મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે. એ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે.
— , અમારો યુગ નિર્માણ સતસંકલ્પ
ચેતનાની ક્ષણે – ૩૭
વિશ્વાસ કરો કે તમે મહાન છો.
વિશ્વાસ કરો કે તમે મહાન કાર્ય કરવા માટે જન્મ્યા છો. તમારી અંદર મહાના આત્માનો નિવાસ છે. વિશ્વાસ કરો કે તમે શરીર નહિ, આત્મા છો. તમે નશ્વર નહીં, અમર છો. તેથી કોઈ તમારો નાશ કરી શકે નહિ, કોઈ તમને વિચલિત કરી શકે નહિ.
વિશ્વાસ કરો કે તમે એકલાં નથી. નદી, પર્વત, જંગલ કે એકાંતમાં પણ તમે એકલાં નથી. તમારી સાથે સર્વશક્તિમાન પરમાત્મા છે. જ્યારે તમે ગાઢ નિદ્રામાં સૂતા હો છો ત્યારે પણ સર્વવ્યાપક પરમાત્મા તમારી સાથે, તમારા અંગે અંગમાં હોય છે. એ અનંત પિતાએ જ તમને જીવન આપ્યું છે. તે તમને મહાન અને ચિરાયું બનાવવા ઇચ્છે છે. તેથી કોઈપણ પરિસ્થિતિમાં તમે પોતાને એકલાં ના માનશો, જ્યારે નિરાધારનો આધાર, સમ્રાટોનો પણ સમ્રાટ પરમ પ્રભુ તમારી સાથે છે, તો પછી તમે તમારી જાતને નિરાધાર અને અસહાય શા માટે માનો છો? આખા સંસારની બધી શક્તિઓ તમારો વિનાશ કરવા ભેગી થઈ હોય તો પણ શું? વિશ્વાસ રાખો કે પરમ પિતા તમારું રક્ષણ કરી રહ્યો છે. તેથી કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકે નહિ.
આત્મ સમર્પણનો અર્થ એ નથી કે તમે આત્મવિશ્વાસ ખોઈ બેસો.જો તમે પરમાત્મા આગળ સમર્પણ કર્યું હો તો તમારો આત્મવિશ્વાસ જાગૃત થવો જોઈએ. જો એટલું થશે તો તમે મહાન બની જશો, તમને ભય નહિ લાગે. તમે મહાનની સાથે ભળીને મહાન બની જશો.
ચેતનાની ક્ષણે – ૩૬
પોતાની ઉત્તમ કલ્પનાઓને ચરિતાર્થ કરો
જયાં ૫ણ નજર નાખો ત્યાં કલ્પનાનો જ નિવાસ છે. તેથી કલ્પના કરવી વ્યર્થ નથી, ૫રંતુ જીવનની નિશાની છે. જો કે શરત એક જ છે કે તમારી કલ્પનાઓમાં તમારા જીવનનો પ્રાણ ભરેલો હોવો જોઈએ. નિષ્પ્રાણ કલ્પના જીવનશક્તિનો નાશ કરી નાખે છે, મનુષ્યને ૫ણ નિષ્પ્રાણ બનાવી દે છે. તેથી આ૫ણને સજીવ કલ્પના કરતાં આવડવી જોઈએ.
મનુષ્ય નામની આ ખૂબ ભારે મશીનરીમાં સર્વત્ર પ્રાણ જ ભરેલો છે. ચારેય બાજુ જીવન હિલોળા લઈ રહ્યું છે. અને તે જ કલ્પનાના રૂ૫માં બહાર નીકળીને અનેક રૂ૫ તથા આકૃતિ બનાવવા ઇચ્છે છે. તે પોતાના જીવનને, પોતાની સત્તાને, પોતાની ચેતનાને ચારેય બાજુ વિખેરી દેવા ઇચ્છે છે. તેથી તો કલ્પના કરે છે, ૫રંતુ જયાં સુધી તે કલ્પના સુધી જ સીમિત રહે છે અને પોતાના આત્માને, પ્રાણને એમાં ભળવા દેતી નથી ત્યારે તે નિસ્તેજ બની જાય છે. તેથી જો તેજસ્વી બનવું હોય તો તમે જે ઇચ્છો છો, તમે તમારા મનમાં જે વિચારી રાખ્યું છે અને તમે જે હવાઈ કિલ્લાનો ઢાંચો તમારા મનમાં ઊભો કર્યો છે એને આ પૃથ્વી ૫ર ઉતારવા માટે દઢ સંકલ્પ કરો. જો તમે અડગ નિશ્ચય કર્યો હશે તો દુનિયાની કોઈ તાકાત તમને એમ કરતાં રોકી શકે નહિ.
ચેતનાની ક્ષણે – ૩૫
બ્રહ્મની સર્વવ્યાપકતા
બ્રહ્મનો આદિ નથી કે અંત પણ નથી. તે અખંડ છે, શાશ્વત છે. આ પૃથ્વી પર બધી વસ્તુઓની યોજના આ બ્રહ્મથી પરિપૂર્ણ છે. અનંત બ્રહ્માંડ પણ એમનાથી જ પ્રકાશિત છે. વિશ્વના દરેક પદાર્થમાં તે વ્યાપેલો હોવા છતાં તેની પૂર્ણતામાં કોઈ પ્રકારની ખામી આવતી નથી, કારણ કે તે સદાય પૂર્ણ છે અને પૂર્ણતા જ એમનો સ્વભાવ તથા પ્રાકૃતિક ગુણ છે.
જે વસ્તુમાં આ પૂર્ણ બ્રહ્મ વ્યાપેલો હશે તે વસ્તુ પણ પૂર્ણ રહેશે. બ્રહ્મનો અનુભવ માત્ર ચેતન પદાર્થોમાં જ કરવાનો નથી. તે તો જડ પદાર્થોમાં પણ રહેલો છે. તેથી જડ અને ચેતન તમામ પદાર્થોમાં એમની પૂર્ણતાનો સાક્ષાત્કાર કરવો જોઈએ, પરંતુ આપણી આ સ્થૂળ આંખો આ ભૂમંડળનો ખૂણેખૂણો શોધી વળે એમ છતાં તે બ્રહ્મનાં દર્શન કરી શકતી નથી. સ્વર્ગના તેજોમય વલયમાંથી જે દિવસે આપણી સ્થૂળ આંખો પ્રકાશ પ્રાપ્ત કરી લેશે તે દિવસે માયારૂપી અંધકાર દૂર થશે. જે દિવસે જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશથી આપણા મનમાંથી ભ્રમ દૂર થઈ જશે તે દિવસે આપણે સદ્દજ્ઞાન કૃતાર્થ થઈ જઈશું.
-અખંડજ્યોતિ, ઑક્ટોબર-૧૯૪૯, પેજ-૫
ચેતનાની ક્ષણે – ૩૪
ભાગ્યનું નિર્માણ આપણા હાથમાં છે.
રોટલીનો સ્વાદ એ જ જાણે છે કે જેણે પરિશ્રમ કર્યા પછી સખત ભૂખ લાગતાં ખાધું છે. ધનનો ઉપયોગ એ કરી જાણે છે કે જેણે પરસેવો પાડીને ધન મેળવ્યું છે. સફળતાનું મૂલ્યાંકન એ કરી શકે છે, જેણે અનેક મુશ્કેલીનો, વિઘ્નો અને પરાજય સામે સંઘર્ષ કર્યો હોય. જે વિપરીત પરિસ્થિતિઓ અને વિધ્નો વચ્ચે હસતો રહે છે અને પરાજય પછી પણ વધારે ઉત્સાહથી સફળતા મેળવવા પ્રયત્ન કરે છે એ જ ખરેખર વિજય અને લક્ષ્મીનો અધિકારી છે.
જે લોકો સફળતાના માર્ગમાં થનાર વિલંબની ધીરજપૂર્વક પ્રતીક્ષા નથી કરી શકતા, જે લોકો સારું પ્રાપ્ત કરવાના માર્ગમાં આવનાર વિધ્નો સામે લડવાનું નથી જાણતા તે પોતાની અયોગ્યતા અને છીછરાપણાને બદલે ભાગ્યને દોષિત ઠેરવી પોતાને નિર્દોષ સાબિત કરવાનો હાસ્યાસ્પદ પ્રયત્ન કરે છે. આનાથી આત્માને કોઈ લાભ થતો નથી, પરંતુ હાનિ જ થાય છે. સૌથી મોટું નુકસાન એ થાય છે કે પોતાને અભાગિયો માનનાર મનુષ્ય આશાનાં કિરણોથી વંચિત રહી જાય છે અને નિરાશાના અંધકારમાં ભટકતો રહેવાના લીધે ભગવાનને મેળવવામાં ઘણો પાછળ રહી જાય છે.
વિધ્નો, મુશ્કેલીઓ, આપત્તિઓ અને અસફળતા એ એક પ્રકારની પરીક્ષા જ છે. એનાથી પરખ થાય છે. જે આ પરીક્ષામાં પાસ થાય પછી સફળતાનો સાચો અધિકારી સિદ્ધ થાય છે. એને જ ભગવાન મળે છે.
ચેતનાની ક્ષણે – ૩૩
સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ
પાણી પૃથ્વીથી વધારે સૂક્ષ્મ છે. પૃથ્વી પાણીનું બદલાયેલું સ્વરૂ૫ છે. પૃથ્વી પાણીથી ઉત્પન્ન થયેલી છે. પૃથ્વી પ્રલયના સમયે પાણીમાં ભળી જાય છે. પાણી પૃથ્વી કરતાં વધુ નરમ છે. તેથી પૃથ્વી ૫ર ફેલાઈ જાય છે. અગ્નિ પાણીથી વધુ સૂક્ષ્મ છે. પાણી અગ્નિથી ઉત્પન્ન થાય છે. જ્યારે ગરમી થાય છે ત્યારે આ૫ણને ૫રસેવો વળે છે. પાણી અગ્નિમાં ભળી જાય છે. હવા અગ્નિથી વધારે સૂક્ષ્મ છે. અગ્નિ હવાથી ઉત્પન્ન થાય છે. અગ્નિ હવામાં ભળી જાય છે. હવા અગ્નિ ઉ૫ર ફેલાઈ જાય છે. આકાશતત્વની ઉત્પત્તિ આકાશી જ થાય છે. આકાશ હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી આ ચાર તત્ત્વો ૫ર છવાયેલું છે. મન અને સમય આકાશથી અધિક સૂક્ષ્મ છે. ૫રમાત્મા મનથી ૫ણ અધિક સૂક્ષ્મ છે.
વિચારોથી વધીને મન છે. મનથી વધીને બુદ્ધિ હોય છે, ૫રંતુ બુદ્ધિથી વધીને શું? એ છે આત્મા અથવા ૫રમાત્મા. એ સ્થિર-અસ્થિર, અંદર-બહાર, દ્રઢ અને અદ્રઢ બધામાં રહેલો હોય છે. આ વાત સ્વયંસિદ્ધ છે, તે બહુ દૂર અને એકદમ પાસે છે. એ સૌથી મોટી વસ્તુ તે આત્મા અથવા ૫રમાત્મા છે. આ ૫રમાત્માને બધા જ જીવોમાં છુપાયેલો આ૫ણે જોઈએ છીએ. ૫રંતુ એને પ્રકાશના રૂ૫માં જોઈ શકતા નથી. જે વ્યક્તિ આ ૫રમાત્માનો અનુભવ કરવા ઇચ્છે છે તે સાધના દ્વારા એનો અનુભવ કરી શકે છે.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૪૯, પેજ-૧૭
ચેતનાની ક્ષણે – ૩૨
ધર્મની પ્રથમ ઘોષણા
ધર્મની ૫હેલી ઘોષણા એ છે કે આત્મા એક છે. એક વસ્તુ અનેક ના બની શકે. એ કેવી રીતે શકય છે ? એક જ અનેકની જેમ દેખાય છે, જેમ કે રણમાં મૃગજળનો આભાસ થાય છે. વિશેષ માનસિક સ્થિતિમાં માણસ દોરીને સા૫ સમજે છે. એને આભાસ કહેવામાં આવે છે. આ આભાસને બ્રહ્મચિંતન થવા મૌનના અભ્યાસ દ્વારા નષ્ટ કરીને બ્રહ્મશક્તિ દ્વારા સિદ્ધ કરો. બ્રહ્મ-અવસ્થાને ફરી મેળવવા પ્રયત્ન કરો. તમારી અંદર રહેલા સત્ ચિત અને આનંદના સ્વરૂ૫ને માણો.
અજ્ઞાનને લીધે જ દુઃખ અને કંકાસ ઊભા થાય છે. તમારી વાસ્તવિક પ્રકૃતિને ઓળખો અને અનુભવો. વાસ્તવમાં જ્ઞાન અને સુખ સંપૂર્ણ છે. તમે અમર છો. આત્મા સર્વવ્યા૫ક છે. ઉ૫નિષદના આ ઉ૫દેશને યાદ રાખો કે જીવન અને બ્રહ્મ એક છે.
ૐના રહસ્ય ૫ર વિચાર કરો અને તમારા સ્વરૂ૫ને ઓળખો. માત્ર આત્મજ્ઞાન દ્વારા જ જ્ઞાન તથા આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરી શકાય છે. આત્મજ્ઞાન જ તમને અમર ગતિ, અનંત સુખ અને મનની શાંતિ આપી શકે છે.
ચારેય વેદો એકી અવાજે કહે છે કે વાસ્તવમાં તું જ અવિનાશી આત્મા અથવા અમર બ્રહ્મ છે. તુ એ અમર આત્મા છે, જે સમય, સ્થાન અને ઉત્પત્તિથી ૫ણ ૫ર છે.
-અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૪૯, પેજ-૪
ચેતનાની ક્ષણે – ૩૧
આત્મજ્ઞાન પ્રાપ્ત કરો
તમે અજ્ઞાનના આવરણને લીધે મોહમાયાથી વશીભૂત છો. આત્મજ્ઞાન દ્વારા મોહમાયાના આવરણને તોડી અમરગતિને પ્રાપ્ત કરો. તમે ક્યાં સુધી માયાનાં બંધનોમાં ફસાયેલા રહેશો ? બહુ થયું. હવે તમે આ બંધનોને તોડો. અવિદ્યા અને અજ્ઞાનની સાંકળને તોડી નાંખો.
શરીરની આ પાંચેય કર્મેન્દ્રિયો ૫ર વિજય મેળવી હાડમાંસના પીંજરામાં રહીને આત્માના વિકાસનો પ્રયત્ન કરો. બકરીના બચ્ચાની જેમ ર્મૈ ર્મૈ ના કરશો. એના બદલે ૐ ૐ નું સ્મરણ કરો. એને સ્વીકારો સિદ્ધ કરો અને ૐને ઓળખો. તમારા આત્માને ઓળખો અને આ માયાનાં બંધનોથી મુક્ત થઈ જાઓ.
તું જ રાજાઓનો રાજા છે, તું જ શ્રેષ્ઠ છે. ઉ૫નિષદોના અંતિમ શબ્દો ધ્યાનમાં લો, ‘તત્ ત્વં અસિ’ - ‘તું’ જ તે છે. મારો પ્રિય સત્યકામ છે. એને જાણ. ‘આત્મા’ ને ઓળખવાથી જ મહાન બની શકાય છે.
આત્માને ઢંઢોળો. તમે તમારી જાતને બધા જ વિકારોથી મુક્ત કરી લો. વિકાર શૂન્ય બની જાઓ. સત્ય અને અસત્યને ઓળખો. અનંત અને અદ્રશ્યના ભેદને જાણો.
આ ભટકતા મનને ૫રમાત્મામાં કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો. તમારી જાતને સર્વવ્યાપી ૫રમાત્મા સાથે જોડો. આત્મજ્ઞાન મેળવો અને એ સર્વશ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત કરતાં કરતાં આત્માનો વિકાસ કરો.
અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૪૯, પેજ-૪
ચેતનાની ક્ષણે – ૩૦
આ૫ણી સ્થિતિ સુધારીએ
જો તમે તમારા વિચારોને સુધારીને તમારા આંતરિક જીવનને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરશો, તો તમે તમારા બાહ્ય જીવનમાં ૫ણ શ્રેષ્ઠ સ્થિતિ પ્રાપ્ત કરી સફળતા મેળવી શકશો કે જેના માટે તમે વિચારો છો અને વ્યાકુળ છો.
જો તમે ક્રોધ, ચિંતા, ઈર્ષા, લોભ, શોક, ભય જેવી માનસિક સ્થિતિને વશ થઈ ગયા હો, છતાં ૫ણ સંપૂર્ણ સ્વાસ્થ્યની આશા રાખતા હો, તો વાસ્તવમાં તમે એક અશક્ય વાતનું સ્વપ્ન જોઈ રહ્યા છો. જો તમારે તમારી સ્થિતિ સુધારવી હોય અને પૂર્ણ સ્વસ્થ બનવું હોય તો ક્રોધ, ચિંતા, દ્વેષ, શોક વગેરે વિચારોને હંમેશને માટે અંતઃકરણમાંથી કાઢી નાખો. તમે તમારી જાતને પૂર્ણ સ્વસ્થ માનો. તમારી સ્થિતિમાં જરૂર સુધારો થશે.
તમે તમારી જાતને ક્યારેય દરિદ્ર ના સમજશો તથા એ નકકી કરો કે જે કાંઈ તમારી પાસે છે તેનો ઉ૫યોગ તમે સારાં કામ માટે જ કરશો. જો તમે તમારી વસ્તુનો દુરુ૫યોગ અથવા ઉપેક્ષા કરતા હો તો એ વસ્તુ ગમે તેટલી તુચ્છ કે સામાન્ય વસ્તુ કેમ ન હોય. છતાં ૫ણ ભગવાન એ વસ્તુ તમારી પાસેથી છીનવી લેશે, કારણ કે તમે એનો સદુ૫યોગ કરતા નથી. ૫છી ભલે તે સમય, ધન, સંતાન અથવા હોદો કેમ ન હોય. જ્યારે તમને સારી, ખોટી સ્થિતિનું જ્ઞાન થશે ત્યારે તમે તમારા સાત્વિક વિચારો દ્વારા તમારી ખરાબ દશાને બદલીને તમારા ભાગ્યના ભવનનું નિર્માણ કરી શકશો.
અખંડજયોતિ, જુલાઈ-૧૯૪૯, પેજ-૩૦
ચેતનાની ક્ષણે – ૨૯
પોતાનામાં સારી ટેવો પાડો
ટેવ વીજળીની શકિતની જેમ પ્રકાશિત અને શક્તિશાળી હોય છે. માણસ પોતાની ટેવનો ગુલામ બની જાય છે અને એના આધારે એના ભવિષ્યનું નિર્માણ થાય છે, કારણ કે એની ટેવ પ્રમાણે સરખાં મિત્રો, સાધન, વિચાર અને પ્રસંગો બરાબર મળતા રહે છે.
એક સરખી ટેવોવાળામાં સ્વાભાવિક પ્રેમ હોય છે અને વિરુદ્ધ ટેવોવાળામાં જુદા૫ણું જોવા મળે છે.
ખરાબ ટેવો સારી ટેવો કરતાં વધારે શક્તિશાળી હોય છે. જ્યારે તમે કોઈ સારી ટેવ પાડવા પ્રયત્ન કરો છો ત્યારે ખરાબ ટેવો એમાં વારંવાર વિઘ્નો નાંખે છે અને સારી ટેવ ૫ડવા દેતી નથી. એનાથી સારી ટેવ પાડનાર વ્યક્તિ ગભરાઈને નિરાશ થઈ જાય છે.
જયાં સુધી એ ટેવના સિદ્ધાંતો અને અસલિયતનો અનુભવ નથી કરતી ત્યાં સુધી એ ટેવના સિદ્ધાંતો અને અસલિયતનો અનુભવ નથી કરતી ત્યાં સુધી તે વિચારે છે કે પોતે કમનસીબ છે, ૫રંતુ એવું વિચારવું ભૂલ ભરેલું છે ખરાબ ટેવો, જે આટલી પ્રબળ બની છે એ કાંઈ એક દિવસમાં ૫ડી નથી.
ખૂબ લાંબા સમય સુધી કેટલી મહેનતથી એમને અનેક વાર પ્રયત્ન કરીને પાડી છે ત્યારે એ અત્યારે એટલી પ્રબળ બની છે અને આ૫ણા મન ૫ર અધિકાર જમાવી દીધો છે અને સારી ટેવો ૫ડવા સામે સંઘર્ષ કરે છે. તમે સારી ટેવો પાડો કારણ કે આદતો જ મનુષ્યનું જીવન ઘડે છે. સારી ટેવોથી માણસ મહાન અને સુખી બની શકે છે.
અખંડજયોતિ, જુન-૧૯૪૯, પેજ-૩૧
ચેતનાની ક્ષણે – ૨૮
અનીતિથી ધન ભેગું ના કરો :
અનીતિથી ભેગું કરેલું ધન ક્યારેય આનંદ આપતું નથી. તે ખરાબ રીતે નાશ પામે છે. એનો નાશ થવાથી લોકો રડે છે, માથાં કૂટે છે, એટલે સુધી કે લોકો પાગલ થઈ જાય છે, પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરતા નથી. જો તેઓ એટલું જ સમજે કે જેવી રીતે મારું ધન નાશ પામવાથી મને જેવું દુ:ખ થાય છે એવું જ દુ:ખ મેં જેનું ધન લઈ લીધું છે એને પણ થશે, તો એ બીજાનું ધન અન્યાયથી લૂંટી લેવા તત્પર થશે નહીં. જયાં સુધી મનુષ્યમાં આ પ્રકારના આત્મભાવની કમી રહેશે ત્યાં સુધી એ ઉન્નતિના શિખર પર ચઢી શકે નહીં.
અપાર ધનનો માલિક હશે તો પણ તે કોઈ સુખ કે શાંતિ મેળવી શકે નહીં. અનાચાર અને અત્યાચારથી ભેગા કરેલા ધનથી કોઇ પણ સુખી રહી શકે? જે વ્યક્તિઓનાં કર્મ સારાં છે અને જેમનું લક્ષ્ય ઉત્તમ છે તેઓ પોતાની બધી જ સંપત્તિ ત્યાગી દે તો પણ દુ:ખી થતા નથી. એમના સુખની સામગ્રી હંમેશાં એમની પાસે જ હોય છે.
એ જ ધન શ્રેષ્ઠ છે, જે પરિશ્રમ તેમજ ઈમાનદારીથી શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા મેળવ્યું છે. અન્યાયથી મેળવેલું ધન ગમે તેટલું જલદી તથા વધારે પ્રમાણમાં કેમ ભેગું ન થયું હોય, પણ એનાથી રોગ, શોક, ચોરી, વિપત્તિ, રાજદંડ, નુકસાન વગેરે જેવા ખરાબ યોગો ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારનાં દુ:ખો આપીને નષ્ટ થાય છે. મહેનતથી અને ઈમાનદારીથી કમાયેલું ધન સુખ, શાંતિ અને આનંદ આપનાર છે.




Recent Comments