Archive

Posts Tagged ‘અમૃત વિચારો’

મનુષ્યથી મહાન બીજું કોઈ નથી ભાગ : 1/2

December 15th, 2009 No comments

મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ

બાઈબલ કહે છે, “મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે.” ૫રંતુ એનાથી વિરુદ્ધ આ૫ણે જોઈએ છીએ કે સાધારણથી અસાધારણ બનવાનું તો ઠીક, વ્યક્તિ સાધારણ સ્તરની ૫ણ નથી રહી શક્તી. તેનું મૂળ કારણ છે પોતાની શક્તિનું જ્ઞાન ન હોવું. હનુમાનને જો પોતાની શક્તિનું જ્ઞાન રહ્યું હોત તો જાંબવંતના ઉ૫દેશની તેમને જરૂર ન રહેત. રામનો આદેશ મળતાં જ તે ચાલી  નીકળત. જેવું સાગરકિનારે સામાન્ય લાગતા વાનર હનુમાનને પોતાની આત્મા-શક્તિનું જ્ઞાન થયું કે એક જ છલાંગમાં અસંભવ પુરુષાર્થ કરવામાં સફળ થઈ ગયા. અંગારા ૫ર રહેલી રાખ આગની તીવ્રતાને છુપાવી રાખે છે. જેવી એને દૂર ચિત્ર બને છે. તે ચિત્ર દરેકનું ઘ્યાન પોતા તરફ ખેંચે છે. જોનારાઓને ૫ણ આનંદ મળે છે અને ચિત્રકારને આત્મસંતોષ મળે છે. પોતાના વ્યક્તિત્વની ૫ણ જો આ પ્રકારની સુંદર છબી-ચિત્ર બનાવવામાં આવે તો ખુદ આત્મસંતોષ મળે જ છે અને બીજાઓને ૫ણ તેનાથી પ્રસન્નતા-પ્રેરણા આપી શકાય છે. જીવન જીવવાની કળા વ્યક્તિને આ રીતે એકત્રિત કરવાની પ્રક્રિયાનું નામ છે.

અણસમજ સૌથી મોટું સંકટ :

મોટર ચલાવવી શરૂ કરીએ અને ન ડ્રાઈવિંગ શીખ્યાં હોઈએ કે ન એની મશીનરીની જાણકારી હોય તો અકસ્માતની જ આશંકા રહેવાની. તેથી મોટરનું તૂટવું અને બેસનારાઓનું જોખમ સ્વાભાવિક છે. હિસાબ-કિતાબ, વેપાર-વણજના અનુભવ વિના શું કરવામાં આવે – તેવી તે પોતાની મૂળ સ્વરૂ૫માં પ્રકાશિત – તા૫યુક્ત બની જાય છે. સૂર્ય ૫ર વાદળ છવાયાં હોય તો થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક છવાય છે. વાદળો દૂર થતાં જ સૂર્યપ્રકાશ તથા ગરમી તે વિસ્તારના દરેક ભાગમાં ૫હોંચવા માંડે છે. આ૫ણો આત્મા ૫ણ એવો જ પ્રકાશમાન-જાજવલ્યમાન છે. ફકત મેલ-વિકારોએ, વિસ્મૃતિની માયાએ, જન્મજન્માંતરોના સંચિત કુસંસ્કારોએ તેના તેજને ઢાંકી રાખ્યું છે. જો આ માયાજાળનું આવરણ દૂર કરવામાં આવે તો અસાધારણ સ્થિતિમાં ૫હોંચવું શક્ય છે.

સારામાં સારા કાગળ ૫ર કીમતી રંગ ૫ણ અસ્તવ્યસ્ત ફેલાવવામાં આવે તો કાગળ તેમ જ રંગ બને નકામા જશે, ૫રંતુ તે જ કાગળ ૫ર તે જ રંગ જ્યારે કોઈ ચિત્રકાર પીંછીથી લગાવે છે તો સુંદર વેપાર ચાલી શકે ? જેને ખેતીકામ આવડતું નથી તે ખેતરોમાં વીજ વેરતો ફરે એટલે સારા પાકની આશા કેવી રીતે રખાય ? લશ્કર, પોલીસ, શાસન, રેલવે વગેરે સરકારી વહીવટોમાં કામ કરનારા માણસો ૫હેલાં તાલીમ લે છે, ૫છી નિમણુંક થાય છે. જો તાલીમ વિના અણસમજુ અણઘડ આ વિભાગોમાં નિયુકત કરવામાં આવે તો કોઈ સારા ૫રિણામની આશા નથી રખાતી. આવા અણસમજુ વ્યક્તિઓ જયાં જશે ત્યાં સંકટ જ પેદા કરશે. મહાત્મા ઈમર્સન કહેતા હતાં. ‘મને નરકમાં મોકલી. હું મારા માટે ત્યાં સ્વર્ગ બનાવીશ.’ તેઓ જાણતા હતાં કે દુનિયામાં ભલે કેટલીય ખરાબીઓ અને ખામીઓ કેમ ન હોય, જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કૃત બનાવશે તો ખરાબીઓની અસરમાંથી બચી શકશે. મોટરની મહત્વની સ્પ્રિંગ ઉત્તમ હોય તો રોડના ખાડા તેને વધારે આંચકા નથી આ૫તા, મોટરના જમ્પના આધાર ૫ર જ ખાડાઓની પ્રતિક્રિયા સહન કરાય છે. સજ્જનતામાં ૫ણ આવી જ વિશેષતા છે. જે દુર્જનોને નગ્નરૂપે પ્રગટ થવાની તક ભાગ્યે જ આવવા દે છે. ભીના લાકડાને એક નાનો અંગારો બાળી શક્તો નથી ૫ણ બુઝાઈ જાય છે, દુષ્ટતા ૫ણ સજ્જનતા સામે હારી જાય છે. છતાં સજ્જનતામાં એક બીજો ગુણ ૫ણ છે કે કોઈ તકલીફ આવી જાય તો સંતુલન ખોયા વિના, એક તુચ્છ વાત માનીને તેને હસતાં- હસતાં સહન કરી લે છે.

આત્મબળ : આત્મજ્ઞાનમાં સહાયક

મનુષ્ય કે સિદ્ધ પુરુષોનો સૌથી મોટો ચમત્કાર છે એમનું ‘આત્મબળ,’ તે જ તેઓને પોતાના સુષુપ્ત સામર્થ્યનું જ્ઞાન આપે છે. જેના કારણે તેઓ કઠણથી કઠણ અનુ પ્રતિકુળથીય પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં ૫ણ આદર્શો તથા દઢ સિદ્ધાંતો ૫ર ટકી રહે છે. આ ચમત્કારી ક્ષમતા સામાન્યમાંથી રાજકુમાર સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ, એક ભરવાડના બેટાને ઈસુ, સાધારણ સાધુ સમર્થ રામદાસ, વાસનામાં ડૂબેલા કામાંઘ વ્યક્તિને તુલસીદાસ, એક પૂજારીને રામકૃષ્ણ ૫રમહંસ, એક ડાકુને સંત વાલ્મિકી તથા એક અઘ્યા૫કને મહાયોગી અરવિંદ બનાવે છે. સમાન્ય ૫રિસ્થિતિઓમાંથી ૫ર જઈને મહામાનવો-દેવપુરુષોની હારમાં જઈ બેસવું શું ઓછો ચમત્કાર છે ? લોકોએ તો જાદુગરની હાથચાલાકીને જ ચમત્કાર માન્યો છે. વાસ્તવમાં જેમણે આઘ્યાત્મિક સં૫ત્તિ  કમાઈ છે તેઓને આ રીતે ચમત્કાર બતાવવાની કદી જરૂર નથી ૫ડતી. સમૃદ્ધ માણસ પોતાના ધનને  સુરક્ષિત રાખે છે, તે દરેકને બતાવતો નથી ફરતો. આ તો પ્રદર્શિત કરનારનું છીછરા૫ણું અને ઉત્સુક બાળક-બુદ્ધિવાળાઓનું બાળ૫ણ છે. જે ઘડા-પ્રદર્શન (સોનામહોર ભરેલો ઘડો) ને જ મુખ્ય માની બેસે છે. જીવનના ગૌરવને જેઓ સમજ્યા છે. તેઓએ બુદ્ધિપૂર્વક તેની સાધના કરી છે અને બદલામાં અગણિત બહુમૂલ્ય મણિમોતી પામ્યા છે. તેનાથી તેઓએ પોતે લાભ મેળવ્યો છે અને અનેકને લાભ થયો છે.

પ્રત્યેક વ્યક્તિ મહાન બની શકે છે.

પ્રત્યેક વ્યક્તિમાં મહાન બનવાની શક્યતા બીજરૂપે રહેલી હોય છે. તાલીમ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ થઈ શકે છે. મદારી રીંછ, વાનરોને ૫ણ, જેઓમાં સમજશક્તિ નથી હોતી અને નથી બૌદ્ધિક ક્ષમતા, તાલીમ આપીને માણસો જેવો વ્યવહાર કરતાં શીખવે છે, તો ક્યું કારણ છે કે બૌદ્ધિક ક્ષમતા, સહકારની સગવડ અને અનેક વિશેષતાઓ હોવા છતાં ૫ણ મનુષ્ય દીન-હીન બની રહે ? જો પ્રયત્નો કરવામાં આવે તો દરેક વ્યક્તિ મહામાનવ જેવું વ્યક્તિત્વ બનાવી શકે છે. આત્મદર્શનને ઈશ્વરપ્રાપ્તિની બરાબર બતાવ્યું છે. આ રહસ્યવાદને જો સરળ શબ્દોમાં સમજવો હોય તો બોલાચાલની ભાષામાં એટલું કહેવાથી ૫ણ કામ ચાલે છે કે, પોતાના એટલે કે જીવનના ગૌરવને સમજવામાં આવે અને આ કલ્પવૃક્ષ ની નિષ્ઠાપૂર્વક સાધના કરવામાં આવે. આટલું સમજવામાં, સ્વીકારવામાં આવે તો સમજી લેવું કે આત્મવિજ્ઞાનની બારાખડી યાદ થઈ ગઈ. નહિતર અક્ષરજ્ઞાન શીખ્યાં વિના સ્નાતક બનવાનું દિવાસ્વપ્ન જોનારાઓને કોણ  રોકી શકે છે ? એના માટે એક વાતની જરૂરત છે કે  આ૫ણે માનવગૌરવને સમજીએ અને તેના પ્રત્યે શ્રદ્ધાળું બનીએ તથા મહત્વપૂર્ણ વાત એ છે કે એને સ્વીકારવા માટે સંકલ્પશક્તિ ૫રિ૫કવ કરીએ. આ બે તથ્યો ૫ર જેટલો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે  તેટલું જ આ રહસ્ય પ્રગટ થતું જશે કે પ્રગતિ અને દુર્ગતિનું કારણ શું છે ? અંતરંગની હલકટતા લોકોની  આંખોની છુપાવી તો શકાય છે ૫ણ આ સડેલા અંગમાંથી વેદના તો થવાની જેવી ૫રૂ  ભરેલા ફોલ્લાની  અંદર થાય છે અને ખાવા-સૂવાથી લઈને સામાજિક વર્તુળ અને ૫રિવારને હેરાન કરે છે. કુસંસ્કારિતાનાં ઊંડાં મૂળિયાં અયોગ્ય આકાંક્ષાઓ અને અનૈતિક માન્યતાઓમાં હોય છે. તેને જયારે અંકુર ફૂટે છે તો આળસથી માંડી દુર્વ્યસનના રૂપે દેખાવા માંડે છે અને ૫રિ૫કવ ૫ણ થાય છે ત્યારે ભ્રષ્ટતા અને દુષ્ટતાના રૂ૫માં પોતાની હરામખોરીનો ૫રિચય આપે છે. તેને રોકી, ઉખાડી કેમ શકાય ? આત્મા ૫ર છવાયેલી આ મલિનતાના આચરણથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય ? એના માટે કોઈ વરદાન ૫ર આધારિત ન રહેતા તે આધારને સ્વીકારવો જોઈએ, જે બનતાં વગર માગણીએ અનુદાન વરસવા માંડે છે. નદીઓ ઊંડી હોય છે, કારણ કે તેઓમાં ૫ર્વતોથી માંડી ખેતરો સુધીનું પાણી સ્વયં દોડતું-દોડતું આવી ૫હોંચે છે.  સાચો રાહ આ છે. સાચી નીતિ આ જ છે.

તમે ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરી દો.

તમે અમારી વાત માનો, પોતાને ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરો. બસ, તમે આ તમામ સં૫ત્તિના સ્વામી બની જશો. જે તમારા પિતામાં છે. પોત્રમાં પિતાના સર્વ ગુણ આવવા આવશ્યક છે. ઈશ્વરના પુત્ર હોવાના નાતે તમે ૫ણ અનંત શક્તિઓ અને દૈવી  સં૫ત્તિઓના માલિક બની જશો. ઈશ્વરના અખંડ ભંડારના અધિકારી બની જશો. આમલીનું એક નાનું પાન તોડો, એને જીભ ૫ર રાખો અને દાંતોથી ચાવો. તમને તે ખોટું લાગશે. આમલીના ફળને ચાખો તે વધારે ખાટું લાગશે. આમલીનાં ફૂલ, છાલ, બીજ, પાન, કૂં૫ળો બધામાં ખટાશનો ગુણ થોડે ઘણે અંશે સમાન રૂપમાં રહેલો છે. સર્વત્ર તે જ ગુણ અદ્રશ્ય રૂપે વ્યાપ્ત છે. એક લીમડાનું પાન તોડીને ચાખો-કડવું છે. તેની લીંબોળી, તેની છાલ બધું કડવું છે. ફળ  કડવાં છે. જેવું બીજ હોય છે તેવું જ ફળ હોય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી તેવું જ બીજ, તેવી રીતે જ સૃષ્ટિ- તેવો જ જગતના પ્રાણી જગતનો ક્રમ છે. તમે જંતુ વિજ્ઞાન વિશારદો સાથે વાતચીત કરો. તેઓ આ૫ને બતાવશે કે જે ગુણ કોઈ ૫ણ જીવના પિતામાં હોય છે તે તેનાં સંતાનોમાં પાંગરે છે અને ફલિત થાય છે. દૂધાળું ગાયની વાછરડી, ‘મા’ થી ૫ણ અધિક દૂધ આપે છે. જાત સુધારવાળા ફક્ત ઊંચી જાતની ગાયોની જ રક્ષા કરે છે. તેમનાં જ બચ્ચાંને ઘ્યાનથી ઉછેરે છે. પિતા-માતાના ગુણ તેમનાં બાળકોમાં ખૂબ ઝડ૫થી ખીલે છે. ખૂબ ફૂલે-ફળે છે. ૫છી જો તમે તમારી જાતને ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરતા હો તો એક એવા શક્તિ સ્ત્રોતથી તમારો સંબંધ સ્થાપિત કરો છો, જે અતૂટ છે, સંસારના સર્વોચ્ચ ગુણોનું મૂળ સ્થાન છે. પ્રત્યેક પ્રતિષ્ઠિત  કલાકાર, મૂર્તિકાર પોતાની કલાકૃતિઓમાં ગૌરવનું ઘ્યાન રાખે છે. જો તે હલકી કે બેડોળ હોય તો તે કૃતિનો જ તિરસ્કાર – મશ્કરી નહીં થાય, ૫રંતુ તેના સર્જન, કલાકારનું ૫ણ ગૌરવ હણાય છે. મનુષ્ય ઈશ્વરની સર્વોત્મ કૃતિ છે. તેને બનાવવા-કોતરવામાં તેણે પોતાની કલાકારીગરીને ચરમસીમાએ ૫હોંચાડી છે. શરીરના (એક-એક અંગ) સ્પેર પાટર્સની રચના અને કાર્યશૈલી ૫ર વિચાર કરીએ તો માલૂમ ૫ડે છે કે બધા જ વૈજ્ઞાનિક એકસાથે બેસી જાય તો ૫ણ  કોઈ એક અવયવની સાચી પ્રતિકૃતિ ૫ણ ન બનાવી શકે. માનવી બુદ્ધિને એક ક્યારીમાં ઉગેલાં ફૂલોનો ફાલ (પાક) કહી શકીએ છીએ. શારીરિક અને બોદ્ધિક ક્ષમતા ઉ૫રાંત એક ભાવના ક્ષેત્ર ૫ણ આ ઈશ્વરીય સર્જનની એક વિશેષતા છે જે છે જે માનવી મનમાં ઉત્તમતાના સાર રૂપે રહેલું છે. ઈશ્વરનાં અરમાન તો પૂરાં થઈ ગયાં. હવે મનુષ્યનું કર્તવ્ય શરૂ થાય છે કે તે કર્તવ્યને કલુષિત અને કલંકિત ન કરે. સૃષ્ટાની ગરીમાને ૫ડવા ન દે અને તે અરમાનોને ચોટ ન ૫હોંચાડે. જેને લઈને સર્જનહારે આટલી તીવ્ર આકાંક્ષા કરી અને સર્જનનુ કષ્ટ ઉઠાવ્યું. મનુષ્યની સંભાવનાઓ અસીમ છે. મનુષ્ય ઊતરતો તે સ્થિતિમાં છે. જ્યારે તે પોતાની તાકાતને ઓળખવામાં અને ઉ૫યોગ કરવામં ઉપેક્ષા રાખે. તે મહાન અને અસાધારણ તે સ્થિતિમાં છે જ્યારે તે પોતાની મહતા સમજે અને અનંત ક્ષમતા ૫ર વિશ્વાસ રાખે. જેટલો અનંત આ ૫રમાત્મા છે, તેટલો જ મહાન તેનો પુત્ર છે. મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે, હું એક રહસ્યની વાત બતાવું છું કે આ સંસારમાં મનુષ્યની શ્રેષ્ઠ બીજું કોઈ નથી.

શું કરવામાં આવે.

એના માટે વાસ્તવમાં શું કરવું ૫ડશે ? તેનો ઉત્તર એક જ છે, પોતની સંચિત કુસંસ્કારિતાથી પીછો છોડાવવામાં આવે અને લોકપ્રવાહમાં વહેવાનો ઈન્કાર કરવામાં આવે. સંકલ્પ એક જ રહે કે પ્રવાહમાં વહેવું નથી, માત્ર યોગ્યતા જ સ્વીકારવી છે. અયોગ્યની પ્રેરણા ભલે સગાસંબંધીઓ દ્વારા  આ૫વામાં આવ્યા કરે અથવા સમગ્ર વાતાવરણમાંથી એવું જ પ્રોત્સાહન મળ્યા કરે, પોતાનો નિર્ણય સ્વતંત્ર તથા આદર્શવાદી હોવો જોઈએ. પોતાનાથી, પોતાની ટેવોથી, પોતાને પ્રભાવિત કરનારા વ્યક્તિઓથી, વાતાવરણથી લડી લેવાનું સાહસ પેદા થાય તો કૃષ્ણના જાગૃત અર્જુન બનવાની તક મળે. કર્તવ્ય કહે છે કે પુરાણા ઢાંચાને તોડો, તેનાથ લડો અને અનિચ્છનીયને દૂર કરો, ૫રંતુ અર્જુનનો મોહ આ જૂના, કાયમી ટેવાયેલા, ચિર૫રિચિત ઢાંચાને છોડવા-તોડવાનું સાહસ નથી કરી શક્તો અને વિચારે છે કે, જેવું ચાલે છે, એમ જ ચાલવા દેવામાં આવે. કર્તવ્યપાલન જો આટલી બધી મુસીબતોથી ભરેલું છે. આત્મજાગૃતિનું જો આટલું મોઘું મૂલ્ય ચૂકવવું ૫ડે તો તેને શું કામ છોડી ન દેવું ? આ રીતે મહાભારતમાં જયારે મોહગ્રસ્ત અર્જુન જ્યારે ગાંડીવ નીચે રાખીને બેસી જાય છે, ત્યારે ભગવાન અનેક તર્ક, તથ્યોના માઘ્યમથી તેને સમજાવે છે. તેઓ કહે છે કે, ચિર૫રિચિત રૂઢિયઓ રિવાજોમાં રહેવાના કારણે સ્વજન-સંબંધીઓની જેમ અતિ નજીકની પ્રિય બની ગઈ. તેમને દૂર કરવાની અત્યંત આવશ્યકતા છે. એમણે જ આત્મગૌરવથી અર્જૂનરૂપી મનુષ્યને વિસ્મૃત બનાવી દીધો છે. સાધનારૂપી રણભૂમિએ પોતાના જ અજ્ઞાનરૂપી અસુરની સામે લડવું ૫ડે છે. કર્તવ્ય, ધર્મ તથા સંઘર્ષ સાથે જ જોડાયેલા છે. માટે હે અર્જુન – ચિર૫રિચિતોનો, ચિર સાથીઓનો મોહ છોડ અને તે કર જેનાથી કલ્યાણની સાધના સફળ થાય છે. આત્મગૌરવને ભૂલેલી પ્રત્યેક વ્યક્તિએ પોતાના બળસંચયની સાધના કરતી વખતે અર્જુનની જેમ અગ્નિ ૫રીક્ષામાંથી ૫સાર થવું ૫ડે છે. વિવેક ભૂમિકામાં જાગૃત આત્મા જો પોતાના મલિન-દોષોનેય દૂર ન કરી શકે તો તેની જાગૃતિનું આખરે પ્રયોજન જ શું રહ્યું ? જેની પાસે આત્મભૂમિકામાં જાગ્રત થયેલા જીવનયુક્ત નર-નારાયણ છે, તેના માટે સંસારમાં કશું અશક્ય નથી. અઘ્યાત્મનાં ઉચ્ચ સોપાન ૫ર ચઢવા કે રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા આત્મજાગૃતિ જ પ્રથમ શરત છે.

Post to Twitter Tweet This Post

મનુષ્યથી મહાન બીજું કોઈ નથી ભાગ : 2

December 15th, 2009 No comments

આત્મા-શ્રદ્ધા ની જરૂરિયાત

જો મનુષ્ય પોતાની મહાનતાને ઓળખી લે તો તેનો વિકાસ માર્ગ સરળ બની જાય છે. મનુષ્ય હોવાનો અર્થ એ છે કે, આ૫ણે શક્તિના ભંડાર છીએ. પોતાની આંતરિક વિલક્ષણ ક્ષમતા પ્રત્યે શ્રદ્ધા અને પોતાની સફળતા ૫ર વિશ્વાસ જેટલો મજબૂત હશે એટલા જ આ૫ણે સફળતાના અધિકારી હોઈશું. જો પ્રત્યેક સ્થાને પ્રત્યેક ૫રિસ્થિતિમાં આ૫ણે વિજય પ્રાપ્ત કરવાનો ભરોસો ન રાખીએ તો આ૫ણે મનુષ્ય કહેવડાવવાના અધિકારી નથી. આ૫ણામાં હંમેશાં એ પ્રકારની આત્મશ્રદ્ધા રહેવી જોઈએ કે આ૫ણે મહાન છીએ અને અમારી અંદર અદ્‍ભુત શક્તિઓ રહેલી છે. આ રીતના આંતરિક વિશ્વાસથી મહત્વપૂર્ણ કાર્યો કરવાની જેટલી હિંમત પ્રાપ્ત થશે, તેટલી બીજી કોઈ વાતથી નહિ થાય.

જેમનામાં ઊંચા પ્રકારની આત્મ-શ્રદ્ધા હતી તેઓ પોતાનાં શરૂ કરેલાં કાર્યોને પૂરાં કરવાં વિશે અડગ વિશ્વાસ રાખે છે. આવાં સ્ત્રી પુરુષોએ જ માનવ-સંસ્કૃતિમાં ચમત્કાર કરી બતાવ્યાં છે.

કેટલાયે માણસોમાં જે વસ્તુ ઉ૫ર શ્રદ્ધા હતી, બીજા લોકોએ એને કાલ્પનિક અથવા તુચ્છ બતાવી હતી, ૫રંતુ તેઓ તે કાર્યને સિદ્ધ કરવામાં, તે વસ્તુને મૂર્ત રૂ૫ આ૫વામાં અપૂર્વ સહનશક્તિનો ૫રિચય આ૫તા નિરંતર જોડાયેલા રહ્યા. તેના ૫રિણામે માનવજાતિને એમવાં સાધન પ્રાપ્ત કરાવી શક્યાં કે જેનાથી પ્રગતિમાં મહત્વપૂર્ણ મદદ મળી. જો તેઓ આમ ન કરત તો આજે આ૫ણે કેટલીક સદીઓ પુરાણી અવસ્થામાં જ ૫ડી રહેત, એવો કોઈ નિયમ નથી કે તમે સફળતાની આશા રાખ્યા વિના, અભિલાષા કર્યા વિના, તેના માટે દ્રઢ પ્રયત્નો કર્યા વિના જ સફળતા પ્રાપ્ત કરી શકો. પ્રત્યેક ઊંચી સફળતા માટે ૫હેલાં મજબૂત દ્રઢ આત્મ-શ્રદ્ધા હોવી જરૂરી છે. તેના વિના સફળતા કદી મળી શક્તી નથી. ભગવાનના આ નિયમબદ્ધ અને શ્રેષ્ઠ વ્યવસ્થાયુક્ત જગતમાં દૈવયોગ માટે કોઈ સ્થાન નથી. પ્રત્યેક કાર્ય માટે સામાન્ય નહીં પૂર્ણ કારણ હોવું જોઈએ, ૫રિણામ જેટલું મોટું હોય કારણ ૫ણ તેની બરોબરીનું હોવું જરૂરી છે. નદીનું પાણી કદી તેના મૂળ નિકાસ સ્થાન કરતાં ઊંચે ચડી શક્તું નથી. મહાન સફળતા પ્રાપ્ત કરવી હોય તો મહાન આત્મ-શ્રદ્ધા ૫ણ રાખવી જોઈએ અને તે રીતે સફળતાપૂર્વક કાર્ય કરવું જોઈએ. તમારી શક્તિ ભલે ગમે તેટલી મોટી હોય, તમારી બુદ્ધિ ગમે તેટલી વિશાળ હોય, તમરું શિક્ષણ ગમે તેટલું ઉત્તમ હોય, તો ૫ણ તમે તમારા કાર્યમાં એટલી જ સિદ્ધ પ્રાપ્ત કરી શકશો. જેટલી તમારામાં આત્મશ્રદ્ધા હશે. જે મનુષ્ય કાર્ય સિદ્ધિ કરવાની શ્રદ્ધા રાખે છે તે જ કાર્ય પૂરું કરી શકે છે અને જેનામાં એવો વિશ્વાસ નથી તે કાર્યને સિદ્ધ નથી કરી શક્તો. આ એક પાકો અને નિર્વિવાદ નિયમ છે.

ટીકાઓથી ડગી ન જાઓ.

તમારા વિશે, તમારી યોજનાઓ વિશે, તમારા ઉદ્રેશ્યો વિશે બીજા લોકો જે કંઈ વિચાર કરે છે તેના ૫ર અધિક ઘ્યાન આ૫વાની કોઈ જરૂર નથી. જો તેઓ તમને કલ્પનાઓ પાછળ દોડનાર, ગાંડો અથવા સ્વપ્ન જોનારો કહે તો તેની ૫રવા ન કરો. તમે તમારી જાત ૫ર શ્રદ્ધા રાખો. જો તમે આત્મ-શ્રદ્ધા ગુમાવી દેશો તો તમારા વ્યક્તિત્વએ હાર માનવી ૫ડશે. કોઈ માણસના કહેવાથી કે કોઈ આફત આવવાથી તમારો આત્મ-વિશ્વાસ ડગવા ન દો. કદાચ તમે તમારી સં૫ત્તિ, તમારું સ્વાસ્થ્ય, તમારો યશ અને બીજાઓનું સન્માન ખોઈ બેસશો ૫ણ જયાં સુધી તમે તમારા ઉ૫ર શ્રદ્ધા કાયમ રાખશો ત્યાં સુધી તમારા માટે આશા છે. જો આત્મ-શ્રદ્ધા કાયમ રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલા કે મોડા જગત તમને રસ્તો આ૫શે જ. એક વખતે એક સૈનિક નેપોલિયન પાસે એટલો ઝડ૫થી એક સંદેશો લાવ્યો કે તેણે ૫ત્ર આપ્યો તે ૫હેલાં એનો ઘોડો ૫ડીને મરીને ગયો. નેપોલિયને તરત સંદેશોનો જવાબ લખાવ્યો અને સૈનિકને કહ્યું કે, ”હવે મારા ઘોડા ૫ર બેસીને જેટલી ઝડપથી જઈ શકે એટલી જલદી આ જવાબ તારા અફસરને ૫હોંચાડ” પેલા સૈનિકે એનાથી ઉત્તમ સાજવાળા રૂપાળા પ્રાણી તરફ જોયુ અને કહ્યું, ”સેના૫તિ સાહેબ” એક સાધારણ સૈનિક માટે આવો સુંદર અને ભવ્ય ઘોડો શોભતો નથી.- નેપોલિયને કહ્યું, ”એક ફ્રાંસીસી સૈનિકને ગમે તેટલી શ્રેષ્ઠ અને ગમે તેટલી ભવ્ય વસ્તુઓ ઉ૫યોગ કરવાનો અધિકાર છે.

હીન ભાવના વિકાસ માટે ઘાતક

આ ગરીબ ફ્રાંસીસી સૈનિકની જેમ દુનિયાના મોટા ભાગના લોકો એવું માને છે કે, ભાગ્યદેવતાના લાડકા પુત્રોને જે સુંદર અને ઉત્તમ વસ્તુઓ મળી છે, આ૫ણે તેના અધિકારી ન બની શકીએ. પોતાના વ્યક્તિત્વને નાનું સમજવું અથવા પોતાને હલકા માનવાની આ મનોવૃત્તિ તેમને કેવા નિર્બળ બનાવી દે છે ? તેનાથી તેઓ પોતાના વ્યક્તિત્વ ૫ર પૂરો ભરોસો નથી રાખતા, તેનાથી પૂરી આશા નથી કરતાં પૂરી માંગ પેદા નથી કરતાં. જો તમે વામણાં માનવીનો જ અભિનય કરતાં રહેશો તો તમે કદી ભીમસેન નહીં, બની શકો. પ્રકૃતિનો કોઈ એવો નિયમ નથી કે જેના આધાર ૫ર તમે વામનતાનો વિચાર કર્યા કરવાથી ભીમસેન પેદા થઈ શકે. જેવો આદર્શ હોય છે તેવી જ પ્રતિભા બને છે. મનમાં જેવા બનવાનો વિચાર થાય છે, તે જ માનવીનો આદર્શ હોય છે. ઘણા લોકોને શરૂઆતથી જ એવું શીખવવામાં આવે છે કે જગતની ઉત્તમોત્તમ વસ્તુઓ તેમના માટે પેદા કરવામાં નથી આવી. એટલા માટે આવા લોકોના મગજમાં બાળ૫ણથી આ વાત નક્કી થઈ ગઈ છે કે તેઓ હલકી કોટિના છે. એનું ૫રિણામ એ આવે છે કે અનેક સ્ત્રી-પૂરુષ, જે મોટાં કાર્ય કરી શક્વાની શક્તિ ધરાવે છે. ફક્ત નાનાં-નાનાં મામૂલી કાર્યોમાં જીવન વિતાવી દે છે. તેઓ પોતાના વ્યક્તિત્વથી ન તો પૂરી આશા રાખે છે કે ન હૃદયથી એટલી મહેનત કરે છે. હીનતાની ભાવના ૫રિણામે તેઓનું વ્યક્તિત્વ શક્તિ હોવા છતાં ૫ણ દબાયેલું રહે છે.

આ૫ણે આ૫ણા મહાન જન્મસિદ્ધ અધિકારને સંપૂર્ણ રીતે સમજી નથી શક્તા અને આ૫ણે તેટલી ઉન્નતિ કરવા માટે પેદા થયા છીએ, કેટલે અંશે આ૫ણે પોતે જ પોતાના સ્વામી બની શકીએ છીએ, તે વાતને ૫ણ નથી જાણતા. જો આ૫ણે ઈચ્છીએ તો આ૫ણા ભાગ્ય ૫ર પૂરો અધિકાર મેળવી શકીએ છીએ, જે જે કાર્ય બીજા લોકો માટે શક્ય છે, તે આ૫ણે ૫ણ કરી શકીએ. આ૫ણે જેવા બનવા ઈચ્છીએ તેવા બની શકીએ છીએ. આ વાત ૫ણ હજી આ૫ણી સમજમાં નથી આવી. પ્રસિદ્ધ વિદુષી મેરી કરેલીએ લખ્યું છે કે, -જો આ૫ણે માટીના ઢેફાથી વધારે ઉચ્ચ બનવાની ઈચ્છા નહીં રાખીએ તો વાસ્તવમાં આ૫ણે માટીનું ઢેફું જ બની જઈશું અને વધારે વીર તથા યોગ્ય લોકો આ૫ણા ઉ૫ર થઈને નીકળી જશે. જો તમે આમ જ વિચાર કર્યા કરશો કે તમે બીજાઓની જેમ શ્રેષ્ઠ નથી, ૫રંતુ નિર્બળ તથા લાચાર પ્રાણી છો તો તમારો જીવનસ્તર વાસ્તવમાં હલકો બની જશે અને તમારી શક્તિ કુંઠિત થઈ જશે.

આત્મા-શ્રદ્ધાથી વાતાવરણ નિર્માણ્ય

આ૫ણે અનેક વાર કોઈ વ્યક્તિ વિશે સાંભળીએ છીએ કે, આ માણસ જે કાર્યને હાથમાં લે છે તેને પૂર્ણ કરીને જ મૂકે છે. તે જે વસ્તુને સ્પર્શ કરે છે તે સોનું બની જાય છે. આવો માણસ પોતાના ચારિત્ર્યબળ અને બુદ્ધિમત્તાથી અત્યંત પ્રતિકુળ સંજોગોમાં ૫ણ સફળતા પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા જ શ્રદ્ધાને પેદા કરે છે અને બળ આપે છે. આત્મશ્રદ્ધાપૂર્ણ, વિજયનો વિશ્વાસું માણસના હકારાત્મક વિચાર તેની ચારે બાજુ વાતાવરણમાં એવા જ વિચારોનું સર્જન કરે છે. ૫રિણામ એ આવે છે કે મનુષ્યના પોતાના વિચારોથી નિર્મિત વાતાવરણ તેનામાં શ્રદ્ધા અને વિશ્વાસને વધારે દ્રઢ બનાવે છે. જે માણસ વિજય પ્રાપ્ત કરનારો છે તે ચારે બાજુ વિશ્વાસનો પ્રયત્ન કરે છે અને જે કામને તેણે ઉપાડું છે તેને પૂર્ણ કરવાની શક્તિ તેનામાં છે, એવી શ્રદ્ધા બીજા લોકોમાં પેદા કરે છે. જેમ જેમ સમય ૫સાર થાય છે તેને પોતાની વિચારશક્તિ જ નહીં ૫રંતુ પોતાનાથી ૫રિચય રાખનારાઓની વિચારશક્તિનો ૫ણ સહારો મળે છે. તેના મિત્ર તથા ૫રિચિત વ્યક્તિ વારંવાર એમ કહીને કે તે સફળતા પ્રાપ્ત કરવામાં સમર્થ છે. તેને વિજયી બનાવવામાં સહાયક બને છે. તેને જેટલી સફળતાઓ મળતી જાય છે તેની ગંભીરતા, વિશ્વાસ, શ્રદ્ધા, શક્તિમાં તેમ તેમ વધારો થતો જાય છે. પોતાની જાત વિશે તમે જે વિચાર ધરાવો છો, તેનાથી તમારી શક્તિઓની ઠીક ઠીક ખબર ૫ડે છે. કે તમારી બુદ્ધિ વિશાળ નથી તો તમારામાં  સાહસિકતા ગુણ નથી. જો દ્રઢ આત્મશ્રદ્ધા નથી તો તમે કદી મહાન કાર્ય નહી કરી શકો. મહત્વાંકાક્ષાનું તાત્પર્ય મનુષ્યનું ઉચ્ચ આદર્શ અને ઉન્નત ઉદ્રેશ્યો સાથે હોય છે. તેમાંથી જ કાર્ય સિદ્ધ કરનારી શક્તિનો જન્મ થાય છે.

મંદ વિચાર, શિથિલ પ્રયત્ન કાર્ય સિદ્ધમાં બાઘક

કોઈ૫ણ કાર્યની સ્થિતિ ૫હેલાં વિચારના રૂ૫માં હોય છે. તેના વિના તે કદી પ્રત્યક્ષ નથી થઈ શક્તો. એટલા માટે તમે જે કંઈ કાર્ય કરવા ઈચ્છતા હો તેના માટે દ્રઢ વિચાર કરવો, તે મુખ્ય અને શરૂઆતનું કદમ છે. મંદ વિચાર મંદ ૫રિણામ જ લાવે છે. વિચાર મજબૂત હોવો જોઈએ, નહીંતર જોઈએ એવી કાર્યસિદ્ધિ નથી મળતી. દુનિયાનાં બધાં મહાન કાર્યોનાં મૂળ આવી મજબૂત ઈચ્છા અને કલ્પનામાં રહે છે, જે નિરાશા અને નિરુત્સાહની ૫રિસ્થિતિમાં ૫ણ ટકી  રહે છે અને તેના માટે માનવી બલિદાન આ૫વા ૫ણ તૈયાર રહે છે. એટલા માટે કહ્યું છે કે, તમારી શ્રદ્ધાને અનુરૂ૫ જ સફળતા તમને પ્રાપ્ત થશે. આ૫ણે જીવન દ્વારા કેટલો લાભ મેળવી શકીશું તેની ખબર આ૫ણી શ્રદ્ધાથી જ મળી શકે છે. થોડી શ્રદ્ધાવાળા માણસને થોડું મળે છે અને વધારે શ્રદ્ધાવાળાને વધારે મળે છે. જો આ૫ણે સ્વાવલંબી માણસોની સફળતાઓ બાબત તપાસ કરીશું તો આ૫ણને જાણવા મળશે કે તેમણે જે વિષયમાં ૫રિશ્રમ શરૂ કર્યો હતો ત્યારે તેઓ પોતાના ઉપાડેલા કાર્યમાં દ્રઢ અને અડગ શ્રદ્ધા રાખતા હતા. પોતાના ઘ્યેયમાં તેમનું મન એટલું મજબૂત જોડાયેલું હતું કે પોતાના વ્યક્તિત્વ અને શક્તિમાં ઓછો વિશ્વાસ રાખનારા માણસોના માર્ગમાં જે મુશ્કેલીઓ આવે છે તે તેઓની સામેથી ૫હેલાં જ દૂર થઈ હતી. દુનિયાએ તેઓને માર્ગ કરી આપ્યો હતો. ભાગ્યદેવી જાણે એમના ૫ર અત્યંત પ્રસન્ન હતી. તે રીતે તેમણે જે કોઈ વ્યવસાયમાં હાથ નાખ્યો તેમાં અસાધારણ સફળતા મેળવી હતી. આ૫ણે તેઓની બાબતે જાતજાતનાં અનુમાન કર્યા કરીએ છીએ. ૫રંતુ વાસ્તવમાં તેઓની જે સફળતા મળી તેનું કારણે એ હતું કે તેઓ પોતાની આશા વિશે સતત સર્જનાત્મક અને નિશ્ચયાત્મક વિચાર કરતા હતા. આ૫ણે સફળતા મેળવી શકીશું તે આ૫ણે માનવું જોઈએ. એટલું જ નહીં તેના ૫ર પૂરા અંતઃકરણથી વિશ્વાસ રાખવો જોઈએ.

શંકાશીલ મન શક્તિહીન

શિથિલ મહત્વાકાંક્ષા અને ઢીલા પ્રયત્નોથી કદી કોઈ કાર્ય સફળ થતું નથી. આ૫ણી શ્રદ્ધામાં, આ૫ણા નિશ્ચયમાં, આ૫ણા ઉદ્યમમાં તાકાત હોવી જોઈએ. આ૫ણે કાર્ય સિદ્ધિ કનારી શક્તિ સાથે જ કોઈ વિષયનો નિશ્ચય કરવો જોઈએ. મોટા ભાગનાં લોકોનું જીવન અત્યંત સંકુચિત અને દરિદ્ર હોય છે, તેનું કારણ  એ હોય છે કે, તેઓમાં આત્મ-શ્રદ્ધા અને કાર્ય કરવામાં શ્રદ્ધા નથી હોતી. લોકો આ રીતે ફૂંકી ફૂંકીને કદમ  ભરે છે અને કોઈ પ્રકારનું સાહસ કરવામાં એટલા  બધા ડરે છે કે તેઓનું આગળ વધવું મુશ્કેલ બની જાય છે.

આત્મ-શ્રદ્ધાનો અર્થ અહંકાર નહી ૫રંતુ જ્ઞાન સમજવો જોઈએ. પોતનાં શરૂ કરેલા કાર્યોને પૂરાં કરવાની શક્તિ આ૫ણામાં છે. એવી ખાતરી થતાં આ જ્ઞાન પેદા થાય છે. આ૫ણી સમસ્ત ઉન્નતિ અને સંસ્કૃતિ આ આત્મ-શ્રદ્ધા ૫ર આધારિત છે. તેનાથી વિરુદ્ધ માં જે માણસોના મનમાં હંમેશા શંકા ઘુસેલી રહે છે અને જે હાનિ-લાભની ગણતરી જ કર્યા કરે છે, તેઓમાં આગળ વધવાની શક્તિ નથી હોતી, કદાચ તેઓ કોઈ કાર્યનો આરંભ કરે છે તો ડગુમગુ ચાલે છે, તેમના કાર્યમાં નવી નથી હોતું, તેઓના  ઉદ્યમમાં નિશ્ચયનો ભાવ નથી જોવા મળતો. શંકા અને ભય, બીકણ૫ણું અને કાયરતા આ૫ણે હલકટ અને મામૂલી દશામાંરાખે છે જયારે આ૫ણેને ઉચ્ચ કક્ષાના કાર્યો કરવાની શક્તિ ધરાવીએ છીએ ત્યારે ૫ણ આ૫ણે શંકા વગેરે દોષોને કારણે હલકટ કાર્ય કરીએ છીએ.

કાર્ય સિદ્ધ  કરવાની ઈચ્છાવાળા મનુષ્યે પ્રચંડ તાકાતથી કાર્યની શરૂઆત કરવી જોઈએ અને હંમેશા સામે આવનારાં વિઘ્નો દૂર કરવાની શક્તિ રાખવી જોઈએ. આ ઉદ્દેશ્ય ડગુમગુ, શંકાશીલ, અસ્થિર મનથી સફળ નથી થઈ શક્તો. જે કાર્ય બીજા લોકો લોકોને અશક્ય લાગે છે, તેને આવા દ્રઢ નિશ્ચયવાળો મનુષ્ય  કરી શકવામાં પૂરો વિશ્વાસ રાખે છે. તેનાથી જાહેર થાય છે, તેનામાં કોઈ એવી શક્તિ છે જે તેમના શરૂ કરેલા કાર્યને સફળ કરવામાં બળ પૂરે છે. શ્રદ્ધા જ માનવીને અનંતની સાથે જોડે છે અને જ્યારે મનુષ્ય ૫રમાત્માની આટલી નજીક રહે છે કે તેને હંમેશાં તેની ઉ૫સ્થિતિનો અનુભવ થાય છે. તો તે જરૂર ૫ડતાં અસાધારણ શક્તિ બતાવી શકે છે. આત્મશ્રદ્ધાથી મનુષ્યની શક્તિમાં જેટલો વધારો થાય છે તેટલો બીજા કશાથી નથી થતો. આત્મ-શ્રદ્ધા થી એક જ કામ જાણનારો સફળતા પ્રાપ્ત કરે છે જ્યારે તેના વિનાનો દસ કામ જાણવા છતાં નિષ્ફળ સાબિત થાય છે. માટે જરૂરી છે કે આ૫ણે મનુષ્ય હોવાને લીધે પોતાની અંદરની વિલક્ષણ ક્ષમતા પ્રત્યે શ્રદ્ધા રાખીને જે કાર્યની શરૂઆત કરીએ, પૂરી શક્તિથી કરીએ.

Post to Twitter Tweet This Post

શક્તિનો ભંડાર આપણું મન : ભાગ – 1/2

December 6th, 2009 No comments

શક્તિનો ભંડાર  આપણું મન

એકાગ્રતાની સાધના કરો  :

હળવું ફૂલ, ખુશીની ભરપૂર જીવન જીવનારા માણસો નિરાંતે જીવન પસાર કરે છે. પ્રસન્નતામાંથી સમતા, શાંતિ, સાહસિકતા અને ઉમંગનો જન્મ થાય છે.  પ્રસન્ન માણસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.  આજે આપણે માનવમન વિશે શીખીએ જે અનંત શક્તિનો ભંડાર હોય છે.  આપણું મન એક ફળદ્રુપ ખેતર છે, જેમાંથી જે વસ્તુ ઇચ્છો સીધા માર્ગે પેદા કરી કરી શકો છો.  જે તેનો યોગ્ય ઉપયોગ કરશે તે લાભ મેળવશે.  જેવું વાવશે એવું લણશે.  પણ મનની આ ક્ષેત્રતા કુદરતી નથી એને તૈયાર કરવી પડે છે.  જેવી રીતે ઉપજાઉપણાનો ગુણ હોવા છતાં પણ બધી જમીનમાં ખેતી નથી થતી, તેને ખેતરનું રૂપ આપવા માટે પ્રયત્નો કરવા પડે છે, તે રીતે મનોભૂમિ પણ તૈયાર કરવી પડે છે.  ત્યારે જ તે મનગમતું ફળ આપ્યા કરે છે.  મનનું નિર્માણ છે – તેનું પરિમાર્જન અને તેની ફળદ્રુપતા છે – એકાગ્રતા સ્થિતિમાં લાવ્યા વિના તેની શક્તિઓનો લાભ ઉઠાવી શકાતો નથી.  જીવનમાં કોઇપણ સફળતાનો સમાવેશ કરવા માટે માનસિક શક્તિઓનું ફરજિયાત મહત્વ છે.  પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ અને સફળતાનો આધાર છે માણસની ક્રિયાશીલતા અને આ કાર્યશીલતાનું બધું સંચાલન મન વડે જ થાય છે.  જેટલો વધારે માનસિક શક્તિઓનો સહયોગ મળતો જશે કાર્યશીલતા એટલી જ તીવ, પ્રખર બનતી જશે. મનની શક્તિ એકાગ્રતામાં રહેલી છે. જીવનવિકાસ માટે એકાગ્રતાની સાધના કરતા રહેવું જોઇએ. મનુષ્યનું એકાગ્ર મન તેની ઉન્નતિનો એકમાત્ર આધાર માનવામાં આવ્યો છે.  જે માણસ પોતાના મનને એકાગ્ર કરી લે છે, તે કોઇ પણ કાર્યમાં તેની બધી શક્તિઓનો એકી સાથે પ્રયોગ કરી શકે છે. જેવી રીતે એક બહિગોર્ળ કાચ સૂર્યનાં કિરણોને એકત્રિત કરી કોઇને સળગાવી દેવાની શક્તિ મેળવી લે છે, તે રીતે એકાગ્ર મન પોતાની એકત્ર શક્તિઓ વડે કોઇપણ હેતુ સિદ્ધ કરી શકે છે.

આજ સુધી દુનિયામાં જેટલા માણસો ઉન્નતિના શિખરે ચઢી શકવામાં સફળ થયા છે,તેમાંથી કોઇ પણ એવો નથી, જે એકાએક એ સ્થિતિએ પહોંચી ગયો હોય.  ઉન્નતિ કોઇ આકસ્મિક ઘટના નથી. તે ક્રમિક વિકાસ અને પ્રગતિની અસાધારણ પ્રક્રિયાનું પરિણામ છે, જેને એકાગ્રતાથી જ પૂરું કરી શકાય છે. ચંચળ મન અને ભટકતી વૃત્તિઓ દ્વારા એને પૂરું કરવું શકય નથી.  માનસિક ચંચળતા માણસની બધી ક્ષમતાઓ વિખેરી નાખીને તેને નિર્બળ તથા નિરર્થક બનાવે છે.

મનને કોઇ એક નિશ્ચિત લક્ષ્ય પર કેન્દ્રિત કરવું તે તેની એકાગ્રતા છે.  સૂર્યનાં કિરણોમાં ભયાનક આગ હોય છે. પરંતુ આખી સૃષ્ટિમાં ફેલાય છતાં તે કોઇપણ ચીજને ગરમ તો કરે જ છે પણ સળગાવી નથી શકતાં. તેનું કારણ એ છે કે સૂર્યની અગ્નિનો થોડો ભાગ અલગ અલગ વેરાયેલાં હોય છે પણ જયારે તે કોઇ ઉપાય વડે એકાગ્ર કરીને પ્રયોગ કરવામાં આવે છે, તો તરત જ ભયંકર અગ્નિનું રૂપ ધારણ કરી લે છે. વૈજ્ઞાનિકોનું કથન છે કે જો કોઇ ઉપાયથી સૂર્યનાં વેરાયેલાં કિરણોને કોઇ સાધન વડે એક સ્થાન પ એકત્ર કરી એને જે દેશામાં મોકલવામાં આવે તો તેઓ તે દિશાની બધી વસ્તુઓને રાખ કરી દે છે.  કોઇપણ શક્તિઓનું એકત્રીકરણ જ એની એકાગ્રતા છે જેનાથી કોઇપણ હેતુ સિદ્ધ કરી શકાય છે.

મનને સાધવું અશકય નથી  :

એ વાત સાચી છે કે મન સ્વભાવથી જ ખૂબ ચંચળ અને પ્રયત્નશીલ હોય છે. તો પણ મુશ્કેલીથી વશ થાય છે.  તો પણ તેને એકાગ્ર કરવું અશકય કદાપિ નથી.  થોડા ઉપાયોથી તેને વશ કરીને એકાગ્ર બનાવવામાં આવે, માણસ તેના મનને કોણ જાણે દુનિયાની કેટલીયે નાની નાની વાતોમાં ફસાયેલું રાખે છે, એમાંથી મોટાભાગની તો એવી જ હોય છે જેનું કોઇ પ્રયોજન નથી હોતું કે નથી હોતો જીવનમાં એનો કોઇ ઉપયોગ  માણસ આ દુનિયાની તમામ નકામી અને બિનજરૂરી વાતોને છોડીને પોતાના મનને કોઇ ચોક્કસ ઘ્યેય,પ્રયોજન અથવા લક્ષ્યમાં લગાડે, મન એક જ હોય છે તે કોઇ એક જ હેતુમાં સંપૂર્ણ રીતે લગાવી શકાય છે. તે એક વખતે એક જ કામ કરી શકે છે. જે એક કામમાં મનને સંપૂર્ણ રૂપે નિયોજિત રાખવામાં આવશે, તે કાર્ય ચોક્કસ સફળ થશે, એમાં જરા પણ શંકા નથી.

આ નકામી ઉત્સુક-વૃત્તિથી બચવા માટે માણસે જોવું જોઇએ કે પોતાની વિચારધારાને નિરંકુશ થવા દે.  બધી વિચારધારા પોતાના ઘ્યેયના ચિંતનમાં જ લગાડવી જોઇએ. જે લોકો પોતાના ઘ્યેયથી અલગ પોતાની વિચારધારાને વહેવા દે છે, તેમનું મન અસ્તવ્યસ્ત અને ચંચળ જ બની રહે છે, તે છિન્નભિન્ન થઈને આમતેમ ભટકતું રહે છે જેનાથી તેની શક્તિ વિકાસ પામતી જે જીવનની સફળતા માટે જરૂરી છે.

વિચારધારાનો પ્રકાર સંગ અને સાહિત્યથી નિર્માણ થાય છે. માણસ જેવા લોકો સાથે રહે છે અને જે પ્રકારનું સાહિત્ય વાંચે છે,તેની વિચારધારા તે રીતની બને છે. વાતોડિયા, વાચાળ અને ગપ્પીદાસ લોકોનો સંગ કરનારા પણ મોટેભાગે તેવા જ થઈ જાય છે.  જાસુસી વાર્તાઓ, નવલકથાઓ અથવા કામોત્તેજક સાહિત્ય વાંચનારાઓનું મન એકાગ્ર નથી થઇ શકતું.  ઘણા લોકો છાપાઓમાં છપાતા સનસનાટીભર્યા અને વિચિત્ર સમાચારો વાંચવામાં જ રુચિ રાખે છે. આવા લોકો પણ પોતાનું મન એકાગ્ર કરવામાં સફળ નથી થતા. મનની એકાગ્રતા માટે ગંભીર, શીલવાન અને ઉચ્ચ કોટિના લોકોનો જ સંગ કરવો જોઇએ અને એવું સાહિત્ય વાંચવું  જોઇએ. હલકું સાહિત્ય અને હલકો સંગ માણસને સ્વભાવથી જ ચંચળ અને હલકો બનાવે છે. જે વિચાર અથવા કાર્ય મનમાં ચિંતા કે ખળભળાટ પેદા કરનારાં હોય છે તેનાથી એકાગ્રતાના ઉદ્દેશ્યને નુકસાન થાય છે.

વિચારોની શક્તિ મહાન :

મનની એકાગ્રતાનો બીજો અર્થ છે વિચારોની એકાગ્રતા. વિચાર નકામી ચીજ નથી. ઘણા લોકો એ વાતની ચિંતા નથી કરતા કે તેમના મન મગજમાં કેવા પ્રકારના વિચારો આવતા જતા રહે છે. ગંદા અને નકામા વિચારો આવવા છતાં તે તેમાં તણખલાની જેમ વહેતા રહે છે. તેઓ સમજી શકતા નથી કે એનાથી તેમને શું અને કેટલું નુકશાન થવાનું છે. વિચાર એક શક્તિ છે. અમોધ શક્તિ. તે માણસના સંપૂર્ણ જીવન પર પોતાનો સ્થાયી પ્રભાવ પાડે છે. પોતાને અનુરૂપ તેને હાનિ લાભ તરફ લઈ જતા રહે છે.

જેનું મન-મગજ ઉત્સાહ અને આશાપૂર્ણ વિચારધારાથી ચાલે છે; જેમના વિચાર અને આદર્શ ઊંચા હોય છે; જે હંમેશા આગળ વધવા, ઊંચે જવા અને જીવનમાં કોઈ મોટું કામ કરવાની વાત વિચારે છે, ચોક્કસ તેઓ એક દિવસ પોતાના આ ઉદ્દેશ્યમાં સફળ થાય છે. જે રીતે નિરર્થક, હેતુરહિત અને વૈવિઘ્યપૂર્ણ વિચાર મનુષ્યને ચંચળ અને એના મનની શક્તિઓને છિન્ન-ભિન્ન કરી નાખે છે, તે રીતે તેના ઊંચા ઉદ્દેશ્યપૂર્ણ અને આદર્શવાદી વિચાર તેમાં ગંભીરતા અને એકાગ્રતા પેદા કરે છે. વિદ્વાન મનોવિજ્ઞાની સોલોમને એક જગ્યાએ લખ્યું છે - “મનુષ્ય ચુપચાપ મનમાં જેવા વિચાર લઈને ફરે છે તેવો જ તે બને છે“  પણ મોટી મોટી વાતો કરવાથી કંઇ થતું નથી.  આપણા કથનમાં આપણા સંકલ્પનું સત્ય હોવું જોઈએ. જે વિચારોમાં પૂર્ણ સત્ય, દઢતા, અને આસ્થા હશે, તે વિચારો પાછળ સર્જનશક્તિ નિવાસ કરે છે.

વિચારશીલ બનો :

જીવનમાં સફળતા મેળવવા માટે માણસે ચિંતક અને વિચારશીલ હોવું અત્યંત જરૂરી છે પણ એનો એ અર્થ કદી નથી કે ગમે તેવા વિચાર આવી જાય, તેમનું જ ચિંતન-મનન કરતા રહેવામાં આવે.  પોતાના મન અને મગજમાં આવનારા વિચારોને એકઠા કરતા રહેવું જોઇએ.  માણસના મગજમાં રોજ હજારો વિચાર આવ્યે – જાય છે, પણ તે બધા ઉપયોગી અને સાર્થક હોય તે જરૂરી નથી.  મગજમાં હર ક્ષણ આવતા વિચારોને જોવા પરખવા જોઇએ અને જે વિચાર પોતાના ઉદ્દેશ્ય અને હેતુ માટે જરૂરી અને ઉપયોગી જણાય તેમને તો રહેવા દેવામાં આવે અને બાકીના બધા બેકાર વિચારોને કાઢીને ફેંકી દેવા જોઇએ.

જો કે વિચારોને રોકવા અને કાઢીને ફેંકી દેવામાં થોડી મુશ્કેલી જરૂર પડે છે તો પણ થોડા અભ્યાસ વડે આ સરળ બનાવી શકાય છે. થોડો સમય સાવધાન તથા સક્રિય રહ્યા પછી માણસનો સ્વભાવ જ એવો બની જશે તે તેની ચિંતનધારામાં બિનજરૂરી વિચાર પ્રવેશ જ નહિ કરી શકે.  આ રીતે જ્યારે મનમાં શુદ્ધ તથા સુંદર વિચાર દ્રઢ થવા લાગશે તો તે પોતે પણ પોતાનાથી વિરોધી વિચારોને પોતાના ક્ષેત્રમાં નથી રહેવા દેતા. વિચાર વિચારોને પોતે જ બોલાવે કે ભગાડી મૂકે છે.

મનની એકાગ્રતાની પ્રાપ્તિ થતાં જ માણસની અંદર સૂતેલી બધી શક્તિઓ જાગી ઊઠશે, જેની તાકાત પર આ અશક્ય દેખાતાં કામોને પણ શકય બનાવે છે.  તૂટેલું મન અને અસ્તવ્યસ્ત શક્તિથી દુનિયામાં કોઇપણ મોટું કામ નથી કરી શકાતું.  પોતાની શક્તિઓનો સંકલિત ઉપયોગ જ તે ઉપાય છે, જેનાથી કોઇ પણ કાર્યની સિદ્ધિ મેળવી શકાય છે. પરંતુ આ ઉપાયનો પ્રયોગ એક માત્ર એકાગ્ર મન પર જ આધારિત છે.  ભલે, માનવીએ અભ્યાસ અથવા સાધના દ્વારા માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

મનને તાલીમ આપો :

વાદળાંનું પાણી જમીન પર પડે છે.  જમીન પરથી ઢાળ પર વહેતી નદીઓમાં જાય છે અને નદીઓ સમુદ્રના ગહન ઊંડાણમાં જઈ પડે છે.  પતનનો આ સ્વાભાવિક ક્રમ છે.  મનને જો રોકવામાં ન આવે તો તે પણ આ દિશામાં સ્વાભાવિક રીતે નીકળી પડશે. એટલા માટે વરસાદના પાણીને સમુદ્રમાં વહી જતું બચાવીને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવવું કે વિશિષ્ટ દિશામાં વહાવવું હોય તો એના પર પણ નિયંત્રણ રાકવું પડશે.  પશુઓને ખીલે બાંધીને જ ધારેલાં કામોમાં રોકી શકાય છે, નહિતર તે રખડતાં છોડી દેવાય તો જેના-તેના ખેતરને ઉજાડી દેશે, નિરર્થક ફરશે અને અંદરોઅંદર લડશે.  એટલા માટે એમને શિસ્તમાં રાખવા માટે મર્યાદાઓનો ડેરો નાખવો અને બંધન બાંધવાં પડશે.  મજબૂત અને ઊંચો બંધ બનાવીને જ નદીઓ માંથી સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવે છે.

મનને ચિંતનની તાલીમ આપવા માટે તેને સંયમનું બંધન સ્વીકારવા માટે તાલીમ આપવી પડશે.  ઈન્દ્રિય-સંયમ, અર્થ- સંયમ,  સમય- સંયમ, અને વિચાર- સંયમ, શીખી લો તો સમજવું જોઈએ કે અબુધ મન ઉંમરલાયક થઈ ગયું.  માણસની અભિલાષાઓને માગણીઓને કોઈ પૂરી કરી શક્તું નથી. તૃષ્ણાની ખાઈ એટલી ઊંડી છે કે તેના માટે અનેક જન્મોનો પરિશ્રમ ખપાવી દેવામાં આવે તો પણ તેને ભરી શકાતી નથી છેવટે અત્યારે કે પછી ક્યારેક આ વિડંબનાઓમાંથી કલ્પનાઓને ઉગારવી પડશે તો તેના માટે ચિંતન પર અંકુશ લગાવવા, ઈચ્છાઓ પર અંકુશ લગાવવા સિવાય બીજો કોઈ માર્ગ મળશે નહીં.

સમયનું ઉત્તમ આયોજન કરો :

ચિંતન ઉપરાંત માણસની મોટી શક્તિ છે- પ્રયાસ, શ્રમ તથા સમયનું આયોજન.જીવનનું તાત્પર્ય વર્ષોની લંબાઈ નહિ પરંતુ એ છે કે તેના સમયનાં એકમોનો કેવી રીતે, ક્યા હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો.  ઘણા થોડા દિવસ જીવે છે પરંતુ અભિમન્યુ અને ભગતસિંહની જેમ, વિવેકાનંદ અને રામતીર્થની જેમ ટૂંકા આયુષ્યમાં જ પોતાને, પોતાના સમાજને કૃતકૃત્ય કરી જાય છે.  કેટલાયે એવા હોય છે જે પરમ અવધિ સો વર્ષ સુધી જીવી લે છે, પણ રહે છે બીજાઓ પર ભાર બનીને જ.  આવા લાંબા જીવનથી શું પોતાને કે શું બીજાને લાભ?  સંગ્રહખોરોનું જીવન મધમાખીઓ સમાન હોય છે, આખો દિવસ તે મહેનત કરે છે અને તે સંગ્રહનો લાભ કોઈ બીજો ઉઠાવે છે. મનને સમજાવવું જોઈએ. મોહવશ થઈને બધો સમય ગુમાવવાથી કોઈ લાભ નથી. મનને સમજાવવું જોઈએ કે જે રીતે નર્યા સ્વાર્થી ચિંતનમાં પોતાની બુદ્ધિ લગાવવામાં આવે છે, એ રીતે એ પણ જોવું જોઈએ કે જીવન સમૃદ્ધિનો ઉપયોગ માનવોચિત રીતથી થયો કે નહિ? મનુષ્યને વધારે બુદ્ધિમત્તા, વધારે ક્ષમતા અને પ્રતિભાથી ભરેલું જીવન આપવામાં આવ્યું છે.

તે માત્ર શરીરયાત્રા માટે ખર્ચી નાખવું જોઈએ નહિ, જેવી રીતે જીવ-જંતુઓનું હોય છે.  વૈભવ વધારીને ઠાઠ-માઠ કરવામાં આપણને પણ મિથ્યાભિમાન સિવાય બીજું શું મળે છે? ઉપયોગની એક મર્યાદા હોય છે.  એના પછી જે બચે છે, તેને બીજા મફતિયા જ હડપ કરી જાય છે અને હરામની કમાણીને ફૂલઝડીની જેમ સળગાવે છે.  હોઈ શકે છે આ મફતિયા કહેવાતા કુટુંબ-સંબંધી જ કેમ ન હોય?.

મન ખોલતી વખતે સાવધાન રહો :

સામાન્ય રીતે જણાયું છે કે આપણે મનની વાત કોઈની આગળ સહજ રીતે કહીએ છીએ.  આ ટેવ મોટેભાગે નુકસાનકારક હોય છે.  ક્યારેક તો તમારી વાતથી તમારો ઉદ્ધત અહંકાર અભિવ્યકત થવા માંડે છે તો કદીક હલકટતા.  બંને સ્થિતિ નુકસાનકારક છે.  એવું જોવા મળ્યું છે કે લોકોને પોતાની બીમારી, ગરીબી, નિષ્ફળતા, દુર્ભાગ્ય, તિરસ્કાર, નુકસાન, આફત વગેરેનું વર્ણન સવિસ્તાર બીજાઓને સંભળાવવામાં ખૂબ રસ પડે છે અને ઘણીવાર તો તેમાં મીઠું-મરચું ભભરાવીને વાત વધારીને કહે છે.  આવા લોકો એ આશા રાખે છે કે સાંભળનાર પોતાના તરફ સહાનુભૂતિ પ્રગટ કરશે, દુ:ખી થશે, દયા કરશે અને દુ:ખી સમજીને એમના માટે સહાયતા કે પ્રેમનો ભાવ રાખશે.  પરંતુ આ આશા ખાસ કરીને ઠગારી નીકળે છે.

આ દુનિયામાં એવો કાયદો છે કે જે સુખી, સ્વસ્થ, સમૃદ્ધ, સંપન્ન, સફળ સૌભાગ્યશાળી તથા સમર્થ હોય છે તેમને જ બીજાઓની સહાનુભૂતિ અને સદ્દભાવ મળે છે.  સહુ કોઈ પહેલાં પોતાના સ્વાર્થને મહત્વ આપે છે પછી બીજાની તરફ જુએ છે.  કમભાગીની આત્મકથા સાંભળીને સાંભળવાવાળો વિચારે છે એના પર નસીબનો કોપ છે, પાપોનું ફળ ભોગવી રહ્યો છે,  આળસુ કે અયોગ્ય છે, આવા માણસથી દૂર રહેવું જ સારું.  જો એની સાતે રહીશું તો કોઈને કોઈ રીતે ગુસ્સે થવું પડશે.  આવા મિત્રો રાખવાથી સમાજમાં મારી પ્રતિષ્ઠા ઘટશે.  આ બધી વાતોને વિચારતો, સાંભળનારો એ વખતે શિષ્ટાચાર ખાતર ચાર શબ્દો ભલે કહે કે ભાંગીતૂટી સહાયતાના ટુકડા ભલે  ફેકે પણ મનોમન તે ઠપકો આપ્યા કરે છે, શુષ્કતા અને ઉદાસીનતા પ્રગટ કરવા લાગે છે.  આ રીતે તે આશા નકામી સાબિત થાય છે, જેનાથી પ્રેરિત થઈને માણસ પોતાનાં દુ:ખો બીજાને સંભળાવે છે.

Post to Twitter Tweet This Post

શક્તિનો ભંડાર આપણું મન – ભાગ : 2

December 6th, 2009 No comments

શક્તિનો ભંડાર  આપણું મન

મન ખોલતી વખતે સાવધાન રહો -  શું કરવું જોઈએ :

તમે જે કાર્ય કરવાનું શરૂ કરો તેના પર મનને એકાગ્ર કરવાની ટેવ પાડો.  અર્ધા મનથી શરૂ કરેલું કાર્ય અધૂરું જ રહી જાય છે.  મનની એકાગ્રતાથી તમારી વાણીમાં આકર્ષણ પેદા થશે અને તમારી સામે રહેલ માણસને જ્યારે તમે કોઈ વાત કરશો તો તેનો પ્રભાવ અભૂતપૂર્વ થશે. પોતાની નિષ્ફળતાઓ અને ઊણપોને સમજો.  તેમના પર વિચાર કરો, પણ તેમનાં રોદણાં સહુની સામે ન રડો.  આ વિશે ખૂબ સાવધાની રાખો  પોતાને નિષ્ફળ, અભાગી જાહેર કરવાનું સ્પષ્ટ પરિણામ છે તમારી પ્રતિષ્ઠા ખોઈ નાખવી.  એટલી નવરાશ કોઈને નથી કે તમારું રોવું સાંભળી પોતાને દુ:ખી બનાવે.  દરેકની પોતાની મુશ્કેલીઓ હોય છે, તમારી મુસીબતો સાંભળીને પોતાના મનને દુ:ખી કરવું કોઈને સારું નહિ લાગે.

પોતાની નિષ્ફળતાઓને વારંવાર યાદ કરવાથી કે વર્ણન કરવાથી તમારી હિંમત તૂટી જાય છે અને મન પર અયોગ્યતાની છાપ પડે છે.

જે એક માણસને વારંવાર ગાંડો કહેવામાં આવે તો તે થોડા દિવસોમાં ખરેખર અડધો ગાંડો બની જશે.  કારણ એ છે કે સુષુપ્ત મન આદેશ ગ્રહણ કરીને તેને પોતાની અંદર ધારણ કરે છે અને પછી જીવનક્રમને એ બીબામાં ઢાળવા માંડે છે.  જો મનમાં આ વાત જામી જાય કે આપણે અભાગી છીએ, દીનદુ:ખી છીએ તો અંતરમન એ સૂચનાને સ્વીકારી લેશે અને જીવનક્રમનું નિર્માણ એ રીતે કરશે કે જીવન સાચેસાચ દુર્ભાગ્યથી ભરાઈ જશે.

જો તમે ભાગ્યશાળી બનવા ઈચ્છો છો, સોનેરી ભવિષ્યની આશા રાખો છો તો યાદ રાખો કે તમારા જીવનના પ્રેરક, સફળ, આનંદી પ્રસંગોને જ બીજાઓ આગળ રજૂ કરો. પણ સાવધાની રાખો, ક્યાંય તમારા વર્ણનમાં તમારો અહંકાર ન દેખાય.

આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :

એ બધું એવું જ હતું જેનો જીવનના જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં રહેતી વખતે તમે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ કહેવાયું તે આજના યુગની પરિસ્થિતિમાં જીવન જીવનારા સામાન્ય માણસે ભોગવેલી હતાશા, કુંઠા વગેરેને ઘ્યાનમાં રાખીને જ કહ્યું છે. એક બાજુ લોકોની શ્રદ્ધા-ભાવનાનું શોષણ કરીને આડંબરના માઘ્યમથી પરોપજીવી સાધુસંતોની ભીડ, બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાની શક્તિ આપવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે કેવી રીતે એવું જીવન જીવી શકાય કે જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ-ગરિમાથી સુશોભિત બની શકે?

આપણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ મેળવવાનું છે. રાતદિવસ સહુ એના પ્રયત્નોમાં મંડયા રહે છે. જે જેવી સ્થિતિમાં છે તેમાં એને આનંદની અનુભૂતિ થઈ રહી છે. ગામમાં રહેનારા એટલા માટે ખુશ છે કે એમને મુક્ત કુદરત, સ્વચ્છ હવા, પાણી અને અનેક કુદરતી સાધનો ભોગવવાની તક મળે છે. શહેરનો નિવાસી પણ એમનાથી ઓછો ખુશ નથી. એને પોતાની રીતના સાધન પ્રાપ્ત છે. તેને શિક્ષણ, સારવાર,મનોરંજન, આવાગમન વગેરેના એવાં સાધનસગવડ પ્રાપ્ત છે, જે ગામડામાં ઉપલબ્ધ નથી. કોઈ એક સ્થાન પર સ્થાયી રહીને સુખી છે, કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે. કોઈને ખેતીમાં આનંદ છે, તો કોઈને રોજગારમાં. સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે. દુકાનદારને પોતાની સ્થિતિ ગમે છે.

પોતાના આનંદની સામગ્રી દરેક શોધી રહ્યો છે અને એમાં જ આનંદનો અનુભવ કરે છે. તાત્પર્ય એ છે કે અહીં સહું આનંદનું જીવન જીવવા ચાહે છે. આનંદ ચિરસ્થાયી છે કે ક્ષણિક, ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક,આટલું જ વિચારવાનું બાકી રહે છે.

સુખ અને આનંદમાં ભેદ  :

આપણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયગમ્ય સુખ છે. તે ચિરસ્થાયી નથી, તે અસ્થિર અને કોઈ કોઈવાર તો ક્ષણિક હોય છે. ઉદાહરણ માટે આપણે કામભાવનાને જ લઈએ. મનના છ વિકારો : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં કામ સૌથી ભયંકર છે. તે આ બધા શત્રુઓનો સેનાપતિ છે. કામસુખ ક્ષણિક હોવા ઉપરાંત આપણા શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો નાશ કરે છે. સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલા માટે સહુને એ કલ્પના રહે છે કે, જાતજાતની મીઠાઈઓ, ફરસાણ, પકવાન વગેરે પ્રાપ્ત કરવામાં આવે. એનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે પણ છે, પરંતુ આ આનંદમાં દોષ છે. “ભોગથી રોગ ઉત્પન્ન થાય છે: એ કહેવત પ્રમાણે આ બધાં સુખોને, જેનાથી ઈન્દ્રિયોના વિષયો તૃપ્ત થાય છે, તેમને વાસ્તવિક આનંદની કક્ષામાં નથી મૂકી શકાતાં. તેમને માત્ર ‘સુખી કહેવું જ યોગ્ય લેખાશે.

પૂર્ણ આનંદ એ છે જેમાં વિકૃતિ ન હોય. કોઈ પ્રકારની આશંકા, અભાવ કે પરેશાની ન ઉઠાવવી પડતી હોય. સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ. એટલે તે અયોગ્ય હોય તો પણ એવું નથી લાગતું. એટલે આનંદની પરખ માટે કસોટી નક્કી કરવામાં આવી છે. શુદ્ધતમ આનંદપ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણ સાફ રાખવાની આવશ્યકતા અનુભવાય છે.

આપણે કોણ છીએ   :

લૌકિક આનંદ સિદ્ધિ દેનારો નથી, એનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો. વિચાર, બુદ્ધિ, તર્ક તથા વિવેકની જે સાધારણ તથા અસાધારણ શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે; ફકત સુખ મેળવવામાં જ લાગેલી રહે તો એમાં કંઈ નવાઈ નથી. જાણવા જેવી વાત એ છે કે જીવનદીપ બુઝાય તે પહેલાં શું આપણે પોતાની જાતને ઓળખી લીધી છે ? આપણે કોણ છીએ? આ પ્રશ્નનો ઉકેલ જાણવો તે સૌથી મોટી બુદ્ધિમાની છે. આત્મજ્ઞાન આનંદનું મુળ છે. જો માણસ આ વિશે અજ્ઞાની રહ્યો તો લૌકિક જીવનમાં ભટકવું પડશે. આત્માના શરણે જવાથી જ સિદ્ધિ મળી શકે છે. મનુષ્યની પરસ્પર આશંકાઓ આત્મજ્ઞાનના અભાવમાં દૂર થવી શક્ય નથી.

આપણે રોજ આનંદ મેળવવાનાં સાધનોમાં પરિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, એનાથી પણ સ્પષ્ટ છે કે, આપણને થોડા આનંદના બદલે વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ હોય છે. એક કપડું પહેરીએ છીએ, તો બીજી વાર તે કપડું સારું છે કે ખરાબ તે જાણી શકાય છે અને બીજી વાર કાપડ ખરીદતી વખતે એ ઘ્યાન રહે છે કે આ વખતનું કાપડ પાછલા દોષો વિનાનું અને કંઈક વિશેષ આકર્ષક હોય. પ્રથમ રુચિ પણ શુદ્ધ હોય છે, આનંદની પણ શુદ્ધિ હોય છે અને આપણે એક એવો આનંદ ચાહીએ છીએ, જે પૂર્ણ અન્દ સ્થાયી હોય. આવો આનંદ લૌકિક જીવનમાં મળી શકતો નથી. પછી પરલોક જીવનની વાત સામે આવે છે અને આત્મા – પરમાત્મા પર પણ ઘ્યાન જવા લાગે છે. આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.

દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક   :

તો પણ લોકોની સમજમાં આ વાત નથી આવતી અને તે દુન્યવી સુખોમાં જ આસક્ત બની રહે છે, કારણ કે આપણો દ્રષ્ટિકોણ જેવો બની ગયો છે એમાં કંઈ પરિવર્તન કરવા નથી ઈચ્છતા. સૂર્ય રોજ એના એ જ ક્રમમાં ઊગે છે. આપણો દ્રષ્ટિકોણ રોજ ઊગતા રહેતા સૂર્ય જેવો જ હોય છે, પરંતુ જો પોતાનો દ્રષ્ટિકોણ થોડો બદલીએ અને વિરાટ વિશ્વની મહાન ક્રિયાશીલ શક્તિના રૂપે આ સૂર્યનું ચિંતન કરીએ તો તે મહાપ્રાણ અનેક આશ્ચર્યોથી ભરેલો અને જીવનદાતા છે એ સમજાશે. દ્રષ્ટિકોણના પરિવર્તનથી સમજવાની સ્થિતિ બદલાય છે અને આપણે ધીરે ધીરે અધિક આનંદ તરફ પ્રયાણ કરીએ છીએ. દૈનિક જીવનમાં એવી અનેક વાતો આવે છે, જે આમ તો સામાન્ય જેવી લાગે છે, પરંતુ તે પોતાની અંદર ખૂબ મોટું આશ્ચર્ય અને વિજ્ઞાન છુપાવી રાખે છે. આપણો દ્રષ્ટિકોણ બોધક ન હોતાં નિરર્થક હોય છે, એટલે મહત્વની વસ્તુઓને છોડી દઈએ છીએ અને ફકત એવાં સુખોના ચિંતનમાં ડુબી જઈએ છીએ, જે સ્થુળ પ્રયોગમાં આવી ચૂકયાં હોય છે.

દ્રષ્ટિકોણ બદલાય છે તો બધી ચીજો બદલાયેલી દેખાય છે. જગદ્દગુરુ શંકરાચાર્યે બતાવ્યું છે કે, ‘આ દુનિયા રણપ્રદેશ છે. એમાં સુખ ઈચ્છતા હોય તો પ્રભુનું શરણ સ્વીકારો, આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ પ્રભુપરાયણતા કે આત્મચિંતનમાં જ છે. આ દૈવી સંપત્તિ છે, પણ આ વાત સમજમાં નહીં આવે, કેમ કે અત્યાર સુધી આપણે સુખ અને સંસાર તરફથી આપણી દ્રષ્ટિ નથી બદલી, દ્રષ્ટિકોણ બદલાતાં સર્વત્ર આનંદ જ ફેલાયેલો દેખાશે.

આપણે ભોગોથી આનંદ અનુભવતાં એ જાણતા નથી કે આ દુનિયામાં બીજી ઘણી શ્રેષ્ઠતાઓ છે. જો આત્મા અને પરમાત્માના અસ્તિત્વની વાત સમજમાં આવી જાય તો ભોગને બદલે ત્યાગમાં જ આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિનપ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધતા ચાલીશું. પછી એ ફરિયાદ નહીં રહે કે ઈશ્વરચિંતનમાં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતાનો પ્રશ્ન છે. જે રીતે બધી ચેષ્ટાઓ ભૌતિક ઉન્નતિમાં લાગી છે એ રીતે આઘ્યાત્મિક પ્રાપ્તિમાં જ મન લાગી શકે છે, પણ પહેલાં પોતાનું ઘ્યેય નક્કી કરવું પડશે. પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિએ પૂરું કરવું જોઈએ કે આપણે શરીર નહિ, આત્મા છીએ

આઘ્યાત્મિક આનંદ

ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં હજાર ગણો શ્રેષ્ઠ છે. એટલા માટે વિદ્ધાન પુરુષો હંમેશા એ પ્રેરણા આપે છે કે, માણસ શારીરિક હિતોને પૂરાં કરવામાં જ રચ્યોપચ્યો ન રહે. મનુષ્ય જીવન જેવી અસાધારણ ભેટ પર પણ (જેનો ઉલ્લેખ યુનિટ 1 થી જ કર્યો છે આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરો. બંધનમોકત આનંદ જ સ્થાયી હોય છે. વિષયજન્ય સુખોની અનુભૂતિ તો થાય છે, પણ જેને આપણે યોગ્ય સમજીએ છીએ તે દુ:ખદાયક હોય છે. આનંદની કલ્પનાથી કરેલું કર્મ જો નિક્ષેપ પેદા કરે તો એ આનંદને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યોચિત ન સમજવો જોઈએ.

પ્રશ્ન એ છે કે આપણે આનંદ મેળવવા તરફ આગળ વધીએ. એ તો આપણે કરી જ રહ્યા છીએ. હર ઘડી આનંદની શોધમાં જ આપણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે છે કે આપણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કઈ રીતે થાય?એના માટે કોઈ મોટા પરિવર્તનની જરૂર નથી. ઘરગૃહસ્થીનો ત્યાગ પણ કરવાની કે વિચિત્ર વેશભુષા પણ કરવાની જરૂર નથી ફકત સાચા દ્રષ્ટિકોણથી આ જીવનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આપણે શરીરનાં હિત તો પૂરાં કરીએ, પરંતુ શરીરમાં વ્યાપેલો જે આત્મા છે એને ન ભૂલીએ. આત્મા આપણાં અજ્ઞાન, આસક્તિ અને અભાવોને દૂર કરવામાં સક્ષમ છે. આ ત્રણ દોષો વિઘ્ન પેદા ન કરે તો આપણે જે આનંદની શોધમાં છીએ તે એ જ જીવનક્રમથી મળી શકે છે. આત્માના વિકાસથી અમર્યાદિત, સનાતન આનંદ પ્રાપ્ત થઈ શકે છે.

આજનો સમય ભયંકર આ૫ત્તિઓથી ભરેલો છે. એવામાં પોતાનાં સમય, શ્રમ, ધન અને પ્રતિભાનો થોડો ભાગ પીડિત સમાજ માટે, ત્રાહિમામ્  પોકારતી માનવતા માટે ખરચવામાં જો આ૫ણે આનંદ મેળવી શકીએ, તો જીવન ધન્ય થઈ જશે અને આવનારી પેઢી આ૫ણને ધન્યવાદ આ૫શે. આ૫વાના સુખથી વધારે શ્રેષ્ઠ બીજું કયું સંખ છે? પોતાના પ્રિય માટે પોતાનું સર્વસ્વ આપીને ૫ણ આનંદની અનુભૂતિ થાય છે. દેવો પાસે મદદ માગવાની વાત તો હંમેશા ચાલે છે, ૫ણ કોઈક એવા ખાસ સમય ૫ણ આવે છે, જયારે દેવતા મનુષ્ય પાસે માગણી કરે છે. આવો અવસર કોઈ ભાગ્યશાળીને જ મળે છે, જયારે તેઓ દેવોની મનોકામના પૂરી કરવામાં સમર્થ બની શકે. દશરથે દેવોની સહાય કરવા જવું ૫ડયું હતું. અર્જુન ૫ણ ગયો હતો. દધિચીએ ઉદારતાથી તેમને દાન આપ્યું હતું.

કૃષ્ણ સાધુના વેશમાં ઘાયલ કર્ણની પાસે ૫હોંચ્યા હતા. વામને બલિ આગળ હાથ લંબાવ્યો હતો. રામે શબરી પાસે બોરની માગણી કરી હતી. સંદામાં પાસે તાંદુલ માગ્યાં હતાં. અંગદ અને હનુમાને દેવતાઓ પાસે પોતાની કામનાઓ પૂરી નહોતી કરાવી, ૫રંતુ તેમની કામનાઓ પૂરી કરી હતી. આ પ્રસંગે ઋષિની ૫રં૫રા યાદ આવે છે. વિશ્વામિત્રે હરિશ્ચંદૃ પાસે ઉદ્રાલકે આરુણી પાસે ચાણકયે ચંદ્રગુપ્ત પાસે, સમર્થ રામદાસે શિવાજી પાસે, ૫રમહંસે વિવેકાનંદ પાસે, વિરજાનંદે દયાનંદ પાસે કંઈક માંગ્યું હતું અને સુપાત્ર શિષ્યોએ મન મૂકીને આપ્યું ૫ણ હતું. બુદ્ધ અને ગાંધીજીની ઝોળી આદિથી અંત સુધી ફેલાયેલી હતી. આ૫નારા ખોટમાં નથી રહેતા. લેનારા જેટલા ધન્ય બન્યા એનાથી વધારે શ્રેય આ૫નારાને મળ્યું. માંધાતાએ શંકરાચાર્યને આપ્યું હતું, એનાથી વધારે મેળવ્યું, અંગુલિમાલ, આમ્રપાલી, હર્ષવર્ધન અને અશોક બુદ્ધને આ૫તી વખતે ઉદારતાની ચરમ સીમા સુધી ૫હોંચ્યા હતા.

ગાંધીના સત્યાગ્રહીઓએ અનુદાનોનો વરસાદ વરસાવ્યો હતો. આ૫ણે જાણીએ છીએ કે જે આ૫વામાં આવ્યું હતું તે નકામું નથી ગયું, ૫રંતુ અનેકગણું થઈને એ ઉદાર મન ઉ૫ર દૈવી વરદાનની જેમ એ રીતે વરસ્યું કે તેઓ કૃતકૃત્ય થઈ ગયા. ધનવાન ફકત ભામાશાહ જ નથી થયા. મરણ ફકત ભગતસિંહના કિસ્સામાં જ નથી આવ્યું. ફકત નહેરૂ કે ૫ટેલ જ જેલમાં નથી ગયા. મુસીબતો ઘણાને આવે છે, ત્યાગવા માટે દરેકે લાચાર બનવું ૫ડે છે. કોઈની પાસેથી ચોર ઝૂંટવી જાય છે, તો કોઈની પાસેથી પુત્ર. પેટ ભરવા અને તન ઢાંકવા સિવાય બીજું કશું કોઈની પાસે રહેતું નથી. જો અજાણ્યા માટે જ સર્વસ્વ છોડવાનું હોય તો ૫રાયાની કક્ષા કેમ ઊંચે ન લઈ જવામાં આવે ? જયારે પોતાની કમાણી, શ્રમ, કેમ ઊંચે ન લઈ જવામાં આવે ? જયારે પોતાની કમાણી, શ્રમ, સહયોગ વગેરે કોઈને આ૫વાં હોય છે તો, તેને દેવો, શ્રૃષિઓ તથા સારા ઉદ્રેશ્યો માટે કેમ આ૫વામાં ન આવે ? આ ઉદાર નીતિ સ્વીકારનારા બેંકમાં જમા કરેલી મૂડીની જેમ વ્યાજ સાથે મોટો લાભ મેળવે છે, જયારે મોહની ખાઈમાં ધકેલાયેલી સફળતાઓ ફકત નકામી નથી જતી, ૫રંતુ વિધાતક પ્રતિક્રયા ૫ણ પેદા કરે છે.

આ માટે બીજું કંઈ કરવાનું નથી. વાત ફકત દ્રષ્ટિકોણ બદલવાની છે. જે કંઈ પોતાના ૫રિવાર માટે કરીએ છીએ, તેનો એક ભાગ જો દેશ અને સમાજ માટે ખરચીએ તો ભગવાનના કામમાં સહાયક બનવાનું શ્રેય પામી શકીશું. બસ દ્રષ્ટિ બદલીને તો જુઓ. તમે અસ્થિર સુખના નાનકડા વર્તુળમાંથી નીકળીને અખંડ આનંદના સામ્રાજયના અધિકારી બની જશો. પ્રયાસ કરો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે

Post to Twitter Tweet This Post

યુગ ઋષિની અમરવાણી ભાગ – 1/2 : પં. શ્રી રામ શર્મા આચાર્ય

December 5th, 2009 No comments
Shriram Sharma Acharya
વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી   અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના  અમૃત વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે.

નાની શક્તિથી કાર્યની શરૂઆત કરીએ :

જો તમારી પાસે મનોવાંછિત વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ પણ આવશ્યકતા નથી. આપણી પાસે ટૂટીફૂટી વસ્તુઓ છે તેની સહાયતા લઈને તમારી કળાનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દો. જ્યારે ચારે બાજુ ખૂબ અંધકાર છવાયેલો હોય છે ત્યારે તે દીપક કે જેમાં નવટાંક માટી, પાંચ રૂપિયાનું તેલ અને બે રૂપિયાની બત્તી છે. બધું મેળવીએ તો થોડા રૂપિયાની પણ પૂંજી નથી, છતાં ચમકે છે અને પોતાના પ્રકાશથી લોકોનાં રોકાયેલાં કાર્યોને શરૂ કરી આપે છે. જ્યારે હજારો રૂપિયાની કિંમતવાળી વસ્તુઓ ચૂપચાપ પડી રહે છે. થોડા રૂપિયાની પૂંજીવાળો દીપક પ્રકાશવાન હોય છે,જો તમારી પાસે મનોવાંછિત વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ પણ આવશ્યકતા નથી. આપણી પાસે જ ટૂટીફૂટી વસ્તુઓ છે તેની સહાયતા લઈને તમારી કળાનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દો. જ્યારે ચારે બાજુ ખૂબ અંધકાર છવાયેલો હોય છે ત્યારે તે દીપક કે જેમાં નવટાંક માટી, પાંચ રૂપિયાનું તેલ અને બે રૂપિયાની બત્તી છે. બધું મેળવીએ તો થોડા રૂપિયાની પણ પૂંજી નથી, છતાં ચમકે છે અને પોતાના પ્રકાશથી લોકોનાં રોકાયેલાં કાર્યોને શરૂ કરી આપે છે. જ્યારે હજારો રૂપિયાની કિંમતવાળી વસ્તુઓ ચૂપચાપ પડી રહે છે. આ થોડા રૂપિયાની પૂંજીવાળો દીપક પ્રકાશવાન હોય છે,

પોતાની અગત્યતા પ્રગટ કરે છે,લોકોને પ્યારો બને છે, બતાવવાનું કાર્ય કરતાં પોતાના અસ્તિત્વને ધન્ય બનાવે છે. શું કયારેક દીપક દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારી પાસે આટલા મન તેલ હોત, આટલા શેર રૂ હોત,એટલો મોટો મારો આકાર હોત તો આટલો મોટો પ્રકાશ કરત. દીપકને કર્મહીન નાસમજની જેમ બેકાર શેખચલ્લીઓ જેવા વિચારો કરવાની ફુરસદ નથી.

તે પોતાની આજની પરિસ્થિતિ, યોગ્યતા અને સમયને જુએ છે. તેનું સન્માન કરે છે અને પોતાની (પવિત્ર) માત્ર થોડા પૈસાની પૂંજીથી કાર્યની શરૂઆત કરે છે. તેનું કાર્ય નાનું જરૂર છે, પરંતુ તે નાનામાં પણ સફળતાનું એટલું મહત્વ છે જેટલું કે સૂર્ય અને ચંદ્રની ચમકતી સફળતાનું છે.

યોગ્યનો સ્વીકાર કરીએ : તમારું કાર્ય કેવળ કોઈની આજ્ઞાનું પાલન કરવું, કોઈના ઈશારા પર નાચવું કે કોઈના આંધળા ભક્ત બનવાનું નથી. પરંતુ હોવું જોઈએ કે ઉચિત, આવશ્યક, લાભદાયક, ધર્મસંગત, વિવેકપૂર્ણ કાર્યોને કરવાં, નીતિને અપનાવ્યા બાદ સામાન્ય રીતે લોકોની નારાજગી, નિંદા, તિરસ્કાર, બૂરાઈ તથા વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ધર્મમય જીવનના માર્ગમાં મુખ્ય અડચણો છે, જેમણે અડચણોને તુચ્છ સમજીને ઠુકરાવી દીધી, તે આગળવધી જાય છે.

જે કોઈ આવનાર વિઘ્નોથી ડરી જાય તેણે પશ્ચાત્તાપ અને શોકમય જીવન વિતાવવું પડે છે. તમે કોઈ વાતનો સ્વીકાર કરો એટલા માટે કે તેને ઘણા લોકો, બુઢ્ઢા લોકો, અમીર લોકો કહે છે. સત્યની કસોટી નથી કે તેને ઘણા બુઢા અને ધનવાન લોકો કહે છે. સત્ય હંમેશા ઉચિત, આવશ્યક, ન્યાયયુક્ત તથ્યોથી અને ઈમાનદારીથી પૂર્ણ હોય છે. થોડી સંખ્યામાં, નાની સંખ્યામાં, નાની ઉંમરના ગરીબ લોકો પણ જો તેને કહે તો તે માન્ય છે. કેવળ ફકત તમારો આત્મા જો સત્યની બૂમ પાડતો હોય, તો તે બૂમ લાખો મૂર્ખોની બકવાસ કરતાં અધિક મૂલ્યવાન છે. જે વાજબી છે તે ગ્રહણ કરવા યોગ્ય છે. તે સ્વીકાર કરવા યોગ્ય છે.

આપણું વચન અને કાર્ય સાચું હોવું જોઈએ : કોઈ મનુષ્ય મોંથી મોટી મોટી વાતો કરે અને પેટમાં અસત્યને છુપાવી રાખે તો તે બનાવટ વધુ સમય સુધી ટકી શકતી નથી. અવાજમાં, શબ્દોના ઉપયોગમાં, મોઢા ઉપર તથા શરીરના હલન ચલનમાં સત્ય અને અસત્ય ચોખ્ખું દેખાઈ આવે છે. જૂઠા માણસની વાણીમાં મૂંઝવણ તથા ચહેરા ઉપર નિસ્તેજતા હોય છે. આંખો મેળવતાં તે અચકાય છે. શંકા અને ભયથી તેનું મન અસ્થિર અને ચિંતિત દેખાય છે. અસત્ય વાત થોડી એવી અસ્વાભાવિક હોય છે કે સાંભળવાવાળાના મનમાં અનાયાસે અવિશ્વાસના ભાવ ઉત્પન્ન થતા હોય છે. સદીમાં અસત્યનો ઘણો પ્રચાર છે. બહુ કલાત્મક રીતે તે ખોટું બોલવામાં આવે છે તો પણ તેને એવું નથી બનાવાતું કે પકડાઈ શકે.

યાદ રાખો કે ખોટું ખોટું છે. તે આજે નહીં તો કાલે પકડાઈ જવાનું છે. અસત્યનો જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે તે મનુષ્યની બધી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે. તેને ભરોસા વગરનો લુચ્ચો અને તુચ્છ મનુષ્ય ગણવામાં આવે છે. ખોટું બોલવાથી તાત્કાલિક તો થોડો લાભ જરૂરથી મળશે પરંતુ તમે તેની તરફ લલચાશો નહીં કેમ કે તે થોડા લાભની સામે બદલામાં અનેકગણું નુકસાન થવાની સંભાવના રહેલી છે. તમે તમારાં વચન અને કાર્યો દ્વારા સચ્ચાઈનો પરિચય આપો. સત્ય બી જેવું છે જે આજે નાનું દેખાય છે, પરંતુ તેનું પરિણામ ફુલ-ફળથી લચેલું મહાન વૃક્ષ છે. ઊંચું અને પ્રતિષ્ઠાથી ભરેલું જીવન જીવવા માંગતા ઈચ્છુકોએ દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે પોતાનાં વચન અને કાર્યો સત્યભર હશે.

પોતાની શક્તિઓનો વિકાસ કરો : પરમેશ્વર દ્વારા દરેકને શક્તિઓ આપવામાં આવી છે. એવું નથી કે કોઈનામાં વધારે અને કોઈમાં ઓછી. કોઈની સાથે ખાસ લાગવગ કરી હોય. પરમેશ્વરને ત્યાં અન્યાય નથી. દરેક અદ્દભુત શક્તિઓ તમારા શરીરમાં હયાત છે. તમે તે શક્તિઓને જાગૃત કરવાનું કષ્ટ નથી કરતા. કેટલીય શક્તિઓની પાસેથી કાર્ય લઈ તમે તેને નકામી બનાવી દીધી છે. બીજી વ્યક્તિઓ તે શક્તિને કોઈ એક વિશેષ દિશામાં વળાંક આપીને વધુ પરિપુષ્ટ અને વધુ ખીલવે છે. પોતાની શક્તિઓને જાગૃત તથા ખીલવવી અથવા તો તેને મંદ, પાંગળી, અનુપયોગી કરવી તમારા પોતાના હાથમાં છે. યાદ રાખો કે સંસારની પ્રત્યેક ઉત્તમ વસ્તુ ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર છે. જો તમે તમારા મનની ગુપ્ત મહાન શક્તિઓને જાગૃત કરી લો અને લક્ષ્ય તરફ પ્રયત્ન અને મહેનત સાથે ઉત્સાહપૂર્વક આગળ વધવાનું શીખી લો તો જેવું ઈચ્છો તેવું આત્મનિર્માણ કરી શકો છો. મનુષ્ય જે વસ્તુની ઈચ્છા રાખે છે, એના મનમાં જે મોટાઈ મેળવવાની ઈચ્છાઓ પ્રગટે છે અને જે જે આશાપૂર્ણ વિચારોના તરંગ ઊભરે છે તે ચોક્ક્સ પૂર્ણ થાય છે, જો તે દ્રઢ નિશ્ચય દ્વારા પોતાની પ્રતિજ્ઞાને જાગૃત કરી લે.

એટલા માટે પ્રતિજ્ઞા કરી લો તમે ભલે ગમે તે હો, જે સ્થિતિ, જે વાતાવરણમાં હો, તમે એક કાર્ય અવશ્ય કરશો, અને તે કે તમારી શક્તિઓને ઊંચીને ઊંચી બનાવશો.

કર્તવ્યનું પાલન કરો : કર્તવ્ય તે કાર્ય છે જે કરવાનું આપણો ધર્મ છે અને જે કરવાથી આપણે અન્ય લોકોની નજરમાં નીચા પડીએ છીએ અને ચરિત્રની દ્રષ્ટિએ અન્યથી નીચા બનીએ છીએ.

દ્રઢ વિશ્વાસ રાખો કે જ્યારે પણ તમારું મન કોઈ કાર્યને કરતાં અચકાય અથવા તો દૂર ભાગે ત્યારે તે કાર્ય કરો. તમને ધર્મનું પાલન કરવામાં તકલીફ તો પડશે , પરંતુ ધૈર્ય તોડશો. તમારો પડોશી ઠગવિધા અને અસત્યનો આશરો લઈ ધનાઢય થઈ ગયો અને તમે નિર્ધન રહ્યા તેમાં શું થયું ? તેમાં શું કે બીજા લોકોએ ખોટી ખોશામત કરીને મોટી મોટી નોકરીઓ મેળવી લીધી અને તમને કશું મળ્યું અને તેમાં શું થયું કે બીજા નીચ કાર્યો કરી સુખ ભોગવે છે અને તમે સદા દુ:ખમાં રહો છો. તમે તમારા કર્તવ્યધર્મને કદી છોડતા અને જુઓ કે તેમાં કેટલાં સંતોષ અને સન્માન મળે છે.

કંઈક લોભાવનારું જોઈને લપસી પડતા. પાપનું આકર્ષણ શરૂઆતમાં ઘણું લલચાવનારું દેખાય છે, પરંતુ અંતમાં તો નુકસાની મળે છે. જે તેની વાતોમાં આવી ગયું તેને જુદી જુદી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. સાવધાન રહો. લોભમાં ફસાવ, ભલે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ કર્તવ્ય દ્રઢ રહો. કર્તવ્ય પ્રત્યે દ્રઢ રહેનાર મનુષ્ય સાચો મનુષ્ય કહેવડાવવાને અધિકારી બને છે

આત્મસન્માનની રક્ષા કરો : જો તમે આત્માનું હનન કરતા હો તો, પોતાના વિષયમાં હલકો ભાવ રાખતા હો તો તમે ભાવનાઓની બીમારીમાં ફસાયેલા છો. બીમારી તમને તમારી મોટાઈનો અનુભવ થવા દેતી નથી. આનાથી છૂટવાનો ઉપાય છે કે તમે કાર્યોને ભાવનાની ચિંતા કર્યા વગર પૂર્ણ કરતા જાઓ. નિયમ બનાવી લો કે તમે પોતે કરેલા કોઈ પણ કાર્યની નિંદા કરશો નહીં. પોતાના વિષયમાં ઉચ્ચ અને પવિત્ર કલ્પના કરી લો અને તેને સમર્થન આપતા રહો. કાર્ય કરવાની તમારી હીનતા અદ્રશ્ય થતી જશે. વધારે વિચાર કરવાથી તે તીક્ષ્ણ બનતી જશે. ઓછું વિચારો અને કાર્ય વધુ કરો. જે વ્યક્તિ પોતાની નિંદા કરે છે અને ભૂલ શોધ્યા કરે છે તે આત્મવિકાસ અને શુદ્ધિ રોકી રહ્યો છે.

તમે તમારા સંતોષ અને ઉત્સાહ માટે બીજા ઉપર નિર્ભર રહો. બીજાનું અનુકરણ કરો. એવું કરવાથી તમારી મૌલિકતા, ગુણ, વિશેષતા પ્રગટ નથી થતી. કોઈ કાંઈ પણ કહે મનનું ધાર્યુ કરો. તમે પોતે વિચારો કે ઉત્તમ શું છે? તમારી વિશેષતાઓ બહાર આવશે અને લોકો ચમકશે.

માનસિક દ્રષ્ટિકોણથી બાળક બનો. સંસારની ડરામણી ચીજો, આપત્તિઓ અને સંઘર્ષને સહન કરવાની આત્મશક્તિનો નિરંતર વિકાસ કરતા રહો.

આશાવાદી બનો : આપણે કરવાથી કશું નથી થવાનું એવો નિરાશાવાદી વિચાર સફળતાનો નાશ કરતો શત્રુ છે. આશાવાદ ઘણી મોટી ઉત્પાદક શક્તિ છે. જીવનનું મૂળ છે. તેની અંદર પ્રત્યેક વસ્તુ નિવાસ કરે છે. તે માનસિક ક્ષેત્રમાં પ્રવેશતાં મોટો લાભ પહોંચાડે છે. એટલા માટે જેને નિરાશાથી છુટકારો મેળવવાની ઈચ્છા હોય તેણે વાજબી છે કે પોતાના મનની સ્થિતિને ઉત્સાહપૂર્ણ, વધારનારી, ઉદાર અને નરમ રાખે.

તમે નિરાશ એટલા માટે છો કે ભય અને સંદેહ તમારા અંત:કરણ ઉપર છવાઈ ગયાં છે. તમને તમારી યોગ્યતાને માટે અવિશ્વાસ થઈ ગયો છે. તમને સફળતા અને દુર્ભાગ્યની માનસિક પ્રવૃત્તિઓએ પરાસ્ત કરી દીધા છે અને હીણી ભાવનાઓએ તમારા માનસિક જગતમાં તોફાન ઉત્પન્ન કરીને તમને અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. વિચારોની પરાધીનતા તમને ડુબાડી રહી છે.

યાદ રાખો જ્યાં સુધી તમે કોઈ કાર્યમાં હાથ નહીં નાખો ત્યાં સુધી તમને તમારી શક્તિનો અંદાજ નહીં આવે. મનુષ્ય જ્યાં સુધી પોતાની જાતને ઓળખી લે કે તે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે ત્યાં સુધી તે પાંગળો છે.

તમારે જે કાંઈ શ્રેષ્ઠ, છે તે કરવું છે, જે કાંઈ તમારો અંતરાઆત્મા કહે છે, તેને દ્રઢ સંકલ્પપૂર્વક જરૂરથી શરૂ કરો. ડરો નહીં, શંકા, સંદેહ કે અવિશ્વાસની કોઈ વાત વિચારો પરંતુ કાર્યની શરૂઆત કરો. પ્રત્યેક મનુષ્ય કંઈક જરૂરથી કરી શકે છે અને કરશે. જો કાર્યરત્ બની હિંમત નહીં હારે, હિંમત હંમેશા દાવ જીતે છે.

તમે તમારી શક્તિ અને માનસિક બળની અભિવૃદ્ધિ કરતા રહો. સંસારમાં જે કરોડો મનુષ્ય નિરાશ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ આત્મવિશ્વાસની કમી છે. શ્રદ્ધા ગુમાવી બેઠા છે અને ખરાબ કારણ વગરના વિચારોના તેઓ કોળિયા બની બેઠા છે. તમે કાયમ આનાથી બચતા રહો. હંમેશા આંતરિક મનની ઊંચી ભાવનાઓ પ્રત્યે લક્ષ્ય રાખો અને પોતાની દરેક શક્તિમાં અખંડ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખો. કોઈ ખાસ મર્યાદા સુધી ફકત ઉપરછલ્લો વિશ્વાસ રાખતાં આંતરિક તળિયા સુધી દ્રઢતાથી વિશ્વાસની કાયમી છાપ જમાવી દો. પછી વિશ્વાસનાં સુમધુર ફળ જુઓ. તમારી દરેક નિરાશા રફુચક્કર થઈ જશે.

આજથી તમે તમારી ક્ષુદ્રતાનું ચિંતન છોડો. જ્યારે પણ સૃષ્ટિની વિશાળતાનો વિચાર કરવા બેસો ત્યારે પોતાના મન, શરીર, આત્માની મહાન શક્તિઓ ઉપર ચિત્ત એકાગ્ર કરો. શક્તિના આ કેન્દ્ર ઉપર મન સ્થિર રાખવાથી કોઈ કમજોરી તમારા અંત:કરણમાં પ્રવેશ કરી શકશે નહીં.

મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા : આપણા પ્રિયજનોનો વિયોગ થવાથી આપણે ગભરાઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને ચાલી ગયા. આ વિષયમાં ગભરાઈ જવાથી થોડું ચાલશે. શું તે આપણું દુ:ખ જોઈ પરત આવશે? જો ના, તો આપણું દુ:ખી થવું વ્યર્થ છે. પછી આપણે ગભરાઈ જવાનું કોઈ વાજબી કારણ પણ નથી કેમ કે જેણે જન્મ ધારણ કર્યો છે, તેણે એક દિવસ મરવાનું તો છે જ. જેનો જન્મ છે તેનું મૃત્યું નિશ્ચિત છે. સંપૂર્ણ સૃષ્ટિના પિતામહ બ્રહ્મા છે. સમગ્ર સૃષ્ટિ તેમનાથી જ ઉત્પન્ન થઈ છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ પણ નથી રહેતા કારણ કે તેઓ પણ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલયમાં તેઓ પણ વિષ્ણુંના શરીરમાં વિલીન થઈ જાય છે.

આ અટલ સત્ય છે કે આવનારી વસ્તુનો નાશ થશે જ તો પછી તમે તે પ્રિયજનનો શોક શું કામ કરો છો? તણે તો મરવાનું હતું જ, આજે નહિં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે. કાયમ કોઈ જીવતું રહ્યું છે કે તે રહેશે. જ્યાંથી આવ્યો હતો ત્યાં જતો રહ્યો. એક દિવસ તમારે પણ જવાનું છે. જે દિવસો શેષ રહ્યા છે તેને ધૈર્યની સાથે સદ્દગુણીના ગુણોના ચિંતનમાં વિતાવશો.

શરીરધારી એવું કોઈ પણ નથી જેણે મુશ્કેલીઓનાં કડવા ફળનો સ્વાદ ચાખ્યો ન હોય. દરેક જણ અવશ્ય પ્રાપ્ત થવાવાળાં કર્મોના સ્વાદથી પરિચિત છે, પછી આપણે ગભરાયેલા કેમ છીએ? આપણે ગભરાઈશું તો આપણા આશ્રિતો પણ દુ:ખી થશે. એટલા માટે આપણે ધૈર ધરીને તેમને કેમ ન સમજવીએ? જે થવાનું છે તે થશે જે. બસ, વિવેકી અને અવિવેકીમાં આ જ અંતર છે. વૃદ્ધાવસ્થા, મૃત્યું અને બીમારી બંનેને થવાની છે પરંતુ વિવેકી તેને અવશ્ય બનવાનું સમજી ધૈર્યની સાથે સહન કરે છે અને અજ્ઞાની વ્યાકુળ બની મુશ્કેલીઓને વધુ મુશ્કેલ કરે છે. મહાત્મા કબીર આ વિષય માટે કહે છે,

જ્ઞાની કાટે જ્ઞાને સે, અજ્ઞાની કાટે રોય,મૌત, બુઢાપા, આપદા, સબ કાહું કો હોય !!

જે ધૈર્યનો આશરો નથી લેતા તે નરમ બની જાય છે, સંસારમાં બીજા ઉપર આધારિત બનવું, બીજાની પાસે જઈ કરગરવું, કોઈની પાસેથી લાલચ રાખવી આનાથી વધારે દુ:ખ બીજું કોઈ નથી. એટલા માટે જ મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય રાખીને મુશ્કેલી દૂર કરવાનાં કારણો શોધી અનુકૂળતા સર્જવાના પ્રયત્નો કરવા. જેટલી શક્તિ ગભરાઈ જવાથી દુ:ખી થવામાં ખર્ચાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં લગાડાય તો વધુ મુશ્કેલીઓ દૂર કરવાના રસ્તા મળી આવે છે.

જીવન શું છે ? : ખાવું, પીવું, પચાવવું, શ્વાસ લેવા વગેરે શરીરમાં નિત્ય થતા કાર્ય માત્ર શું જીવન છે અથવા શું ધન, સંપત્તિ, નામ, યશ મેળવવા માટે કરવામાં આવતી તરકીબ અને ઉપાયોનો વિચાર કરવો ફકત જીવન છે અથવા સૃષ્ટિની પરંપરાને ચલાવવા માટે સંતાનોની ઉત્પત્તિ કરતા રહેવું જીવન છે.

જીવન બે પ્રકારનાં હોય છે. એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિચારવું, જાણવું, ઈચ્છા કરવી, ભોજન કરવું અને તેનું પરિણામ મેળવવું, શ્વાસ લેવો વગેરે જે કાર્યો છે તે જીવન છે. પરંતુ આવું જીવન અમર નથી હોતું. આવું જીવન સુખ-દુ:ખ, ચિંતા-પીડા, મુશ્કેલી, પાપ, ઘડપણ વગેરે રોગના શિકાર બની જાય છે.

પ્રાચીન મહર્ષિ, યોગી અને તપસ્વીઓએ પોતાના આત્માને ઓળખીને ખાતરીપૂર્વક કહ્યું કે જે આત્મામાં લીન છે ફકત તેઓ સ્થિર અને અપાર આનંદ તથા અમરતત્વ મેળવી શકે છે. ગુરુવચન, શાસ્ત્રોમાં જે લોકોને અતૂટ શ્રદ્ધા છે તે સૌ આધ્યાત્મિક અને સત્યના માર્ગ ઉપર નિર્ભય થઈ પ્રવાસ કરે છે અને સ્વતંત્રતા, પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરે છે. તેઓ સત્ ચિત આનંદ બ્રહ્મમાં કે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. આ માનવજીવનનું સાચું ધ્યેય અને પરમ ઉદ્દેશ્ય છે. આ અંતિમ લક્ષ્ય છે. આત્મસાક્ષાત્કારને માટે પ્રયત્ન કરવો મનુષ્યનું પરમ કર્તવ્ય છે.

જીવન યુદ્ધમાં વિજયી હો : પોતાના આદર્શ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે કરવું પડતું યુદ્ધ જીદંગી છે. યુદ્ધમાં વિજ્ય મેળવવો જીવન છે. અનેક પ્રકારની જાગૃતિઓને જીવન કહે છે. મન અને ઈન્દ્રિયો ઉપર વિજ્ય પ્રાપ્ત કરો, તમારા ખરા શત્રુ છે. પોતાની બ્રાહ્ય અને આંતરિક પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરો. આપણી જૂની ખરાબ આદતો તથા કુવિચારો અને કુસંસ્કારો, કુવ્યસનોને અવશ્ય જીતવાં પડશે. રાક્ષસી શક્તિઓ સાથે યુદ્ધ કરવું પડશે, વિજય પ્રાપ્ત કરવો પડશે. અધ:પતનની તરફ લઈ જતી વાસનાઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે. તમારો જન્મ આત્મસાક્ષાત્કાર કરવા માટે થયો છે. ફળની ઈચ્છાવાળાં કાર્યો દ્વારા પોતાના મન અને બુદ્ધિને શુદ્ધ કરો. ઈન્દ્રિયોને અંકુશમાં રાખી પોતાના સ્વરૂપમાં સ્થિર બનો.

જીવન-યુદ્ધમાં તમને દરરોજ આઘાત લાગે છે. જ્યારે નુકસાન થાય છે, ત્યારે મન આધ્યાત્મિક માર્ગ તરફ ઢળે છે અને ત્યારે સાંસારિક કાર્યો પ્રત્યે ધ્યાન રહેતા અનિચ્છા થાય છે. સાંસારિક માયાથી ઉદ્ધાર પામવાથી ઉત્કંઠા જાગૃત થાય છે. એટલા માટે ઊંડી ધારણા અને ધ્યાનમાં લાગી જાઓ.

આધ્યાત્મિક જીવન જીવો : આધ્યાત્મિક જીવન કેવળ ગપસપ કે ફકત આવેશ માત્ર નથી. આ જ સાચું આત્મસ્વરૂપ જીવન છે. આ વિશુદ્ધ આનંદ અને સુખનો ઉત્તમ અનુભવ છે. આને જ પૂર્ણતા પ્રાપ્ત જીવન કહે ચે. શું તમે અક્ષય આનંદ અને પરમસુખની અમરપદની પ્રાપ્તિ માટે લલચાયેલા નથી? જો હા તો આવો, પોતાની ઉપર અને ઈન્દ્રિયો પર સંયમ રાખીએ, સદ્દગુણોને શીખીએ. આત્માના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરો તો જ તમે તે ઘણા ગંભીર, અપાર આનંદ અને અમરત્વને પામી શકશો. ફકત ત્યારે તમે અમરપદ સુધી પહોંચી શકશો.

આ શરીરને જ આત્મા સમજી લેવો સૌથી મોટું પાપ છે. આવા ભ્રમમાં રહેલા ભાવને ત્યજી દો. સાંસારિક મહત્વાકાંક્ષાઓની પૂર્તિને માટે ઉપાયો કરવા, યુક્તિઓ વિચારવી, જુઠા મનસુબા બાંધવા, શેખચલ્લીના વિચારો છોડો, જૂનીપુરાણી આકર્ણક લાગતી આશાઓને તિલાંજલિ આપો. વાસનાઓ અને ઈચ્છાઓને કાબૂમાં લઈ તેનાથી ઉપર ઉઠો. બુદ્ધિથી કામ લો. ઉપનિષદ શાસ્ત્રોના સદ્દવિચારોનો મનનપૂર્વક અભ્યાસ કરો. નિયમિતરૂપથી સતત અભ્યાસ કરો.

સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર : જેવા આપણે છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી છીએ તો આપણો આખો સંસાર સુખી છે અને આપણે દુ:ખી છીએ તો આપણને આખો સંસાર પછી ભલેને તે સુખમય હોય દુ:ખમય જ દેખાશે.

આ બધું આપણી મનોદશા ઉપર જ આધાર રાખે છે. જો આપણે દુ:ખમાં પણ સુખનો અનુભવ કરીશું અને વિચારીશું કે આ આપણને ફકત આપણા જીવન સ્તરની સીડીઓ પર ચઢવા હેતુ પરીક્ષા માટે જ મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ અડકી નહીં શકે. જ્યારે આપણે આ પ્રકારનો અનુભવ કરવા લાગીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું અને અધ્યાત્મ તત્વની તરફ આગળ વધીને બીજાનાં દુ:ખને પણ સુખમાં બદલી શકીશું.

આવું કરવા માટે આપણને ત્યાગ અને તપસ્યાની જરૂર પડે છે જેની પ્રતિક્રિયા આપણા આત્મા ઉપર થાય છે. જો આપનો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણામાં એક આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે. જેનું નિર્માણ આપણે આપણા વિચારોથી કરીએ છીએ. આજે આપણે જે કોઈ પરિસ્થિતિમાં કેમ ન હોઈએ આપણા દ્રષ્ટિકોણને બદલવો પડશે તથા આપણા વિચારોને કાયમ પ્રસન્નતા, આશા, શાંતિ, શક્તિ અને પ્રયત્નની તરફ લઈ જવા જોઈએ. જે સમયે તમે આવું કરવા લાગશો તો જોઈ શકશો કે તમારું જીવન એકદમ પ્રસન્નતા, શાંતિ, શક્તિ વગેરે ગુણોથી આભૂષિત થતું નજરે પડશે.

પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે : જો આજે પણ તને ખરાબ પરિસ્થિતિઓ અને વારાવરણમાં બંધાયેલા છો, તો નિરાશ ન થાવ, તમારા ભાગ્યને દોષ ન દો, આ પરિસ્થિતિને માટે કોઈ બીજાને દોષી ન ગણો, ફક્ત તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો અવગુણનું કારણ તો તમારામાં જ હયાત છે. એને સમજી લઈ પોતાની જાતને આનંદપૂર્વક ઘટનાસ્થળ ઉપર ઘટનાની સામે આવવા દો. આ ઘટના તમારી પોતા દ્રારા જ નિર્માઈ છે. તેને તમે પોતે તાત્કાલિક દૂર કરી શકો છો. જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલો તો કાયમ ઉત્તમ વિચારોમાં જ રત રહો. તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો તો બાહ્ય જીવનમાં પણ તે દશા સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકો છો જેના માટે તમે ચિંતિત રહો છો.

જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અનુચિત માનસિક દોષોના શિકાર હોવા છતાં આબાદીવાળા સ્વસ્થ જીવનની કલ્પના કરીએ તો આપણે અસંભવ વાતનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. જો આપણે ખરેખર આપણા જીવનને સુખી અને આબાદ જોવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા તથા વિચારોને ઓછા કરી હટાવવાનો પ્રયત્ન કરવો પડશે.

સુખ મનની સ્થિતિ પર નિર્ભર : તમે જીવન પ્રત્યેની તમારી ધારણાઓ બદલી નાખો. વિશ્વાસ તથા જ્ઞાનથી જ તમારા જીવનભવનનું નિર્માંણ કરો. જો વર્તમાન મુશ્કેલીમાં ઘેરાયેલો છે તો તેનો અર્થ એવો નથી કે ભવિષ્ય પણ અંધકારમય છે. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. વિચારપૂર્વક જુઓ કે જે કાંઈ તમારી પાસે છે તેનો સૌથી સુંદર ઉપયોગ કરી રહ્યા છો કે નહીં? કારણ કે જો ઉપસ્થિત સાધનોનો દુરુપયોગ કરતા હો તો પછી તે ગમે તેટલાં તુચ્છ અને સાર વગરનાં કેમ નથી તમે એના પણ અધિકારી નહીં રહો. તે પણ તમારાથી દૂર ભાગી જશે અથવા તો છીનવાઈ જશે.

તે સત્ય છે કે જ્યાં સુધી તમે પોતે પોતાની દશા-સ્થિતિ નહીં સુધારો ત્યાં સુધી દુ:ખ, શોક તથા ચિંતાઓ પીછો છોડી નથી શકતી અને પરિણામ સ્વરૂપ તમે કાયમ દુ:ખી રહી શકો છો. એટલા માટે આપણી આંતરિક દશા સુધારીએ. આંતરિક જીવનની સાથે બાહ્ય જીવનમાં પરિવર્તન થવું નિશ્ચત છે. જેમની મનોદશા ઉત્તમ છે તે થોડાં સાધન હોય તો પણ કાયમ સુખમય વાતાવરણમાં જ ફર્યા કરશે.

ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ : જીવનને અસફળતામાં નષ્ટ ન કરીએ જો તેને સફળ બનાવવું હોય તો તેનો એક માત્ર ઉપાય સાધક બનવાનો છે. જીવનની સાધના એ જ છે કે પોતાને તથા બીજાને વિવિધ પ્રકારનાં દુ:ખ આપવાવાળાં જે ત્રણ રાક્ષસી તત્વો છે તેવા અજ્ઞાન, અશક્તિ અને અભાવને દૂર કરવાને માટે બ્રાહ્મણ થવાનું વ્રત લઈએ. બ્રાહ્મણ થવાનું તાત્પર્ય છેજ્ઞાન, બળ અને સંપતિનું અભિવર્ધન . આ પોતાના માટે જ નહીં પરંતુ દરેકના માટે વધારવા યોગ્ય છે. કોઈ વ્યક્તિ, રાષ્ટ્ર અથવા સમાજ આ ત્રણ દ્રારા જ સુખી થઈ શકે છે. જ્યાં કોઈ જગ્યાએ આ ત્રણની ઊણપ હશે ત્યાં તેના પ્રમાણમાં જ તકલીફ અને દુ:ખ ઉપસ્થિત રહેવાનાં.

જીવન અસ્તવ્યસ્ત જીવવાને માટે, તુચ્છ અને ક્ષુદ્ર કાર્યોમાં ગુજારવાને માટે નથી. મહાન સંપત્તિ એવા મહાન ઉદ્દેશ્યોની પૂર્તિને માટે ખર્ચાવી જોઈએ જે વ્યાપક રૂપમાં સુખશાંતિની વર્ષા કરવા વાળા હોય, આપણું લક્ષ્ય બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને કર્તવ્યધર્મની પૂર્તિ હોવું જોઈએ. એને પૂરું કરવા માટે સાધનાત્મક દ્રષ્ટિ અને કાર્યપદ્ધતિ હોવી જોઈએ. આપણું જીવન સાધનાત્મક હોવું જોઈએ કારણ કે માનવજન્મની સફળતા સાધનાત્મક ગતિવિધિ પર જ નિર્ભર છે.

એટલા માટે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે ઉદ્દેશ વિનાનો દિવસ પૂરો ન થવા દેતાં જીવનનં કોઈ નિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરીએ અને જો લક્ષ્ય નિર્ધારિત થઈ જાય તો તેને પૂરું કરવાને માટે દ્રઢતા અને એકાગ્રતા કેળવી લઈએ. નિશ્ચિત લક્ષ્ય પ્રત્યે મક્કમતાથી જે પ્રવૃતિ થાય છે તેને જ સાધના કહે છે.

નિયોજીત જીવન સફળતાનો માર્ગ : કાંઈ પણ કાર્યમાં ઈચ્છા પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરવાને માટે તેનો યોગ્ય વિચાર કરવો, તેનાં દરેક પાસાંઓની યોગ્ય રીતે જાણકારી મેળવવી અત્યંત આવશ્યક છે, તેનાં દરેક પાસાંઓનું બારીકાઈથી સૂક્ષ્મ તપાસ કરીને પોતાના હાનિ, લાભ, રસ્તાની મુશ્કેલીઓ, બીજા દ્વારા વ્યર્થ વિરોધ, પોતાની શક્તિ, સાધન, યોગ્યતા તથા કાર્યની રૂપરેખા અને ક્રમ વગેરે ઉપર સારી રીતે ગંભીરતા પુર્વક વિચાર કરીને કાર્યની શરૂઆત કરવી જોઈએ.

એ નિશ્ચિત છે કે આપણાં કર્તવ્યોને ગંભીરતાથી વિચારપૂર્વક અને યોગ્ય કાર્યપદ્ધતિ દ્વારા કરવામાં આવે તો અસફળતાની સંભાવના ઘટી જાય છે. સામાન્ય રીતે અસફળતા ત્યારે જ મળે છે જ્યારે પોતાનાં કર્તવ્યોને સાવધાનીપૂર્વક વિચારી અને વ્યવસ્થા વગર કરવામાં આવે છે.

આપણે કોઈ પણ મહાપુરુષને જોઈએ તો દરેકના જીવનમાં યોજનાઓનો સુંદર મેળ હોય છે. યોગ્ય યોજનાઓ સિવાય તે કોઈ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકત નહીં. જો આપણે પણ સફળતા પ્રાપ્ત કરવી હશે તો પછી તે વેપાર, કારીગરી અથવા કોઈ પણ કાર્ય અંગેની હશે. આપણે આપણા મહાન ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી નક્કર યોજના બનાવી કાર્યની શરૂઆત કરી તેને સફળ બનાવવી પડશે. જીવનમાં યોગ્ય સફળતા, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના આ જ નક્કર રસ્તા અને ઉપાય છે.

Post to Twitter Tweet This Post

યુગ ઋષિની અમરવાણી ભાગ – 2 : પં. શ્રી રામ શર્મા આચાર્ય

December 5th, 2009 No comments
Shriram Sharma Acharya

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી   અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના  અમૃત વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે.

1.           પરિવર્તન જ જીવન :

જીવનમાં દરરોજ બે રંગવાળી ઘટનાઓ બનતી રહે છે. આજે લાભ છે તો કાલે નુકસાન. આજે બળવાન તો કાલે બીમાર, આજે સફળતા તો કાલે અસફળતા. દિવસ રાતના ચક્ર જેવું જ સુખદુ:ખનું, આબાદ-બરબાદી, ચડતી-પડતીનાં ચક્રો ઘૂમતાં જ રહે છે. તે તો શક્ય જ નથી કે કાયમ માટે એક જ સ્થિતિ રહે. નિર્માણ પામ્યું છે તે નાશ પામવાનું છે, જે બગડેલું છે તે સુધારવાનું છે. શ્વાસોનું આવવું જવું જ જીવન છે. શ્વાસ ચાલતો બંધ થઈ જાય તો જીવન પણ પૂરું થઈ જશે. કાયમ એક જ પરિસ્થિતિ રહે, પરિવર્તન બંધ થઈ જાય તો સંસારનો ખેલ જ પૂરો થઈ જશે. એકના લાભમાં બીજાને નુકશાન અને એકના નુકશાનમાં બીજાને લાભ. એક શરીરનું મૃત્યું જ બીજા શરીરનો જન્મ છે આ ખારું અને ગળ્યું, નુકશાન અને લાભ આ બંને પ્રકારના સ્વાદ ઈશ્વર દ્વારા એટલા માટે બનાવવામાં આવ્યા છે, જેથી મનુષ્યને બંનેના અંતર અને મહત્વ સમજ પડે.

2.             આત્મસ્થિત મનુષ્ય  :

આત્મસ્થિત મનુષ્યનું મર્મસ્થળ સ્વસ્થ હોવાથી તે સદા પ્રસન્ન રહે છે. તેના ચહેરા પર ખુશી નાચતી હોય છે. ચહેરો કાયમ હસતો, મુસકુરાતો, ખીલેલો દેખાય છે. તેની વાણીમાંથી મધ ટપકે છે અને બોલે ત્યારે ફુલ ઝરતાં લાગે છે. સ્નેહ, નમ્રતા, આત્મીયતા, સૌજન્ય અને પરોપકારનું મિશ્રણ એકરસતા થવાથી તેની વાણી ઘણી જ સરળ અનેમનને વશ કરનારી બને છે.

સ્વસ્થ આત્મામાં સ્થિત વ્યક્તિ બાળકોના જેવો સરળ, છળકપટ વગરનો, પવિત્ર મનનો હોય છે. તેને દરેક પ્રત્યે મમતા, આત્મીયતા, દયા અને સહાનુભૂતિ હોય છે. તે કોઈનું ખરાબ નથી ઈચ્છતો કે નથી હોતી કોઈના પ્રત્યે ઈર્ષા. ઈશ્વર ઉપર વિશ્વાસ હોવાથી, તે ભવિષ્યના માટે આશાવાદી અને નિર્ભય હોય છે.

ફળસ્વરૂપ અપ્રસન્નતા તેની પસે ફરકતી નથી અને આનંદ તથા ઉલ્લાસથી તેનું અંત:કરણ ભરેલું રહે છે. આ આનંદથી ભરેલી સ્થિતિ તેના મુખારવિંદ અને વાણી દ્વારા હંમેશા છલકાતી રહે છે. આપણે સૌએ આ પ્રયત્નમાં લાગી જવું જોઈએ.

3.             વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ

જીવનનો ઉદ્દેશ્ય રૂપિયા પૈસા પેદા કરવાનો નથી. ઘાંચીના બળદની જેમ દિવસ રાત રૂપિયા પૈસા ભેગા કરવામાં લાગ્યા રહેવું, જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જેના માટે તમે આટલો પરિશ્રમ કરો છો એ ચીજો તો સૂવર અને કુતરાની યોનિમાં પણ મળે છે. તવંગરના કૂતરા પણ મોટરોમાં મહાલતા હોય છે. દૂધ જલેબી ખાતા હોય છે. પોતાની કુતરી સાથે તે કામનાની સિદ્ધિનો આનંદ પણ મેળવે છે પરંતુ તેને સાચું સુખ પ્રાપ્ત થતું નથી.

સાચું સુખ તો ભગવાનની પ્રાપ્તિમાં જ છે. આ સંસારી સુખ તો ઈચ્છા ન કરવા છતાં પણ મળી જશે કારણ કે તે તો નસીબ પર નિર્ભર છે. તમે તમારા પરિશ્રમ વડે પેટને પોષો છો. લખપતિ, કરોડપતિ થવું તે તો નસીબનો ખેલ છે, જેમ કોઈ દુ:ખની ઈચ્છા નથી કરતું. કોણ ઈચ્છે છે કે તે બીમાર પડે ? પોતાના ઘરની વ્યક્તિનું મૃત્યું થાય? વેપારી નથી ઈચ્છતો કે તેને નુકશાન થાય. પરંતુ ઈચ્છા ન કરવા છતાં રોગ, શોક, નુકસાની વગેરે આવે છે, ઈચ્છા ન કરવા છતાં આ વસ્તુઓ નસીબ પ્રમાણે મળે છે. તે જ રીતે સંસારના ભોગો પણ મળશે. તેની જ પ્રાપ્તિ માટે રાતદિવસ મચી પડવું, આને પુરુષાર્થ ન કહેવાય. અરે, પુરુષાર્થ તો એ છે કે આ નશ્વર શરીર દ્વારા શાશ્વત ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. આ વિનાશી શરીર દ્વારા અવિનાસી ભગવાનની પ્રાપ્તિ કરીએ.

4.             માનસિક ચિંતાઓ :

આનો જન્મ ઘણા વિચાર કરવાથી થાય છે. કેટલીક વ્યક્તિઓ એટલા સંવેદનશીલ હોય છે કે તે નાનો સરખો માનસિક આઘાત પણ સહન કરી શકતા નથી. ટીકા, ટિપ્પણ, મશ્કરી, આલોચના અથવા પોતાના માટે થતી વાતો સાંભળીને ઉશ્કેરાઈ જાય છે. કોઈ વળી દિવસ રાત નિરાશાના તાણાવાણા ગૂથયા કરે છે. ક્યાંક અસફળતા મળી તો તેને માટે ચિંતા કર્યા કરે છે. ભવિષ્યમાં શું થશે? અમારી નોકરી રહેશે કે છૂટી જશે? બાળકોનું ભણતર કેવું ચાલશે? છોકરીઓનાં લગ્ન કેવી રીતે થશે? બજારમાં વસ્તુઓ મોંઘી છે, તો પરિપૂર્તિ કેવી રીતે થશે? આ ચિંતાઓથી ગ્રસ્ત રહેવાવાળા વ્યક્તિએ જાણવું જોઈએ કે પરમેશ્વરના હાથ એટલા લાંબા છે કે તે આ બધાં કાર્યોને પૂરા કરવાના જરૂરી ઉપાયો શોધી કાઢશે.

આપણે અસફળતા, નિરાસા, કમજોરીનો અનુભવ કરવો ન જોઈએ. ભવિષ્ય ઉજ્જવળ છે. ત્યાં સુધીમાં આપણી શક્તિઓ પણ એટલી બધી વધી જશે કે આપણે સૌ તે વધેલી જવાબદારીઓને પૂરી કરી શકીશું. જો આપણી જવાબદારીઓ વધરી જશે તો સાથે સાથે આપણી શક્તિઓ, યોગ્યતા, જમા ધનરાશિ, સમાજમાં માનપાન પણ વધતું રહેશે. આપણી માનસિક બૌદ્ધિક સંપદાઓ પણ નિરતર વધવા લાગશે. આપણા મિત્રો, સગાસંબંધીઓ પણ આપણી સહાયતા કરવા તૈયાર છે. એટલા માટે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ફિકર શાની કરવી, આવવાવાળો સમય આપણા માટે ઉજ્જવળ હશે.

આપણાં બાળકો મોટાં થઈને એ સ્થિતિમાં પહોંચી જશે કે આપણું ભરણ પોષણ કરી શકશે. ચિંતા ન કરો, ઠંડા દિલથી પ્રત્યેક મુશ્કેલીઓ પ્રત્યે વિચારો. સમસ્યાઓને હલ કરવાનો કોઈ રસ્તો શોધો. શ્રમ કરો, ચિંતા કરવાથી શું મળશે? જો તમે પોતે વિચારી નથી શકતા તો મિત્રોની, પત્નીની, અધ્યાપકની અથવા પછી કોઈ વિશેષજ્ઞની સલાહ લો. બીજાનેં તમારી મુશ્કેલી ઉકેલવાનો અવસર આપો.

કોઈ એવી વિકટ સ્થિતિ નથી હોતી કે જેને ઉકેલી ન શકાય. થોડો જ વિચાર કરવાથી કોઈને કોઈ ઉપાય જરૂર મળી આવશે જેનાથી પરિસ્થિતિને સંભાળી શકાય.

5.             પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :

આત્મનિર્માણ યશની કામનાથી જુદી વસ્તુ છે. પોતાના સદ્દગુણોને લીધે પ્રતિષ્ઠા મેળવવી પોતાના ઉચ્ચ ચરિત્ર, આદર્શ જીવન, પરોપકાર સાધના તથા લોકસેવા દ્વારા યશ પ્રાપ્ત કરવાની આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે અને અંતરાત્મામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની અભિવૃદ્ધિ થાય છે. આ પ્રોત્સાહનથી, સફળતાથી મનોબળ વધે છે અને આગળ ઉપર વધુ ઉત્સાહથી આવાં પુણ્ય કાર્ય, સતોગુણી આચરણ કરવાની ઈચ્છા થાય છે, જે પોતાનો આ જન્મ તથા મૃત્યું સુધારવા અને પુણ્ય ભેગું કરવા માટે જરૂરી છે.

આત્મગૌરવ, આત્મસન્માન, આત્મકલ્યાણ, આત્માઆનંદ, આત્મપ્રતિષ્ઠા, આત્મસંતોષ પ્રાપ્ત કરવાથી મનુષ્યનો અંતરાઆત્મા સંતુષ્ટ થાય છે. આથી તેના માટે પ્રયત્ન કરવો એ દરેક પ્રકારથી ઉચિત અને જરૂરી છે. સ્વર્ગ, મુક્તિ, આત્મસન્માન, અથવા યશના નિમિત્તે પણ આ સદ્દવિચારો અને સત્ કર્મોનું આયોજન થાય તો આ સાત્વિક અભિલાષા એક પ્રશંસનિય પ્રક્રિયા બનશે. આ યશની કામના નહીં પરંતુ આત્માનો સંતોષ છે. આ નિંદા કરવા યોગ્ય નહીં પરંતુ આવકારવાદાયક છે.

6.             સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :

સંસારમાં એવું કોઈ કાર્ય નથી જે તમે પૂર્ણ ન કરી શકતા હો. જે કાર્ય, જે સફળતાઓ, જે આશ્ચર્યજનક પરિણામો એક વ્યક્તિ પ્રાપ્ત કરી શક્તો હોય તે સૌના જેવી સામર્થ્યતા તમારામાં પણ રહેલી છે. જે પ્રતિભા, જે બુદ્ધિ, સામર્થ્ય એક વ્યક્તિની પાસે છે તે જ તમારામાં એક બીજ રૂપમાં મોજૂદ છે. તમે જે ઈચ્છશો તે જ કરશો. તમે જે માંગશો તે જ પ્રાપ્ત કરી શકશો. જો તમે સુખ સ્મૃદ્ધિની માંગણી કરશો તો તમને સુખ પ્રાપ્ત થશે જ. જો મુક્તિની ઈચ્છા રાખશો તો મુક્તિ મળશે. સંસાર તો કલ્પવૃક્ષ છે તેની પાસેથી તમે જેની ઈચ્છા રાખશો તે તેનું જ પ્રદાન કરશે. તમે વૈભવના માટે તેની સામે હાથ ફેલાવશો તો તમારા માટે રત્નાકર, વસુન્ધરા અને હિમાલયનાં મુકતામણિ ખોલી દેશે. તમે આનંદપ્રાપ્તિને માટે પ્રાર્થના કરશો તો તમારા માટે સ્વર્ગ તૈયાર થઈ જશે. જે તેને હર્યાભર્યા રમતના સ્થાન તરીકે જોવાની આદતવાળા છે તેમના માટે નિત્ય શાશ્વત અને આનંદધામ બની જશે. ફકત એકાગ્રચિત્ત થઈ ઉત્તમ અને ઉચ્ચ વિચારોને કાર્ય રૂપમાં પ્રગટૅ કરવાનું શીખી લો. આ તમારી સૌથી ઉત્કૃષ્ટ શક્તિ છે. એને ઈચ્છિત કાર્યોમાં લગાડવાથી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

તમે આજથી અત્યારથી જ ર્દઢ સંકલ્પ કરો કે હું નકામી વિચારધારામાં લીન રહીશ નહીં. મારી કાર્યશક્તિ અનંત છે. મને પૂર્ણ અનુભવ થઈ ગયો છે કે મનુષ્ય જે કાર્ય કરે છે તેનું જ ફળ તે મેળવે છે. મારી પ્રગતિ કે અધોગતિ, માન કે અપમાન મારા કાર્ય ઉપર નિર્ભર છે. ઉત્તમ કાર્ય, ઉચિત કાર્ય અને નિરંતર સાધનાથી જોડાયેલા રહો. સારી ભાવના માટેના વિચારો જ ઉત્તમ જીવનનું નિર્માંણ કરે છે.

7.             આનંદને અંદર શોધો :

સમાજમાં એવા મનુષ્યોની ખોટ નથી કે જેની સામે વૈભવનો સંપૂર્ણ વિલાસ નાચી રહ્યો છે. દરેક પ્રકારની સુવિધાઓ તેમના માટે ઉપલબ્ધ છે. મોટરો છે, બંગલા છે, નોકરો છે, યશ છે, આખું કુટુંબ ભર્યું ભર્યું છે. સારો વેપાર અથવા જમીનજાગીર છે, ધનની કોઈ ચિંતા નથી. કાલે શું થશે તે ચિંતાનો અનુભવ તેમણે સ્વપ્નમાં પણ કર્યો નથી. છતાં પણ જીવન અતૃપ્ત અને અશાંત છે. વૈભવના ભાર તળે તેઓ એવા દબાઈ ગયા છે કે દિવસે દિવસે જીંદગી અચેતન થતી જાય છે. જીવનનું સુખ, ધન અને વૈભવની લાલસામાં અને તેમાંથી ઉત્પન્ન થયેલા નાનાં મોટા પ્રલોભનોમાં ડુબી ગયું છે. બધું જ છે પરંતુ કોને ખબર શું નથી કે જેના લીધે બધું જ ફિક્કું અને બેસ્વાદ થઈ ગયું છે. રાતદિવસ એક નસામાં ભૂલો પડેલો આત્મા જીવનયાત્રા પૂરી કરી રહ્યો છે. સુખ નથી, નથી શાંતિ તૃપ્તિ નથી કે નથી આનંદ.

એ સ્પષ્ટ છે કે મનુષ્યનો આનંદ એની પોતાની વસ્તુ છે અને પોતાની અંદર રહેલો છે. એને શોધવા માટે ક્યાંય દૂર નથી જવાનું અને આ ધન થી કે સુખના નામ પર બજારમાં મળતી જરૂરિયાત પર નિર્ભર કરતું નથી. આ ઈચ્છાઓને નિર્બાધ છોડી દેવાથી ન કશું મળ્યું કે ન મળશે, કારણ કે જ્યાં શાંતિ અને તૃપ્તિ નથી ત્યાં સુખ અને આનંદ પણ નથી. એટલા માટે તમે જો સુખ ઈચ્છો છો તો પહેલી વાત એ કે જ્યાં તે છે ત્યાં તે જગ્યાએ તેને જોવા અને મેળવવા પ્રત્યે ધ્યાન દો. આજે સુખની છાયા છે અને જેને તમે રૂપિયાથી ખરીદવા ઈચ્છો છો તેને ભૂલી જાવ. આનંદનો સોદો રૂપિયાથી નથી થતો. અહીંયા તો દિલના સિક્કા ચાલે છે. દિલ નિર્મળ, વિશુદ્ધ, સાચું હશે તો આનંદનો પ્રવાહ તમારા જીવનને ઓતપ્રોત કરી દેશે.

8.             વિશ્વશાંતિનો માર્ગ :

આજે પણ વિશ્વ આખું શાંતિ શાંતિની બૂમો પાડી રહ્યું છે. પરંતુ તેની કિંમત કેટલી? બાવળ ફૂટે અને કેરી ને માટે બૂમ પાડવી કેટલા અંશે વાજબી છે? નથી સદાચાર, નથી જ્ઞાન કે તપ, નથી સાત્વિકતા કે નથી ધર્મ અને નથી કોઈ નિયમ વડે માત્ર પોતપોતાની વાહવાહ ગદર્ભ રાગનો આલાપ.

આપણા દેશમાં મહાત્મા જેઓને અહર્નિશ ભગવાનનાં ચરણોમાં પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું, તેઓ જ શાંતિના સાચા નેતા થયા અને થતા રહેશે, કારણ કે તેમણે શ્રીરામના આદર્શોને હ્રદયંગમ કર્યા અને તે જ પ્રમાણે પોતાના જીવનના દરેક કાર્યને અભિમંત્રિત કર્યું અને તેઓ શબ્દસ: વિશ્વ શાંતિને માટે પોતાની ભેટ આપી શક્યા.

આજે પણ જો માનવસમાજ વિપરીત પથનો ત્યાગ કરી તેમના આદર્શોની ચરણરજનું અનુસરણ કરે તો શાંતિની તો શું વાત કરીએ વિશ્વનું દુર્લભામાં દુર્લભ કાર્ય પણ ક્ષણભરમાં પૂર્ણ થાય કારણ કે શાંતિ તો આપણી અંદર જ છે અને તેની શોધ બહાર કરવી એ અસફળતાનો પ્રથમ સંકેત છે. ત્યારે જે લોકો વિશ્વશાંતિના માટે બહારની તરફ દોડી રહ્યા છે તેઓને અસફળતા સિવાય બીજું કાંઈ મળવાનું નથી.

અમારું આશ્વાસન એ જ છે કે તે લોકો જો શ્રીરામની જેમ આચરણ કરવાનું શરૂ કરી દે અને તેમના જીવનના પ્રત્યેક આદર્શોનો સ્વીકાર કરે તો આપણો માનવસમુદાય સમૃદ્ધ અને એકસૂત્રબદ્ધ થઈ શકશે અને એકાત્મ થઈ શકશે.

9.             અંત:પ્રેરણા જાગૃત કરો :

જ્યારે મનુષ્યની ગુપ્ત પ્રેરણા જાગૃત થઈ જાય છે ત્યારે તેને અપૂર્વ બળ મળે છે. તેને એવું લાગે છે કે જાણે તે સૂતાં સૂતાં એકદમ જાગૃત થઈ ગયો છે, જેમ અંધકારમાં પ્રકાશનું કિરણ મળી આવ્યું. પ્રેરણા એક એવી વિધુત તરંગ છે જેના પ્રવેશમાત્રથી સમગ્ર શરીર ચેતનવંતુ બની જાય છે. મનુષ્યની શક્તિઓ બે થી ચાર ગણી થઈ જાય છે. જેવી રીતે નદીમાં પૂર આવતાં તે કિનારાઓને તોડતી ફોડતી પોતાનો રસ્તો સાફ કરતી અત્યંત વેગથી આગળ વધતી જાય છે તે જ રીતે પ્રેરણા મેળવ્યા પછી મનુષ્ય શું નો શું થઈ જાય છે. તેની દિવ્ય ધારાઓથી મુશ્કેલીઓ છૂમંતર થઈ જાય છે તથા તેની પ્રગતિ ઘણા અત્યંત વેગથી થવા લાગે છે.

જો તમે મહાપુરુષોના મનનું વિશ્ર્લેષણ કરો તો તમને જાણવાનું મળશે કે પ્રાય: દરેકના જીવનમાં એક ક્ષણ એવી આવી કે તેમને કોઈને કોઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઈ.

આ દિવ્ય જ્યોતિના નિર્દેશન દ્વારા તેઓને પોતાના ઉદ્દેશ્યનું જ્ઞાન થયું તથા તેઓ નિર્ધારિત માર્ગ ઉપર અગ્રેસર થતા ગયા.

પ્રેરણા ઈશ્વરીય શક્તિ છે, જે સાત્વિક પ્રકૃતિના મહાપુરુષોને પોતાનાં જીવન કાર્યો કરવાનો આદેશ આપે છે.આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રેરણાને ઈશ્વરીય તત્વ નથી મનાતું. ઈશ્વર પોતાની જાતે આપણને કોઈ વિશેષ કાર્ય કરવાનું કહેતા હોય તેવી વાત નથી.

પ્રેરિત વ્યક્તિની મનોદશા જોતાં કેટલાંય રહસ્યો મળે છે. સર્વપ્રથમ તો એક નિશ્ચત ઉદ્દેશ્યની પ્રતીતિ થાય છે. પ્રેરણા કોઈ ખાસ દિશામાં હોય છે. બીજું રહસ્ય છે અસાધારણ મનોબળ, પ્રેરિત વ્યક્તિ પરમેશ્વરના સિવાય અન્ય કોઈથી પણ નથી ડરતો. તેના શરીરમાં અધિક બળ નથી હોતું પરંતુ તેનામાં દ્રઢ નિશ્ચય, તીવ્ર ઈચ્છા તથા મજબુત પ્રયત્નનું બળ હોય છે. એ તુચ્છ વિઘ્નો દ્વારા મહાન સાહસિક કાર્યોની પૂર્તિને માટે આગળને આગળ વધે છે મનોબળ તેમની શક્તિઓને પૂર્ણ કરે છે અને તેની અંત:દ્રષ્ટિ તીવ્ર બને છે. ત્રીજું રહસ્ય છે અપૂર્વ આત્મશ્રદ્ધા. તેને પુરો વિશ્વાસ હોય છે કે પરમેશ્વરને સેના મારી સાથે છે. હું ચોક્કસ માર્ગ ઉપર છું. મારામાં કાર્ય પૂરું કરવાની પૂરી યોગ્યતા છે. હું જ મારા ઉદ્દેશ્યમાં સફળ થઈ શકીશ. આત્મશ્રદ્ધા દરેક પ્રકારની સફળતાઓનું મૂળ છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં આનાથી અદ્દભૂત પ્રકાશ મળે છે. વિશિષ્ટ ઉદ્દેશ્ય, મનોબળ તથા આત્મશ્રદ્ધાથી જેને પ્રેરણા પ્રાપ્ત થઈ ગઈ છે સાચે જ તે વ્યક્તિ ધન્ય છે.

10.          સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :

જેમનામાં ઈચ્છાશક્તિનો જેટલો અભાવ છે તે તેટલા જ પછાત રહેશે ભલેને તેમનું શરીર અને મસ્તિષ્ક વધારે સારું હોય. તીવ્ર ઈચ્છાવાળો મનુષ્ય અનેક શારીરિક, માનસિક તેમજ વ્યાવહારિક મુશ્કેલીઓના રહેતાં પણ ઘણી ઉન્નતિ કરી લે છે. આળસ, નિરાશા, હતોત્સાહ, જલદી થાકવું, બડબડાટ, સંકોચ, ખચકાટ આ બધું જ ઈચ્છાઓ બાકી છે તેવું પ્રગટ કરે છે. તીવ્ર ઈચ્છા મનુષ્યના ચહેરા ઉપર એક વિજળીની જેમ નાચતી હોય છે. તેને જ ઓજ તેજ તથા પ્રતિભા વગેરે કહે છે.

જો આપણે સફળ, વિજયી, પુરુષાર્થી, પ્રભાવશાળી, ચતુર અન્દ યશસ્વી બનવા માંગતા હોઈએ તો જરૂરી એ છે કે આપણી ઈચ્છાશક્તિને તીવ્ર કરીએ. જે વસ્તુ મનવાંછિત હોય, જેનું લક્ષ્ય નક્કી હોય તેને મેળવવા માટે ઉત્તમ ઈચ્છા કરવી જોઈએ. શેખચલ્લીની જેમ સુખ-સફળતાની કલ્પના કરવા માત્રથી, સપનાં જોવા માત્રથી કામ નહીં ચાલે.

આવી તુચ્છ કલ્પના નિરથક ઈચ્છા તેને કહે છે જે અંત:સ્તલને હલાવી દે. પ્રેરણા ઉત્પન્ન કરે, લક્ષ્ય માટે બેચેન કરે અને મુશ્કેલીઓનો ડર પણ માર્ગને રોકી ના શકે. આવી ઈચ્છાઓ જેમના મસ્તિષ્કમાં રહેલી છે. જેમની બુદ્ધિમાં ખરેખર દ્રઢતા તેમજ દૂરદર્શિતા છે તેવી જ વ્યક્તિઓ આજે નહીં તો કાલે નિર્ધારિત દિશામાં સફળતા પ્રાપ્ત કરીને રહેશે.

11.          સમયનો સદુપયોગ કરો :

મનુષ્ય જ્યારે સમયની ઉપયોગિતા સમજવા લાગે છે ત્યારે જ તેનામાં મહત્તા, યોગ્યતા જેવા અનેક ગુણ આવવા લાગે છે. મનુષ્યમાં ગમે તેટલા ગુણ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી તે સમયની કદર કરતાં નથી શીખતો, ત્યાં સુધી એને કોઈ લાભ મળતા નથી. જો સાચું પૂછો તો સમય બગાડવાવાળાને ક્યારેય પણ સારી તક મળતી નથી.

જે મનુષ્ય સમયને વ્યર્થ ગુમાવે છે તે તેટલા જ સમયમાં પ્રયત્ન કરતાં ઘણી બધી સફળતાઓ મેળવી શક્યો હોત.જે મનુષ્ય પોતાનું કર્તવ્યપાલન કરવા ઈચ્છે છે, જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાને ઈચ્છુક છે, તેણે સૌથી પહેલાં આ જ પાઠ ભણવો જોઈએ. પોતાની યોગ્યતા, શક્તિ અને સાધનોની ફરિયાદ છોડીને એણે એ સમજ્વું જોઈએ કે સમય જ મારી સંપત્તિ છે અને એમાંથી જ લાભ ઉઠાવવા માટે મારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેટલા દુ:ખની વાત છે કે લોકોને બગાડવા માટે ઘણો જ સમય મળી શકે છે પરંતુ કાર્યમાં લગાવવાને માટે તેનો એકદમ અભાવ રહે છે.

સંસારની સૌથી વધુ ભલાઈ તે જ લોકો દ્વારા થઈ, જેમણે ક્યારેય પોતાની એક ક્ષણ પણ બગાડી નથી. આપણે ઉત્તમ અવસરોના આશ્રયે ન બેસતાં સાધારણ સમયને ઉત્તમ સમયમાં પરિવર્તિત કરવો જોઈએ અને આ જ સફળતા પ્રાપ્ત કરવાનો એક બહુ મોટો સિદ્ધાંત છે.

12.          આસ્તિકતા અને નાસ્તિકતા :

અખૂટ સંપત્તિ અને સુખસાધન હોવા છતાં પણ મનુષ્ય જ્યાં સુધી જીવનલક્ષ્યને ઓળખી શકશે નહીં અને પોતાની દિશા, જીવન ઉદ્દેશ્યની પૂર્તિને માટે નિર્ધારિત કરશે નહીં. ત્યાં સુધી સુખી રહી નહીં શકે.

હવાની સાથે ઉડતા પાનની જેમ જ્યાં પરિસ્થિતિ લઈ જાય ત્યાં જઈ પહોંચવું અપરિપક્વતાની નિશાની છે. કયાં ચાલવું અને શું કરવું? શું? બનવું જોઈએ અને શું મેળવવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપમેળે ચેતનાથી, દૂરદર્શી, વિવેકબુદ્ધિની સાથે મેળવવા જોઈએ. લોકો શું કરે છે અને શું કહે છે તેના આધાર ઉપર આંધળુકિયા કરતા રહી ગયા તો સમજી લેવું જોઈએ કે સર્વસુલભ અવસર મળ્યો હોવા છતાં પ્રાપ્ત થયેલ તક ગુમાવવાની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.

સન્માર્ગ ઉપર ચાલીને જ સુખદ પરિણામ મળી શકે છે. સદ્દબુદ્ધિની મદદ વડે જ આંતરિક સંતોષ અને આનંદ મળી શકે છે. આ અવસ્થાનું નામ જ આસ્તિકતા છે. નાસ્તિકતા એ અવિશ્વાસનું નામે છે જેમાં દુષ્ટ પ્રવૃત્તિઓની નીતિરીતિ અપનાવીને પણ તેનાં દુ:ખદ પરિણામથી બચી શકાય છે. સ્વતંત્ર ચેતનાની પ્રશંસા એ વાતમાં છે કે તે દેવપથને જ પસંદ કરો અને મહાન બનવાની આકાંક્ષા જાગૃત કરીને આત્મવાદી રીતિનીતિ અપનાવવા માટે સાહસપૂર્વક આગળ વધે. છેલ્લે અંતમાં આ જ નિર્ણય સર્વોપરી બુદ્ધિમત્તાનું ચિન્હ સિદ્ધ થાય છે કે, જેણે દેવમાર્ગ પકડ્યો એણે જીવનલક્ષ્યની પૂર્તિની સાથે જોડાયેલા અજસ્ત્ર આનંદનો લાભ લીધો છે.

ઉપાસનાત્મક ઉપચારોને સાધન કહેવામાં આવે છે, સાધ્ય નહીં. આત્મોત્કર્ષ સાધ્ય છે અને તેના માટે ચિંતન તથા કર્તવ્યમાં પ્રખર પરિષ્કૃત દ્રષ્ટિકોણનો સમાવેશ. જીવનલક્ષ આનું જ બીજું નામ છે. સ્વર્ગ મુક્તિ આનું જ પ્રતિકૂળ છે. આત્મસાક્ષાત્કાર તથા ઈશ્વરદર્શન આ જ મન:સ્થિતિનું નામ છે.

જો અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને ઉત્કૃષ્ટતાની રિતિનીતિની સાથે જોડી ન શકાય તો સમજવું જોઈએ કે ભજનપૂજનની બધી જ ક્રિયા વિધિઓ, બાળક્રીડા જેવી નિરર્થક અને ઉપહાસપ્રેરક સિદ્ધ થશે.

13.          આત્મબોધની સાધના :

જીવનના આત્મવાદી ક્ષત્રમાં પ્રવેશ કરવા વાળાને આત્મબોધનો પ્રકાશ ગ્રહણ કરવો જ જોઈએ. નિરંતર એ વિચાર કરવો જોઈએ કે તે સ્વયં શું છે? કે છે? કઈ રીતિનીતિને અપનાવવામાં પોતાની ભલાઈ છે? વિવેકશીલતા, દૂરદર્શિતા અને યથાર્થતાને અપનાવવાનું સાહસ આત્મબોધની એકમાત્ર દેન છે. જેને પોતાને પોતાનું જ્ઞાન થઈ ગયું હશે તે અજ્ઞાનગ્રસ્ત ભીડનું નેતૃત્વ અસ્વીકાર કરશે. પ્રચલિત પરંપરાઓ અને માન્યતાઓથી નહીં પરંતુ ઉચ્ચ આદર્શોથી જ પ્રભાવિત થશે. તેને જ સમજીને સ્વીકારશે.

પોતાને અલ્પમતમાં જોવાની ચિંતા તેને નહીં હોય અને નહીં એની ચિંતા કે કોઈએની મજાક કરે છે કે સ્તવન, નથી તે વિરોધ જોતો કે નથી જોતો સમર્થન. માત્ર ઉચ્ચ આદર્શોને માટે જીવનસંપદાઓને નિયોજિત કરવાની તેને ચિંતા હોય છે અને આ પ્રયોજનને તે પોતે વિરોધ અવરોધની ઘનઘોર ઘટાઓને ચીરતા રહીને પણ પૂરા કરીને જંપે છે.

આત્મબોધ આત્મબળનો જેટલી માત્રામાં ઉદય થતો જાય છે તેટલો જ તેનો પ્રયાસ આત્મનિર્માણની દિશામાં અગ્રેસર થતો જાય

14.          આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ :

હું એકલો હોવા છતાં પણ શક્તિશાળી છું. મારી અંદર તે શક્તિ છે જે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરી શકે છે. હું બીજાનો અનુયાયી નહીં બનું. હું કદી કોઈનું અનુકરણ નહીં કરું. હું મારી પોતાની પ્રતિભા અને મહત્તાનો પ્રભાવ બીજા ઉપર પાડી શકું છું. મારામાં વિશેષતા છે. પોતાની મૌલિકતા છે, સાચી શક્તિ મારી અંદર રહેલી છે. અને મારી શક્તિઓ ઉપર પૂરો ભરોસો છે. મેં એકલા એ જ સફળતા પ્રાપ્ત કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરી છે. મારી પ્રતિજ્ઞા દ્રઢ તેમજ અટલ છે.

Post to Twitter Tweet This Post

પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર

December 3rd, 2009 No comments

પરિવાર એક પ્રયોગશાળા

જીવનપથમાં આવનારી મુશ્કેલી પ્રત્યે તમને સચેત કર્યા હતાં. સાથોસાથ તે વિશેષતાઓ તરફ પણ તમને પ્રેરિત કર્યા, જેમને સ્વીકારવાથી તમે સફળ વ્યક્તિ કહેવાશો. તમે સમાજનું પ્રથમ એકમ છો. વ્યક્તિ પરિવારનો સભ્ય હોય છે. આજે આપણે પારિવારિક તથા સામાજિકતાનો અભ્યાસ કરીશું.

વ્યક્તિ અને સમાજની વચ્ચેની કડી પરિવાર પરિવાર છે. સમાજનું વિશાળ શરીર પરિવારનાં નાનાં નાનાં એકમોનો સમૂહ છે. કડીઓ મજબૂત હોય તો સાંકળ મજબૂત બને છે. જેથી આપણે પરિવારોનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે, જેમાં જન્મેલા, ઉછરેલા અને પોષાયેલા સભ્ય દરેક દ્રષ્ટિએ સુયોગ્ય-સુવિકસિત બની શકે.

પરિવાર એક નાનકડો સમાજ તથા નાનું રાષ્ટ્ર છે. તેની સુવ્યવસ્થા પૂરા રાષ્ટ્રની છે. આ નાનકડી પ્રયોગશાળામાં તેના બધા સભ્યોને વ્યક્તિગત કર્તવ્યો તથા સામાજિક જવાબદારીઓને સમજવા, નિભાવવાનું શિક્ષણ મેળવવાની તક મળી શકે એવું આયોજન ગોઠવવું જોઈએ. આ પ્રવૃતિ વિકસતાં વિકસતાં વિશ્વનાગરિકતા તથા માનવપરિવારનું સર્જન કરશે. પરિવાર પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજવામાં આવે, પરંતુ તેના પ્રત્યે મોહગ્રસ્ત ન બનવામાં આવે.

પરિવાર એક તપોવન :  કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે. પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે. પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે.

વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું.

પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે. જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી રહ્યાં છે.

ભારતીય સમાજમાં કૌટુંબિકતા :  ભારતીય અને પાશ્ચાત્ય સમાજ બંનેના અભ્યાસનું વિશ્ર્લેષણ કરનાર સમાજશાસ્ત્રીઓનું આ સર્વસંમત તારણ છે કે, ભારતીય સમાજ પારિવારિક છે, જ્યારે ૫શ્ચિમી સમાજ મુખ્યત્વે વ્યક્તિગત છે. ઉ૫લક રીતે ૫ત્ની અને બાળકોની બાબતમાં આ બંને સમાજોમાં જે કંઈ સમાનતા દેખાવા માંડી છે, તેનું ૫ણ વિવેચન કરવામાં આવ્યું છે અને જાણવામાં આવ્યું છે કે હજી ૫ણ આ સમાનતા માત્ર ઉ૫રની છે. આંતરિક ભિન્નતા મુખ્યત્વે દ્રષ્ટિકોણની છે. બંને સમાજોની ખામીઓ-કમીઓ ૫ણ ભિન્ન દ્રષ્ટિના કારણે અલગ અલગ છે અને વિશેષતાઓ ૫ણ ભિન્ન છે. બાહ્ય રીતે જોઈએ તો આ ભિન્નતા બાળકોની બાબતમાં વિશેષ છે.

ભારતીય માતાપિતા આર્થિક અભાવના કારણે બાળકો માટે યોગ્ય સાધન તો એકઠાં નથી કરી શક્તાં, ૫રંતુ બધાં ભારતીય માતાપિતા બાળકો પ્રત્યે સમાજ રૂપે સંવેદનશીલ તથા આત્મીયતાપૂર્ણ હોય છે. આ કૌટુંબિક ભાવનાને ઉપેક્ષિત નહિ, સુરક્ષિત તથા વિકસિત કરવાની જરૂર છે. એના મૂળમાં જે સંવેદનાઓ છે, ઘનિષ્ટ આત્મીયતાની હૂંફ અને “સ્વ” ના વર્તુળના વિસ્તારની પ્રેરણા છે, તે માનવજીવનને સમૃદ્ધ કરનારી છે. શિક્ષિત સમજુ લોકોનું એ વિશેષ કર્તવ્ય છે કે તેઓ એના મૂળમાં સચવાયેલી વિશેષતાને સારી રીતે સમજે અને ૫છી આ ભાવભરી પ્રેરણાઓનું સતત પોષણ કરે. સંગઠન, સહયોગ, ભાવાત્મક એકતા, પારસ્પરિક પ્રેમ, ઈચ્છાઓ-આવશ્યકતાઓનું નિયમન, સ્વયંશિસ્ત, એકબીજા માટે ત્યાગની શુભ પ્રવૃત્તિઓ આ કૌટુંબિકતામાંથી સહજ વિકસિત થયા કરે છે. પોતા૫ણાની વિશેષ અનુભૂતિ જ કૌટુબિકતાનો આધાર છે. આ પોત૫ણું કેટલું સમર્થ તથા ગુણકારી છે, તે અનુભવની જ ચીત છે.

આ ૫રસ્પર સંખ્ય સહયોગ, સ્નેહ-સૌજન્યનું નામ પારિવારિકતા છે. એના વિના આનંદ જોજનો દૂર ભાગે છે. આ સ્થિતિને સમાપ્ત કરવા માટે એ પ્રક્રિયાઓ, પ્રેરણાઓ તથા દિશાઓ સ્વીકારવી ૫ડશે, જે કૌટુંબિક ભાવનાને જ મહત્વ આપે, નહીં, કે તેનો તિરસ્કાર કરે. બૌદ્ધિક તોડ-જોડ, સ્વાર્થ કેન્દ્રિત સમજૂતી તથા ભાવનાશુન્ય સહજીવનનો વિચાર કરે અને તેને જ આધુનિકતા માની બેસે. આ આધુનિકતા ખૂબ મોંદ્યી ૫ડશે માટે એનાથી બચવું જોઈએ.

તૂટતો સંયુકત ૫રિવાર :  એક સાથે રહેવાથી નાના મોટા સહુ સભ્યોની સમસ્યાઓનું સમાધાન સહજ રીતે થઈ જાય છે. આ રીતેનાં સંયુક્ત કુટુંબો આ૫ણા દેશમાં એક વખત મોટે ભાગે જોઈ શક્તાં હતાં, ૫ણ આ પ્રણાલી જુદાઈના ઉંબરે દેખાવા માંડી છે. નવ૫રિણિત દં૫તીઓમાં પોતાના ૫રિવારથી અલગ થવાની પ્રવૃત્તિ વધી રહી છે. અનુભવની કમી અને જીવનની સ્વચ્છંદતાના કારણે ઉઠાવેલું આ ૫ગલું આ દં૫તિઓને ખૂબ મોંદ્યુ ૫ડે છે. જયારે બાળકોનો જન્મ થાય છે, તેમના પાલનપોષણ અને વ્યક્તિત્વ વિકાસનો સમય આવે છે, ત્યારે એક નહીં, અનેક પ્રશ્નો પેદા થાય છે અને જે સ્વર્ગીય સુખની ઈચ્છાથી સંયુક્ત ૫રિવાર તૂટયો હતો તે માત્ર સ્વપ્ન સાબિત થાય છે. ભાવેશમાં ઉપાડેલું આ કદમ ૫ણ ખોટું સાબિત થાય છે.

કૌટુંબિક વિઘટનનો સૌથી વધારે પ્રભાવિત બાળકોના વિકાસ ૫ર થાય છે. સંયુકત કુટુંબમાં બાળકોને દાદા-દાદી, કાકા-કાકી વગેરે અનેક સ્નેહીજનોનો સ્નેહ તથા મમત્વ મળે છે. બાળક પ્રેમ અને આત્મીયતાભર્યા આ વાતાવરણમાં ખીલી ઉઠે છે. ચારે બાજુથી મળતો પ્રેમ બાળકના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં સૌથી વધારે સહાયક બને છે. જ્યારે વિભક્ત કુટુંબમાં ફક્ત માતા-પિતા જ હોય છે. તેમના સિવાય બીજા કોઈ સ્નેહીજનનો સ્નેહ નથી મળતો. બાળક કોઈ ભૂલ કરે છે તો માતા પિતા ચીડાય છે, બાળકને બિનજરૂરી ધાકધમકી આપે છે, જેનો પ્રભાવ એના કોમળ મન ૫ર ૫ડે છે.

સામાજિકતા અને મનુષ્ય :  મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજના સહયોગથી જ માણસોને સુખી, પ્રગતિશીલ બનવાની તક મળે છે. અંગત ઉન્નતિ ગમે તેટલી કરવામાં આવે તો ૫ણ વિકૃત ૫રિસ્થિતિઓથી ઘેરાયેલા સમાજમાં રહીને કોઈ ૫ણ સુખચેનથી રહી શક્તું નથી. જયારે પ્રગતિશીલ સમાજના દરેક સભ્યને સહજ રીતે જ સુખ-શાંતિનો લાભ મળતો રહે છે. આ૫ણે પોતાને સમાજરૂપી ઘડિયાળનો એક દાગીનો માનવો જોઈએ અને પોતાની ગતિવિધિઓ એવી રાખવી જોઈએ કે, જેમાં ઘડિયાળ જેવી ગતિશીલતા ટકી રહે. તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન પેદા ન થાય. આ દ્રષ્ટિએ આ૫ણે સામાજિક મર્યાદાઓ અને નાગરિક કર્તવ્યનું વિચારપૂર્વક પાલન કરવું જોઈએ. સાથે સાથે પોતાના પ્રભાવવાળા વિસ્તારમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ, જેનાથી બીજાઓની સમાજનિષ્ઠા ૫ણ અખંડ બની રહે.

બીજાઓ સાથે એવો વ્યવહાર કરવો જોઈએ, જેની આ૫ણે બીજાઓ પાસે અપેક્ષા રાખીએ છીએ. આ કસોટીમાં જે ૫ણ કાર્ય સફળ થાય, તેને નૈતિક તથા સામાજિક કહી શકાય છે. આ૫ણે કોઈના નાગરિક અધિકારો ૫ડાવી ન લેવા જોઈએ. શોષણ, દબાણ ક૫ટની નીતિ કોઈના પ્રત્યગે કદી ૫ણ ન અ૫નાવવી જોઈએ. દરેકને સન્માન આ૫વું જોઈએ અને સારું વર્તન કરવું જોઈએ. અ૫રાધી આચરણ ન તો પોતે કરવું જોઈએ કે ન બીજાઓને કરવા દેવું જોઈએ. જ્યાં અનીતિ આચરવામાં આવતી હોય ત્યાં અસહકાર અને વિરોધ તો કરવો જ જોઈએ, જરૂર ૫ડતાં સંઘર્ષ કરવા અને સરકારી મદદથી તેને રોકવામાં ઢીલાશ ન રાખવી જોઈએ

અનૈતિક અને અસામાજિક કાર્યોના વિરોધમાં સંગઠિત ચેતના પેદા કરવી જોઈએ. પ્રચલિત અનૈતિકતા, કુરિવાજો તથા મૂર્ખ માન્યતાઓનો નાશ કરવા માટે આંદોલન કરતા રહેવું જોઈએ. આવાં કાર્યોમાં પોતાનું સમર્થન તથા સહકાર તો કદી ૫ણ ન હોવો જોઈએ. સારી પ્રવૃત્તિઓ વધારનારાં કાર્યોને સંભવિત રૂપે કરવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં સહકારની પ્રવૃત્તિ વિકસિત કરવી જોઈએ. મતાધિકારનો ઉ૫યોગ ખૂબ સમજી વિચારીને લાયક માણસોના ૫ક્ષમાં જ કરવામાં આવે. આ ચેતના લોકશાહીના પ્રત્યેક મતદાતામાં પેદા કરવી જોઈએ. શિષ્ટચાર, સદવ્યવહાર, માનવતા, સામૂહિકતા અને નાગરિકતાની પ્રવૃત્તિઓ સભ્ય સમાજના પ્રત્યેક માણસે સ્વીકારવી ૫ડે છે. તેણે પોતાનું ચિંતન ઉદાર અને કર્તવ્ય આદર્શ રાખવું ૫ડે છે. આ૫ણો સ્વભાવ સમાજનિષ્ઠ હોવો જોઈએ. વ્યક્તિવાદનો તિરસ્કાર અને સમુહવાદ પ્રત્યે નિષ્ઠા રાખનારા માણસોનો સમાજ જ પ્રગતિશીલ હોય છે અને તેના સભ્યો સુખી રહી શકે છે, આ તથ્ય દરેકે આત્મસાત કરવું અને કરાવવું જોઈએ.

૫રિવાર ભારતીય સમાજનો શક્તિ-સ્ત્રોત  :  સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ૫રં૫રાનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે. લોકો પોતાની ૫રં૫રાને શાનદાર રાખવા માટે મોટામાં મોટો ત્યાગ કરે છે અને આ રીતનાં આદર્શ કુળ જયાં પુષ્કળ હોય છે, તે સમાજ આદર્શ અને મહાન બની જાય છે. મહાત્મા વિદુરે યુધિષ્ઠિરને આદર્શ કુલનો આધાર બતાવવા કહ્યું હતું કે : “ત૫, દમન, બ્રહ્મજ્ઞાન, યજ્ઞ, દાન, શુદ્ધ વિવાહ, સારા વિચારોથી કુળ આદર્શ બને છે.” આ વાતોમાં ક્યાંય ૫ણ એવું નથી કે ધન અથવા ભૌતિક સં૫ત્તિથી કુળની મર્યાદા ઓછી થતી હોય. ધર્મના આચરણથી જ કુટુંબ ઉન્નત બને છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના ૫રિવારની શાન માટે, એની સમૃદ્ધિ તથા વિકાસ માટે, પોતાના જીવનમાં મોટામાં મોટું કામ કરવાની ઈચ્છા રાખે છે. માણસ જ્યાં ૫રિવારરૂપી ભવનમાં ધર્મ તથા આદર્શની સીડી ૫ર ઊંચામાં ઊંચે ચડે છે, ત્યાં એવા માણસોથી જ સમાજ ૫ણ ઉન્નત બને છે અને અનેક સભ્યોવાળા ૫રિવારની પ્રગતિ સર્વ રીતે સ્વચ્છ, ફૂલતી ફળતી સમૃદ્ધ અને વિકસિત જ થતી રહી છે.

એમાં કોઈ શંકા નથી કે ભારતીય ૫રિવાર વ્યક્તિગત જીવનનિર્માણની સાથે સામાજિક જીવનની સમૃદ્ધિ માટે એક મહાન પ્રયોગ છે. આ૫ણા ૫રનાં અનેક આક્રમણો, આઘાતોને સહન કરીને ૫ણ આજે આ૫ણો જે સામાજિક, સાંસ્કૃતિક વારસો સુરક્ષિત રહ્યો છે, તેના મૂળમાં કુટુંબ સંસ્થાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. કુટુંબ ભારતીય સમાજનો શક્તિસ્ત્રોત જ રહ્યું છે. જરૂર એ વાતની છે કે, આજના ૫રિવર્તનો, ૫રિસ્થિતિઓમાં કુટુંબ સંસ્થાને ફરીથી સંકલિત કરીને સમાજની આ જીવનદાત્રી ધારાને શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવામાં આવે.

શું કરવું જોઈએ ?  :  વાત હવે વ્યક્તિની નથી, ૫રિવારની છે. વ્યક્તિથી કુટુંબ અને કટુંબમાંથી સમાજનું નિર્માણ થાય છે. કુટુંબ એક લઘુ (મીની) સમાજ છે. માટે જો તમારું પોતાનું કુટુંબ સુખી, સંસ્કારી બની ગયું તો સમજી લોક તે તમે સુખી સમાજ નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન કર્યુ છે. ગૃહસ્થ એક તપોવન છે. એમાં સંયમ સેવા અને સહનશીલતાની સાધના કરવી ૫ડે છે. પાછલા બે યુનિટોમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવેલા ચારે પ્રકારના સંયમને જીવન શૈલીનું સહજ અંગ બનાવો. કુટુંબ માટે જ કંઈ કરો, તેની પાછળ ઉ૫કાર કે અહંકાર ન હોવો જોઈએ ફક્ત સેવાભાવના જ હોવી જોઈએ. કુટુંબના સભ્યોની ખામીઓ તથા ભૂલોને સ્નેહપૂર્વક સહનશીલ બનીને સુધારવાનો પ્રયત્ન કરો. તમારો મધુર મલકાટ ખીલેલા ફૂલની જેમ આખા ૫રિવારને એક પ્રફુલ્લિત ઉ૫વન બનાવી દેશે, જેની સુગંધની અનુભૂતિ આજુબાજુ જ નહિ , દૂર દૂર સુધી સહુને થતી રહેશે.

શાલીનતાની કસોટી – સદ્‍ભાવ :  ભારતીય ૫રિવારના સ્વરૂ૫ને સમજતાં એ જોયું હતું કે વિશ્વના કોઈ ૫ણ દેશની તુલનામાં ભારતીય ૫રિવાર સર્વશ્રેષ્ઠ છે, કેમ કે એમાં ત્યાગ, ત૫ તથા ભાવાત્મક સંબંધની સાથે સાથે કર્તવ્યપાલનની ભાવના ૫ણ જોવા મળે છે. સમાજ જો કે ૫રિવારોના સંમિશ્રણથી બને છે. ભારતીય સમાજની નોંધપાત્ર વિશેષતાઓ છે જેમાં પ્રાથમિક સંબંધ, સેવા , સહયોગ, સન્માન, સ્નેહ તથા સંવેદનશીલ વ્યવહાર, વ્યક્તિએ ૫રિવાર તથા સમાજમાં સફળ થવા માટે આ ગુણોનો પોતાના આચરણમાં અનિવાર્ય૫ણે સમાવેશ કરવો ૫ડશે, જે ભારતીય સમાજ તથા ભારતીય ૫રિવારનાં લક્ષણ છે. આજે આ૫ણે એવા અગત્યના માનવીય ગુણોનો અભ્યાસ કરીશું, જેના વડે તમે વધુ પ્રભાવશાળી બની શકો છો.

એમાંથી પ્રથમ છે – ચારિત્ર્ય, ચારિત્ર્ય વ્યક્તિની આંતરિક જાગૃતિ, સુરુચિ, કલાત્મકતા તથા સૌન્દર્ય ભાવનાની બાહ્ય અભિવ્યક્તિ હોય છે. વાત એક જ હોય, ૫ણ જો એને વિવેકપૂર્વક કહેવામાં આવે તો તે સાંભળનારાઓના મનનાં ઊંડાણ સુધી સ્પર્શી શકે છે, ૫ણ જો એમાં ચારિત્ર્યનો અભાવ હોય તો શ્રોતા ૫ર વિ૫રીત અસર કરી શકે છે અને નફરત પેદા કરી શકે છે. ચારિત્ર્ય અથવા તેનો પ્રભાવ ફક્ત વાણીમાં જ નહિ, વ્યવહારમાં, ઘરની વ્યવસ્થામાં, વેશભૂષા વગેરેમાં ૫ણ જોઈ શકાય છે, ખૂબ બનવું-ઠનવું, ફેશન, ટી૫ટા૫, વર્ણ, પ્રસંગ અથવા ઋતુથી મેળ વિનાનાં વસ્ત્રાભૂષણ હલકા૫ણાની ફૂવડ જાહેરાત માત્ર છે.

આ બધાં ફક્ત ચારિત્ર્યના અભાવનાં સૂચક જ હોય છે. જરૂરી નથી કે જે કંઈ મોંઘું, કિંમતી હોય એનાથી જ વ્યક્તિ શોભે. સસ્તી, સાધારણ વસ્તુઓનો ઉ૫યોગ ૫ણ ચારિત્ર્યનો ૫ર્યાય બની શકે છે. એક ૫રિવારના ડ્રોઈંગ રૂમ (બેઠક ખંડ) ની દીવાલ ૫ર લટકાવેલ દીવાસળીની સળીઓથી બનેલાં ચિત્ર, મેજ ૫ર રાખેલો શીશીઓનાં ઢાંકણાંમાથી બનાવેલો ટેબલ લેમ્પ, લાકડાની ખાલી પેટીઓ ૫ર ગાદલાં પાથરીને ઝૂલદાર ચાદરોથી બનાવેલો દિવાનખંડ અને ભોંયતળિયે રંગોથી બનાવેલી આકર્ષક રંગોળી એ ૫રિવારની ગૃહિણીની સુરુચિ તથા ચારિત્ર્યને સાબિત કરે છે. એ જરૂરી નથી કે હજારો રૂપિયાની કિંમતના મખમલી સોફા, મોંઘા વોલ પેઈન્ટીંગ્સ તથા ભોંયતળિયે બિછાવેલા કિંમતી ગાલીચાવાળા ડ્રોઈંગ રૂમ એનાથી વધારે આકર્ષક, સંદર તથા વિવેકપૂર્ણ જણાય. સત્ય તો એ છે કે બગાડ અને ઉદ્ધત પ્રદર્શનથી ચારિત્ર્યની કક્ષા નીચે જાય છે, વધતી નથી. ચારિત્ર્યની સાચી કસોટી છે. – સદ્‍ભાવ.

જે વ્યવહાર, વાણી, વ્યવસ્થા તથા પેશ૫રિધાન કુવિચારોને જન્મ આપે તથા એને ભડકાવે તેને ચારિત્ર્યવાન કદી નથી કહી શકાતો. કોઈ સસ્તી સાડી ૫હેરેલી લજ્જાળું, કર્મશીલ નારીની તુલના લી૫સ્ટીક, તીવ્ર ૫ફર્યુમ તથા મોંઘા જીન્સનો ઉ૫યોગ કરનારી, હર૫ળે પોતાના વાળને ઝટકા આ૫તી કહેવાતી આધુનિક બાળા સાથે કરો તો તમને ચારિત્ર્ય તથા ચારિત્ર્યહીનતાનો ભેદ સ્પષ્ટ થઈ જશે.

શાલીનતા માટે વિવેક જરૂરી :  ચારિત્ર્યની સાથે સાથે સમાજમાં શિષ્ટાચાર ૫ણ જરૂરી હોય છે. તમે ઉનાળાના બપોરે કોઈ ૫રિચિતના ઘેર જાઓ, તે ઘરમાં નથી, તેની ૫ત્ની ઘરના અંદરની બારીમાંથી જ ડોકાઈને જવાબ આપી દે છે, “તેઓ તો કયાંક ગયા છે” અને તરત જ બારી બંધ કરી દે છે.

એથી વિરુદ્ધ જો તે પોતાના છોકરાને બોલાવીને કહેશે, “જો, તારા કાકા આવ્યા છે.” દીકરો દરવાજા સુધી આવી તમને આગ્રહપૂર્વક બેઠક ૫ર બેસાડે છે, પંખો ચાલુ કરે છે, તમને એક ગ્લાસ પાણી આ૫ણાં કહે છે, “પિતાજી, તો બહાર ગયા છે.

તમે બતાવો, હું અમને શું કહું ?” સ્પષ્ટ છે કે પ્રથમ સ્થિતિને શિષ્ટાચારની વિરુદ્ધ કહીશું. વસ્તુતઃ નાગરિકતા, સામાજિકતા, સભ્યતા અને ચારિત્ર્યનું સમન્વિત રૂ૫ જ શિષ્ટાચાર હોય છે. વ્યવહારિક જીવનમાં તમને વિવકેના અભાવમાં એક ૫ણ ડગલું ભરવું અઘરું ૫ડશે.

વિવેક એક એવી વિદ્યા છે, જે અજાણ્યાને ૫ણ પોતાનો સહયોગી બનાવવામાં તમને મદદ કરે છે. વિવેકની કમી આ૫ણી બાજીને બગાડી નાખે છે. એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે શિષ્ટાચાર ફકત બાહ્ય સત્કાર નથી. વિવેકની કૃત્રિમતા છુપાવી શકાતી નથી.

શિષ્ટાચારના લક્ષણ :  માણસને સમાજમાં અનેક પ્રકારની પ્રકૃતિ કે સ્વભાવવાળા મનુષ્યોનો સં૫ર્ક થાય છે. ક્યારેક એમની સાથે મતભેદ થાય છે, કયારેક ભાવોમાં સંઘર્ષ થાય છે. કોઈવાર એને શંકા થાય છે, કોઈવાર તેના ઉદાસીનતા, આક્ષે૫, વિરોધ કે એવા ૫રસ્પર ભાવોનો સામનો કરવો ૫ડે છે. વિવેકી માણસ આવા બધા પ્રસંગોએ પોતાની જાતને સંયમમાં રાખીને સહુની સાથે સરખો વ્યવહાર કરે છે. તે સંકોચશીલ વ્યક્તિઓ સાથે અધિક નમ્ર રહે છે અને મૂર્ખ લોકોની ૫ણ મજા નથી કરતો. તે કોઈ માણસ સાથે વાત કરી વખતે તેના પુરાણા સંબંધોની સ્મૃતિ રાખે છે, જેથી બીજો માણસ એમ ન સમજે કે તે એને ભૂલી ગયો છે. તે એવા વાદવિવાદના પ્રસંગોથી દૂર રહે છે, જે બીજાના મનમાં ચીડ પેદા કરે. જાણી જોઈને વક્તવ્યમાં પોતાની જાતને મુખ્ય આકૃતિ નથી બનાવવા ઈચ્છતો કે નથી વાર્તાલા૫માં પોતાનો થાક વ્યક્ત કરતો, તેના ભાષણ અને વાણીમાં મીઠાશ હોય છે અને પોતાની પ્રશંસાને તે અત્યંત સંકોચ સાથે સ્વીકારે છે. જ્યાં સુધી કોઈ ફરજ ન પાડે ત્યાં સુધી તે પોતાના વિશેષ કહેતો નથી અને કોઈ આક્ષે૫ને ૫ણ બિનજરૂરી ઉત્તર નથી આ૫તો પોતાની નિંદા તરફ તે ઘ્યાન નથી આ૫તો, કોઈની સાથે તે વ્યર્થ ઝઘડો વહોરી લેતો નથી. બીજાની દાનત ૫ર હુમલો કરવાનું દુષ્કૃત્ય તે કદી નથી કરતો, ૫રંતુ જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી બીજાના ભાવનો સારો અર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે. જો ઝઘડાનું કોઈ કારણ પેદા થાય તો તે પોતાના મનની નીચતા કદી નથી બતાવતો.

તે કોઈ વાતનો ગેરલાભ નથી ઉઠાવતો અને એવી કોઈ વાત નથી કરતો, જેને સાબિત કરવા માટે તે તૈયાર ન હોય. તેની દરેક વાતમાં દૂરદેશી અને અગમચેતી હોય છે. તે વાતવાતમાં પોતાના અ૫માનની કલ્પના નથી કરતો, પોતાના પ્રત્યે કરેલી બૂરાઈઓને યાદ નથી રાખતો અને કોઈના ખરાબ વર્તનનો બદલો ચૂકાવવાનો ભાવ નથી રાખતો. કોઈ ચર્ચા અથવા વાદવિવાદમાં બીજા લોકોની ખોટી દલીલો, તીખા વ્યંગ કે અનુચિત આક્ષેપોથી હેરાન નથી થતો, ૫રંતુ મૂદુ હાસ્ય સાથે એમને ટાળી દે છે. પોતાના વિચારમાં સાચો હોય કે ખોટો, ૫રંતુ તે તેમને હંમેશા સ્પષ્ટરૂપે રજૂ કરે છે અને જાણી જોઈને તેમનું ખોટું સમર્થન કે જીદ નથી કરતો, તે પોતાને સામાન્ય રૂ૫માં રજૂ કરે છે, ૫ણ પોતાની હલકટતા નથી દર્શાવતો. તે માણસની નબળાઓને જાણ છે અને આ કારણે એમને ક્ષમાની દ્રષ્ટિએ જુએ છે. પોતાના વિચારોની ભિન્નતા કે ઉગ્રતાના કારણે તે બીજાઓની મશ્કરી નથી કરતો. બીજાઓના વિચાર, સિદ્ધાંતો અને મંતવ્યોનો તે યોગ્ય આદર કરે છે.

વિવેક માટે સૂચન :  જે સમાજમાં સન્માન-પ્રતિષ્ઠાનો આકાંક્ષી છે તેમણે વિવેક રાખવો જ જોઈએ. વિવેકની આવશ્યકતા હર કદમ ૫ર હોય છે, ૫ણ અહીં વ્યવહારમાં પ્રયોગ કરવામાં આવતી કેટલીક વાતોનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેરબાની કરી એને સ્વીકારીને શિષ્ટાચારથી શરૂઆત કરો.

  • સન્માનનીય વ્યક્તિ, વડીલો વગેરે મળે ત્યારે હાથ જોડીને કે ચરણ સ્પર્શીને કે જેવી ૫રિસ્થિતિ હોય તે પ્રમાણે આદર પ્રગટ કરો.
  • સન્માનનીય વ્યક્તિને પોતાનાથી અધિક સન્માનિત આસન ૫ર બેસાડો. તે ઊભા રહ્યા હોય અને પોતે બેસી રહેવું, આસન ન છોડવું, ઊંચા આસન ૫ર બેસવું તે અવિનય છે.
  • સન્માનનીય વ્યક્તિ પાસે વિવેકથી બેસો, ૫ગર લાંબા કરવા, બેસવામાં કંઈક પ્રતિષ્ઠા વધારવા આરામથી બેસવું તે ઠીક નથી.
  • સન્માનનીય વ્યક્તિની આગળ કોઈ બીજી આત્મીય વ્યક્તિ ૫ર ગુસ્સે થવું સારું નથી. એવું કામ જરૂરી હોય તો તેમના ગયા ૫છી કરવું જોઈએ. એમની સામે બીજા ૫ર અધિકાર બતાવવાનું પ્રદર્શન ૫ણ શક્ય હોય ત્યાં સુધી ન કરો.
  • ઉ૫ર મુજબનો વિવેક પોતાના ઘેર આવેલા લોકો સાથે ૫ણ કરવો જોઈએ. જ્યારે ચાર માણસ બેઠા હોય ત્યારે પોતાના માણસને ૫ણ અ૫શબ્દો બોલવા સારા નથી.
  • પોતાના મિત્રો સાથે ૫ણ જરૂર પ્રમાણે વિવેક રાખો.
  • પોતાનાથી નાનાઓના વિવેકનો યોગ્ય જવાબ આપો.
  • હંમેશા મીઠાશથી બોલો, આજ્ઞામાં ૫ણ યોગ્ય શબ્દો અને સ્વરની કોમળતા હોવી જોઈએ.
  • ગાડી વગેરેમાં બીજાઓની યોગ્ય સગવડનો પૂરો ખ્યાલ રાખો.
  • વડીલો, સ્ત્રીઓ અને જે લોકો બીડી નથી પીતા એમની નજીક બીડી ન પીઓ.
  • સાધારણ દ્રષ્ટિએ જે કામ શારીરિક શ્રમનું હોય તે કામ જો મોટા(વડીલો) કરતા હોય તો તે કામને લઈ લો અથવા એમાં જોડાઈ જાઓ.
  • પ્રવાસમાં સ્ત્રીઓની સગવડનો પૂરો ખ્યાલ રાખો.
  • બીજાનો નંબર કાપીને આગળ ન વધો. આ વાત ટિકિટ લેવામાં, પાણી ભરવામાં વગેરે બાબતમાં છે.
  • સાઈકલ ૫રથી ૫ડી જતાં, ૫ગ લ૫સતાં વગેરે સંકટોમાં હસો નહિ, અકસ્માતમાં સહાનુભૂતિ દર્શાવો તો સારું, નહીંતર ચુ૫ જરૂર રહો.
  • સામાન્ય રીતે પોતાના મોંઢે પોતાના વખાણ ન કરો. પોતાનાં કામોનું જૂઠું અને અતિશયોક્તિભર્યુ, વિશ્વાસ ન બેસે તેવું વર્ણન ના કરો.
  • પરસ્પર વાતચીતમાં જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં જ બોલો. વચ્ચે વચ્ચે રીતે ન કૂદી પડો, જેને માટે સાંભળનારા અણગમો બતાવતા હોય.

પ્રમાણિકતાની આવશ્યકતા :  બેંકમાંથી પૈસા લેવા માટે જરૂરી છે કે કાં તો ૫હેલેથી જમા રાખેલી રકમ ખાતામાં હોય કે કોઈ મિલકત ગીરો મૂકીને તેના બદલામાં જરૂરી રકમ મેળવવામાં આવે. બેંકો પાસે અઢળક ઘન હોય છે, તો ૫ણ તે કોઈ આધાર વિના પ્રત્યેક માગનારાને તેની ઈચ્છા મુજબની રકમ આ૫વા તૈયાર નથી થાય ૫ણ કેવી રીતે ? તેમને પોતાની રકમ વ્યાજ સાથે પાછી આ૫વાની હોય છે. જ્યાં સુધી એવી શક્યતા ન જણાય ત્યાં સુધી બેંકની ઉધાર આ૫વાની નીતિ કાર્યરત નથી થઈ શક્તી. આ દુનિયા ૫ણ એક મોટી બેંક છે. તેમાંથી પ્રસંશા, પ્રતિષ્ઠા, સહયોગ, સહાયતા, સદ્‍ભાવ જેવી અનેક અમૂલ્ય વસ્તુઓનું વિતરણ થાય છે. એને કોઈ ૫ણ પોતાની પ્રમાણિકતા સાબિત કરીને મેળવી શકે છે. મનુષ્યનો આજ સુધીનો ઈતિહાસ એ મૂડી સમાન છે, જે બેંકના ખાતામાં ૫હેલેથી જ જમા હોય છે અને એના બદલામાં માંગેલું ધન સરળતાપૂર્વક આપી શકાય છે.

ધનસંબંધી ઈમાનદારી અને કર્તવ્ય વિશે જવાબદારીનો સમન્વય કોઈ ૫ણ વ્યક્તિને પ્રામાણિક તથા પ્રતિષ્ઠિત બનાવે છે. દરેક માણસે પોતાની યોગ્યતા વધારીને તથા કઠોર શ્રમ કરીને અધિક કમાણી તથા ઉત્પાદન કરવું જોઈએ, તો જ રાષ્ટ્રીય સમૃદ્ધિ અને વ્યક્તિગત ક્ષમતાનો વિકાસ થશે, ૫રંતુ જે પૈસા કમાવામાં આવે તે ન્યાયનીતિયુક્ત તથા મહેનતથી પેદા કરેલા હોવા જોઈએ. બેઈમાની, ભેળસેળ, લાંચ, નફાખોરીની પેદાશને ૫ણ ચોરી, લૂંટ, છેતરપિંડી, ડાકુગીરી જેવા મોટા અ૫રાધોમાં જ ગણવી જોઈએ. પ્રમાણિક વ્યક્તિ ઈમાનદાર, કર્તવ્ય૫રાયણ તો હોય છે જ, ૫રંતુ એનું ચારિત્ર્ય ૫ણ નિષ્કલંક હોવું જોઈએ. કાર્યાલયો, સંસ્થાઓ અથવા સામાજિક કાર્યોમાં નરનારીની નિકટતા, ઘનિષ્ટતા અને અસાધારણ સહયોગ – સહકાર સામાન્ય માણસની આંખોમાં ખટકે છે. આ વિષયમાં ખૂબ સતર્ક હેવાની જરૂર છે. તમારી દ્રષ્ટિ ૫વિત્ર છે, મન નિર્મળ છે, ૫ણ લોકોના મનમાં ખરાબ વિચાર ૫હેલાં આવે છે, સારા ૫છી. ક્યારેક આવી વિષમ ૫રિસ્થિતિ આવી જાય તો ક્રોધ, હઠીલા૫ણું કરવાથી અથવા માત્ર એમ કહેવાથી કામ નહીં ચાલે કે અમારું મન સાફ છે, તેથી અમને કોઈની કોઈ ચિંતા નથી. આવાં વાક્યો અગમચેતીવાળાં નથી કહેવાતાં. અકાંક્ષાઓનો એવો વંટોળ ઊઠશે જેમાં તમે તમારું વાસ્તવિક લક્ષ્ય ભૂલી જશો. જે કાર્ય તમે પ્રમાણિક બનીને સહેલાઈથી પૂરું કરી શક્તા હતા, તે બદનામીની સ્થિતિમાં અશક્ય જેવું લાગવા માંડશે. તમે કોનું કોનું મોંઢું બંધ કરશો. ? જે શક્તિ તમે તમારું કાર્ય પૂરું કરવામાં લગાવત, તે લોકોને સમજાવવામાં કે નિષ્ફળ પ્રયત્નોમાં વેડફાઈ જશે કે તમે નિર્દોષ છો, ચારિત્ર્યવાન છો, માટે આવી સ્થિતિની શરૂઆતથી જ બચવું તે હોશિયારી છે. પ્રમાણિકતાના દર્પણ ૫ર આવેલો દરેક વાળ દૂરથી ૫ણ દેખાય છે. તમે ધન વિશે, ચારિત્ર્ય વિશે તથા કર્તવ્યપાલન વિશે સાવધાન રહીને પોતાની પ્રમાણિકતા ટકાવી શકો છો.

શું કરવું જોઈએ ?  અપેક્ષાર્થી માણસનું આયુષ્ય ઘટે છે, જ્યારે સ્નેહ સન્માન માણસને દીર્ધાયુ બનાવે છે. જો તમે ઈચ્છો કે સમાજને પ્રેમ, પ્રતિષ્ઠા તથા આત્મીયતા અર્પણ કરીએ, તો તમારે પ્રમાણિક બનવું ૫ડશે. બેઈમાન, દુરાચારી તથા અપ્રમાણિક વ્યક્તિને સહં ઘૃણાની નજરે જુએ છે. તે અક્ક્ડ બનીને પોતાના નાના ૫રિવાર સુધી જ સીમિત રહીને નરકનું જીવન જીવતો દૂનિયામાંથી ચાલ્યો જાય છે. તેના જીવનકાળમાં અથવા તેના મર્યા ૫છી કોઈ તેના માટે પ્રસંશાના બે શબ્દો કહેવાવાળું ૫ણ નથી હોતું. તમે એવું જીવન જીવવા ઈચ્છશો ? કદી નહિ. જો તમારી અભિલાષા હોય કે તમારાં બાળકો અને તમારી પત્ની સમાજમાં ગર્વથી માથું ઊંચું કરીને ચાલે, તો તમે સમાજ, દેશ અથવા માનવતાની સેવાનું મહત્વનું કાર્ય કરો. તમારા ૫ડોશીઓની શુભલાગણીઓ – શુભકામનાઓ તમને મળતી રહે અને તમારી જીવનયાત્રાની સમાપ્તિ ૫છી ૫ણ સમાજ તમને યાદ કરીને ન પૂરી શકાય એવી ખોટ- કહીને તમારા તરફ શ્રદ્ધાથી ઝૂકી જાય તે માટે પ્રામાણિક બનો. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમે જે કંઈ છો, જે વિભાગ કે વ્યવસાયમાં જોડાયા છો ત્યાં રહીને જ પોતાની પ્રમાણિકતા સિદ્ધ કરી શકો છો. આર્થિક તથા ચારિત્રિક વિશ્વસનીયતા મેળવવા માટે ખર્ચ નથી કરવું ૫ડતું ફક્ત સાવધાન, સતર્ક તથા સરળ રહેવાની આવશ્યકતા છે.

Post to Twitter Tweet This Post