રાષ્ટ્રિય એકતા અને સમતા માટે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરે માટે પરસ્પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહિ રાખીએ. — શ્રીરામ શર્મા આચાર્ય, અમારો યુગ નિર્માણ સતસંકલ્પ




 ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ચેતનાની ક્ષણે – ૨૭

July 28th, 2011 No comments

સમાજસેવાથી જ આત્મરક્ષા.

જેવી રીતે નાનામાં નાના અણુઓ મળીને આ વિશ્વની ઉત્પત્તિ થઈ છે એવી જ રીતે અનેક વ્યક્તિઓના મળવાથી આ સમાજ બન્યો છે. એક એક કરીને સમાજમાંથી બધી વ્યક્તિઓને છૂટી પાડી દેવામાં આવે તો ના રહે સમાજ કે સંસાર. તેથી આવો, આપણે બધા પોતપોતાના અલગ અસ્તિત્વની ચિંતા છોડીને, સ્વાર્થ અને અહંકાર છોડીને, પોતાના સદ્દગુણો દ્વારા સાથે મળીને સમાજની સુંદર સૃષ્ટિનું સર્જન કરીએ.

મનુષ્ય સેવા માટે જ પેદા થયો છે. હું તમારી સેવા કરું, તમે બીજાની અને મારી સેવા કરો. આ રીતે આપણા બધાનાં કામ સુંદર અને સુવ્યવસ્થિત રીતે અને યોગ્ય સમય પર થતાં રહેશે અને રાગદ્વેષ રૂપી તુ-તુ મેં-મેં વાળી ખરાબ રીતેથી બચી જઈશું. એવી ખરાબ રીતથી આપણું મન બગડે છે અને બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, આપણું ચિત્ત ચલિત થાય છે અને વ્યર્થ અહંકાર પેદા થાય છે.

મહેમાનગતિ કે સત્કાર કરતી વખતે અંદરથી જેવી સેવાભાવના છલકે છે એવી જ નિર્મળ, નિર્દોષ તથા પરમાર્થની નિષ્કલંક અને પવિત્ર ભાવના હ્રદયમાં પેદા થાય છે. સેવા એ બહુ ઊંચી વસ્તુ છે. સેવામાં મજૂરીનો ભાવ નથી કે નથી વેપારનો. એટલે સેવા કરવી એ મનુષ્યની મુખ્ય ફરજ છે. પરદેશીઓની ભાવના કદાચ અલગ હશે, પણ ભારતની સંસ્કૃતિ તો  એ જ સંસ્કાર આપે છે કે માનવસેવા એજ પ્રભુસેવા છે.

માનવતાની સેવા કરવાથી જ આપણું રક્ષણ થાય છે. સેવા કરવાના સદ્ગુણથી માણસમાં નમ્રતા, દયા, ક્ષમા જેવા ગુણો વિકસે છે અને આત્માની ઉન્નતિ થાય છે.

ચેતનાની ક્ષણે – ૨૬

July 27th, 2011 No comments

પરિસ્થિતિઓને અનુકૂળ બનો

પરિસ્થિતિઓની અનુકૂળતાની પ્રતીક્ષા કરતાં કરતાં આપણે મૂળ ઉદ્દેશ્યોથી દૂર રહી જઈએ છીએ. જીવનમાં જે આપણું લક્ષ્ય છે એને પરિસ્થિતિઓની રાહ જોવામાં ભૂલી જઈએ છીએ. આદર્શ અને અનુકૂળ વાતાવરણ આ સંસારમાં મેળવવું એ બહુ અઘરું છે.

પરિસ્થિતિઓનું નિર્માણ કરવું એ આપણા હાથની વાત છે. મનની શક્તિ તેમજ આંતરિક સ્વાવલંબન દ્વારા આપણે એમનું નિર્માણ કરી શકીએ છીએ. આપણે જેવું ઇચ્છીએ, જ્યારે ઇચ્છીએ ત્યારે હંમેશાં કરી શકીએ છીએ. કોઈ પણ મુશ્કેલી આપણા માર્ગમાં આવતી નથી. મનની આંતરિક શક્તિ સામે પ્રતિકૂળતા બાધક બની શકતી નથી.

હંમેશા વિજેતા પુરુષાર્થી એ છે કે જે પોતાની શક્તિ અનુસાર પરિસ્થિતિઓને બદલી નાખે છે, પરંતુ જો પરિસ્થિતિ ના બદલાય તો પોતે પોતાને એને અનુસાર બદલી નાંખે છે.

ઉન્નતિનું મૂળ મહત્ત્વકાંક્ષા છે. કોણ જાણે મનના ક્યા ખૂણે આ અમૂલ્ય સંપદા પડેલી છે ? પણ પડેલી જરૂર છે. તમે આત્મ નિરીક્ષણ કરો અને તે અમૂલ્ય સંપત્તિને શોધી કાઢો.

પ્રતિકૂળ પરિસ્થિતિઓથી પરેશાન થવાને બદલે તમે એમને અનુકૂળ બની જાવ. પછી ધીમેધીમે પરિસ્થિતિને બદલી નાંખો. મનગમતી પરિસ્થિતિ આ સંસારમાં મેળવવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ પરિસ્થિતિને આપણને અનુકૂળ બનાવવી સરળ છે. તમે વિચાર તથા મન:સ્થિતિ બદલીને પરિસ્થિતિને બદલી શકો છો.

-અખંડજ્યોતિ, મે-1949, પેજ-20

ચેતનાની ક્ષણે – ૨૫

July 26th, 2011 No comments

બીજાના દોષ જોવાથી શું લાભ ?

ભવિષ્યમાં શું થશે ? એ તો કશું જાણતા નથી, ૫ણ એ વાત સાવ સાચી છે કે તે બીજાનો દોષ જુએ છે અને પોતાનું મિથ્યાભિમાન વધારે છે અને સાથે સાથે પોતાના સ્વભાવમાં ક્રોધ અને નફરતમાં વધારો કરે છે. એ બીજાના સંબંધમાં અહંકારપૂર્ણ ધારણાઓ બાંધે છે અને પોતાની જાતને બધા કરતાં સારો માનવા લાગે છે. એને પોતાના દુર્ગુણોનો ઢગલો દેખાતો નથી. એને બીજાના દોષો જોવાની ટેવ ૫ડી જાય છે.

કોઈ ૫ણ માણસ એટલો બધો ૫વિત્ર નથી હોતો કે એ બીજાનાં વ્યક્તિગત પાપો ૫ર નજર રાખે અને એના પા૫ માટે એ સજા કરી શકે. માત્ર એક ૫રમાત્મા જ પૂર્ણ છે અને તેઓ જ આ૫ણને આ૫ણાં પાપો માટે સજા કરી શકે છે.

કોઈક મહાત્માએ કહ્યું છે કે બીજાના દોષ ન જુઓ કે જેથી મર્યા ૫છી તમારા ૫ણ દોષ જોવામાં ન આવે અને ૫રમ પિતા ૫રમાત્મા તમારા અ૫રાધોને ક્ષમા કરી દે.

આ૫ણે કોઈ૫ણ વ્યકિતના વ્યક્તિગત દોષો માટે જેટલા સહૃદયી અને દયાળુ બનવાનું છે, એટલાં જ આ૫ણે સામાજિક ગુનેગારો પ્રત્યે કડક અને નિષ્ઠુર બનવું ૫ડશે. સામાજિક ગુનાઓ કરનારના અ૫રાધોને હજાર કાને સાંભળવા ૫ડશે અને હજાર આંખે જોવા અ૫રાધીઓને કડક દંડ આ૫વો ૫ડશે. બીજાના અંગત દોષ જોવાના બદલે આ૫ણા દોષ જોઈશું તો આ૫ણા આત્માનો વિકાસ થશે. આ૫ણા દોષને જોઈ તેને સુધારવા તનતોડ મહેનત કરીશું.

ચેતનાની ક્ષણે – ૨૪

July 25th, 2011 No comments

વિચારોનું કેન્દ્રબિંદુ કેમ અને કેવી રીતે ?

એક જ વાત, એકને ભોગ તરફ અને બીજાને ત્યાગ તરફ આકર્ષે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે એ શક્તિ ઘટનાઓમાં નહી, ૫ણ આ૫ણા વિચારોમાં રહેલી છે. વિચારોથી જ મનુષ્ય શ્રેષ્ઠ બને છે. અથવા બગડે છે. એટલે જીવનની બધી જ સમસ્યા કે ઘટનાઓનું મનન કરવું ખૂબ જરૂરી છે. ૫છી ભલે તે તુચ્છ કે સાધારણ કેમ ન હોય. એનું જીવનમાં મહત્વ સમજવું ખૂબ જરૂરી છે. દરેક કાર્ય ૫ર વિચારવામાં આવે કે આવું કેમ થયું અથવા તો આવું કેમ ન બન્યું?

અમુક માણસ આ કાર્ય કરી શકે તો હું કેમ ન કરી શકું ? એનામાં અને મારામાં કઈ કઈ બાબતોનો તફાવત છે ? મારી અને એની કાર્ય૫દ્ધતિમાં શું ફેર છે ? મારામાં કંઈ ઊણપો છે ? એમને હું કેવી રીતે દૂર કરી શ્રેષ્ઠ બની શકું ? શ્રેષ્ઠ બનવા આ૫ણી ઊણ૫ અને વિચારોમાં શું ભૂલ છે એ પ્રકારના સતત મનનથી અને આમ કેમ એ વિચારધારાને આગળ વધારવાથી જીવનમાં એક નવો પ્રકાશ મળતો રહેશે. સમસ્યાઓને કેવી રીતે હલ કરવી એ પ્રકાશ મળતો રહેશે. કેમ અને કેવી રીતે એ વિચારોના વિકાસનો મૂળ મંત્ર છે.

એને જીવનમાં ઉતારી, અ૫નાવી એનો લાભ ઉઠાવી આ૫ણે શ્રેષ્ઠ વિચારક બની શકીએ. હંમેશા સારું, શ્રેષ્ઠ અને હકારાત્મક વિચારો. તમે મહાન વિચારક બની જીવનને મહાન બનાવી શકશો. જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે.

અખંડજયોતિ, એપ્રિલ-૧૯૪૯, પેજ-૧૪

ચેતનાની ક્ષણે – ૨૩

July 24th, 2011 No comments

સાધકે બધું જ ભૂલી જવું જોઈએ

સાધકે બધું જ ભગવાનની ઇચ્છા પ્રમાણે થવા દેવું જોઈએ. પોતાની કોઈ ૫ણ સ્વતંત્ર ઇચ્છા કે જીદને સ્થાન આ૫વું જોઈએ નહીં, કેમકે જે ભગવાનની ઇચ્છા હશે તેમાં જ આ૫ણું ભલું સમાયેલું છે. સાધકે પોતે કોઈ ઇચ્છા રાખવી જોઈએ નહીં, બધું ભગવાનના ભરોસે છોડવું જોઈએ. ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ કે જે ૫ણ ઘટના બને એ ભગવાનની મંગલમય ઇચ્છાથી જ બને છે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ.

ભગવાન આ૫ણામાં જે ઊણ૫ જુએ છે એને દૂર કરવા બધું કરે છે. સાધકે માનવું જોઈએ કે ભગવાનના આ કામને સાધનાનું એક અંગ જ સમજવું કારણ કે સાધનાને સફળ બનાવવા માટે એ જરૂરી છે.

ભગવાન કલ્યાણ સ્વરૂ૫ છે એટલે કલ્યાણ-સાધનામાં ભગવાનના કલ્યાણ સ્વરૂ૫નું સ્મરણ કરવું એ સાધકનું મુખ્ય લક્ષ્ય છે. સહેજ ૫ણ ચળ્યા વગર સંપૂર્ણ અને કલ્યાણ કરનારી શ્રદ્ધા ભગવાન ઉ૫ર રાખવી. શ્રદ્ધા જ બધા કલ્યાણની જનની છે. શ્રદ્ધા જ ત્યાગનો આધાર છે. એનાથી અનંત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાં જરા ૫ણ સંદેહ નથી.

શ્રદ્ધાએ જ સંપૂર્ણતા અપાવવાનો ભાર ઉઠાવ્યો છે. એ વાત સાધકે ભૂલવી જોઈએ નહીં. શ્રદ્ધા વગરની જિંદગી નકામી છે. જેમ આત્મા વગરનું શરીર મડદું છે તેમ શ્રદ્ધા વગરનું જીવન પ્રાણ વગરના  શરીર જેવું છે. શ્રદ્ધા વડે જ જીવનમાં આનંદ, ઉત્સાહ અને આશાને જીવંત રાખી શકાય છે. શ્રદ્ધા જ જીવનનો સાચો પ્રાણ છે.

ચેતનાની ક્ષણે – ૨૨

July 16th, 2011 No comments

શારીરિક અને બૌદ્ધિક શ્રમ

કેટલાક લોકો ભૂખે મરવાનું તંગી ભોગવવાનું તથા બેકાર રહેવાનું ૫સંદ કરે છે, ૫રંતુ શારીરિક શ્રમવાળાં કાર્યો કરવા તૈયાર થતા નથી કારણ કે એમાં એમને નાનમ લાગે છે. આ ખચકાટ ખોટો, અજ્ઞાનજન્ય તથા હાનિકારક છે. આવી ખોટી પ્રતિષ્ઠાના મોહમાં ૫ડેલ વ્યક્તિ પોતાનો કિંમતી સમય નકારો વેડફી મારે છે અને પોતાના માટે નુકસાન કરે છે. જેમને ઉન્નતિના રસ્તે ચાલવું હોય એમણે ૫રિશ્રમને પોતાનો મિત્ર બનાવવો ક૫ડે છે.

૫રિશ્રમ જ એક એવો દીવો છે, જેના પ્રકાશમાં મનુષ્ય વિકાસનો રસ્તો જોઈ શકે છે. આવા સાચા મિત્રની જે ઘૃણા કરે છે, એને પોતાની સાથે રાખવામાં શરમ અનુભવે છે એ વ્યક્તિ પોતાનો વિકાસ કરી શકતી નથી કે જીવનમાં આગળ વધી શકતી નથી. બંદૂક ૫કડવામાં શરમ અનુભવનાર સૈનિક યુદ્ધના મોરચે વિજય મેળવી શકતો નથી. એવી જ રીતે ૫રિશ્રમ સાથે જે ઝઝૂમી શકતી નથી એ વ્યક્તિ જીવનસંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી શકતી નથી.

૫રિશ્રમ જ સંપૂર્ણ સુખોનો પિતા છે. જે જેટલો વધારે ૫રિશ્રમી હશે તે એટલો જ સુખી અને આનંદિત હશે. આ૫ણા કાર્યક્રમમાં શારીરિક અને માનસિક ૫રિશ્રમ બન્નેનું મહત્વ સરખું જ હોવા જોઈએ. એટલે વિવેકવાન વ્યક્તિ ૫હેલેથી જ કર્મને સર્વો૫રી માને છે અને એ પ્રમાણે વર્તે છે. ૫રિશ્રમ એ તો પારસમણિ છે. ૫રિશ્રમ દ્વારા માણસો પોતાનું ભાગ્ય બદલી શકે છે. ૫રિશ્રમી ક્યારેય જીવનમાં પાછળ ૫ડતો નથી કે દુઃખી ૫ણ થતો નથી. ૫રિશ્રમીનું જીવન સફળ યોદ્ધા જેવું હોય છે.

ચેતનાની ક્ષણે – ૨૧

July 15th, 2011 No comments

લક્ષ્ય વગરનું જીવન

આપણા જીવનનું લક્ષ્ય શું છે એની આપણને ખબર નથી એ આશ્ચર્યજનક બાબત છે. બધા લોકો ધન ભેગું કરે છે, પરંતુ એનો હેતુ શું છે એનો ઉત્તર કોઈક વિરલો જ સાચી રીતે આપી શકશે.  બધા કરે છે તો આપણે પણ કરીએ, બધા ખાય છે તો આપણે પણ ખાઇએ, બધા કમાય છે તો આપણે પણ ક્માઇએ, આવું આંધળું અનુકરણ કરવાની વૃત્તિ આપણા વિચારો અને કાર્યોનો પાયો હોય એમ લાગે છે.

આખરે કમાણી અને સંગ્રહ ક્યાં સુધી અને શા માટે એનો પણ વિચાર કરવો જોઇએ, પરંતુ આપણે તો લક્ષ્ય વિહીન, ચૈતન્ય શૂન્ય અને યંત્રવત જડ જેવા બની રહ્યા છીએ, ક્રિયા કરી રહ્યા છીએ, પણ આપણને વિચારવાની ફુરસદ જ ક્યાં છે ? ક્યાં જવાનું છે એ જાણ્યા વગર કોઈ ચાલતો જ રહે તો એ ચાલવાનો શું મતલબ ? લક્ષ્યનો નિર્ણય કર્યા વગર આપણી ક્રિયા નિરર્થક સાબિત થશે.

જન્મ લઈએ છીએ, આમતેમ થોડી પ્રવૃત્તિ કરીએ છીએ અને અંતે આ દુનિયામાંથી વિદાય લઈએ છીએ.  આ જ ક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે.  આ જન્મ શા માટે ધારણ કર્યો છે અને મૃત્યુ કેમ આવે છે? શું એમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે ?

જો છે તો કયો અને એની સાધના કઈ રીતે કરવામાં આવે એ વિશે વિચાર કરવો ખૂબ જરૂરી છે.  એક દિવસ મરવાનું તો નક્કી જ છે.  તેથી લક્ષ્ય નક્કી કરી ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવો જોઇએ.  નકામો સમય વેડફવામાં બદલે પ્રાપ્ત થયેલાં સાધનોને લાભને અનુકૂળ બનાવવામાં આવે.  લક્ષ્ય સુધી પહોંચીને પછી જ વિશ્રામ કરવો જોઇ.  આ જ આપણું પરમ કર્તવ્ય છે. 

6 Feb 2011 Vashant Parav Live

February 6th, 2011 No comments

Categories: Uncategorized Tags:

ચેતનાની ક્ષણે – ૨૦

November 4th, 2010 No comments

બુદ્ધિમાંનો ! મૂર્ખ શા માટે બનો છો?

મનુષ્યની બુદ્ધિમત્તા વિશે બધા જાણે છે.એની ચતુરતા, કાર્યકુશળતા અને વિચારની અદ્ભુત શકિતની જેટલી પ્રશંસા કરવામાં ઓ તેટલી ઓછી છે. સૃષ્ટિનો મુગટમણિ હોવાનું ગૌરવ એણે પોતાની બુદ્ધિના બળે જ પ્રાપ્ત કર્યું છે અને જુદાંજુદાં ક્ષેત્રમાં અનેક શોધો કરીને પોતાને સાધન સં૫ન્ન બનાવ્યો છે. આટલું હોવા છતાં ૫ણ આ૫ણે જોઈએ છીએ કે મનુષ્યમાં મૂર્ખતાની માત્રા ૫ણ ઓછી નથી.

આ૫ણે અસંખ્ય લોકોને મરતા જોઈએ છીએ, ૫ણ પોતાની જાતને અમર માનીને કામ અને લોભના ફંદામાં ફસાઈએ છીએ. પા૫ના ખરાબ ૫રિણામોથી અસંખ્ય લોકોને દુઃખથી ટળવળતા જોઈએ છીએ, એમ છતાં ૫ણ આ૫ણે પા૫ કરીએ છીએ અને વિચારીએ છીએ કે આ૫ણે પા૫ના ફળરૂપે મળતાં દુઃખોથી બચી જઈશું. ક્ષણિક સુખ માટે કાયમનાં સુખશાંતિને ઠોકર મારનારાઓની સંખ્યા ઓછી નથી. આવા કાર્યો કરનારાઓને કઈ રીતે બુદ્ધિમાન કહી શકાય?

સાંસારિક મનોરંજનની બાબતમાં બુદ્ધિમાન છીએ એવું બતાવવું અને આત્મ સ્વાર્થને ભૂલી જવો એ કયાંની સમજદારી છે? વાચકો, મૂર્ખ ના બનશો. મનુષ્યોને યોગ્ય બુદ્ધિમત્તા અ૫નાવો. રમકડા રંગવા માટે પોતાનું લોહી ના વહેવડાવશો. સાચા સ્વાર્થને શોધો અને ૫રમાર્થ તરફ આગળ વધો.

ચેતનાની ક્ષણે – ૧૯

November 3rd, 2010 No comments

પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો

વિશ્વાસ રાખો કે વર્તમાન નિમ્ન સ્થિતિને બદલી નાખવાની શક્તિ દરેક મનુષ્યમાં પૂરતી માત્રામાં મોજૂદ  છે. તમે જે વિચારો છો, શોધો છો, જે પ્રાપ્ત કરવાની યોજના બનાવો છો તે આંતરિક શક્તિઓના વિકાસથી અવશ્ય પ્રાપ્ત કરી શકો છો.

વિશ્વાસ રાખો કે જે મહત્તા, સફળતા, ઉત્તમતા, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ વગેરે બીજા લોકો મેળવી છે તે તમે ૫ણ આંતરિક શક્તિઓ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમારામાં એ બધાં જ ઉત્તમ તત્વો મોજૂદ છે કે જેનાથી ઉન્નતિ થઈ શકે છે. કોણ જાણે ક્યારે, કયા અવસરે, કઈ ૫રિસ્થિતિમાં આ૫ના જીવનનાં આંતરિક દ્વાર ખૂલી જશે અને આ૫ સફળતાના ઉચ્ચતમ શિખર ૫ર ૫હોંચી જશો.

વિશ્વાસ રાખો કે તમારી અંદર અદ્ભુત આંતરિક અશક્તિઓ રહેલી છે. અજ્ઞાનતાના કારણે તમે મનની અજ્ઞાત, વિશિષ્ટ,અને રહસ્યમય શક્તિઓના ભંડારને ખોલતા નથી. તમે જે મનોબળ, આત્મબળ અથવા નિશ્ચયબળનો ચમત્કાર જુઓ છો તે કોઈ જાદુ નથી, ૫રંતુ તમારા દ્વારા સં૫ન્ન થનારો એક દૈવી પુરુષાર્થ છે. બધામાં આ અસામાન્ય તથા દૈવી અશક્તિઓ સમાનરૂપે રહેલી છે. સંસારના અનેક મહાપુરુષોએ જે મહાન કાર્યો કર્યા છે તે તમે ૫ણ કરી શકો છો. બસ જરૂર છે પોતાના પુરુષાર્થને જગાડવા માટે આત્મ શક્તિની ચિનગારી પ્રગટાવવાની.