Archive

Archive for the ‘વેદોની સોનેરી સૂક્તિઓ’ Category

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 30th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

સુગ: પન્થા અનૃક્ષર આદિત્યાસ ઋતં યતે |    ( ઋગ્ ૧/૪૧/૧૪.)

સત્યમાર્ગ પર ચાલનારાઅઓનું જીવન સરળ બની જાય છે.

કંટકપૂર્ણ માર્ગ જુઠાઓ માટે છે, સત્યપ્રેમીને માટે તો સર્વત્ર સરળતા છે.

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 29th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

શંન: સત્યસ્ય પતયો ભવન્તુ |    ( અથર્વ૧૯/૧૭/૧.)

સત્યવ્રતધારી જ સર્વત્ર સુખ શાંતિ ઉત્પન્ન કરે છે.

પોતે સુખી રહેવું અને બીજાંઓને સુખ આપવું એ કેવળ સત્યમાર્ગ દ્વારા જ સંભવી શકે છે.

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 27th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

દંતે દંહમાજ્યોક્રે સંદશિ જીવ્યાસમ્ |    ( યજુ .)

સત્ય અને ધર્મના માર્ગ પર દ્રઢ રહો.

ભય અને લાલચ ધર્માત્માની દ્રઢતાની કસોટી માટે આવ્યા કરે છે.

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 26th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

ઋતસ્ય શ્લોકો બધિરાતતર્દ કર્ણા |    ( ઋગ્ .)

સત્યનો પોકાર બહેરા કાનોને પણ પહોંચે છે.

જે સચ્ચાઈ છે તેને આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે જ.

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 22nd, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

ત્વં નો મેધે પ્રથમા |    ( અથર્વ. ૬/૧૦૮/૧)

સદ્દબુદ્ધિ જ સંસારમાં સર્વશ્રષ્ઠ વસ્તુ છે.

જેણે પોતાની વિચારધારાને શુધ્ધ બનાવી લીધી છે તેણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે.

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 21st, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

સત્યં વક્ષ્યામિ નાનૃતમ્ |    ( અથર્વ. ૪/૯/૭)

અસત્ય નહીં, સત્ય જ બોલો,

સત્યના માર્ગ ઉપર ચાલવું એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે.