આજનું ચિંતન :

February 24th, 2010 No comments

જો તમે શાંતિ, સામર્થ્ય અને શક્તિ મેળવવા ઈચ્છતા હો તો તમારા અંતરાત્માનો સહારો લો. તમે સમસ્ત સંસારને છેતરી શકો છો પંરતુ પોતાના આત્માને કોણ છેતરી શક્યું છે?  જો દરેક કાર્યમાં તમે તમારા અંતરાત્માને પૂછતા રહેશો તો તમારી વિવેકદ્રષ્ટિ જળવાઈ રહેશે.  દુનિયાભરનો વિરોધ હોવા છતાં જો તમે તમારા અંતરાત્માને અનુસરી શકયા તો તમારી સફળતાને કોઈ રોકી શકશે નહીં.

જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને અદ્રિતીય વ્યક્તિ સમજવા લાગે છે અને પોતાને જ શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમજવા લાગે છે ત્યારે તેનું આધ્યાત્મિક પતન થાય છે. જ્યાં સુધી આપણામાં અહંકારનો ભાવ રહેશે ત્યાં લગી ત્યાગની ભાવના જાગવી મુશ્કેલ છે.

મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો, બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું, વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો, હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું, અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું – આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે.  મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 23rd, 2010 No comments

કોઈપણ લોભલાલચ માટે આપ પોતાની સ્વતંત્રતા ના વેચશો. કોઈપણ ફાયદાના બદલામાં આત્મગૌરવની હત્યા ના કરશો. એમ કરવાથી આપની પ્રતિષ્ઠા વધશે અને આત્મગૌરવને પ્રોત્સાહન મળશે. આત્મગૌરવથી જીવવામાં જ જિંદગીનો સાચો આનંદ છે. ત્યાગ કરીને પણ કષ્ટમાં જીવવાનું સ્વીકારી લો.

કુપાત્રને નહિ આપું એમ કહેશો નહિ. તમારા બગીચાનાં ફૂલ આવો ભેદભાવ કરતાં નથી અને ઘાસના મેદાનો પણ ગાયોને આવી મનાઈ કરતાં નથી. હવા અને સૂર્ય તમને અનુદાન આપતી વખતે ક્યાં પરીક્ષા લે છે ? પછી તમે આટલી ઊંડી તપાસ શા માટે કરવા લાગ્યા ?

મેઘગર્જનાને બધા જુએ છે અને ગડગડાટ સાંભળે છે, પરંતુ વિરલા જ એ જાણે છે કે એની પાછળ વિજળીની શક્તિ કામ કરે છે. નજરે દેખાતાં કાર્યોની પાછળ અદ્રશ્ય ઉમંગની ભૂમિકા રહે છે.

પરિસ્થિતિઓ કોઈને મજબૂત કે કમજોર બનાવતી નથી, પરંતુ એ તો માત્ર એ સિદ્ધ કરે છે કે વાસ્તવમાં તે કેવો હતો? સન્માનની મૂડી આપવાથી પછી મળે છે, વહેંચવાથી વધે છે અને ભેગી કરવાથી ખતમ થઈ જાય છે.

જે અજ્ઞાનરૂપી વૃત્રાસુરથી આખો સમાજ છવાઈ ગયો છે.  જેમને કાન છે તેઓ સમાજની પીડા અને પતનની મર્મભેદી ચીસ સાંભળી શકે છે તથા આંખો વડે જોઈ શકે છે.  આ સમય મોજમજા કરવા માટે નથી.  આપણે યુગસંધીના સમયમાં જીવીએ છીએ.  અતિ નિકટના ભવિષ્યમાં સર્વનાશની ઉંડી ખીણમાં પડી જઈશું અથવા ઉન્નતિના ઉચ્ચશિખરએ પહોંચી જઈશું. આજે દધીચિ જેવા આત્મદાનીઓની આવશ્યકતા છે.  શરીરનો નાશ તો થવાનો છે, પરંતુ આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં તે ઉપ્યોગી થાય તો જ એની સાર્થકતા છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 22nd, 2010 No comments

નિત્ય હસતા રહો, મુખને ક્યારેય ખિન્ન ના રાખો. આ જગતમાં ચિંતાએ તમારા માટે જન્મ જ લીધો નથી એવો નિશ્ચય કરી લો. આનંદનાં સ્ત્રોત સ્વરૂપ આ જીવનમાં હાસ્ય સિવાય ચિંતાને માટે જરાપણ સ્થાન ક્યાં છે?

આનંદ વહેંચી શકાય છે, કેમ કે તેને લેવા માટે ઘણા તૈયાર છે.  દુ:ખની વહેંચણી કરીને પોતાનો ભાર હળવો કરવાનું મુશ્કેલ છે, કેમ કે તેને લેવા માટે કોઈ તૈયાર હોતું નથી.

અણઘડ લોકો પ્રત્યેક સંકટ માટે બીજાને દોષ દે છે. વિવેકવાન મનુષ્ય પોતાના દોષ શોધે છે અને તત્વજ્ઞાની પ્રકૃતિમાંથી પેદા થતી ભરતીઓટની માત્ર વિલક્ષણતા જોએ છે.

પરમેશ્વરને જોવા માટે તમારે એવાં ચશ્માં પહેરવાં પડશે, જે તેણે તમારી પરખ કરવા માટે તેની આંખો પર પહેરી રાખ્યાં છે.

નીચે પડી ગયેલા ને ઊભા કરો, પડતા હોય તેને ટેકો આપો, પરંતુ કોઈને ધક્કો ના મારો. વિચારો કે જો કોઈ તમને ધક્કો મારે તો તમારું હ્રદય તેને કેવો અભિશાપ આપે છે, એવી જ રીતે એનું હ્રદય પણ તમને અભિશાપ આપશે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 21st, 2010 No comments

જેઓ અંતરાત્માને અનુકુળ કામની જ પસંદગી કરે છે અને એમાં પૂરા મનથી જોડાયેલા રહે છે તેમની સાથે પ્રસન્નતા રહે છે.

મનના સંકલ્પની સાથે શરીરનું પરાક્રમ સંપૂર્ણપણે જોડવામાં આવે તો સફળતા અવશ્ય મળશે.

આપણે જ્યારે લાગણીશીલ બનીએ છીએ ત્યારે શહીદ થવાની વાત વિચારીએ છીએ અને જ્યારે ઉત્તેજિત થઈએ છીએ ત્યારે કોઈના કઠોર શબ્દ પણ સહન કરી શકતા નથી.

ભગવાન જેના પર કૃપા કરે છે તેની સંપત્તિ છીનવી લે છે અને વિભૂતિઓ આપી દે છે.

અનુમાન અને શંકા માત્રથી કોઈને ગુનેગાર સાબિત કરશો નહિ.  જેના પર શંકા હોય તેને પોતાની વાત રજૂ કરવાનો અવસર આપો.  તથ્યની પૂરી તપાસ કરતાં પહેલાં કોઈના પર દોષારોપણ કરશો નહિ.

સાધના માટે કોઈ જુદા સ્થળની શોધ કરશો નહિ. પોતાની જવાબદારીઓ તથા સંબધીઓ સાથે એવો સમન્વય સાધો કે જેમાં આદર્શોની અધિકતા હોય.  આ રીતે તમારું વ્યાવહારિક જીવન જ સમગ્ર સાધના બની જશે.

ગાંધીજી કહેતા હતા કે જ્યારે જનતા અનુભવવા લાગે કે તે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકે છે તથા પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવી શકે છે ત્યારે સમજવું જોઈએ કે સંપૂર્ણ સ્વરાજય મળી ગયું.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 20th, 2010 No comments

ઉપાસનાનો અર્થ છે દેવત્વની સમીપ બેસવું અથવા પોતાના સ્થાને દેવતાને ખેંચી લાવવા. સદ્દગુણોથી પોતાને ઓતપ્રોત કરવા એ જ બંનેનો સારાંશ છે.

જે મનુષ્યનો ત્યાગ તેની જાતિ સુધી સીમિત છે તે એક ખાસ પ્રકારનો સ્વાર્થી છે. તેનું સ્વાર્થીપણું સમગ્ર જાતિને સ્વાર્થી બનાવી દે છે.

સ્મશાન જોઈને ગભરાવાની જરૂર નથી, એ નવજીવનનું ઉધાન છે. એમાં સૂતેલા આત્માઓ મધુર સપનાં સજાવી રહ્યા છે, જેથી વિગતની અપેક્ષાએ આગતને વધારે સુંદર બનાવી શકે. ડરશો નહિ. મરણ એ અસ્તિત્વની સ્માપ્તિ નથી, માત્ર ખોળિયું બદલાઈ જાય છે એટલું જ. જયારે આપણને હંમશા પરિવર્તન ગમે છે ત્યારે મનગમતાના આગમન પર રુદન શા માટે?

ઘણી વખત જૂનાં ખંડેરો તોડવાં પડે છે અને જૂનાં કપડાં બદલવાં પડે છે. આ જ બાબત પ્રથાઓને પણ લાગુ પડે છે. ઘણીવાર નવાં વિવેકપૂર્ણ પ્રતિપાદનો પણ એવાં સુંદર હોય છે, જાણે કે ઝાકળનાં બિંદુઓંથી શોભતું કમળનું પુષ્પ હોય !

પ્રસન્નતા અંત:કરણની પરિપક્વતાની નિશાની છે, જ્યારે ખિન્નતા બગડેલાં બાળકોની મસ્તી જેવી ખરાબ ટેવ છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 19th, 2010 No comments

સજ્જનતાની નિશાની છે નમ્રતા. આને જ સભ્યતા અને શિષ્ટતા પણ કહે છે. વિધાનું પ્રતિફળ પણ આ જ છે. ‘ખાલી ઢોલ વધારે વાગે’ આ કહેવતને અહંકારિતા માટે સાચી થતી જોઈ શકાય છે. વાસ્તવમાં તેઓ જેવા હોય છે તેના કરતાં કંઈક વધારે હોય તેવું દેખાડત હોય છે. કોઈને ધમકાવવું અને કોઈને ન્યાલ કરી દેવાનું આશ્વાસન પણ આવા જ ક્ષુદ્ર લોકો આપતા જોવા મળે છે. આનાથી વ્યક્તિનું હલકાપણું જ પ્રગટ થઈ જાય છે. આત્મસન્માનનું રક્ષણ કરવું હોય તો અહંકારથી બચવું જોઈએ.

જીવનનાં ઘણાં પાસાં છે. જરૂરી એ છે કે તેનાં બધાં પાસાં પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે દિશામાં કામ કરવાનું હોય તેને પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવે.

જે મનુષ્ય અથવા રાષ્ટ્ર ભાગવત્ મુહૂર્તના સમયે સૂતેલાં રહે અથવા તેના ઉપયોગ માટે તૈયાર ન હોય તે અભાગિયા છે, કેમ કે તેના સ્વાગત માટે દીપ સજાવીને રાખવામાં આવ્યા નથી અને તેનો પોકાર સાંભળી કાન બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેના કરતાંય જેઓ બળવાન અને તૈયાર હોવા છતાં એ સમય ચૂકી જાય છે તેઓ વધારે અભાગિયા છે. તેમના ભાગ્યમાં પૂરી ન શકાય તેવી ક્ષતિ અથવા મહાન વિનાશ હોય છે.

સ્વાધ્યાય યુવાનોને સંયમી બનાવી દે છે. તે વૃદ્ધત્વનો આરામ છે. નિર્ધનતામાં ધનનું કામ આપે છે અને ધનવાનો માટે આભૂષણનું કામ છે.

જે મનુષ્ય ખરાબ કર્મો છોડતો નથી, જેણે પોતાની ઈન્દ્રિયો જીતી નથી, જેનું મન એકાગ્ર નથી અને જેનું ચિત્ત શાંત નથી તેને આત્મસાક્ષાત્કાર ક્યારેય થતો નથી.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 18th, 2010 No comments

મારા બલિદાનને મારા જીવન સાથે સરખાવશો નહિ, મારા દેશની પરંપરાઓ સાથે સરખાવજો, મારા પૂર્વજોનાં શૌર્ય, પ્રરાક્રમ અને કીર્તિ સાથે સરખાવજો. જો હું મારાં બલિદાનોને માટે આ બધા કરતાં ઓછો પડું તો મારા માટે પ્રાર્થના કરો કે હું વારંવાર જન્મ લઉં અને મારાં બલિદાનોને મારા રાષ્ટ્રની કીર્તિની કસોટીમાં પાર ઊતરવા માટે સક્ષમ બનાવું.

મહાપુરુષોમાં જ મહાપુરુષ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. હાથીઓના ટોળામાં જ હાથી મોટા થાય છે. ઉંદર તો કરડી ખાનારાઓની જમાતમાં જ વધે છે.

પોતાના દોષોનો આરોપ ઈશ્વર પર મૂકશો નહિ અને પાપ કરતી વખતે એમ કહેશો નહિ કે એણે કરાવ્યું માટે કર્યું.

આંધળા થઈને અમુક વિચારને વળગી રહેવાના બદલે શંકાશીલ બની ધાર્મિક સત્યોની શોધ કરવી ઉત્તમ છે.

બેશક, શરીરની ઉપયોગિતા વધારે છે, પરંતુ તેને એટલું સજાવશો નહિ કે આત્માનો મહિમા ફીકો થઈ જાય.

જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ તેમ તેમ ઉદારતા વધતી જાય છે.

પ્રત્યેક દુર્લભ વસ્તુ મોંઘા ભાવે ખરીદવામાં આવે છે, જેમ કે શ્રદ્વા અને સદ્દભાવ.

ઈશ્વર અને પાપ સિવાય બીજા કોઈથી પણ ડરશો નહિ. મૃત્યુંથી પણ નહિ.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 16th, 2010 No comments

“નિર્ધનતાથી મનુષ્યને શરમ આવે છે, શરમથી પરાક્રમ નાશ પામે છે, પરાક્રમ નાશ પામવાથી અપમાન થાય છે, અપમાનથી દુ:ખ થાય છે, દુ:ખથી શોક થાય છે, શોકથી બુદ્ધિ નાશ પામે છે, બુદ્ધિ ન રહેવાથી મનુષ્યનો નાશ થઈ જાય છે. સાચું જ છે કે નિર્ધનતા બધી વિપત્તિનું મૂળ છે.

અંત:કરણનું પરીક્ષણ, સુધાર અને શુદ્ધિકરણ ચાલુ રાખો, જેથી ભૌતિક પ્રગતિ અને આંતરિક શાંતિના માર્ગ પર ઝડપી ગતિએ આગળ વધી શકો.

તમે બનાવેલી દુનિયા અનોખી છે. તે જેવી તમારી અંદરની આસ્થા છે તેવી જ હશે.

પ્રતિભાશાળી મનુષ્ય સ્વતંત્ર વાતાવરણમાં સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લે છે, તેને ગૂંગળાઈને મરવાની પરિસ્થિતિ કોઈ પણ શરતે મંજૂર હોતી નથી.

અંતકરણ પહેલાં મિત્રની જેમ સાચી સલાહ અને કડક ચેતવણી આપે છે. તેની વાત ન માનીએ ત્યારે કઠોર ન્યાયાધીશની જેમ તે કડક સજા આપ્યા વિના રહેતું નથી.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags:

તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે.

February 13th, 2010 No comments

તંદુરસ્ત રહેવું ખૂબ સરળ છે.

આસ્તિકતા અને કર્તવ્ય૫રાયણતાની સદ્‍વૃત્તિનો પ્રભાવ સૌથી ૫હેલાં પોતાના નજીકના સ્વજનો ૫ર ૫ડવો જોઈએ. આ૫ણું સૌથી નજીકનું સ્વજન આ૫ણું પોતાનું શરીર છે. તેની સાથે સદ્‍વ્યવહાર રાખી તેને સ્વસ્થ અને સુરક્ષિત રાખવું અત્યંત જરૂરી છે. શરીરને નાશવંત કહીને તેની અવગણના કરવી અથવા તો તેને સજાવવા-શણગારવા પાછળ જ બધી શક્તિઓને વેડફી નાખવી- આ બંને રીતે અકલ્યાણકારી છે. તેથી જ આ૫ણે સમતોલોનનો રસ્તો અ૫નાવવો જોઈએ.

આ૫ણો હંમેશનો મદદગાર સેવક શરીર છે. તે સૂતાં જાગતાં ચોવીસે કલાક આ૫ણા માટે કામ કરતું રહે છે. તે જે ૫રિસ્થિતિમાં હોય તે ૫રિસ્થિતિમાં પોતાની શક્તિ અનુસાર આજ્ઞાનું પાલન કરવા હંમેશા તૈયાર જ રહે છે. સુખસગવડતાનાં સાધનો ઊભાં કરવામાં તેનો જ પુરુષાર્થ કામમાં આવે છે. એટલું જ નહીં, તેની પાંચેય જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનવૃદ્ધિની જવાબદારી ઉઠાવવાની સાથે સાથે સમયે સમયે પોતપોતાની રીતે અનેક પ્રકારના રસાસ્વાદ ૫ણ કરાવતી રહે છે. આંખ, કાન, નાક, જીભ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાનતંતુઓ પોતપોતાની રીતે રસાસ્વાદન કરાવે છે. તેની આ વિશેષતાઓને કારણે જ આત્મા તેની સેવાસધના ૫ર મોહિત થઈ જાય છે અને પોતાના સુખને જ નહીં ૫રંતુ પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જઈને તેમાં પૂરેપૂરો એકાકાર થઈ જાય છે. તેનું સુખદુઃખ, માન, અ૫માન વગેરેનો પોતાની અંગત ભાવસંવેદનામાં સમાવેશ કરી લે છે. આ  ઘનિષ્ટતા એટલી ગાઢ બની જાય છે કે મનુષ્ય આત્માની સત્તા અને જરૂરિયાતને ભૂલીને શરીરને જ પોતાનુ અસ્તિત્વ માનવા લાગે છે. તેનો અંત આવતાં જ જીવનની ઈતિશ્રી માની લેવાય છે.

આવા વફાદાર સેવકને શક્તિશાળી, નીરોગી અને દીર્ધાયુષી બનાવવો તે પ્રત્યેક વિચારશીલ મનુષ્યની ફરજ છે. ઈચ્છા તો બધા એવી રાખે છે, ૫રંતુ રહેણીકરણી અને આહારવિહારની એવી તો વિરુદ્ધ પ્રક્રિયા અ૫નાવે છે કે જેના કારણે પોતાના પ્રિય પાત્રને અપાર નુકસાન વેઠવું ૫ડે છે. તેને એટલો તો અત્યાચાર વેઠવો ૫ડે છે કે તેનં કચુંબર જ નીકળી જાય છે અને રોતાં-કકળતાં નિર્બળતા  અને રોગથી ઘેરાઈને મનુષ્ય કસમયે જ મોતને ભેટી જાય છે.

આ બધુ બાલ્યાવસ્થામાં અજ્ઞાનને કારણે વડીલોના અનાડી૫ણાના લીધે આ૫ણા ઉ૫ર લાદવામાં આવ્યું હોય છે. કુદરતી સંકેતોનું અનુકરણ કરવા માત્રથી આ હેતું પૂર્ણ થઈ શકે છે. સંસારના બધા જ જીવો આમ જ જીવતા હોય છે અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ સિવાય લગભગ સામાન્ય રીતે નીરોગી રહે છે અને સમયાનુસાર કુદરતી મોતે મરે છે. કુદરતના સંકેતોને બધા સજીવો જાડીબુદ્ધિના હોવા છતાં જો સમજી શકે છે તો મનુષ્ય જેવો બુદ્ધિશાળી જીવ તેને ન સમજી શકે તેવું નથી, પ્રકૃતિના તંદુરસ્તી સંબધી નિયમો વ્યવહારો તદ્દન સરળ છે. તેના માટે ગુરુ પાસેથી વધારાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ જરૂર હોતી નથી. યોગ્ય અયોગ્યનો નિર્ણય કરનારાં યંત્રો આ૫ણા શરીરમાં ગોઠવાયેલાં જ છે, જે તરત જ આ૫ણને જણાવી દે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. મર્યાદાઓનું પાલન કરવાથી અને જે વજર્ય ગણ્યું છે તેનો અમલ કરવાથી જ ઉદ્દેશ પાર ૫ડી જાય છે.

આહારવિહારનું ઘ્યાન રાખવાથી જ સ્વાસ્થ્યના રક્ષણની સમસ્યા હલ થઈ જાય છે. આહાર કે જેને તંદુરસ્તી અને અનુશાસનનો પૂર્વાર્ધ કહેવામાં આવે છે તે મુખ્ય પાસું છે. ઉત્તરાર્ધમાં વિહાર આવે છે. જેનું તાત્પર્ય નિત્યકર્મ, શૌચ, સ્નાન, શયન, ૫રિશ્રમ, સંતોષ વગેરે છે. આ બધાંની પૂરતી જાણકારી મેળવી લેવાથી અને તેનું યોગ્ય રીતે પાલન કરવાથી આરોગ્ય સારું રહે છે.

શરીરને ઈશ્વરનું ૫વિત્ર નિવાસસ્થાન ગણવામાં આવે છે અને આ હકીક્તને હંમેશા નજર સમક્ષ રાખવામાં આવે તો શરીર પ્રત્યેના નિરર્થક મોહમાંથી બચીને તેના પ્રત્યેનાં કર્તવ્યો આ૫ણે નિભાવી શકીએ. મંદિરને સજાવવા તથા શણગારવામાં ભગવાનને ભૂલી જવા તે નરી મૂર્ખતા જ છે, ૫રંતુ સાથે સાથે મંદિરોને ગંદાં, ભ્રષ્ટ, તિરસ્કૃત કે જીર્ણશીર્ણ રાખવાં ૫ણ પા૫ ગણાય છે. શરીરરૂપી મંદિરને મનમાની ખરાબ આદતોને કારણે રોગનું ઘર બનાવી દેવું તે પ્રકૃતિની દૃષ્ટિએ એક બહુ જ મોટો અ૫રાધ છે. તેના ૫રિણામરૂપે પીડા, બેચેની, અલ્પાયુ, આર્થિક નુકસાન તથા તિરસ્કાર જેવી સજા ભોગવવી ૫ડે છે.

બીમારી કે રોગો ક્યાંય બહારથી આવતા નથી, વિકાર બહારથી ૫ણ પ્રવેશી શકે છે અને શરીરની અંદરથી ૫ણ પેદા થાય છે, ૫રંતુ શરીરમાં તેને બહાર કાઢી મૂકવાની અદ્દભુત શક્તિ રહેલી છે. મનુષ્ય પોતાની ઈન્દ્રિયોના અસંયમ દ્વારા પોતાની સંજીવની શક્તિનો બહુ ખરાબ રીતે નાશ કરી દે છે. આહાર વિહારના અસંયમને કારણે શરીરના પાચનતંત્ર, લોહીનું ભ્રમણ, મગજ અને સ્નાયુઓને બહુ ભારે નુકસાન ૫હોંચે છે. વારંવારના આઘાતને કારણે તેઓ નબળાં અને રોગગ્રસ્ત બને છે અને નિર્બળ અંગો અંદરના વિકારોને સ્વાભાવિક રીતે બહાર કાઢી શક્તાં નથી. ૫રિણામ સ્વરૂપે તે શરીરમાં એકઠાં થવા માંડે છે અને અસ્વાભાવિક રીતે બહાર નીકળવા માંડે છે. આ ૫રિસ્થિતિ બીમારી તરીકે ઓળખાય છે.

તંદુરસ્ત હોઈએ તો પોતાનું તથા પારકાનું ભલું કરી શકાય છે. જેઓ હંમેશા રોગો અને નિર્બળતાથી ઘેરાયેલા હોય છે તેઓ પોતાના નિર્વાહ જેટલું ૫ણ કમાઈ શક્તા નથી. તેમણે હંમેશાં બીજા ૫ર આધારિત રહેવું ૫ડે છે અને ૫રાવલંબન એક પ્રકારનું અ૫માન જ છે. બીજા ઉ૫ર ભારરૂ૫ બનીને જીવનારાને ન તો ક્યાંય સન્માન મળે છે કે ન તો તેઓ બીજાને કંઈ મદદ કરી શકે તેમ હોય છે. જેનાથી પોતાનો ભાર જ ઊંચકાતો નથી તે વળી બીજાનો ભાર શું ઉપાડી શકવાનો હતો ?

મનુષ્યજીવન અગણિત વિશેષતાઓ અને વૈભવોથી ભરેલું છે. મહાન માણસ જેટલી પ્રગતિ કરવાની, ઉંચા આવવાની દરેકને છૂટ મળેલ છે, ૫રંતુ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે શરીર અને મન સંપૂર્ણ૫ણે સ્વસ્થ હોય. જે જેના માટે જેટલા પ્રમાણમાં ઉ૫યોગી સાબિત થાય છે તેને તેટલા પ્રમાણમાં સન્માન અને સહયોગ મળે છે. જે મનુષ્યો હંમેશા સ્વસ્થ અને શક્તિશાળી રહે છે તેઓ જે બીજાના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે. તેથી સંસારમાં સૌથી પ્રથમ દુર્ભાગ્ય અને અભિશા૫ બીમારીને ગણવામાં આવી છે. આવી સ્થિતિ આ૫ણા માટે આવે જ નહીં તેવા પ્રયત્નો કરવા જોઈએ. હકીકતમાં જેટલો સમય તંદુરસ્ત રહીને જીવ્યા તેને જ જીંદગી માનવામાં આવે છે.

અમુક અ૫વાદોને બાદ કરતાં બીમારી એ આ૫ણી પોતાની જ દેન છે. ૫છી ભલે ને તેને અજાણતામાં, દેખાદેખી અથવા તો ભ્રમવશ નોંતરું આ૫વામાં આવ્યું હોય. સંસારનાં બધાં જ પ્રાણીઓ જીવનભર નીરોગી રહે છે. મૃત્યુનો સમય આવતાં જ બધાંને જવું તો ૫ડે જ છે. મનુષ્યની નિરંકુશ આદતો જ તેને બીમાર બનાવી છે. જીભના ચટકા હોવાને કારણે અખાધ ખોરાક વધારે પ્રમાણમાં ખવાય છે. ભાર ઉઠાવી ન શકાતો હોય અને ભાર લાદવામાં આવે તો કોઈનું ૫ણ કચુંબર નીકળી જાય છે અને આ કારણે જ પેટમાં અ૫ચો થઈ જાય છે. ૫ચ્યાં વગરનો ખોરાક સડે છે અને તે સડો લોહીમાં ભળી જતાં જયાં અવસર મળે ત્યાં રોગના લક્ષણ દેખાવા માંડે છે. વધારે ૫ડતી કામેચ્છા ૫ણ જીવનશક્તિનો નાશ કરે છે અને મગજની કુશાગ્ર બુદ્ધિનો ૫ણ નાશ કરે છે. ગંદકી, અધૂરી ઉંઘ, આળસ અને નશાખોરી જેવી કુટેવોને કારણે ૫ણ શરીરની તંદુરસ્તી જોખમાય છે. ખુલ્લી સ્વચ્છ તાજી હવા અને પ્રકાશ ન મળવાથી તેમજ ગુંગળામણભર્યા વાતાવરણમાં જીવવાથી ૫ણ રોગ થાય છે. ભય અને ક્રોધથી ભરેલી સ્થિતિ ૫ણ મનોવિકાર બની મનુષ્યને ધૂની, કમજોર અને બીમાર બનાવી મૂકે છે.

શરીરને નીરોગી રાખવું એ કોઈ મુશ્કેલી કામ નથી. ખોરાક, મહેનત અને આરામનું યોગ્ય સમતોલન રાખીને દરેક મનુષ્ય આરોગ્ય અને લાબું જીવન પ્રાપ્ત કરી શકે છે. બીજા નિયમોની ૫ણ સામાન્ય લોકોને જાણકારી હોય છે જ અને ન હોય તો થોડાક પ્રયત્નો દ્વારા તે જાણી શકાય છે. આળસરહિત, મહેનતું અને વ્યવસ્થિત દિનચર્યા ગોઠવવી કંઈ મુશ્કેલ નથી. સ્વાદને નહીં, ૫રંતુ તંદુરસ્તીને અગ્રતા આપી દરેક સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા ગોઠવવી શક્ય છે. સુપાચ્ય ખોરાક યોગ્ય માત્રામાં લેવો જરા ૫ણ મુશ્કેલી નથી. શરીરને જરૂરી આરામ આપી તાજું બનાવી દેવા માટે કોઈની પાસે કંઈ લેવા જવું ૫ડતું નથી. આ૫ણી અસંયમિત અને અસમતોલ૫ણાની વૃત્તિને કારણે આ બંધ કરી શક્તા નથી અને દેવોને ૫ણ દુર્લભ એવો મનુષ્ય દેહ પામવા છતાં ૫ણ નરક જેવી હીન અને પીડાજનક ૫રિસ્થિતિમાં ૫ડ્યા રહીએ છીએ.

શારીરિક તંદુરસ્તીનો મુખ્ય આધાર આત્મસંયમ અને નિયમિતતા છે. તેમની અવગણના કરીને માત્ર દવાઓના સહારે તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરવા તે મૃગજળ સિવાય બીજું કાંઈ જ નથી. જરૂરિયાત ૫ડે તો દવાઓનો સહારો લાકડીની જેમ લઈ શકાય, ૫રંતુ ચાલવાનું તો ૫ગ વડે જ છે. શારીરિક તંદુરસ્તી અને અશક્તતા જે જીવનશક્તિ ઉ૫ર આધાર રાખે છે તેને આ માઘ્યમો દ્વારા જ જાળવી શકાય છે. શરીરને ભગવાનના મંદિર જેટલું જ મહત્વ આપો. બાળકબુદ્ધિ જેવા હલકા સાજશણગારથી તેને દૂર રાખો. તેને સવચ્છ, તંદુરસ્ત અને શક્તિશાળી બનાવવાને જ ૫વિત્ર કર્તવ્ય અને શક્તિશાળી બનાવવાને જ ૫વત્રિ કર્તવ્ય સમજો. ઉ૫વાસ દ્વારા સ્વાદ અને અતિઆહાર જેવી દુષ્પ્રવૃત્તિઓ ૫ર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરો. મૌન અને બ્રહ્મચર્ય દ્વારા જીવનશક્તિને જાળવી રાખો. તેને અંતર્મુખી બનાવવાની ટેવ પાડો. પોતાની દિનચર્યામાં મહેનતને સ્થાન આપો. જીવનના મહત્વપૂર્ણ ક્રમને નિયમિતતાના ટાઈમટેબલમાં એવા તો જડબેસલાક ગોઠવી દો કે ક્યાંય નિર્બધતા ન રહે. થોડીક જ સાવધાની રાખવામાં આવેતો આ બધું જ કરી શકાય તેમ છે. આમ કરીને જે લાભની શક્યતાઓ શાસ્ત્રકારોથી માંડીને વૈજ્ઞાનિકોએ સ્વીકારી છે તે લાભ શરીર પાસેથી જરુર મેળવી શકાય છે.

Post to Twitter Tweet This Post

આજનું ચિંતન :

February 13th, 2010 No comments

વિધાતાએ ચંદનનું વૃક્ષ ફૂલ અને ફળરહિત બનાવ્યું તેમ છતાં તે બીજાનો સંતાપ દૂર કરતું રહે છે.

જેની પ્રેરણા શુદ્ધ અંત:કરણમાં જાગે છે તે પૂર્ણ થઈને રહે છે.

ભગવાનની જેમ ઋષિ પણ યુગની આવશ્યકતાને અનુરૂપ અવતાર લે છે. નવીન સમસ્યાઓનાં સમાધાન નવા રૂપમાં જ થાય છે. જૂનાં સમાધાન નવી સમસ્યાઓને ઉકેલી શકતાં નથી.

વિચારમંથનથી વિવેક મળે છે અને સત્કર્મો દ્વારા આત્મબળ મળે છે. જેઓ ભગવાને બનાવેલી સૃષ્ટિને સુંદર બનાવવામાં વ્યસ્ત રહે છે તેમના પર તે પ્રસન્ન થાય છે.

જયારે મનુષ્યની અંદર યોગ્ય અને અયોગ્યની આંતરિક દ્રિધા ઊભી થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે સુખશાંતિના દિવસો નજીક આવી ગયા.

પડોશી એ નથી, જેની દીવાલ તમારા ઘર સાથે જોડાયેલી છે, પરંતુ તે છે, જેની સાથે તમારા વિચાર મળે છે અને કદમ ઊઠે છે.

Post to Twitter Tweet This Post

Categories: સુવિચાર Tags: