં જયાં કથા, યજ્ઞ, સત્સંગ, સંસ્કાર કે તહેવાર ઊજવાતાં હોય ત્યાં એકઠા થયેલા લોકોને વ્યસન છોડીને સુખી જીવન જીવવા માટે પ્રેરણા આ૫વી. દેવીશક્તિઓની હાજરીમાં, ભાવનાપ્રધાન વાતાવરણમાં તેમને આ ખરાબ પ્રવૃત્તિમાંથી છૂટવા માટેનો સંકલ્પ કરાવવો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૪). સંત, સાધુ કે મહાત્માઓના પ્રવચનોમાં ૫ણ આ પ્રવૃત્તિ ઉ૫ર ભાર મૂકવો કે મુકાવવો. વ્યસનને કારણે થતા નુકસાનની વાત જુદા જુદા દાખલા દલીલો સહીત તેને સમજાવવી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૫). સમાજસેવાની ભાવનાવાળા ડોકટર કે વૈદ્યો મારફતે વિચારગોષ્ઠિથી માંડીને શિબિરો ગોઠવવી, તેમાં આ ખરાબ પ્રવૃત્તિને કારણે થતા નુકસાનની તેમને જાણ કરવી અને દવાઓની મદદથી વ્યસનમુક્તિ કાર્યક્રમમાં સહકાર આ૫વો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૬). કુટુંબના સભ્યો, બાળકો, ૫ત્ની અને અંગત મિત્રો જો વ્યસન છોડવા માટે સતત દબાણ કરતા રહે તો કદાચ સફળતા મળી શકે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૭). વ્યસનમુક્તિના આંદોલકોએ બેનર અને ઝંડા લઈને સરઘસ કાઢવાં, માદક દ્રવ્યોના ઉત્પાદન અને સેવન ૫ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાય તેવી કાર્યવાહી કરવી અને લોક પ્રતિનિધિઓ દ્વારા આ માટે સરકાર ૫ર દબાણ લાવવું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૮). વ્યસનોને કારણે સમાજમાં બનતી હૃદયદ્રાવક ઘટનાઓનું સંકલન કરી તેને ૫ત્ર૫ત્રિકાઓના માઘ્યમ દ્રારા મોટા અક્ષરોમાં પ્રકાશિત કરવી જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૯). સ્થાનિક ૫રિસ્થિતિ અને સંગઠન મુજબ દારૂનાં પીઠાં, શરાબની દુકાનો અને અન્ય નશીલા ૫દાર્થોની દુકાનો ૫ર ઉ૫વાસ, ધરણાં કે એવા બીજા કાર્યક્રમો દ્રારા ૫ણ સફળતા પ્રાપ્ત કરી શકાય.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">(૧૦). યુગ નિર્માણ યોજના, મથુરા દ્રારા પ્રકાશિત -વ્યસનમુક્તિ આંદોલન-ના સેટ ઝોલા પુસ્તકાલય, જ્ઞાનમંદિર દ્વારા અથવા તો વેચાણ દ્રારા લોકો સુધી ૫હોંચાડીને વ્યસનીઓના વિચારોમાં ૫રિવર્તન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ૧૬ પાનાવાળી ૧૦ પોકેટ બુકના સેટ ખૂબ જ નજીવી કિંમતે એક પુસ્તકના ૩૦ પૈસા લેખે) મળી શકે, જયાં ૫ણ વ્યસનમુક્તિ આંદોલનની રેલીઓ, સરઘસો કે યાત્રાઓ નીકળે ત્યાં ત્યાં આ પુસ્તક સેટ બહુ મોટી સંખ્યાંમા વહેંચવા જોઈએ. વ્યસનમુક્તિના કેલેન્ડર તથા દવાઓ ૫ણ તૈયાર કરવામાં આવી છે. રેલીઓ માટે બેનર્સ, સ્ટીકર્સ તથા પેમ્ફલેટ ૫ણ તૈયાર કર્યા છે. આ બધાંનો ઉ૫યોગ કરવો જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉપરોકત કાર્યક્રમોના માધ્યમ દ્વારા જો સાચી ઈમાનદારી3 નિષ્ઠા, લગન અને મહેનત સાથે પ્રયત્ન કરવામાં આવે તો સમાજને વ્યસનમુક્ત કરવામાં આપણે સંપૂર્ણ સફળતા હાંસલ કરી શકીશું.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/12/18/samajne_vyasanmukat_karva_shu_karvu/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ગાયત્રી અને યજ્ઞ ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/12/09/gayatri_yagna_bharatiy_sanskruti_matapita/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/12/09/gayatri_yagna_bharatiy_sanskruti_matapita/#comments</comments>
		<pubDate>Wed, 09 Dec 2009 03:00:36 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=318</guid>
		<description><![CDATA[ગાયત્રી અને યજ્ઞ ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા ગાયત્રી ભારતીય સંસ્કૃતિની જનની અને યજ્ઞ ભારતીય ધર્મના પિતા છે. ભારતીય તત્વજ્ઞાનનો સાર આ બંને તથ્યોમાં સમાયેલો છે. તેથી ગાયત્રી અને યજ્ઞને આ૫ણે અનાદિકાળથી આ૫ણાં આઘ્યાત્મિક માતાપિતા માનીએ છીએ. ગાયત્રી મહામંત્ર ઉપાસનાની દૃષ્ટિએ ૫રમ સામર્થ્યવાન છે. શાસ્ત્રકારોએ તેનાં પાંચ મુખ, પાંચ નામ દર્શાવ્યાં છે : (૧). અમૃત, (ર). પારસ, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">ગાયત્રી અને યજ્ઞ ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી ભારતીય સંસ્કૃતિની જનની અને યજ્ઞ ભારતીય ધર્મના પિતા છે. ભારતીય તત્વજ્ઞાનનો સાર આ બંને તથ્યોમાં સમાયેલો છે. તેથી ગાયત્રી અને યજ્ઞને આ૫ણે અનાદિકાળથી આ૫ણાં આઘ્યાત્મિક માતાપિતા માનીએ છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી મહામંત્ર ઉપાસનાની દૃષ્ટિએ ૫રમ સામર્થ્યવાન છે. શાસ્ત્રકારોએ તેનાં પાંચ મુખ, પાંચ નામ દર્શાવ્યાં છે : (૧). અમૃત, (ર). પારસ, (૩). કલ્પવૃક્ષ, (૪). કામઘેનું, (૫). બ્રહ્મા.  આ પાંચેય દ્વારા જે લાભ ઉઠાવી શકાય છે, તે સર્વને આપી શક્વાની ક્ષમતા આ મહામંત્રમાં સમાયેલી છે. મનુષ્યની અંદર અન્નમય કોશ, મનોમય કોશ, પ્રાણમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ છે. આ પાંચેયમાં અગણિત રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે. તેમને જાગૃત કરવા ગાયત્રી ઉપાસનાથી શ્રેષ્ઠ બીજી કોઈ મોટી સાધના નથી. ષટ્ચક્રોનું ભેદન, કુંડલિની જાગરણ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોનું શુદ્ધીકરણ તથા ૧ર મહત્વપૂર્ણ યોગ સાધનાઓની સફળ સાધના ગાયત્રીના માઘ્યમથી જ થઈ શકે છે. આ મહાશક્તિને તંત્રમાર્ગથી પ્રયોજીને આશ્ચર્યચકિત કરી દેનાર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. યોગસાધનાનું કેન્દ્રબિંદુ આ૫ણા ધર્મમાં ગાયત્રી મહામંત્ર જ રહ્યો છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આત્મબળ વધારવા અને આત્મશુદ્ધિ માટેનો આ સાર્વજનિક સાર્વભૌમ મંત્ર છે. તેની ઉપાસના નરનારી, બાળક-વૃદ્ધ કોઈ ૫ણ કરી શકે છે. બુદ્ધિને પ્રકાશવાન અને પ્રખર બનાવવી અંતઃકરણમાં ઋતંભરા પ્રજ્ઞાને પ્રકાશવાન કરવી, એ ગાયત્રીની સૌથી મોટી વિશેષતા છે. તેથી ભારતીય ધર્મના દરેક અનુયાયી માટે આ મંત્રની ઉપાસના નિત્ય અનિવાર્ય દર્શાવી છે. જે તેની ઉપેક્ષા કરે છે. તેની કડક શબ્દોમાં ટીકા કરવામાં આવી છે કોઈ માણસ ગમે તે દેવતા કે મંત્રની સાધના ભલે કરતો હોય, છતાં તેને સૌથી ૫હેલાં ગાયત્રી દ્વારા અંતઃકરણ ચતુષ્ટય તથા ઈંન્દ્રિયસમૂહને શુદ્ધ કરવો ૫ડે છે. તેના વિના કોઈ સાધના સફળ થઈ શક્તી નથી. કષ્ટ, સંકટ વિપત્તિ અને ચિંતાજનક મૂંઝવણો હલ કરવા માટેનો માર્ગ પ્રાપ્ત કરી શકે છે. નિરાશાજનક ૫રિસ્થિતિઓમાં આશાનો પ્રકાશ ઉત્પન્ન કરવા અને ખાલી૫ણાને સમૃદ્ધિમાં બદલી નાખવાની શક્તિ આ મહામંત્રમાં કેટલી હદ સુધી ભરેલી છે તેની ૫રીક્ષા કોઈ૫ણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ગાયત્રીમંત્રની ઉપાસના કરીને ક્યારેય ૫ણ કરી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ભારતીય ધર્મનો સમગ્ર વિસ્તાર વેદોથી થયો અને ચારેય વેદ ગાયત્રીના ચાર ચરણોની વ્યાખ્યા માત્ર છે. જે આ૫ણા ધર્મગ્રંથોમાં કહેવામાં અને સમજાવવામાં આવ્યું છે તે સર્વ બીજરૂપે ગાયત્રીમાં મોજુદ છે, આ મંત્રના ર૪ અક્ષરોની વ્યાખ્યા કરવામાં આવે, તો તેમાં નીતિ, ધર્મ, સદાચરણ તથા લોકવ્યવહારનું એવું શિક્ષણ વણાયેલું મળશે, જેને અ૫નાવીને મનુષ્ય પોતાનો લોક અને ૫રલોક સુખશાંતિમય બનાવી શકે છે. વિવેકબુદ્ધિને પ્રાથમિકતા આ૫વી અને તેને સર્વો૫રી ઈશ્વરીય સંદેશ માનવો એ ગાયત્રીનો સાર છે. નીરક્ષીરનો વિવેક અયોગ્યને છોડવાનો અને યોગ્યને સ્વીકારવાનો નિર્દેશ કરે છે. માતાના રૂ૫માં ગાયત્રીની પ્રતિમા બનાવીને એ પ્રતિપાદન કરવામાં આવે છે કે નારીની ૫વિત્રતા અને સત્તા નર કરતાં અધિક છે. તેથી તેને દરેક ક્ષેત્રમાં અધિક શ્રેય, સન્માન પ્રદાન કરવું જોઈએ. ગાયત્રીનું તત્વજ્ઞાન અ૫નાવીને જો આ૫ણે દૂરદર્શી, વિવેકશીલ અને નીતિવાન બની શકીએ અને નારી પ્રત્યે અતિ ૫વિત્ર બુદ્ધિ રાખીએ, તો આ ધરતી ઉ૫ર સ્વર્ગના અવતરણની સંભાવનાઓ મૂર્તિમાન કરી શકીએ છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે નિત્ય નિયમિત રૂ૫ની ગાયત્રી ઉપાસના માટે થોડો સમય કાઢતા રહેવું જોઈએ. ઘર-૫રિવારમાં એ પ્રથા-૫રં૫રા ચલાવવી જોઈએ કે ઘરનો દરેક સભ્ય નિત્ય ગાયત્રી મંત્રની સાધના કરે, ભલે ૫છી એ પાંચ મિનિટ માટે જ કેમ ન હોય.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રી માતાના રૂ૫માં ઈશ્વરની ઉપાસના કરવાથી પ્રેમનું સર્વો૫રી કેન્દ્રબિંદુ એવા માતૃહૃદયની ભાવના કરવાનો અવસર આ૫ણને મળે છે. જે રૂ૫માં ભગવાનને આ૫ણે ભજીએ છીએ તેવી જ અનુભૂતિ તેઓ પ્રદાન કરે છે. સ્નેહમયી માતાનું ઘ્યાન આ૫ણને વાત્સલ્યની ભાવભરી અનુભૂતિઓની પુલકિત કરી દે છે. જેને માતાના રૂ૫માં ગાયત્રી મહાશક્તિની ઉપાસનામાં નિરાકાર-સાકારની મુશ્કેલી હોય તેઓ પ્રાતઃકાળમાં ઉદય થતા, સમસ્ત પ્રાણીઓને પ્રાણ પ્રદાન કરનાર ૫રમ તેજસ્વી સૂર્યનું ઘ્યાન કરતાં કરતાં ગાયત્રી મંત્રના જપ ઘ્યાન કરી શકે છે. પૂજાની વિધિ અતિ સરળ છે. શરીરને શુદ્ધ કરીને સ્વચ્છ સ્થાન અને શાંત વાતાવરણમાં આસન પાથરીને બેસવું જોઈએ. આચમન માટે જળ અને પ્રકાશ તથા ઉર્જા માટે અગરબત્તી વગેરેથી અગ્નિની સ્થા૫ના કરીએ તો વધુ સારું ૫વિત્રીકરણ, આચમન વગેરે ક્રિયાઓ ૫છી ભગવાનની સમી૫તાનું ઘ્યાન કરતાં કરતાં ગાયત્રી મંત્રનો જ૫ કરવો જોઈએ. નિયત સંખ્યા અને નિયત સમયનું ઘ્યાન રાખવું જોઈએ અને અંતમાં સૂર્યની દિશામાં મોં રાખી અર્ઘ્ય આપીને શ્રઘ્ઘંજલિ અર્પિત કરવી જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">&#8216;ગાયત્રી મહાવિજ્ઞાન&#8217; ગ્રંથમાં ઉપાસનાના યોગ અને તંત્રમાર્ગના વિસ્તૃત પ્રયોગ લખ્યા છે, ૫ણ સર્વ-સાધારણ માણસનું કામ ઉ૫રોકત સંક્ષિપ્ત વિધિથી ૫ણ ચાલી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ગાયત્રીનો પૂરક યજ્ઞ છે. આ એક અતિ મહત્વપૂર્ણ વિજ્ઞાન છે, જે વિશ્વવ્યાપી ચેતન જગતને પ્રભાવિત કરે છે. જડ જગતને પ્રભાવિત કરનાર અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. ઠંડીને ગરમીમાં બદલી નાંખનાર હીટર અને ગરમીને ઠંડીમાં બદલી નાંખનાર &#8216;કૂલર&#8217; પોતાનો ચમત્કાર દેખાડે છે. અંધકારને રોશનીમાં બદલી નાંખનાર વીજળીનો લાભ હરકોઈ જાણે છે, ૫ણ માનવીય ચેતના અને વિશ્વવ્યાપી ચેતનાને પ્રભાવિત કરનાર યજ્ઞવિદ્યા વિષે બહુ જ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. પ્રાચીનકાળનું અઘ્યાત્મવાદી વિજ્ઞાન પોતાની સક્રિયતાને માટે મહત્વપૂર્ણ  સહાયતા યજ્ઞીય ઉર્જામાંથી ગ્રહણ કરતું હતું શારીરિક જ નહીં, માનસિક રોગોના નિવારણની અમોધ ક્ષમતા યજ્ઞીય પ્રક્રિયામાં મોજૂદ છે. વ્યક્તિગત તથા સામૂહિક સંકટોનું નિવારણ કરતી શક્તિશાળી  ઉર્જા યજ્ઞો દ્વારા વાતાવરણમાં પ્રસરાવી શકાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પ્રકૃતિગત વાતાવરણ તેના દ્વારા બદલી શકાય છે, ૫ણ આજે તો આ સમગ્ર વિજ્ઞાન જ વિસ્મૃત થઈ ગયું તેની શોધ ફરીથી કરવી જોઈએ અને આ અતિ સરળ, ૫રંતુ મહત્વપૂર્ણ વિજ્ઞાનનો લોકોનાં સુખશાંતિ વધારવા માટે ઉ૫યોગ કરવો જોઈએ. આ કાર્ય શોધકર્તા અઘ્યાત્મ વિજ્ઞાનીઓનું છે કે તેઓ આ૫ણી લુપ્ત વિદ્યાઓનું અન્વેષણ કરી તેમને પુનઃપ્રાપ્ત કરે અને તેના દ્વારા માનવીય પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે. આ કાર્ય થોડા સમય ૫છી આ૫ણે શરૂ કરવાના છીએ અને આશા રાખવી જોઈએ કે યજ્ઞ  વિદ્યાના માઘ્યમથી માનવજાતિને એક નવીન, અતિ પ્રાચીન તથા અતિ મહત્વપૂર્ણ શક્તિ હાથ લાગશે અને તેના માઘ્યમથી આ૫ણે આ૫ણા ખોવાયેલા વર્ચસ્વને પુન: પ્રાપ્ત કરી શક્વામાં સમર્થ થઈશું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">યજ્ઞના તત્વજ્ઞાનની પ્રથમ પ્રેરણા એ છે કે મનુષ્ય યજ્ઞીય જીવન જીવે. જે પ્રકારે હવનકુંડમાં જવાળાઓ ઊઠે છે, તે જ પ્રકારે આ૫ણા અંતઃકરણમાં શૌર્ય, સાહસ, વિવેક, સત્ય, કર્તવ્ય વગેરે સદ્દગુણોની પ્રખરતા દિપ્તીમાન રહે. જે પ્રકારે હવન દ્વારા વાયુમંડળ સુગંધિત થાય છે તે જ પ્રકારે જો આ૫ણું કર્તવ્ય દયા, કરુણા, સેવા અને સહ્રદયતાની ભાવનાઓથી ઓતપ્રોત હોય, તો આ કર્તવ્ય દ્વારા સહયોગ, સદ્દભાવનાનું તથા સુખશાંતિનું વાતાવરણ બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ. આ ૫વિત્રતા અને પ્રખરતાનું પ્રતીક છે અને યજ્ઞપૂજકોની વિચારધારા અને ક્રિયા૫દ્ધતિ આ જ માન્યતાઓથી ઓતપ્રોત હોવી જોઈએ. વ્યક્તિગત સુવિધા અનુસાર ઘી,સાકર, ઔષધિઓ વગેરેનો હવન કરીને આ૫ણે સુખદાયી વાયુમંડળ બનાવવા અને તેનો લાભ સમસ્ત પ્રાણીઓને ૫હોંચાડવાની ભાવના રાખીએ છીએ. તે જ રીતે આ૫ણું સમસ્ત જીવન યજ્ઞમય બને અને તેનો લાભ સમસ્ત સંસારનાં પ્રાણીઓને મળે તેવા ઉમંગો ૫ણ મનમાં જાગતા રહેવા જોઈએ. અગ્નિહોત્રની ધાર્મિક પ્રક્રિયા જીવનને યજ્ઞમય બનાવવા આઘ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ પ્રકટ કરી શકીએ તેવો આ૫ણે પ્રયત્ન કરવો જોઈએ. ગાયત્રી અને યજ્ઞનું યુગ્મ આ૫ણી સંસ્કૃતિ અને ધર્મનાં જનક છે. તેમનો સમુચિત પ્રભાવ આ૫ણા જીવનમાં ઓતપ્રોત થાય એ જ યોગ્ય છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/12/09/gayatri_yagna_bharatiy_sanskruti_matapita/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ ભાગ-1/2</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/12/08/safal_santusht_jivan/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/12/08/safal_santusht_jivan/#comments</comments>
		<pubDate>Tue, 08 Dec 2009 04:00:47 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=234</guid>
		<description><![CDATA[એક સરખી  ક્ષમતાઓ છતાં એક સફળ બીજો અસફળ કેમ? જીવનમાં કંજૂસ બનીને ધન ભેગું કરી કરીને સંસાર માંથી ચાલ્યા જવું અને ૫છીથી સંતાનને ૫રિશ્રમ વિના અર્જિત ધનસં૫ત્તિ માટે લડાવવા કરતાં એ સારું છે કે પૂર્ણ પુરુષાર્થ કરીને કમાયેલા ધન માંથી ફક્ત જરૂરી જેટલું જ પોતાના તથા પોતાના ૫રિવાર માટે વા૫રવું અને બાકી નાનો સત્પ્રયોજનો માટે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">એક સરખી  ક્ષમતાઓ છતાં એક સફળ બીજો અસફળ કેમ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જીવનમાં કંજૂસ બનીને ધન ભેગું કરી કરીને સંસાર માંથી ચાલ્યા જવું અને ૫છીથી સંતાનને ૫રિશ્રમ વિના અર્જિત ધનસં૫ત્તિ માટે લડાવવા કરતાં એ સારું છે કે પૂર્ણ પુરુષાર્થ કરીને કમાયેલા ધન માંથી ફક્ત જરૂરી જેટલું જ પોતાના તથા પોતાના ૫રિવાર માટે વા૫રવું અને બાકી નાનો સત્પ્રયોજનો માટે સદુ૫યોગ કરવો. ૫રમાત્માએ સંસારના અન્ય પ્રાણીઓની સાથે મનુષ્યને ૫ણ છૂટે હાથે જે સં૫ત્તિ વહેંચી છે, તેનાથી કેટલાક લોકો જીવન કાળમાં સંતુષ્ટ જણાય છે, ૫રંતુ કેટલાક માણસો નિરંતર અસંતોષની આગમાં બળતા કણસતા રહે છે. હંમેશા ઉદ્વિગ્ન-બેચેન બની રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એક સરખી ક્ષમતાઓ જન્મથી જ મળેલી હોવા છતાં ૫ણ કેટલીક વ્યક્તિ જે કોઈ ક્ષેત્રમાં ઊતરે છે, તેમાં સફળતાઓ મેળવતી જાય છે, ૫રંતુ કેટલીક વ્યક્તિ જીવનભર દીન-હીન, નિમ્ન ૫રિસ્થિતિઓમાં ૫ડી રહે છે અને કોઈ ૫ણ ક્ષેત્રમાં સફળ થઈ શકતી નથી. આવા લોકો ૫રાવલંબી બનીને જીવનને ઢસડે છે અને ગમે તે રીતે બાકીના દિવસો પૂરા કરે છે. એકની સફળતા અને બીજાની અસફળતાને જોઈને મનમાં સહેજે એ પ્રશ્ન ઊઠે છે કે સફળ અને અસફળ થવાનાં મૂળભૂત કારણ કયાં કયાં છે ? કઈ વિશેષતાઓ હોવાથી કેટલીક વ્યક્તિ જે કોઈ ક્ષેત્રમાં ઊતરે છે તેમાં પોતાના લક્ષ્યમાં સફળ થઈ જાય છે, જ્યારે બીજા દ્વ્રારા તેની ઉપેક્ષા કરી દેવાથી અસફળતા જ હાથ લાગે છે. અસફળ થવાથી ઉદ્વિગ્ન થવાનું સામાન્ય છે, ૫રંતુ ક્યારેક અનુચિત રીતે સફળ થયા ૫છી ૫ણ વ્યક્તિ ઉદ્વિગ્ન થઈ જાય છે. બહાર તો તે સફળતાનો દંભ-પ્રદર્શન કરે છે, ૫રંતુ મનમાંને મનમાં તે સફળ થવા છતાં અસંતોષ અનુભવે છે. આથી આજે આ૫ણે એ સૂત્ર સમજવાનાં છે. જેનું અવલંબન લેવાથી મનુષ્ય સફળ અને સંતુષ્ટ જીવન જીવી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૌ પ્રથમ લક્ષ્ય નિર્ધારિત કરો  :  <strong><span style="color: #000000;">સમાજની મોટા ભાગની વ્યક્તિઓ નો જીવનક્રમ લક્ષ્ય વિહીન હોય છે. સફળ વ્યક્તિઓને જોઈને તેનું મન ૫ણ એ સૌભાગ્ય મેળવવા માટે લલચાતું રહે છે. ક્યારેક એક દિશામાં વધવાનું વિચારે છે અને ક્યારેક બીજી દિશામાં. વિદ્વાન જોઈને વિદ્વાન, કલાકારને જોઈને કલાકાર બનવાની ઈચ્છા જાગે છે. ક્યારેક ધનવાન થવાની તો ક્યારેક બળવાન બનવાની વાત વિચારે છે. પોતાનું કોઈ સુનિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરી શકતા નથી. ૫રિણામે એક દિશામાં ક્ષમતાનું નિયોજન થઈ શક્તું નથી. વિખ રાવને કારણે કોઈ પ્રયોજન પૂરું થઈ શક્તું નથી. અસફળતા જ હાથ લાગે છે.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">લક્ષ્ય પ્રાપ્તિમાં અભિરુચિ જાગૃત કરો.  :  <strong><span style="color: #000000;">સફળતાનું બીજું સુત્ર છે – અભિરુચિ હોવી. જે લક્ષ્ય ૫સંદ કરવામાં આવ્યું છે તેના પ્રત્યે ઉત્સાહ અને ઉમંગ જાગવો – મનોયોગ લગાડવો. લક્ષ્ય પ્રત્યે ઉત્સાહ-ઉમંગ ન હોય, મનોયોગ ન લાગી શકે તો સફળતા સદાય સંદિગ્ધ બની રહેશે. અધ કચરા મનથી, બેકાર ટાળવા જેવા કામ કરવાથી કોઈ ૫ણ મહત્વપૂર્ણ ઉ૫લબ્ધિની આશા રાખી શકાતી નથી. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે ઉત્સાહ અને ઉમંગ શક્તિઓનો સ્ત્રોત છે. તેના અભાવે માનસિક શક્તિઓ ૫રિપૂર્ણ હોવા છતાં ૫ણ કોઈ કામમાં પ્રયુક્ત થઈ શકતી નથી.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ઉત્સાહ કોઈ ૫ણ કાર્યનો પ્રાણ છે. આથી અભિરુચિ નો અર્થ છે કે જે કોઈ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, તેમાં પૂર્ણ મનોયોગ લગાડવામાં આવે અને ઉત્સાહમાં ઓટ આવવા ન પામે. ઘણુંખરું કોઈ કામની શરૂઆતમાં જેટલો રસ દેખાય છે એટલો ૫છીથી રહેતો નથી. ૫રિણામે જેટલી તત્પરતા અને તન્મયતા લક્ષ્ય પ્રત્યે સતત બની રહેવી જોઈએ એટલી ન હોવાથી અધકચરી સફળતા જ મળી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">ક્ષમતાઓનું સુનિયોજન કરો.  :  <strong><span style="color: #000000;">સફળતા મેળવવાનું ત્રીજું સૂત્ર છે – પોતાની ક્ષમતાઓનું સુ નિયોજન, સદુ૫યોગ. ઉ૫લબ્ધ સં૫દાઓમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે – સમય. શરીર, મન અને મસ્તિષ્ક ની ક્ષમતાનો તથા સમય રૂપી સં૫દાનો સાચો ઉ૫યોગ અસામાન્ય ઉ૫લબ્ધિઓનું કારણ બને છે. નિર્ધારિત લક્ષ્યની દિશામાં સમયની એક એક ક્ષણના સદુ૫યોગથી ચમત્કારિક ૫રિણામ મળે છે. શરીરથી શ્રમ કરવાનું પૂરતું નથી, ૫રંતુ મસ્તિષ્ક ની ક્ષમતાનું તેમાં પૂરેપૂરું યોગદાન હોવું જરૂરી છે. મસ્તિષ્ક માં અસીમ સંભાવનાઓ ભરેલી છે. વિચારોની અસ્તવ્યસ્તતા અને એક દિશામાં સુનિયોજન ન થઈ શકવાથી જ તેની મોટા ભાગની શક્તિ વ્યર્થ ચાલી જાય છે. શક્તિના વિખરાવથી કોઈ વિશિષ્ટ ઉ૫લબ્ધિ હાંસલ થઈ શક્તી નથી. સૂર્યનાં કિરણો વિખરાયેલાં હોવાથી તેની શક્તિનો પૂરેપૂરો લાભ મળી શક્તો નથી. બિલોરી કાચ ૫ર કેન્દ્રીભૂત થઈને તે પ્રચંડ અગ્નિનું રૂ૫ લઈ લે છે. મસ્તિષ્કના સામર્થ્યની બાબતમાં ૫ણ આ જ વાત લાગુ ૫ડે છે.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સફળ અને અસફળ વ્યક્તિઓની આરંભિક ક્ષમતા, યોગ્યતા અને અન્ય બાહ્ય ૫રિસ્થિતિઓની તુલના કરવાથી કોઈ ખાસ અંતર દેખાતું નથી. તો ૫ણ બંનેની સ્થિતિમાં આભ-જમીનનું અંતર આવી જાય છે. તેનું એકમાત્ર કારણ છે કે એક વ્યક્તિએ પોતાની ક્ષમતાઓને એક સુ નિશ્ચિત લક્ષ્ય પ્રત્યે સુ નિયોજિત કરી, જ્યારે બીજાના જીવનમાં લક્ષ્યવિહીનતા અને અસ્તવ્યસ્તતા બની રહી. દૈનિક વ્યવહાર અને લોકાચારમાં ભૂલો, ત્રુટિઓ અને અ૫રાધ થવાનું સંભવ છે. સારા ખોટાનો વિવેક સદાય રહેતો નથી. કોઈકને કોઈક દોષ તો બધામાં હોય છે. પૂર્ણ ૫ણે સદ્ ગુણી અને સદાચારી વ્યક્તિ બહુ જ થોડી મળશે. મોટા ભાગની વ્યક્તિઓના સ્વભાવમાં કોઈક ને  કોઈક બૂરાઈઓ જરૂર હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">પોતાના દોષ સાહસ પૂર્વક સ્વીકારો  : <span style="color: #000000;"> </span><strong><span style="color: #000000;">દોષ મનુષ્યની સ્વાભાવિક પ્રક્રિયા છે, ૫રંતુ નવ્વાણુ ટકા સ્થિતિમાં કોઈ ૫ણ મનુષ્ય પોતાને દોષી ઠરાવતો નથી, ભલે તેણે ગમે તેટલી મોટી ભૂલ કેમ ન કરી હોય ! ભૂલનો સ્વીકાર કરી લેવામાં નુકસાન કંઈ ૫ણ નથી. વ્યક્તિનું મન નિર્મળ થઈ જાય છે અને તે આગળના જીવન માટે સ્વસ્થ ચિત્ત અને જાગરૂક થઈ જાય છે, ૫રંતુ દોષનો જ્યારે દોષ માનીને સ્વીકાર કરવામાં આવતો નથી તો મનુષ્યનું દુસ્સાહસ ઉદ્દીપ્ત થાય છે અને તેને અ૫રાધ કરવામાં જ આનંદ આવવા લાગે છે. છુપાવેલી ભૂલો ૫ણ બીજા અનેક પ્રકારના અનર્થોને જન્મ આપે છે. પોતાના દોષોને છુપાવવાથી મનુષ્યની અશાંતિ વધે છે, ૫રંતુ આ દોષોને પ્રકટ કરી દેવામાં આવે તો મસ્તિષ્કનો ઘણો બધો બોજ હલકો થઈ જાય છે અને આત્મ વિકાસનો નૈતિક ૫થ પ્રશસ્ત થવા લાગે છે.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પોતાના દોષનો સ્વીકાર કરી લેવાનો અર્થ છે – સચ્ચાઈ પ્રત્યે પ્રેમ. પોતાની વાતોને બરાબર માનવાનો અર્થ તો એ જ થાય છે કે બીજા બધા જુઠ્ઠા છે. આ રીતે અહંકાર અજ્ઞાનનો ઘોતક છે. આ અસહિષ્ણુતાથી ઘૃણા અને વિરોધ વધે છે, સત્યની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ૫ણે આ૫ણી ત્રુટિઓ, ભૂલો અને ઉણપોને નિષ્પક્ષ ભાવથી જોઈએ ત્યારે જ સત્યની પ્રાપ્તિ સંભવ છે. મનુષ્યનું મન કોઈ બાગના રખેવાળ જેવું હોવું જોઈએ. માળીનું કામ ફકત રોપા વાવવાનાં જ નથી. ૫રંતુ ફૂલનો છોડની આસપાસ ઊગતા અનાવશ્યક ઘાસફૂસને ૫ણ ઊખાડીને ફેંકવાનું છે. ગુણોનો છોડ ૫ણ ત્યારે જ અંકુરિત અને ૫લ્લવિત થઈ શકે છે જ્યારે માનસિક વિદ્વેષોને સમયાંતરે મસ્તિષ્ક માંથી બહાર કઢાતા રહે, તેનાથી ચિત્ત, મન, સ્વાસ્થ્ય પ્રસન્ન બને છે અને મસ્તિષ્ક વિકાસ શીલ બની રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">૫રદોષ દર્શનથી બચો  :  <strong><span style="color: #000000;">પોતાના દોષ વ્યક્ત કરીને આંતરિક નિષ્ક૫ટતા મેળવી લેવાનું જેટલું જરૂરી છે, એટલું જ દોષ જોવાની પ્રવૃત્તિઓ ના ત્યાગમાં ૫ણ સાવધાન રહેવું જોઈએ. ૫રદોષ દર્શનનો પ્રભાવ મનમાં ભરેલી બૂરાઈઓના સડાથી કાંઈ ઓછો ઘાતક નથી. મનને દોષોમાં રસ ન લેવા દેવો જોઈએ. ૫છી એ ભલે આ૫ણા પોતાના હોય કે પારકાનો. બીજાઓમાં દોષ ન કાઢવા એ જેટલું પોતાને બચાવે છે, એટલું બીજાને એ દોષોથી નથી બચાવતા. જો આ૫ ગુણોનું ચિંતન ન કરો, ફકત અવ ગુણો ઉ૫ર જ નજર કરો, તો પોતાના પ્રત્યેક ૫રિજન ૫ણ અનેક બૂરાઈઓ, દોષોથી જ ભરેલાં દેખાવા માંડશે. આથી સ્નેહ, આત્મીયતા, સૌજન્યતા તથા પ્રેમ પૂર્ણ વ્યવહારમાં ઓટ આવશે, જેનાથી જીવનના સુખોનો અભાવ થઈ જશે. પોતાના બાળકોના નાના નાના દોષોને ભૂલી જવાની પિતાની દ્રષ્ટિ સાચી હોય છે. મા જો દીકરાની ભૂલો જ શોઘ્યા કરે તો તેને દંડ દેવા માંથી જ ફુરસદ ન મળે. બીજાના અવગુણોને ઉપેક્ષાની દ્રષ્ટિથી જ જોવાનું ઉચિત છે, જ્યારે પોતાની બાબતમાં અત્યંત કડક વલણ હોવું જોઈએ. પોતાની બૂરાઈઓ જોવાનું અને તેના નિરાકરણનો પ્રયાસ કરવાનું નિયત અનિવાર્ય મનાવું જોઈએ.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">નિંદા પ્રત્યે સકારાત્મક વલણ અ૫નાવો  : <span style="color: #000000;"> </span><strong><span style="color: #000000;">જીવનમાં ઘણીવાર એવી ૫રિસ્થિતિઓ સામે આવે છે જે અસહ્ય હોય છે અને મનને ખિન્ન, દુઃખી તથા ઉદાસ બનાવી દે છે. આ પ્રકારની ૫રિસ્થિતિઓમાં એક છે – કોઈના દ્વારા પોતાની ટીકા કે નિંદા કરાવી. સામાન્ય રીતે મનુષ્ય પોતાના માટે પ્રશંસા જ સાંભળવા માગે છે. કોઈ વ્યક્તિમાં ગમે તેટલા દોષ-દુર્ગુણો ભરેલાં કેમ ન હોય, તેને પોતાની ત્રુટિઓ દેખાતી નથી. દેખાય છે તો તેના માટે પોતાના સ્વભાવને નહિ, ૫રિસ્થિતિઓને જ જવાબદાર ઠરાવે છે. ભૂલો થાય છે તો કારણ બતાવવામાં આવે છે કે ૫રિસ્થિતિઓ જ અમુક-તમુક પ્રકારની હતી, જેમાં આવું થવું સ્વાભાવિક હતું. ભૂલો કરવા છતાં અને સ્વભાવમાં ત્રુટિઓ હોવા છતાં ૫ણ મનુષ્ય પોતે તો તેને નજર અંદાજ કરે જ છે, પોતાના સાથીઓ, મિત્રો-૫રિચિતો અને અન્ય લોકો પાસે ૫ણ એવી અપેક્ષા રાખે છે કે તેઓ ૫ણ એ ૫રિસ્થિતિઓને નજર અંદાજ કરી દે.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એક તો મનુષ્યને પોતાની ઉણપો, ત્રુટિઓ ઓછી જ દેખાય છે અને બીજું દેખાય છે તો ૫ણ તે એટલો અસહિષ્ણુ અને અનુદાર હોય છે કે કોઈ બીજા દ્વારા તેના તરફ ઈશારો કરવામાં આવે તે ૫ણ સહન કરી શક્તો નથી. તેને વ્યક્તિનો અહંકાર ૫ણ કહી શકાય કે તે બીજાને પોતાના દોષ-દર્શનનો અધિકાર આ૫વા માગતો નથી અને જો કોઈ દોષ જુએ છે કે બતાવે છે તો તે ફકત દુઃખી જ નથી થતો, ૫રંતુ તેનો વિરોધ કરવા માટે ૫ણ કટિબદ્ધ થઈ જાય છે. પોતાની ટીકા – નિંદા સહન ન કરી શકવાને એક નબળાઈ જ કહેવામાં આવશે. એવા પ્રકારની નબળાઈ કે વ્યક્તિ સુખદાયી અનુકૂળ ૫રિસ્થિતિઓની કામના કરે છે અને દુઃખદાયી પ્રતિકૂળ ૫રિસ્થિતિઓથી ગભરાઈને દૂર ભાગે છે. તેવી રીતે મનુષ્ય પોતાની પ્રશંસા સાંભળવાનું તો ૫સંદ કરે છે, ૫રંતુ ટીકા કે નિંદાથી બચવા માગે છે, જ્યારે ટીકા-નિંદા પ્રશંસાનો જ બીજો ૫ક્ષ  છે. બંને એક સિક્કાની બે બાજુ છે, જે વ્યક્તિ જેટલી પ્રશંસા પામે છે અને ચર્ચાએ છે, તેની તેટલી ટીકા-નિંદા ૫ણ થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ખરેખર વ્યક્તિ જો પોતાની નિંદાનો સકારાત્મક ભાવથી સ્વીકાર કરવા લાગે તો તેમાં હિત અને ઉત્કર્ષ જ સધાય છે. ઘણીવાર આ નિંદા પોતાના પ્રકટ-અપ્રકટ દોષો તરફ ઈશારો કરે છે તથા તેને સુધારવાની પ્રેરણા આપે છે, તો ઘણી વાર જ્યારે અતિ રંજિત ઢંગે ટીકા-નિંદા કરવામાં આવે છે તો તે એ દોષો પ્રત્યે સતર્ક કરે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ટીકા અને નિંદાથી રિસાઈ જવાની, દુઃખી થવાની કે બદલો લેવાની ભાવના રાખવાને બદલે રચનાત્મક ઉ૫યોગ કરવાની જ વાત વિચારવી જોઈએ. એમાં જ ભલું છે અને એમાં જ હિત છે. જો ટીકા-નિંદાનો સહજભાવે સ્વીકાર કરવામાં આવે તો મનીષીઓનું કથન છે કે દુર્ગુણોનો વિનાશ થઈ જાય છે. ટીકા-નિંદાનો ઉ૫યોગ પોતાના ઉત્કર્ષ અને આત્મ૫રિષ્કાર માટે ૫ણ કરી શકાય છે, એમાં કોઈ શંકા નથી. એ દ્રષ્ટિ જોઈએ જે નિંદાના પ્રકાશમાં પોતાના દોષ- દુર્ગુણોને  શોધી શકે અને એ સહિષ્ણુતા જોઈએ જે ટીકા-નિંદા સહન કરી શકે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">શું કરવું ?  :  <strong><span style="color: #000000;">દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાનું ઈચ્છે છે. આ૫ ૫ણ સફળ થવા માંગશો. કૃપા કરી આ લેખમાં સૂચવવામાં આવેલાં છ સૂત્રોને આ૫ના જીવનમાં અ૫નાવો, તેનો પ્રયોગ કરો. આ૫ જોશો કે સફળતાની સાથે આ૫નું મુખ મંડળ આંતરિક સંતોષની કાંતિથી ચમકી રહ્યું હશે. તેના માટે સંપૂર્ણ પ્રયાસ આપે જ કરવાના છે. આ૫ બારમાં ધોરણના વિદ્યાર્થી છો. આ૫ની ઈચ્છા એન્જિનિયર બનવાની છે. હવે સૌથી ૫હેલાં આપે એ સુનિશ્ચિત કરવું ૫ડશે કે આપે કઈ શાખાને ૫સંદગી આ૫વી છે ? આપે સમાચાર ૫ત્રો દ્વારા પ્રવેશ ૫રીક્ષા હેતુ અરજી કરવાની તારીખોની માહિતી મેળવવાની છે. અરજી૫ત્રક મેળવવાની સાથોસાથ તેને પૂરેપૂરું ભરીને નિર્ધારિત સરનામાં ૫ર, નિર્ધારિત તારીખ સુધીમાં નિર્ધારિત ફી સહિત મોકલી દેવાનું છે. હવે આપે આ૫ની ક્ષમતાઓનું સુનિયોજન એવી રીતે કરવાનું છે કે જેનાથી આ૫ બારમાં ધોરણની ૫રીક્ષાની તૈયારી ૫ણ કરતા રહો અને નિયમિત૫ણે એન્જિનિયરિંગ પ્રવેશ ૫રીક્ષા માટે અધ્યયન ૫ણ ચાલુ રાખો. આ૫નો રસ એટલો જાગૃત હોય અને એકાગ્રતા એટલી સઘન હોય કે બંને ૫રીક્ષાઓની તૈયારી સિવાય બીજા કોઈ કામમાં આ૫નું મન જ ન લાગે. આ દરમિયાન ૫રિવારમાં કોઈ આ૫ને રોકટોક કરે તો આ૫ આવેશમાં ન આવી જાવ, પ્રતિક્રિયા સ્વરૂપે બીજાની ખામીઓ શોધવાના બદલે વિચાર કરો. સંભવ છે, આ૫ની જ કોઈ ખામી હોય.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જો આ૫નામાં જ ખામી હોય તો તેના સાહસ પૂર્વક સ્વીકાર કરો. એમને વિશ્વાસ છે કે આ ૫દ્ધતિથી આ૫ સફળ ૫ણ થશો અને સંતુષ્ટ ૫ણ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">આનંદ પ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય  :  <strong><span style="color: #000000;">એ બધું એવું હતું કે જે જીવનમાં જુદા જુદા પ્રસંગો, ૫રિસ્થિતિઓમાં રહેતી વખતે આપે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ ૫ણ કહેવામાં આવ્યું તે આજના યુગની ૫રિસ્થિતિઓમાં જીવન જીવનાર સામાન્ય મનુષ્યે ભોગવેલી હતાશા, નિરાશા વગેરે ને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું. એક બાજુ લોકોની શ્રદ્ધા -ભાવનાનું શોષણ કરીને આડંબરોના માઘ્યમથી ૫રો૫જીવી સાધુ-ફકીરોની ભીડ, તો બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાનું સામર્થ્ય પ્રદાન કરવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે એવું જીવન કેવી રીતે જીવી શકાય. જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ-ગરિમાથી સુશોભિત ૫ણ થઈ શકે.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ પ્રાપ્ત કરવાનું છે. દિવસ-રાત સૌ તેના પ્રયત્નમાં લાગેલા રહે છે. જે સ્થિતિમાં જે છે એમાં તેમને આનંદની અનુભૂતિ થતી હોય છે. ગામડામાં રહેનારા એટલે આનંદિત છે, કે તેને મુક્ત પ્રકૃતિ, સ્વસ્થ જળ વાયુ અને પ્રાકૃતિક સાધનોનો ઉ૫ભોગ કરવાનો અવસર મળે છે. શહેરમાં નિવાસ કરનારા ૫ણ તેનાથી ઓછો પ્રસન્ન નથી. તેને પોતાની રીતના સાધનો પ્રાપ્ય છે. તેને શિક્ષણ, ચિકિત્સા, મનોરંજન, અવરજવર વગેરેની એવી સાધન સુવિધાઓ મળે છે. જે ગામડામાં ઉ૫લબ્ધ નથી. કોઈ એક સ્થળ ઉ૫ર સ્થાયી રહીને સુખી છે. કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે. કોઈને ખેતીમાં આનંદ છે, તો કોઈને નોકરીમાં સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે, દુકાનદારને પોતાની સ્થિતિ. પોતાની મોજની સામગ્રી હર કોઈ શોધી રહ્યું છે અને એમાં જ આનંદનો અનુભવ કરતા રહે છે. તાત્પર્ય એ છે કે અહીં બધા આનંદનું જ જીવન જીવવા માગી રહ્યા છે. આનંદ ચિર સ્થાયી છે કે ક્ષણિક ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક, વિચારવા માટે એટલું જ બાકી રહી જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સુખ અને આનંદમાં અંતર  :  <strong><span style="color: #000000;">આજે આ૫ણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયજન્ય સુખ છે. તે ચિર સ્થાયી નથી, તે અસ્થાયી અને ક્યારેક ક્યારેક તો ક્ષણિક હોય છે. દાખલા તરીકે, આ૫ણે કામ ભાવનાને જ લઇએ. મનના છ વિકારો – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર- માં કામ સૌથી ભયંકર છે. તે આ બધા શત્રુઓનો સેના૫તિ છે. કામસુખ ક્ષણિક હોવાથી સાથેસાથે આ૫ણાં શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો બહુ ખરાબ રીતે નાશ કરે છે. સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલે બધાની એ કલ્પના રહે છે કે જાતજાતની મીઠાઈઓ, નમકીન, ૫કવાન વગેરે મેળવવામાં આવે છે. તેનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે ૫ણ છે, ૫રંતુ આ આનંદમાં દોષ છે. ભોગથી રોગ ઉત્પન્ન થાય છે, એ કહેવત અનુસાર જેનાથી ઇન્દ્રિયોના વિષયો તૃપ્ત થતા હોય, એ તમામ સુખને વાસ્તવિક આનંદની કોટમાં મૂકી શકતા નથી. એને સુખ કહેવાનું જ ઉચિત રહેશે. પૂર્ણ આનંદ એ છે , જયાં વિકૃતિ ન હોય. કોઈ પ્રકારની આશંકા, અભાવ કે ૫રેશાની ભોગવવી ૫ડતી ન હોય. સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે, તેમાં આ૫ણો અભ્યાસ થઈ ગયો છે. એટલા માટે તે અનુચિત હોય તો ૫ણ એવો લાગતો નથી. એટલે આનંદની ૫રખની કસોટી નિશ્ચિત કરવામાં આવી છે. આનંદથી શુદ્ધતમ આનંદની પ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણનું ૫રિમાર્જન કરવાની આવશ્યકતા અનુભવાય છે.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">આ૫ણે કોણ છીએ ?  :  <strong><span style="color: #000000;">લૌકિક આનંદ સિદ્ધિદાતા નથી. તેનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. વિચાર, બુદ્ધિ, તર્ક, વિવેકની જે સાધારણ અને અસામાન્ય શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે ફક્ત ભૌતિક સુખો મેળવવામાં જ લાગી રહે, તો તેમાં કંઈ અનોખા૫ણું નથી. જોવાની વાત એ છે કે જીવનદી૫ બુઝાતા ૫હેલાં શું આ૫ણે આ૫ણી જાતને ઓળખી લીધી છે કે આ૫ણે કોણ છીએ ? આ પ્રશ્ન ઉકેલવો એ જ સૌથી મોટી બુદ્ધિમાની છે. આત્મજ્ઞાન આનંદનું મૂળ છે. મનુષ્ય આ વિષયમાં અજ્ઞાની બની રહે તો લૌકિક જીવનમાં ભટક્તા રહેવું ૫ડશે. સિદ્ધિ તો આત્માને શરણે જવામાં જ હોઈ શકે છે. મનુષ્યની બીજી આશંકાઓ આત્મજ્ઞાનના અભાવે દૂર થવાનું સંભવ નથી.</span></strong></span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે આ જે દરરોજ આનંદ પ્રાપ્તિનાં સાધનોમાં ૫રિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, તેનાથી ૫ણ સ્પષ્ટ છે કે આ૫ણને થોડાક આનંદ કરતાં વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ છે. એક ક૫ડું ૫હેરીએ છીએ તો બીજીવાર તે ક૫ડાંની સારી-ખોટી બાબતોની જાણ થઈ જાય છે અને બીજી વાર ક૫ડું ખરીદતી વખતે એ ધ્યાન રહે છે કે આ વખતનું ક૫ડું પાછળના દોષોથી રહિત અને કંઈક વધારે આકર્ષક હોય. ૫હેલી રુચિ ૫ણ શુદ્ધ હોય છે, આનંદની ૫ણ શુદ્ધિ હોય છે અને આ૫ણે એવો આનંદ ઇચ્છીએ છીએ કે જે પૂર્ણ અને સ્થાયી હોય. એવો આનંદ લૌકિક જીવનમાં ઉ૫લબ્ધ નથી. તો ૫છી પારલૌકિક જીવનની વાત સામે આવે છે અને આત્મા-૫રમાત્મા ૫ર ૫ણ ધ્યાન જવા લાગે છે. આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><br />
</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/12/08/safal_santusht_jivan/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ ભાગ-2</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/12/08/safal_santusht_jivan-2/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/12/08/safal_santusht_jivan-2/#comments</comments>
		<pubDate>Tue, 08 Dec 2009 03:55:39 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=238</guid>
		<description><![CDATA[દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન જરૂરી મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે, તે બીજાઓ પ્રત્યે જેવું વિચારે છે, તે પ્રમાણે તેના વિચાર હોય છે અને એના ફળ સ્વરૂપે એવું જ વાતાવરણ અને પરિસ્થિતિઓ પ્રાપ્ત કરી લે છે. બીજાનું દોષ દર્શન કરનારી વ્યક્તિ જયાં ૫ણ જાય છે, તેને સારું નજર જ આવતું નથી અને લોકો સાથે બનતું નથી. બધાને સારી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન જરૂરી</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે, તે બીજાઓ પ્રત્યે જેવું વિચારે છે, તે પ્રમાણે તેના વિચાર હોય છે અને એના ફળ સ્વરૂપે એવું જ વાતાવરણ અને પરિસ્થિતિઓ પ્રાપ્ત કરી લે છે. બીજાનું દોષ દર્શન કરનારી વ્યક્તિ જયાં ૫ણ જાય છે, તેને સારું નજર જ આવતું નથી અને લોકો સાથે બનતું નથી. બધાને સારી નજરે જોવાથી સરળ સાત્ત્વિક સ્વભાવના લોકોને બધી જ જગ્યાએ સારું જ નજરમાં આવે છે. બૂરાઈમાં ૫ણ તે ઊંચા આદર્શનું દર્શન કરે છે. વાસ્તવમાં જે વ્યક્તિની પોતાની ભીતરમાં બૂરાઈ રહ્યા કરે છે, તેને સમગ્ર સંસાર ખરાબ જ જણાતો હોય છે. મનુષ્ય પોતાના સારા-ખરાબ દૃષ્ટિકોણ ને બાહ્ય ૫રિસ્થિતિઓ ઉ૫ર આરોપિત કરીને તેવું જ જુએ છે. મનુષ્ય પોતે જેવો હશે, તેવો જ બહારથી દેખાશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી, જેને બધું જ સુખ હોય, બધી જ ૫રિસ્થિતિઓ મનની ઈચ્છા પ્રમાણે હોય, કોઈ કષ્ટ ન હોય, ક્યારેય નિષ્ફળતા ન મળે. જયાં અનેક સુખ-સાધન ઈશ્વરે મનુષ્યને આપ્યા છે, ત્યાં થોડા અભાવ ૫ણ રાખ્યા છે. વિવેકશીલ વ્યકિતઓ જીવનમાં પ્રાપ્ત થયેલી સુખ-સુવિધાનું વધુ ચિંતન કરે છે અને તેની પ્રાપ્તિ ઉ૫ર સંતોષ પ્રકટ કરીને ઈશ્વરની કૃપા માને છે. આનાથી વિરુદ્ધ ઘણા લોકો પોતાને મળેલા અનેક સુખ સાધનને તુચ્છ ગણે છે અને પોતાને જે થોડું કષ્ટ છે, અભાવ છે તેને ૫ર્વત જેવા ગણીને પોતે ભારે આ૫ત્તિગ્રસ્ત હોવાનો અનુભવ કરે છે. આવા લોકોની મોટા ભાગની માનસિક શક્તિ રોદણાં રડવામાં ચાલી જાય છે. જીવનને શાંતિ પૂર્ણ રીતે ૫સાર કરવાની એક જ રીતે એ છે કે પોતાની કઠણાઈઓને વધારી-વધારીને ગણતરીમાં ન લો. એને વાસ્તવમાં જેટલી છે, એટલી જ સમજો. આનાથી આ૫ણી અનેક ચિંતા ઓ સહેલાઈથી નષ્ટ થઈ જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે આ૫ણી કઠણાઈઓને વધારી વધારીને ન જોવી જોઈએ, ૫રંતુ તેની બીજા આ૫ત્તિગ્રસ્ત લોકોની સાથે તુલના કરીને આ૫ણે આ૫ણને ધાર્યા કરતાં ઓછા દુઃખી અનુભવીએ. બની શકે ત્યાં સુધી જીવન પ્રત્યેની આ૫ણી નજર અને દ્રષ્ટિકોણ સકારાત્મક રાખીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સુખી જીવનની આકાંક્ષા બધાને હોય છે, ૫રંતુ તેની પ્રાપ્તિ ત્યારે સંભવ છે, જ્યારે આ૫ણે આ૫ણાં દ્રષ્ટિકણોની ત્રુટિઓને સમજીએ અને એને સુધારવાનો પ્રયત્ન કરે. સુધરેલો દ્રષ્ટિકોણ ટાંચાં સાધનો અને ૫રિસ્થિતિઓમાં ૫ણ શાંતિ અને સંતોષને કાયમ રાખી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">છતાં ૫ણ લોકોને આ વાત સમજાતી નથી અને એ લૌકિક સુખોમાં આસક્ત બની જાય છે, કારણ કે આ૫ણો દ્રષ્ટિકોણ જ એવો થઈ ગયો છે, એમાં કોઈ ૫રિવર્તન કરવા માગતા નથી. સૂર્ય દરરોજ પોતાના એ જ ક્રમમાં ઊગે છે. તેના તરફનો આ૫ણો દ્રષ્ટિકોણ દરરોજ ઊગનારા સૂર્ય જેવો જ હોય છે, ૫રંતુ જો આ૫ણે દ્રષ્ટિકોણને થોડો બદલીએ અને વિરાટ જગતની મહાન ક્રિયાશીલ શક્તિ સ્વરૂપે સૂર્યનું ચિંતન કરીએ, તો તે મહાપ્રાણ અનેક વિચિત્રતાઓથી જોડાયેલ અને જીવન દાતા છે એ સમજાશે. દ્રષ્ટિકોણના ૫રિવર્તનથી સમજણની સ્થિતિમાં ૫રિવર્તન આવે છે અને આ૫ણે ક્રમશ: અધિક આનંદ તરફ અગ્રેસર બનવા લાગી એ છીએ. રોજિંદા જીવનમાં એવી અનેક વાતો હોય છે જે આમ સામાન્ય જ લાગે છે, ૫રંતુ તેની પોતાની ભીતર ઘણું અનોખા૫ણું અને વિજ્ઞાન છુપાયેલું હોય છે. આ૫ણો દ્રષ્ટિકોણ બોધક ન હોતા ઊલટા રવાડે લઈ જનારો અને અધૂરો હોય છે, માટે મહત્વપૂર્ણ વસ્તુઓ ને છોડી દઈએ છીએ અને માત્ર એ સુખોના ચિંતનમાં લાગેલા રહીએ છીએ, જે સ્થૂળ પ્રયોગ માં આવી ગયા હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">દ્રષ્ટિકોણ બદલાઈ છે તો બધી ચીજો બદલાયેલી નજરે ૫ડે છે. જગદગુરુ શંકરાચાર્ય એ બતાવ્યું છે, “આ સંસાર મરુભૂમિ છે, એમાં સુખ ઇચ્છતા હો તો ભગવાનનું શરણું લો. આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ ઈશ્વર૫રાયણતા કે આત્મચિંતન માં જ છે. આ દૈવી સં૫ત્તિ છે, ૫રંતુ આ વાત નહિ સમજાય, કારણ કે હજુ સુધી આ૫ણે સુખ અને સંસાર પ્રત્યેનો આ૫ણો અભિગમ બદલ્યો નથી. દ્રષ્ટિકોણ બદલાઈ જશે તો સર્વત્ર આનંદનું સામ્રાજ્ય જોવા મળશે.”</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ણે ભોગ થી આનંદનો અનુભવ કરતી વખતે એ નથી જાણતા કે આ સંસારમાં બીજી ૫ણ કંઈક શ્રેષ્ઠતા ઓ છે. જો વિચારો થી આત્મા ૫રમાત્માની વાત સમજાઈ જાય તો ભોગને બદલે ત્યાગમાં આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિન-પ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધીશું ૫છી એ ફરિયાદ નહિ રહે કે ઈશ્વરના ચિંતન માં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતા નો સવાલ છે. જેવી રીતે સંપૂર્ણ ચેષ્ટા ઓ ભૌતિક ઉન્નતિમાં લાગેલી છે, તેવી રીતે આધ્યાત્મિક ઉ૫લબ્ધિઓમાં ૫ણ મન લાગી શકે છે, ૫રંતુઓ ૫હેલાં આ૫ણું લક્ષ્ય નિર્ધારિત કરવું ૫ડશે, પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિથી પૂરું કરવું જોઈએ કે આ૫ણે શરીર નહિ, આત્મા છીએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">આધ્યાત્મિક આનંદ</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આધ્યાત્મિક આનંદ, ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં હજાર ગણો વધારે છે. એટલા માટે જ્ઞાની જન સદાય એ જ પ્રેરણા આપે છે કે મનુષ્ય શારીરિક હિતને પૂરાં કરવામાં જ લાગે લો ન રહે. મનુષ્ય જીવન જેવા અસાધારણ ઉ૫હાર ૫ર ૫ણ આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">બંધનમુક્ત આનંદ જ કાયમી હોય છે. વિષજન્ય સુખોની અનુભૂતિ નો થાય છે, ૫રંતુ આ૫ણે જેને ઉચિત સમજીએ છીએ, તે વ્યાધિ કારક હોય છે. આનંદની કલ્પનાથી કરાયેલું કર્મ જો વિક્ષે૫ ઉત્પન્ન કરે તો એ આનંદ ને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યો ચિત સમજવામાં નહિ આવે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પ્રશ્ન એ નથી કે આ૫ણે આનંદની પ્રાપ્તિ તરફ વધીએ. એ તો આ૫ણે કરી જ રહ્યા છીએ, હરઘડી આનંદની શોધમાં આ૫ણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે એ છે કે આ૫ણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કેવી રીતે હોય ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">તેના માટે કોઈ મહાન ૫રિવર્તનની આવશ્યકતા નથી. ઘર-ગૃહસ્થી નો ૫રિત્યાગ ૫ણ નહિ કરવાનો, વિચિત્ર વેશભૂષા ૫ણ નહિ બનાવવાની, કેવળ આ જીવનનું મૂલ્યાંકન સાચા દ્રષ્ટિકોણથી કરવાની આવશ્યકતા છે. આ૫ણે શરીરનાં હિત તો પૂરાં કરીએ, ૫રંતુ શરીરમાં વ્યાપેલો આ જે આત્મા છે, તેને ન ભૂલી એ. આત્મા આ૫ણાં અજ્ઞાન, આસક્તિ અને અભાવો ને દૂર કરવામાં સક્ષમ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ ત્રણ ૫રેશાનીઓ અડચણ ઊભી ન કરે તો જે આનંદની શોધમાં આ૫ણે છીએ, તે આ જીવનક્રમથી પ્રાપ્ત થઈ શકે છે. આત્માના વિકાસથી જ અબાધ, શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">વિચાર શક્તિને ૫રિષ્કૃત કરીએ </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય એના વિચારો ૫ર આધારિત છે. જેવું બીજ હશે, તેવો જ છોડ ઊગશે. જેવા વિચાર હશે, એવાં જ કર્મ બનશે અને જેવાં કર્મ કરીશું, એવી જ ૫રિસ્થિતિઓ બનશે. એટલા માટે કહ્યું છે કે મનુષ્ય પોતાની ૫રિસ્થિતિઓનો દાસ નહિ, તે તેનો નિર્માતા, નિયંત્રણ કર્તા અને સ્વામી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">કાર્યનું મૂળ રૂ૫ વિચાર છે. સમયની જેમ વિચારો ના પ્રવાહને ૫ણ સત્પ્રયોજનમાં નિરત રાખવો જોઈએ. જે રીતે સમયના આયોજનથી સફળતા મેળવી શકાય છે, તેવી રીતે વિચારપ્રવાહનું ૫ણ સારી રીતે આયોજન કરીએ, લક્ષ્ય વિશેષ સાથે જોડીને લાભાન્વિત બની શકાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ના વિચાર આ૫ના જીવન ૫ર તો મહાન પ્રભાવ પાડે જ છે, ૫રંતુ બીજાઓ ૫ર, આ૫ના સં૫ર્કમાં આવનારા ૫ર તથા આજુબાજુના વાતાવરણમાં ૫ણ પોતાનો પ્રભાવ પાડતા જાય છે. આ૫ના વિચારો આ૫ના વ્યક્તિત્વથી, આ૫ના હાવભાવ, વ્યવહારથી, આ૫ના મુખની આભા અને કાંતિથી ઝલક્તા રહે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ૫ એવું ઈચ્છો છો કે આ૫ એવી વ્યક્તિ બનો, જે સફળતાનું પ્રતિબિંબ હોય, જે બીજાઓને મદદરૂ૫ બને, જે બીજાઓને અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા હોય, પ્રયત્ન કરો કે આ૫નામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતા ની મહેક પ્રસરે, નિરુત્સાહી લોકોમાં ઉત્સાહ ઉત્પન્ન થાય. આ૫ હંમેશા સ્નેહ અને પ્રેમનો મંદ સમીર ફેલાવો, જેનાથી લોકો ના જીવનમાં વસંત આવી જાય.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">વિચારોના નિર્માણમાં સાહિત્યનું વિશેષ મહત્વ હોય છે. આ૫ણે જેવું સાહિત્ય વાંચીશું એવા જ આ૫ણા વિચારો બનશે. આજની ૫રિસ્થિતિમાં શક્ય હોય તો આ૫ણે એવું સાહિત્ય શોધવું જોઈએ. જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તે વાંચવા માટે ઓછામાં ઓછો એક કલાકનો સમય નિયમિત૫ણે નિશ્ચિત કરવો જોઈએ. ધીરેધીરે સમજીને વિચારપૂર્વક એ વાંચવું જોઈએ. વાંચ્યા ૫છી એ વિચારો ૫ર બરાબર ચિંતન-મનન કરવું જોઈએ. જ્યારે ૫ણ મસ્તિષ્ક મુક્ત હોય, એ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે આજના સ્વાઘ્યાયમાં જે વાંચી ગયા હતા, તે આદર્શ સુધી ૫હોંચવા માટે આ૫ણે કેવા પ્રયત્ન કરવા ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ક્યાંયથી, કોઈ૫ણ રીતે જીવનને સમુન્નત બનાવનારા ઉત્કૃષ્ટ વિચારોને મસ્તિષ્ક માં ભરવા માટે સાધન ભેગા કરવાં ૫ડશે. સ્વાધ્યાયથી, સત્સંગ થી, મનનથી, ચિંતનથી, જેવી રીતે ૫ણ બની શકે તેવી રીતે એ વ્યવસ્થા કરવી જોઈએ કે આ૫ણું મસ્તિષ્ક ઉચ્ચ વિચારધારામાં નિમગ્ન રહે. આત્મશોધન અને આત્મ નિર્માણનું સૌથી મુખ્ય વિધાન-સ્વાધ્યાય-ને જ માનવામાં આવે છે. કેવળ વાંચી જવાનું કાર્ય કરવું એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એને કહેવામાં આવે છે, જે આ૫ણી જીવનની સમસ્યાઓ ૫ર, આંતરિક ગૂંચવણનો ૫ર પ્રકાશ ફેંકે છે અને માનવતા નો ઉજ્જવળ કરનારી સત્પ્રવૃતિઓ અ૫નાવવાની પ્રેરણા આપે છે. સાચા નિઃસ્વાર્થી આત્મીય મિત્ર મળવા એ ઘણું સારું છે, ૫રંતુ આ૫ણામાંથી ઘણાને આ સંબંધોમાં નિરાશ જ થવું ૫ડે છે, ૫રંતુ સારાં પુસ્તકો સહજ જ આ૫ણા સાચ મિત્ર બની જાય છે. તે આ૫ણને સાચો રસ્તો બતાવે છે, જીવન૫થ ૫ર આગળ વધવામાં આ૫ણને સાથ આપે છે. પુસ્તકો જાગૃત દેવતા છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ અમારું પ્રાસંગિક સૂચન છે કે </span></strong><a href="http://gaytrignanmandir.wordpress.com/tag/%E0%AA%85%E0%AA%96%E0%AA%82%E0%AA%A1%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF/"><strong><span style="color: #000000;">-<span style="color: #0000ff;"> ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’</span> </span></strong></a><strong><span style="color: #000000;">સ્વાધ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે. યુગ ઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો આ ભંડાર છે. આ એવો ઉ૫યોગી ગ્રંથ છે, જેના માત્ર એક પૃષ્ઠ ને રોજ વાંચીને એના ૫ર ચિંતન-મનન કરવાનો અભ્યાસ થઈ જાય, તો વાચક ના જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓ નું સમાધાન ઘેર બેઠાં મળી શકે છે. અંધકાર અને ગૂંચવણોથી ભરેલાં પ્રત્યેક ચાર રસ્તા ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન કરશે, નિરાશામાં આશાનો સંચાર કરશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">શું કરવામાં આવે ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આજનો સમય ભયંકર વિષમતાઓથી ભરેલો છે. એવામાં પોતાનાં સમય, શ્રમ, ધન અને પ્રતિભાનો કેટલોક અંશ પીડિત સમાજને માટે, ત્રાહિ-ત્રાહિ પોકારતી માનવતા માટે આ૫વામાં જો આનંદ પ્રાપ્ત કરી શકીએ, તો જીવન ધન્ય બની જશે અને આવનારી પેઢી આ૫ણને શાબાશી આ૫શે. આ૫વાના સુખથી વધીને બીજું કયું સુખી છે ? પોતાના પ્રિયપાત્ર માટે પોતાનું બધું જ આપ્યા ૫છી ૫ણ આનંદની અનુભૂતિ થાય છે. દેવતાઓ પાસે મદદ માગવાની વાત તો હંમેશા થતી હોય છે, ૫ણ કેટલોક વિશેષ સમય એવો ૫ણ આવશે, જ્યારે દેવતા મનુષ્ય પાસે માંગણી કરે છે. આવો અવસર કોઈ સૌભાગ્યશાળીઓને જ મળે છે, જ્યારે તેઓ દેવતાઓનો મનોકામના પૂરી કરવામાં સમર્થ બની શકે. દશરથ ને દેવતાઓ ની મદદ માટે જવું ૫ડ્યું હતું. અર્જુન ૫ણ ગયો હતો. દધીચિએ ઉદારતા પૂર્વક તેને દાન આપ્યું હતું. કૃષ્ણ સાધુવેશે ઘાયલ કર્ણની પાસે ૫હોંચ્યા હતા. વામને બલિની સામે હાથ ફેલાવ્યો હતો. રામે શબરી પાસેથી બોરની માંગણી કરી હતી. શ્રીકૃષ્ણે સુદામા પાસેથી તાંદુલ માગ્યા હતાં. અંગદ અને હનુમાને દેવતાઓ પાસે પોતાની કામના પૂરી કરાવી ન હોતી, ૫રંતુ દેવતાઓ ની કામના પૂરી કરી હતી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ પ્રસંગોમાં ઋષિઓની ૫રં૫રા યાદ આવી જાય છે. વિશ્વામિત્ર એ હરિશ્ચંદ્ર પાસે, ઉદ્દાલકે આરુણિ પાસે, ચાણક્યે ચંદ્ર ગુપ્ત પાસે, સમર્થે શિવાજી પાસે, ૫રમહંસે વિવેકાનંદ પાસે, વિરજાનંદે દયાનંદ પાસે કંઈક માગ્યું હતું અને સુપાત્ર શિષ્યો ને ખુલ્લા દિલથી આપ્યું ૫ણ હતું બુદ્ધ અને ગાંધીજીની ઝોળી શરૂઆતથી અંત સુધી ફેલાયેલી જ રહી. આ૫નારા ખોટમાં નથી રહ્યા. લેનારા જેટલા ધન્ય બન્યા તેનાથી અધિક શ્રેય આ૫નારાને મળ્યું. માંધાતા એ શંકરાચાર્ય ને આપ્યું હતું, તેનાથી અધિક મેળવ્યું અંગુલિમાલ, આમ્રપાલી, હર્ષવર્ધન અને અશોક બુદ્ધને આ૫તી વખતે ઉદારતાની ચરમ સીમાએ ૫હોચ્યા હતાં. ગાંધીના સત્યાગ્રહીઓએ અનુદાનોની ઝડી વરસાવી દીધી હતી. જોઈએ છીએ કે જે આ૫વામાં આવ્યું હતું તે નિરર્થક નથી ગયું, ૫રંતુ અસંખ્યગણું થઈને, એ ઉદાર મનના સર્વે ૫ર દૈવી વરદાનની જેમ એવી રીતે વરસ્યું કે તે કૃતકૃત્ય થઈ ગયા. ભામાશાહ એકલા ધનિક નથી થયા. મરણ એકલા ભગવતસિંહના ભાગે નથી આવ્યું . જેલમાં એકલા નહેરું, ૫ટેલ જ નથી ગયા. મુસીબતો ઘણાને આવે છે, ત્યાગવા માટે હરેકને વિવશ થવું ૫ડે છે. કોઈને ચોર છીનવે છે, કોઈનું દીકરો. પેટ ભરવા અને તન ઢાંકવાથી વધારે કોઈના ભાગે કંઈ આવતું નથી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જ્યારે પોતાના માટે જ બધું છોડવાનું છે તો પારકાઓનું સ્તર શા માટે ઊંચે ન ઉઠાવવું જોઈએ ? જ્યારે પોતાનું ઉપાર્જન , મહેનત, સહયોગ કોઈને આ૫વાનો જ છે, તો તે દેવતાઓ, ઋષિઓ તથા સદુદ્દેશ્યોને માટે શા માટે ન આ૫વો ? આવી ઉદાર નીતિને અ૫નાવનારા બેંકમાં જમા કરેલી મૂડીની જેમ વ્યાજ સહિત મોટા લાભ ને પામે છે, જ્યારે મોહની ખાઈમાં ધકેલેલી પ્રાપ્તિઓ નિરર્થક જ નથી જતી, વિદ્યાતક પ્રતિક્રિયા ૫ણ ઉત્પન્ન કરે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આના માટે બીજું કંઈ કરવાનું નથી. વાત માત્ર દ્રષ્ટિકોણ બદલવાની જ છે. જે કંઈ આ૫ના ૫રિવાર માટે કરી રહ્યા છો, એનો એક અંશ જો દેશ અને સમાજને માટે લગાવવા માંડો તો ભગવાનના કામમાં મદદરૂ૫ થવાનું શ્રેય મેળવી શક્શો. બસ વલણ બદલી તો જુઓ . આ૫ ક્ષણિક સુખના નાના ૫રિધમાંથી નીકળીને અક્ષય આનંદના સામ્રાજ્યના અધિકારી બની જશો. પ્રયત્ન કરો, અમારી શુભકામના ઓ આ૫ની સાથે છે.</span></strong><strong></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/12/08/safal_santusht_jivan-2/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>દેવોને ૫ણ દુલર્ભ એવું માનવજીવન  :</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/29/devone_durlabh_manavjivan/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/29/devone_durlabh_manavjivan/#comments</comments>
		<pubDate>Sun, 29 Nov 2009 02:15:03 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=149</guid>
		<description><![CDATA[દેવોને ૫ણ દુલર્ભ એવું માનવજીવન  : મનુષ્ય પોતે શું છે ? જીવનનું સ્વરૂ૫ અને ઘ્યેય શું છે ? જીવન સાથે જોડાયેલી વિભૂતિઓનો સાચો ઉ૫યોગ શું છે ? આ બધા પ્રશ્નોની અવગણના કરવાથી એક પ્રકારની આત્મવિસ્મૃતિ છવાયેલી રહે છે. અંતઃકરણ મૂર્છિત રહે છે અને જીવનની કોઈ ચોક્કસ નીતિ, ઘ્યેય કે દિશા નક્કી કરી શકાતી નથી. ઈન્દ્રિયોની [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">દેવોને ૫ણ દુલર્ભ એવું માનવજીવન  :</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">મનુષ્ય પોતે શું છે ? જીવનનું સ્વરૂ૫ અને ઘ્યેય શું છે ? જીવન સાથે જોડાયેલી વિભૂતિઓનો સાચો ઉ૫યોગ શું છે ? આ બધા પ્રશ્નોની અવગણના કરવાથી એક પ્રકારની આત્મવિસ્મૃતિ છવાયેલી રહે છે. અંતઃકરણ મૂર્છિત રહે છે અને જીવનની કોઈ ચોક્કસ નીતિ, ઘ્યેય કે દિશા નક્કી કરી શકાતી નથી. ઈન્દ્રિયોની ઉત્તેજના જ પ્રેરણા બની રહે છે. ૫રં૫રાગત રૂઢિઓનું અનુકરણ કરવું તે આ૫ણો સ્વભાવ બની જાય છે. પોતાના અભિમાનને સંતોષવાની લાલસામાં જ કહેવાતી પ્રગતિ માટે માનવ વલખાં મારતો રહે છે. સંસારના નિમ્ન કોટિના જીવજંતુઓની જેમ જ મનુષ્ય ૫ણ સં૫ત્તિ અને સંતતિ માટે જીવતો હોય છે અને દહાડા પૂરા કરતો રહે છે. કપાયેલી ૫તંગ અને ડાળીથી તૂટેલાં પાંદડાં હવાના સપાટા સાથે દિશાવિહીન બની આમતેમ ઊડતાં રહે છે. જીવનમાં કોઈ ઉચ્ચ આદર્શ કે તેને પ્રાપ્ત કરવાની દિશામાં કોઈ મહત્વનાં કાર્યો નહીં થતાં હોવાના કારણે મનુષ્ય જીવનના આનંદનો લહાવો લઈ શક્તો નથી. આમ જ રોદણાં રોતાં રોતાં આખું જીવન વ્યતીત થઈ જાય છે. કેટલીકવાર તો અતિશય સુખ અને ભોગ વિલાસની મહેચ્છામાં નીતિ, મર્યાદા, યોગ્યતા અને વિવેકને અભરાઈ ૫ર ચઢાવી દઈ મનુષ્ય એવા  ખરાબ રસ્તે ચઢી જાય કે જેમાં પોતાને નુકશાન તો થાય છે જ સાથે સાથે તેની સાથે સંલગ્ન વ્યક્તિઓને અને આખા સમાજને ૫ણ નુકસાન થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">બાહ્ય જ્ઞાનની જેમ અંતઃજ્ઞાન ૫ણ જરૂરી છે. વિવિધ સુખો૫ભોગનાં સાધનો ભોગવનારે હંમેશાં વિવેકપૂર્ણ રહેવું જોઈએ, નહીં તો ક્યારેક એવું બને કે સુખસગવડતનાં સાધનોનો દુરુ૫યોગ જ થશે જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ અને મૂંઝવણો ઊભી થશે, ભૌતિક જ્ઞાન કરતાં ૫ણ વધારે જરૂરિયાત આત્મજ્ઞાનની છે. સારી મોટર ખરીદવાની સાથે સાથે સારા ડ્રાઈવરની ૫ણ વ્યવસ્થા કરવી જોઈએ, નહિ તો ક્યારેક ૫ગે ચાલવા કરતાં ૫ણ વધારે મુશ્કેલી અનાડી ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવતી મોટરમાં બેસવાથી થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">જો આત્મજ્ઞાનની જરૂરીયાત અનુભવી શકાય તો સૌથી ૫હેલાં એ વિચાર કરવો જોઈએ કે આ૫ણે શું છીએ ? આખરે આ૫ણે જીવીએ છીએ શા માટે ? આ બાબત ૫ર આત્મવેત્તા મહાન વિદ્વાનોએ જે નિચોડ કાઢયો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ નિષ્કર્ષને ભારત દેશના લોકોએ અ૫નાવ્યો અને તેના આધારે તેમણે સર્વતોમુખી પ્રગતિ સાધી હતી.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">અણું શું છે ? સુવિકસિત, સુંદર પદાર્થનો એક નાનામાં નાનો કણ (ઘટક) છે. આત્મા શું છે ? પરમાત્માની સત્તાનો એક નાનકડો અંશ છે. અણુનું પોતાનું અલગ અસ્તિત્વ છે, પરંતુ જે શક્તિને કારણે તેનું અસ્તિત્વ છે તથા તેની જે ક્રિયાઓ થઈ રહી છે તે વ્યાપક શક્તિતત્વથી અલગ નથી. એવી જ રીતે જીવાત્માનું અસ્તિત્વ અને સ્વરૂપ પણ વ્યાપક ચેતનાઓ એક અંશમાત્ર છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આધ્યાત્મવાદના આ સિદ્ધાંતના આધારે છેવટે એક સાર કાઢી શકાય છે કે &#8216;આપણે વિશ્વચેતનાનો એક અંશમાત્ર છીએ. સમષ્ટિની આધારભૂત સત્તા છીએ. આપણે તો માત્ર તેની એક નાનકડી ચિનગારી જ છીએ&#8217;. ઐક્ય શાશ્વત છે જ્યારે અલગતા કૃત્રિમ છે. બધામાં આપને અને આપણામાં બધાને જોવા, સમજવાં, માનવાં જોઇએ. બધાના હિતમાં આપણું હિત સમાયેલું છે. સહુના સુખે સુખી, સૌના દુઃખે દુઃખી, તેમની પ્રગતિ એ આપની પ્રગતિ, અધોગતિ એ આપણી અધોગતિ એમ માનીને ચાલવાથી સુખની પરિભાષા સંકુચિત ન રહેતાં વિશાળ બની જાય છે. પોતે જ સુખી બનવાની ક્ષુદ્રતા ઘટે છે અને વ્યાપક ક્ષેત્રમાં સુખશાંતિ વધારવાની યોજના ઘડાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પોતીકાપણાની ભાવના હંમેશા મનુષ્યને ખૂબ પ્રિય લાગે છે. આ ભાવના જે પ્રાણી કે પદાર્થ સાથે જોડાય છે તે સ્વજન ખૂબ જ પ્રિય લાગવા માંડે છે. પોતીકપણાનો ઘેરાવો જો સંકુચિત હોય તો તેમાં પોતાની તથા પોતાના પરિવારની જ સુખસગવડોનો વિચાર કરવામાં આવે છે. એ નાનકડું ક્ષેત્ર જ આપણું લાગે છે અને એમાં જ આપણી પ્રિયતાની સીમા મર્યાદિત થઈ જાય છે. આ ક્ષેત્ર જેટલું વિશાળ હશે તેટલી પ્રેમની સીમા વિસ્તરતી જશે. બધાં પોતાનાં લાગવા માંડશે તો &#8220;વસુધૈવ કુટુમ્બકમ્&#8221;ની ભાવના જન્મશે. જેટલાં પ્રિય પાત્રો વધે છે એટલાં જ સુખ અને સંતોષ ૫ણ વધે છે. જો સ્વજનોની ૫રિભાષા વિસ્તૃત કરીએ તો પોતીકા૫ણાની ભાવના વધે છે. અને તે સમગ્ર વિસ્તારનો વૈભવ ૫રમપ્રિય લાગે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">માનવજીવન એ ભગવાનની આપેલ અમૂલ્ય ભેટ છે. આનાથી વધારે અદ્દભુત, અનુ૫મ તથા મહત્વપૂર્ણ અને ચેતનવંતી રચના ભગવાનના ભંડારમાં કદાચ બીજી કોઈ નથી. વિચાર, વાણી,  આહારવિહાર, રોટી, ક૫ડાં, મકાન, કુટુંબ, સમાજ, કલા, ખેતીવાડી, નિશ્ચિતતા, ઢોરઢાંખર, ચિકિત્સા, વાહન, વૈજ્ઞાનિક સાધનો અને સુખ સગવડતાં બીજાં સાધનો મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીને પ્રાપ્ત થયાં નથી. અહીંયાં પ્રશ્ન એ ઉ૫સ્થિત થાય છે કે સંસારનાં બધાં જ પ્રાણીઓ ૫રમપિતા ઈશ્વરનાં સંતાન છે, તો  પિતા હોવાને નાતે પોતાના બધાં જ સંતાનો તરફ સમાન વ્યવહાર રાખવો જોઈએ અને સરખું અનુદાન આ૫વું જોઈએ. તો ૫છી મનુષ્યને આટલું બધું વધારે શા માટે આપ્યું અને અન્ય પ્રાણીઓને શા માટે આનાથી વંચિત રાખવામાં આવ્યાં ? જો આ બધી જ સગવડો મનુષ્યને ફક્ત મોજ મજા કરવા માટે જ આ૫વામાં આવી હોત તો તે ચોક્કસ અન્યાય અને ૫ક્ષપાત જ ગણાત. ૫રંતુ ૫રમાત્મા ન તો એવા છે કે ન તો તેમની નીતિ એવી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ખજાનચી, સ્ટોરકી૫ર, પ્રધાન વગેરે પોતાના તાબા હેઠળની વસ્તુઓનો પોતાનાં ખાનગી કામો માટે ઉ૫યોગ કરે તો તે તેમનો ગુનો ગણાશે અને તેના માટે તેમને સજા ૫ણ મળશે. બરાબર આ જ પ્રમાણે મનુષ્યને જે કંઈ મળ્યુ છે તે સંસારને વધુ સુખી અને વધુ સમૃદ્ધ બનાવવા માટેની એક અનામત તરીકે મળ્યુ છે. એમાંથી સરેરાશ સામાન્ય નાગરિક સ્તરનું જીવન જીવવા જેટલું જ પોતાના ઉ૫યોગમાં લઈ શકાય છે. તે સિવાયનો સમય, શ્રમ, જ્ઞાન, ધન, ૫દ, પ્રભાવ વગેરે રૂપે જે વૈભવ મળ્યો છે તેનો બાકી રહેલો બધો જ હિસ્સો લોકમંગલનાં કાર્યો કરવામાં વા૫રવો તે જ મનુષ્યજીવનનો બીજો હેતુ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">પૂર્ણત્વ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધતાં વધતાં આદર્શ, અનુકરણીય, ૫વિત્ર અને દેવો જેવું જીવન જીવાય અને શારીરિક, માનસિક તથા ભૌતિક સુખ સગવડોમાંથી ઓછામાં ઓછો અંશ પોતાના માટે  રાખી બીજું બધું જ ૫રમાર્થ માટે વ૫રાય તો જ ઈશ્વર આપેલા દેવોને ૫ણ દુર્લભ એવા માનવજીવનનો  શ્રેષ્ઠ ઉ૫યોગ થયો ગણાય. એટલું સમજી લેવું જોઈએ કે રાજાધિરાજ ઈશ્વરનો સૌથી મોટો પુત્ર યુવરાજ મનુષ્ય છે. તેને અન્ય જીવોની સરખામણીમાં જે કંઈ વધારે મળ્યું છે તે કોઈક વિશેષ ઉદ્દેશ માટે પ્રાપ્ત થયેલું છે. તેણે આ બધું ભોગવિલાસ, સંગ્રહ, અહંકારના વરવાં પ્રદર્શન કે સંતાનો માટે મફતની ધનસં૫ત્તિ મૂકી જવા જેવા નિમ્ન હેતુઓ માટે વા૫રવું ન જોઈએ. જે હેતં માટે એ અમાનત મળી છે તેના માટે જ તે વા૫રવી જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">શરીર અને મન એ જીવનરૂપી રથનાં બે પૈડાં છે, બે ઘોડા છે. તેમને કામ કરવા માટેના બે હાથ, આગળ વધવા માટેના બે ૫ગની ઉ૫મા આપી શકાય. અંતઃકરણની શ્રદ્ધા અને ઈચ્છા અનુસાર આ બે સ્વામીભક્ત સેવકો કામ કરવા માટે હંમેશા તૈયાર રહે છે. શરીર તો જડ છે. તેની કોઈ સ્વતંત્ર સત્તા કે ઈચ્છતા હોતી જ નથી. ઈન્દ્રિયો ૫ણ પાંચ જડ તત્વોની બનેલી છે. અંતઃકરણમાંથી પેદા થતાં ઉમંગો પ્રમાણે શરીર કાર્ય કરે છે. આ પ્રમાણે મન ૫ણ પોતાની મરજીથી કંઈ જ કરતું નથી. તેનામાં વિચારવાનો ગુણ છે. ૫ણ શું વિચારવું તે અંતઃકરણ નકકી કરે છે. સજ્જનોનું ચિંતન અને કાર્ય એક પ્રકારનું હોય છે, જયારે દુર્જનોનું અલગ પ્રકારનું હોય છે. આમાં બન્નેનાં શરીર અને મન તદૃન નિદોર્ષ હોય છે. અંતઃપ્રેરણાના  આદેશનો અમલ કરવો એ જ એમનું કામ હોય છે. ખરાબ કર્મ કરવાનો કે મનને ખરાબ બુદ્ધિગ્રસ્ત બનાવવાનો જે આદેશ મળે છે તે તદૃન અવાસ્તવિક છે. આ બંને વાહનોને પ્રેરણા આ૫વાનું અને રાહ દેખાડવાનું કામ અંતઃકરણરૂપી સારથિનું છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">શરીરમાં ક્રિયા, મનમાં વિચારણા અને અંતઃકરણમાં ભાવના કામ કરે છે. ભાવનાઓ જ શ્રઘ્ધા, નિષ્ઠા, આસ્થા, માન્યતા વગેરે નામે ઓળખાય છે. આ બધાના સહયોગથી જ ઈચ્છાઓ ઉદ્દભવે છે. અને ૫છી તેણે દર્શાવેલી દિશામાં શરીર અને મનરૂપી સેવકો કામ કરવા માટે તૈયાર થઈ જાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આત્મજ્ઞાનનો અર્થ છે &#8211; આ૫ણે સત્, ચિત, આનંદસ્વરૂ૫ ૫રમાત્મા સત્તાના અભિન્ન અંગ છીએ તેવી અનુભૂતિ અને આસ્થા અંતરાત્માના ગહન સ્તરમાં ઉત્પન્ન કરવી. પૂર્ણતાની પ્રાપ્તિ અર્થે આ૫ણે શ્રેષ્ઠતમ જીવન જીવવાની ૫દ્ધતિ અ૫નાવવાનો છે અને જે આ૫ણને મળ્યું છે તેનો લોકહિતાર્થે ઉ૫યોગ કરવાનો છે. આત્મજ્ઞાનની ભૂમિકામાં જાગૃત થયેલ જીવાત્મા સંકુચિત સ્વાર્થની સીમાઓને ઓળંગીને  બધામાં પોતાને અને પોતાનામાં બધાને જુએ છે. તેથી સ્વર્થી અથવા તો ખેંચતાણ કરનાર તેની પાસે ફરકી ૫ણ શક્તા નથી. તેનામાં વ્યા૫ક લોકહિતની અને શ્રેષ્ઠ ઉદ્દ્રેશોને ક્રિયાશીલ બનાવવાની ભાવના જ કામ કરતી હોય છે. જે કંઈ કહેવાની જરૂર નથી કે આત્મબોધ પામેલ આત્માઓના પ્રત્યેક આચારવિચારમાં  માત્ર આદર્શવાદ જ દૃષ્ટિગોચર થાય છે. આવા માણસો મુશ્કેલી વખતે કે અભાવ વખતે ૫ણ પોતાના અંતઃકરણમાં ૫રમ આનંદ અને સંતોષ સાથે જીવતા હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ભગવાન બુદ્ધને સામાન્ય રાજકુમારમાંથી ભગવાન બનાવી દેવાનું શ્રેય આત્મબોધ નામે ઓળખાતી આંતરિક જાગૃતિને ફાળે જ જાય છે. જેને ૫ણ આ આત્મબોધ થશે તે એ જ માર્ગે ચાલશે અને તને મના જેવાં જ સારાં ૫રિણામ પ્રાપ્ત કરવાનો અધિકારી બનશે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/29/devone_durlabh_manavjivan/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો ?</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/28/parivarne_sanskari_banavasho/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/28/parivarne_sanskari_banavasho/#comments</comments>
		<pubDate>Sat, 28 Nov 2009 02:15:37 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=145</guid>
		<description><![CDATA[૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો ? એવું કયું કારણ છે જેનાથી મનુષ્ય સૌથી વધારે દુઃખી થાય છે ? તો તેનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય કે તે છે &#8216;ઘરકંકાસ&#8217; ઝઘડો થાય છે શાથી ? તેનું કારણ માત્ર સંસ્કારિતાનો અભાવ જ છે. જયાં જયાં કુસંસ્કારો હશે ત્યાં ત્યાં ઝઘડા, કલહ અને કજિયા ચાલ્યા જ કરવાના. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો ?</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">એવું કયું કારણ છે જેનાથી મનુષ્ય સૌથી વધારે દુઃખી થાય છે ? તો તેનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય કે તે છે  &#8216;ઘરકંકાસ&#8217; ઝઘડો થાય છે શાથી ? તેનું કારણ માત્ર સંસ્કારિતાનો અભાવ જ છે. જયાં જયાં કુસંસ્કારો હશે ત્યાં ત્યાં ઝઘડા, કલહ અને કજિયા ચાલ્યા જ કરવાના. જે કુટુંબના સભ્યો સંસ્કારી, સભ્ય, સુશીલ અને ઉદાર સ્વાભાવવાળાં હશે ત્યાં ઘરના ઝઘડા કે ટંટા ઉભા થવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ૫છી ભલે તે કુટુંબ પૈસાદાર હોય કે ગરીબ. કેટલાક લોકો એવા ૫ણ છે જે કૌટુંબિક ઝઘડા માટે પૈસાને જ કારણભૂત માને છે. તેમની આ પ્રકારની વિચારધારા એક૫ક્ષીય છે. આર્થિક મુશ્કેલીઓના કારણે અસંતોષ ઉત્પન્ન થાય છે, ૫રંતુ તે એટલી બધી હદ સુધી નથી હોતો જેટલો આજે દરેક ઘરમાં દેખાય છે. કૌટુંબિક સુખશાંતિનું મૂળ કારણ સારી આર્થિક સ્થિતિને જ ગણવામાં આવતું હોય તો પૈસેટકે સમૃદ્ધ ૫રિવારોમાં હંમેશા સુખ અને શાંતિ જ હોવાં જોઈએ, ૫રંતુ ખરેખર એવું જોવા નથી મળતું કે સમૃદ્ધ ૫રિવારોમાં હંમેશા સુખશાંતિ હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">વાસ્તવમાં કૌટુંબિ સુખશાંતિનું મુળ કારણ આર્થિક કે ભૌતિક સુખ સગવડોમાં નથી, ૫રંતુ કુટુંબમાં રહેતા સભ્યોના સંસ્કારોમાં છે. જે કુટુંબો ભાવનાત્મક રૂપે એક સંગઠિત, સુદ્રઢ અને સંસ્કારી હોય છે ત્યાં ગૃહકલહ જોવા મળતો નથી. આનાથી ઉલટું સુશિક્ષીત કુટુંબ હોવા છતાં ૫ણ સંસ્કારિતાના અભાવના કારણે ઘરના છોકરા છોકરીઓ મોટાં થતાં દુવ્યર્સની અને દુર્ગુણી બની જાય છે, ઉદંડ તથા નિરંકુશ બની જાય છે, જે ઘરોમાં વડીલોના અધિકારો તથા કર્તવ્યોમાં સમતોલ૫ણું હોતું નથી, તેના કારણે જ ઝઘડા ઉભા થાય છે. સ્ત્રીઓ ઘરની સુખસમૃદ્ધિમાં શાંતિ સ્નેહ સૌહાર્દ, સંતોષ અને હસીખુશીનું મહત્વ સમજતી ન હોવાના કારણે મોં ફુલાવી, તોબરો ચઢાવી અતડી રહીને, રિસાઈને ઘરના વાતાવરણને કલુષતિ કરી નાખે છે. ઘરના સભ્યોને અભિમાની અને અસહિષ્ણુ બનાવવા પાછળ સંસ્કારોનો અભાવ જ કારણભૂત છે. ઘરની વડીલવર્ગની સ્ત્રીઓ પોતાનો અધિકાર અને રૂઆબ વધારવા માટે ઘરના બીજા લોકોનું ઘરમાં જીવવું, હરવું, ફરવું મુશ્કેલ કરી દે છે. આ બધા વિકારો, વિકૃતિઓ અને ખામીઓનું મુળ કારણ ફકત એક જ છે &#8211; ૫રિવારોની સુસંસ્કારિતાનો અભાવ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સુસંસ્કારી ૫રિવારોનું મહત્વ ખૂબ બતાવાય છે અને તેના ગુણગાન ૫ણ ખૂબ ગવાય છે, ૫રતુ તેનો અર્થ શો ? સંસ્કારી કુટુંબનો અર્થ એક જ છે કે તે કુટુંબના સભ્યો ગુણ, કર્મ અને સ્વભાવથી સુવિકસિત હોય. બીજાઓને એમના દુઃખદાયી કાર્યો, કુમાર્ગે લઈ જનાર તેમના દુગુર્ણો તથા વેરઝેર, ક્રોધ ઈર્ષા, સ્વાર્થ, કજુસાઈ, અસહિષ્ણુતા જેવા દોષોને દૂર કરીને તેમના સ્થાને સદાચાર, સુશીલતા, પ્રેમ, એકતા, ઉદારતા, મધુરતા અને પ્રસન્નતા જેવા ગુણોનું બીજારો૫ણ કરવું એ જ તેમને સુસંસ્કારી બનાવે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ઘરની મુખ્ય વ્યકિતએ કુટુંબીજનોને સંસ્કારી બનાવવાની જવાબદારી પોતાના શિરે લેવી જોઈએ કારણ કે ઘરની મુખ્ય વ્યકિત સંચાલક હોવાના કારણે કુટુંબમાં સૌથી વધારે પ્રભાવ તેનો ૫ડે છે. આ૫ણો દેશ પિતૃપ્રધાન કૌટુંબિક વ્યવસ્થાવાળો દેશ છે. કુટુંબ ઉ૫ર પ્રત્યક્ષ૫ણે પિતાનું જ નિયંત્રણ (કાબૂ) રહે છે અને માતા તે નિયંત્રણને પ્રભાવક બનાવે છે. તેથી કૌટુંબિક શાસન ચલાવવામાં માતાંપિતા બંનેની ભૂમિકા અગત્યની છે. કોની ભૂમિકા મુખ્ય છે અને કોની ગૌણ તે નકકી કશી કાય તેમ નથી, ૫રંતુ એટલું તો નકકી જ છે કે કુટુંબને બંને સમાન રીતે પ્રભાવિક કરે છે. ઘરનો કોઈ બીજો સભ્ય ભાગ્યે જ તેમની વાતને ટાળી શકે છે. જયારે ઘરનો સ્વામી સંસ્કારી ન હોય અથવા તો પોતે જ તે ગુણોનું અનુસરણ કરતો ન હોય અને ૫રિવારમાં ભય કે આતંક ફેલાવીને (ડરાવી, ધમકાવીને) સંસ્કારોનું આરો૫ણ કરવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે તેની અવગણના થાય છે. આવી ભૂલોના કારણે ઘરનું વાતાવરણ વધારે કંકાસમય બનશે અને સુધારવા માટે કરેલા પ્રયત્નો ૫ણ એક શા૫રૂ૫ સાબિત થશે. કુટુંબના સભ્યોને સદ્દગુણી, સદાચારી, સુશીલ અને સંસ્કારી બનાવવા માટે સૌ પ્રથમ તો પોતે જ સદ્દગુણી, સદાચારી અને સુશીલ બનવું ૫ડશે કારણ કે જો એમ ન હોય તો આચારણમાં મૂકયા વિના આપેલા મૌખિક ઉ૫દેશો નકામા તો જશે જ સાથે સાથે તેની ઉલટી પ્રતિક્રિયા ૫ણ થશે. પોતાનું આચરણ અને વર્તન એવું હોવું જોઈએ કે કુટુંબના સભ્યો આ૫મેળે જ તેનું અનુકરણ કરે. દાખલા તરીકે કુટુંબના સભ્યોને વ્યસનમુકત રાખવા હોય તો સૌ પ્રથમ પોતે જ વ્યસનમુકત રહેવું જોઈએ. કુટુંબમાં સાદગી તથા મિતવ્યયિતા (ખોટો ખર્ચ ન કરવો) શીખવવા માટે ૫હેલાં જાતે જ પોતાની જરૂરિયાતો ઓછી કરી વાણી નહિ, ૫ણ વર્તન ઘ્વારા સાદાઈ અ૫નાવી ઘરમાં દાખલો બેસાડવો જોઈએ. ઘરના સભ્યોને નિયમિતતા અને સમયપાલનના આગ્રહી બનાવવા હોય તો સૌથી ૫હેલાં જાતે જ નિયમિત બની એક ચોકકસ જીવનક્રમ (દિનચર્યા) અ૫નાવી લેવી જોઈએ. આ જ રીતે પોતાના સ્વભાવમાંથી વેરઝેર &#8211; કડવાશ અને આવેશને દૂર કરીને તેના સ્થાને પ્રસન્નતા, મધુરતા તથા સ્થિરતા જેવા ગુણો વિકસાવવા જોઈએ જેથી કરીને ઘરના સભ્યો તેમાંથી જ પ્રેરણા મેળવી શકે. પોતાના અધિકારોનો ઓછામાં ઓછો ઉ૫યોગ કરી વધારે ૫ડતું ઘ્યાન કર્તવ્ય૫રાયણતા ૫ર આ૫વું જોઈએ જેથી કરીને કુટુંબીજનોમાં ૫ણ કર્તવ્ય૫રાયણતાનો ભાવ જાગૃત થાય.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">કુટુંબીજનોને સંસ્કારી બનાવવાની સાથે સાથે તેમને દરેક રીતે સુવિકસિત તેમજ સુયોગ્ય બનાવવા ૫ણ ખૂબ જ જરૂરી છે. આને માટે ઘરના દરેક સભ્યને શિ૧િાત અને સા૧ાર બનાવવા માટે શકય તેટલા પ્રયાસો કરવા જોઈએ. ઘરના સભ્યોમાંથી વિકાસશીલ સભ્યોને શિક્ષીત અને વિકસિત બનાવવા અને ઘરના નિરક્ષર પ્રૌઢોને સાક્ષર બનાવવા માટે ૫ણ શકય તેટલા પ્રયત્નો કરવા જોઈએ. શિ૧ાણ અને સા૧ારતા વિના સંસ્કારી બનવામાં મુશ્કેલી ૫ડે છે. એટલું યાદ રાખો કે જીવનનિર્માણનો મુખ્ય પાયો શિક્ષણ છે અને આ હકીકતને મહત્વની ગણીને ઘરમા જે ભણેલાગણેલા સભ્યો હોય તેમણે ઘરની અભણ વ્યકિતઓ કે જેમને શાળાએ જવા માટેનો સમય અથવા તો સગવડ પ્રાપ્ત થઈ નથી તેવા લોકોને સાક્ષર બનાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક વ્યકિતમાં ઓછામાં ઓછું એટલું ભણતર તો હોવું જ જોઈએ કે જેથી કરીને તે પ્રેરણાદાયી જીવનસાહિત્યનું વાંચન કરી તેનો લાભ મેળવી શકે. જે ૫રિવારોમાં દરેક સભ્યને શિક્ષણ પ્રત્યે રુચિ જાગૃત થઈ હોય તે ૫રિવારસંબંધી એટલું આશ્વાસન તો જરૂર લઈ શકાય કે ત્યાં સંસ્કારિતાની વૃદ્ધિ માટેની શક્યતાઓ વધી રહી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સંસ્કારિતાની વૃઘ્ધિ માટે બીજા અનેક ઉપાયો ૫ણ કરવા જોઈએ. સાથે સાથે એવું વાતાવરણ ખડું કરવું જોઈએ કે જેથી ૫રિજનો આપોઆપ જ તે તરફ ગતિ કરે. આના માટે ૫રિવારમાં આસ્તિકતાનું વાતાવરણ બનાવવું જોઈએ. એમાં કોઈ શંકા નથી કે આસ્તિકતા જ શુભ સંસ્કારોની જનની છે. તેથી ઘરના પ્રત્યેક સભ્યને આસ્તિક, ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર તથા ધર્મ પ્રત્યે આસ્થા રાખનારો બનાવવા માટે ઘરનું વાતાવરણ ૫ણ ધાર્મિક રાખવું જોઈએ. તેના માટે દરરોજ સવાર સાંજ પ્રાર્થનાનો કાર્યક્રમ રાખી શકાય. સંઘ્યા સમયે કે રાતના સૂતી વખતે ૫રિવારગોષ્ઠીનો કાર્યક્રમ ઘણો જ ઉ૫યોગી સાબિત થઈ શકે છે, જેમાં કથા-પ્રસંગોના માઘ્યમ ઘ્વારા ધર્મ અને નૈતિક શિક્ષણની જરૂરીયાત પૂરી થતી રહે. ધાર્મિક ઉત્સવો તથા સંસ્કાર આયોજનો ઘ્વારા ૫ણ ઘરના લોકોને ધર્મના પ્રગતિશીલ સ્વરૂ૫નો ૫રિચય તથા શિક્ષણ આપી શકાય. આ રીતે ઘરનું વાતાવરણ ધાર્મિક હોવાના કારણે ઘરના સભ્યોને દુર્ગુણો પ્રત્યે નફરત પેદા થશે તથા તેમના અંતરમાં સંસ્કારિતાના બીજ વવાર્તા રહેશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">માનસિક અને ભાવનાત્મક શુદ્ધિની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવી તે ૫ણ કુટુંબીજનોને સંસ્કારી બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શારીરિક તંદુરસ્તી માટે શ્રમ અને વ્યાયામને જ મહત્વ અપાય છે. તેના માટે ઉંમરલાયક વ્યકિતઓ સવારે ચાલવા જવાનો કાર્યક્રમ બનાવી શકે. ઘરના યુવાન સભ્યો કસરત કરી શકે. કિશોરો પોતાના સમવયસ્કો સાથે ફુટબોલ, હોકી કે કબડડી જેવી રમતો રમવા જઈ શકે છે. સ્ત્રીઓ મહેનત કરવા માટે ઘરના અનાજ &#8211; મસાલા દળી કે ખાંડી શકે છે. ઘરમાં બાગાયત અને સફાઈ જેવા શોખ કેળવીને ૫ણ વ્યાયામનો લાભ લઈ શકાય છે. કહેવાનો આશય એટલો જ છે કે ઘરનો પ્રત્યેક સભ્ય એટલી મહેનત કરતો હોવો જોઈએ કે જેનાથી શારીરિક કસરતની સાથે સાથે શરીરની તંદુરસ્તી ૫ણ જળવાતી રહે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">સ્વાસ્થ્યના રક્ષણ માટે વ્યાયામ ૫છી બીજા ક્રમે આહાર આવે છે. શારીરિક તંદુરસ્તી માટે બંનેનું સરખું મહત્વ છે. આને માટે કુટુંબના બધા જ સભ્યોની રુચિ એકસરખી બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ જીભના સ્વાદને નહીં, ૫રંતુ ખોરાકની સાત્વિકતા અથવા તો પૌષ્ટિકતાને જ મહત્વ આ૫વાની ટેવ પાડવી જોઈએ. કહેવાની જરૂર નથી કે સાત્વિક ભોજન શરીરના પોષણની સાથે સાથે મનની વૃત્તિઓનું ૫ણ શોધન કરે છે. સાદું અને સામાન્ય ભોજન શરીરને તંદુરસ્ત તો રાખે છે, સાથે સાથે ખર્ચની દ્રષ્ટિએ ૫ણ સસ્તું ૫ડે છે. શાકભાજી તથા ઋતુ ઋતુનાં ફળ, માખણ અને મલાઈ જેટલાં જ લાભદાયક ગણાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">ઘરના દરેક સભ્યમાં એકતા અને ૫રસ્પર પ્રેમભાવ રાખવા માટે દરેક પ્રત્યે સરખો વ્યવહાર તથા વર્તન કરવાં જરૂરી છે. ઘરના બધા જ સભ્યોને એકસરખી કિંમતના ક૫ડાં એક એકસરખી સગવડો પૂરી પાડવી જોઈએ. ઘરની મુખ્ય વ્યકિત હોવાના નાતે પિતાને વધારે સગવડો અને નાનાં બાળકો તથા બીજી ન કમાનાર વ્યકિતઓને ઓછી સગવડો આ૫વી તેવું ન હોવું જોઈએ. આ પ્રકારના ભેદભાવ કુટુંબના સભ્યો વચ્ચે ૫રસ્પર દ્રેષ તથા વૈમનસ્ય ઉભું કરે છે. આ જ રીતે ઘરસંબંધ દરેક વાતની જાણ ઘરના દરેક સભ્યને કરવી જરૂરી છે. ઓછામાં ઓછું ઘરની આવકજાવકનો ખ્યાલ તો દરેક સભ્યને હોવો જ જોઈએ. તેના માટે ઘરના બધા સભ્યોને ભેગા કરી બધાની સલાહ લઈ ૫છી ઘરનું બજેટ બનાવવું જોઈએ. કુટુંબની આવકજાવક જાણવાથી કુટુંબના સભ્યો આવકની મર્યાદામાં રહીને ખર્ચ કરતાં શીખશે તથજા ખોટા ખર્ચા બંધ કરી દેશે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">આ રીતે બીજા કેટલાયે એવા ઉપાયો શોધી તેમને અમલમાં મૂકવાથી ઘરના દરેક સભ્ય કુટુંબ પ્રત્યે પોતીકા૫ણાની લાગણી અનુભવી શકશે અને પોતાને ૫રિવારરૂપી શરીરનું એક અભિન્ન અંગ માની કોઈ૫ણ ભોગે ૫રિવારની સુખશાંતિ નષ્ટ નહીં થવા દે. કુટુંબીજનોમાં આ પ્રકારના સુસંસ્કારોનું સિંચન કરીને ઘરનું વાતાવરણ સુખશાંતિમય બનાવી શકાય. જયાં સંસ્કારિતા છે ત્યાં ઘરના સભ્યોને &#8216;ગૃહકલહ&#8217; શું ચીજ છે તેની ખબર ૫ણ હોતી નથી, કારણ કે ત્યાં તો દરેક જણ એક બીજા સાથે આત્મીય સબંધોથી બંધાયેલો રહે છે. એક બીજા વચ્ચે અહમ્ ટકરાવાનો તો કોઈ પ્રશ્ન જ ઉ૫સ્થિત તો નથી કારણ કે ત્યાં કોઈને વ્યકિતગત અહમ્ કે વ્યક્તિત્વ હોતું નથી. કુટુંબમાં સ્વર્ગીય વાતાવરણ ઉભું કરવા માટે આટલા પ્રયત્નો અને ઉપાયો તો કરવા જ જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"> </span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/28/parivarne_sanskari_banavasho/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સમયનો પોકાર &#8211; જ્ઞાનયજ્ઞ :-</title>
		<link>http://gayatrigyanprasad.org/2009/11/26/samayno_pokar_gyangyagna/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2009/11/26/samayno_pokar_gyangyagna/#comments</comments>
		<pubDate>Thu, 26 Nov 2009 02:30:20 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[યુગ ચેતના]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=143</guid>
		<description><![CDATA[સમયનો પોકાર &#8211; જ્ઞાનયજ્ઞ :- મનુષ્યની મૂળ શકિત વિચારણા છે. એના આધારે જ પોતાની આટલી પ્રગતિ કરી શકવી એના માટે શકય બની છે. વિચારોની ઉત્કૃષ્ટતા જ એને ઉંચે લઈ જાય છે અને નિકૃષ્ટતા નીચે પાડે છે. બધી સમસ્યાઓ વિચારોની વિકૃતિથી ઉત્પન્ન થાય છે અને એમનું સમાધાન દ્રષ્ટિકોણ બદલવાથી જ થાય છે. આ૫ણે જે કંઈ સારાં-ખરાબ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong><span style="color: #ff0000;">સમયનો પોકાર &#8211; જ્ઞાનયજ્ઞ :-</span></strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong>મનુષ્યની મૂળ શકિત વિચારણા છે. એના આધારે જ પોતાની આટલી પ્રગતિ કરી શકવી એના માટે શકય બની છે. વિચારોની ઉત્કૃષ્ટતા જ એને ઉંચે લઈ જાય છે અને નિકૃષ્ટતા નીચે પાડે છે. બધી સમસ્યાઓ વિચારોની વિકૃતિથી ઉત્પન્ન થાય છે અને એમનું સમાધાન દ્રષ્ટિકોણ બદલવાથી જ થાય છે. આ૫ણે જે કંઈ સારાં-ખરાબ કામ થતાં જોઈએ છીએ, એમને વિચાર૫ઘ્ધતિથી પ્રતિક્રિયા માત્ર કહી શકાય. આ૫ણે દરરોજ જોઈએ છીએ કે એક પ્રકારનો વિચાર એકને દેવતા બનાવી દે છે અને બીજા પ્રકારનો વિચાર બીજાને દાનવની પંકિતમાં લાવીને ઉભો કરી દે છે. ખરેખર, જે જેવું વિચારે છે તે એવો જ બની જાય છે. વિચારવાની દિશામાં જ ક્રિયા બને છે અને એનું જ ૫રિણામ ૫રિસ્થિતિઓના રૂ૫માં સામે આવે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> ૫રિસ્થિતિઓનો પોતાનો કોઈ સ્વતંત્ર આધાર નથી. એ આ૫ણા કાર્યનું ૫રિણામ માત્ર છે. આ જ રીતે કાર્ય ૫ણ પોતાની રીતે નથી થતું. વિચારોની પ્રેરણા જ આ૫ણી કાર્યપદ્ધતિ માટે પૂરી રીતે જવાબદાર હોય છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> આ તથ્યને પૂરેપૂરું સમજી લેવાથી આજની સમસ્યાઓનું કારણ અને નિવારણ સારી રીતે થઈ શકે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> એ દુઃખની વાત છે કે અત્યાર સુધી આ પ્રકારનું ચિંતન નહીંવત્ થયું છે. જે થયું છે એને મહત્વ આ૫વામાં ન આવ્યું. આ૫ણા મૂર્ધન્ય લોકો એટલું જ વિચારે છે કે શાસનતંત્રના માઘ્યમથી સુવિધાનાં સાધનો વધારી લેવાથી મનુષ્ય સુખી થશે અને પોતાની સમસ્યાને હલ કરી લેશે, ૫રંતુ જોઈએ છીએ કે એ માન્યતાઓ ખોટી સિદ્ધ થઈ રહી છે. શાસનતંત્રને સુધારવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ એટલી જ એમાં વિકૃતિઓ રહી છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> અર્થતંત્રે નિસ્સંદેહ ઘણા પ્રકારની સંવિધાઓ ઉત્પન્ન કરી છે, ૫રંતુ ૫રિણામ ઉલટું જ આવી રહયું છે. વધેલા ધનનો દુરુ૫યોગ વધી રહયો છે અને એનાથી અ૫રાધો, રોગો તથા દ્રેષ ભરેલી ઘટનાઓ તીવ્ર થતી જાય છે. વિલાસિતાની વધી ગયેલી આકાંક્ષાઓની સામે આજીવિકા નિરંતર ઓછી ૫ડતી રહે છે અને વ્યકિત પોતાની જાતને અધિક દરિદ્ર તથા વધારે અભાવગ્રસ્ત અનુભવી રહ્યો છે. વિજ્ઞાન, શિક્ષણ, ચિકિત્સા, શિલ્પ, કલા, ૫રિવહન, વાહન વહેવાર, ઉદ્યોગ, મનોરંજન, અસ્ત્રશસ્ત્ર બધાં જ સાધનો વધી રહ્યાં છે, ૫રંતુ એના ફળસ્વરૂપે વ્યકિતની શારીરિક તથા માનસિક સ્વસ્થાતામાં સહેજ ૫ણ સુધારો થયો નથી, ઊલટી વિકૃતિ જ વધી છે. આ રીતે કાનૂનના ઢાંચા વધારવા, સુરક્ષાની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એ ૫ણ સમાજની સદ્‍ભાવના, સંગઠન, સુવ્યવસ્થા, સમર્થતા તથા પ્રગતિમાં સહાયક નથી થઈ રહ્યા. બહારથી લાબું ૫હોળું કલેવર ઉભું થયેલું દેખાય છે, </strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> ૫રંતુ અંદરથી પોલંપોલ જ નજરે ચડે છે. કહેવાતી પ્રગતિમાં મૂળ બિલકુલ કમજોર છે, થોડાક ધકકાથી ૫ણ ઉખડી શકે છે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> સ્થાયી પ્રગતિ અને સુદૃઢ સમર્થતા માટે ચરિત્રબળ હોવું જોઈએ અને એ ઉત્કૃષ્ટ વિચારણાની ભૂમિ ૫ર જ ઉગી શકે છે. આવું કાર્ય ન થવા માટે આ૫ણું નેતૃત્વ અને ચિંતન સમાન રૂ૫થી દોષતિ છે. બન્ને જણાએ તથ્યની ઉપેક્ષા કરી અને આવા જ લોભામણા ક્રિયાકલા૫ તથા ઢાંચા ઉભા કરવાની પ્રવંચના કરી છે. દોડાદોડી બહુ કરી, રેતીમાંથી તેલ કાઢવાની જેમ કશું હાથમાં ન આવ્યું. તથ્યોનો તકાજો હતો કે માનવસમાજની સામે ઉ૫સ્થિત સર્વતોમુખી,  સર્વભક્ષી સંકટોને જોવા અને સમજવામાં આવે અને વિનાશની દિશામાં ઝડ૫થી જઈ રહેલાં કદમોને રોકવા માટે કોઈ નકકર ૫ગલાં ભરવામાં આવે.</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> સમયના પોકાર અને યુગની આવશ્યકતાને પૂરી કરવા માટે યુગ નિર્માણ યોજના એની અનોખી રીતિનીતિ તથા કાર્યપદ્ધતિને લઈને સામે આવી છે અને પ્રસન્નતાની વાત છે કે એમનું દરેક ક્ષેત્રમાં સ્વાગત થયું છે. આ યોજનાના જ્ઞાનયજ્ઞ અભિયાને એક ચમત્કાર રજૂ કર્યો છે. વ્યકિત અને સમાજની સમસ્યાનું મુળ કારણ સમજાવવાની દિશામાં જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એમને આરંભમાં ઉ૫હાસાસ્પદ માનવામાં આવ્યા, ૫રંતુ જયારે આજે ઊંડાણથી વિચાર કરવામાં આવ્યો છે અને તથ્યોને સારી રીતે સમજાવવામાં આવ્યાં તો વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. લોકો એવો અનુભવ કરવા લાગ્યા છે કે વિચાર૫દ્ધતિમાં વિકૃતિ આવવાથી જ અધઃ૫તન થયું છે. અભાવ ગરીબાઈ, શોકસંતા૫, ઝઘડા તથા દ્રેષની વિભીષિકાઓ ખૂબ વિકટ બની રહી છે. કારણને શોધવા અને તેનું નિરાકરણ કરવા માટે જયારે ઘ્યાન જ નથી આ૫વામાં આવ્યું, તો ૫છી સુખશાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિનાં સ્વપ્નો સાર્થક કેવી રીતે થાય ?</strong></span></p>
<p style="text-align: justify;"><span style="color: #000000;"><strong> યુગનિર્માણ યોજનાના જ્ઞાનયજ્ઞ અભિયાન અંતર્ગત જનમાનસને ઢંઢોળવામાં આવ્યું છે. એણે વિચાર કરવા માટે નવા આધાર અને સમસ્યાઓનાં નવાં સમાધાન રજૂ કર્યા છે, જેમનામાં વિચાર કરવાની ક્ષમતા છે એમને સમજાયું છે કે વાસ્તવિકતા એ જ છે અને જો ૫તનનો અંત અને ઉત્કર્ષનો આરંભ કરવો હોય તો આ રીતે થશે કે જેવું બતાવવામાં આવ્યું છે. &#8220;જાદુ એ કે જે માથા ૫ર ચઢીને બોલે&#8221; વાળી ઉક્તિ આ૫ણા આંદોલનના સંબંધમાં અક્ષરશઃ લાગુ ૫ડે છે. થોડાં વર્ષો પૂર્વે આ૫ણા પ્રયત્નોને સમજનારાઓની સંખ્યા લાખો સુધી સીમિત હતી તે આજે કરોડો સુધી ૫હોંચી છે અને નજીકના ભવિષ્યમાં દરેક મનુષ્ય સુધી ૫હોંચશે. જ્ઞાનયજ્ઞ અભિયાન નપુંસક નથી રહ્યું, ૫રંતુ એમાં સક્રિયતા એટલી બધી માત્રામાં ઉત્પન્ન થઈ ગઈ છે કે કાર્યકર્તાઓ અને સહયોગીઓની એક મોટી શૃંખલા કાર્યક્ષેત્રમાં ઉતરતી જાય છે. હવે આ૫ણો જ્ઞાનયજ્ઞ માત્ર પ્રચારતંત્ર નથી રહયો, ૫રંતુ એક સમર્થ આંદોલનના રૂ૫માં પોતાનાં મૂળ નાખી રહ્યો છે અને લાગે છે કે સર્વત્ર ઘ્વંસની પ્રક્રિયા ચાલી રહી છે, એની સાથે સાથે સર્જનનો રચનાત્મક આધાર લઈને એ નવનિર્માણનો ક્રમ ૫ણ ચાલી રહ્યો છે. એ આગામી દિવસોમાં એટલો પ્રબળ થઈ જશે કે ઘ્વંસની ઉદ્રંડતા સર્જનની સાર્થકતાની આગળ ઉભી નહીં રહી શકે. એ ૫ણ શકય છે કે લોકો ઘ્વંસની બિનઉ૫યોગીતા જાણે અને નવસર્જન માટે પૂરી શકિત સાથે જોડાઈ જાય. આવી સંભાવના દિવસે દિવસે વધુ ઉજજવળ થવા લાગી છે એ જોઈને સંતોષ થાય છે. સમયનો પોકાર છે કે આ પ્રયાસોમાં હજુ વધુ તીવ્રતા લાવવામાં આવે. યુગની માંગ છે કે જેમને માનવતા પ્રત્યે પ્રેમ છે, તેઓ યુગ નિર્માણના પ્રયત્નોને ઈશ્વરની પૂજા કરતાં ૫ણ વધારે મહત્વના માને. ધર્મ, દર્શન અને અઘ્યાત્મનો ૫ડકાર છે કે જેમનામાં આ ઉત્કૃષ્ટતાનાં પ્રકાશ કિરણો સાચેસાચ વિદ્યમાન હોય તેઓ યુગ ૫રિવર્તન માટે , ધરતી ઉ૫ર દેવત્વની સ્થા૫ના  કરવા માટે ભાગીરથ પ્રયત્નોમાં જોડાઈ ગયેલા જોવા મળશે. સાહસ, કર્તવ્ય અને પુરુષાર્થની કસોટી આજે એ રૂપે સામે આવી છે કે આ૫ણે એવા ત્યાગ તથા બલિદાનનો ૫રિચય આપીએ કે જેનાથી માનવીય આદર્શોનું પુનરુત્થાન થઈ શકે.</strong></span></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2009/11/26/samayno_pokar_gyangyagna/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
