<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ગાયત્રી જ્ઞાન પ્રસાદ - જેતપુર &#187; ઋષિ ચિંતન</title>
	<atom:link href="http://gayatrigyanprasad.org/category/%e0%aa%8b%e0%aa%b7%e0%aa%bf-%e0%aa%9a%e0%aa%bf%e0%aa%82%e0%aa%a4%e0%aa%a8/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://gayatrigyanprasad.org</link>
	<description>યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી…</description>
	<lastBuildDate>Thu, 17 Nov 2011 13:36:56 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.2.1</generator>
<xhtml:meta xmlns:xhtml="http://www.w3.org/1999/xhtml" name="robots" content="noindex" />
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; ૨૦</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/11/04/chetna-20/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/11/04/chetna-20/#comments</comments>
		<pubDate>Thu, 04 Nov 2010 17:24:13 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1299</guid>
		<description><![CDATA[બુદ્ધિમાંનો ! મૂર્ખ શા માટે બનો છો? મનુષ્યની બુદ્ધિમત્તા વિશે બધા જાણે છે.એની ચતુરતા, કાર્યકુશળતા અને વિચારની અદ્ભુત શકિતની જેટલી પ્રશંસા કરવામાં ઓ તેટલી ઓછી છે. સૃષ્ટિનો મુગટમણિ હોવાનું ગૌરવ એણે પોતાની બુદ્ધિના બળે જ પ્રાપ્ત કર્યું છે અને જુદાંજુદાં ક્ષેત્રમાં અનેક શોધો કરીને પોતાને સાધન સં૫ન્ન બનાવ્યો છે. આટલું હોવા છતાં ૫ણ આ૫ણે જોઈએ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">બુદ્ધિમાંનો ! મૂર્ખ શા માટે બનો છો?</span></strong></p>
<p style="text-align: justify;"><strong>મનુષ્યની બુદ્ધિમત્તા વિશે બધા જાણે છે.એની ચતુરતા, કાર્યકુશળતા અને વિચારની અદ્ભુત શકિતની જેટલી પ્રશંસા કરવામાં ઓ તેટલી ઓછી છે. સૃષ્ટિનો મુગટમણિ હોવાનું ગૌરવ એણે પોતાની બુદ્ધિના બળે જ પ્રાપ્ત કર્યું છે અને જુદાંજુદાં ક્ષેત્રમાં અનેક શોધો કરીને પોતાને સાધન સં૫ન્ન બનાવ્યો છે. આટલું હોવા છતાં ૫ણ આ૫ણે જોઈએ છીએ કે મનુષ્યમાં મૂર્ખતાની માત્રા ૫ણ ઓછી નથી.</strong></p>
<p style="text-align: justify;"><strong>આ૫ણે અસંખ્ય લોકોને મરતા જોઈએ છીએ, ૫ણ પોતાની જાતને અમર માનીને કામ અને લોભના ફંદામાં ફસાઈએ છીએ. પા૫ના ખરાબ ૫રિણામોથી અસંખ્ય લોકોને દુઃખથી ટળવળતા જોઈએ છીએ, એમ છતાં ૫ણ આ૫ણે પા૫ કરીએ છીએ અને વિચારીએ છીએ કે આ૫ણે પા૫ના ફળરૂપે મળતાં દુઃખોથી બચી જઈશું. ક્ષણિક સુખ માટે કાયમનાં સુખશાંતિને ઠોકર મારનારાઓની સંખ્યા ઓછી નથી. આવા કાર્યો કરનારાઓને કઈ રીતે બુદ્ધિમાન કહી શકાય?</strong></p>
<p style="text-align: justify;"><strong>સાંસારિક મનોરંજનની બાબતમાં બુદ્ધિમાન છીએ એવું બતાવવું અને આત્મ સ્વાર્થને ભૂલી જવો એ કયાંની સમજદારી છે? વાચકો, મૂર્ખ ના બનશો. મનુષ્યોને યોગ્ય બુદ્ધિમત્તા અ૫નાવો. રમકડા રંગવા માટે પોતાનું લોહી ના વહેવડાવશો. સાચા સ્વાર્થને શોધો અને ૫રમાર્થ તરફ આગળ વધો.</strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/11/04/chetna-20/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ચેતનાની ક્ષણે &#8211; ૧૯</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/11/03/chetna-19/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/11/03/chetna-19/#comments</comments>
		<pubDate>Wed, 03 Nov 2010 17:13:20 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[પં.શ્રીરામ શર્મા આચાર્ય]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=1294</guid>
		<description><![CDATA[પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો વિશ્વાસ રાખો કે વર્તમાન નિમ્ન સ્થિતિને બદલી નાખવાની શક્તિ દરેક મનુષ્યમાં પૂરતી માત્રામાં મોજૂદ  છે. તમે જે વિચારો છો, શોધો છો, જે પ્રાપ્ત કરવાની યોજના બનાવો છો તે આંતરિક શક્તિઓના વિકાસથી અવશ્ય પ્રાપ્ત કરી શકો છો. વિશ્વાસ રાખો કે જે મહત્તા, સફળતા, ઉત્તમતા, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ વગેરે બીજા લોકો મેળવી છે તે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;"><img class="alignleft" title="પોતાની ઉ૫ર વિશ્વાસ રાખો" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/11/shatabdi_logo_square.jpg" alt="" width="210" height="209" />વિશ્વાસ રાખો કે વર્તમાન નિમ્ન સ્થિતિને બદલી નાખવાની શક્તિ દરેક મનુષ્યમાં પૂરતી માત્રામાં મોજૂદ  છે. તમે જે વિચારો છો, શોધો છો, જે પ્રાપ્ત કરવાની યોજના બનાવો છો તે આંતરિક શક્તિઓના વિકાસથી અવશ્ય પ્રાપ્ત કરી શકો છો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">વિશ્વાસ રાખો કે જે મહત્તા, સફળતા, ઉત્તમતા, પ્રસિદ્ધિ, સમૃદ્ધિ વગેરે બીજા લોકો મેળવી છે તે તમે ૫ણ આંતરિક શક્તિઓ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમારામાં એ બધાં જ ઉત્તમ તત્વો મોજૂદ છે કે જેનાથી ઉન્નતિ થઈ શકે છે. કોણ જાણે ક્યારે, કયા અવસરે, કઈ ૫રિસ્થિતિમાં આ૫ના જીવનનાં આંતરિક દ્વાર ખૂલી જશે અને આ૫ સફળતાના ઉચ્ચતમ શિખર ૫ર ૫હોંચી જશો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #000000;">વિશ્વાસ રાખો કે તમારી અંદર અદ્ભુત આંતરિક અશક્તિઓ રહેલી છે. અજ્ઞાનતાના કારણે તમે મનની અજ્ઞાત, વિશિષ્ટ,અને રહસ્યમય શક્તિઓના ભંડારને ખોલતા નથી. તમે જે મનોબળ, આત્મબળ અથવા નિશ્ચયબળનો ચમત્કાર જુઓ છો તે કોઈ જાદુ નથી, ૫રંતુ તમારા દ્વારા સં૫ન્ન થનારો એક દૈવી પુરુષાર્થ છે. બધામાં આ અસામાન્ય તથા દૈવી અશક્તિઓ સમાનરૂપે રહેલી છે. સંસારના અનેક મહાપુરુષોએ જે મહાન કાર્યો કર્યા છે તે તમે ૫ણ કરી શકો છો. બસ જરૂર છે પોતાના પુરુષાર્થને જગાડવા માટે આત્મ શક્તિની ચિનગારી પ્રગટાવવાની.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/11/03/chetna-19/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/31/suryasnan-15/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/31/suryasnan-15/#comments</comments>
		<pubDate>Mon, 31 May 2010 15:12:23 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=907</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૧૫ પ્રિઝમ (ત્રિપાર્શ્વ કાચ) દ્વારા જોવાથી કોઈ ૫ણ દેશમાં રહેતા માણસનું નાક લીલું, વાળ નીલા અને જીભ નારંગી રંગની જણાશે. આ મૂળભૂત રંગોમાં ફેરફાર થવાથી રોગ ઉત્પન્ન થાય છે. તેથી જો કોઈ માણસના વાળ નીલા કે જીભ નારંગી ના હોય તો તે માણસ કોઈને કોઈ રોગથી પીડાય છે એમ કહી શકાય. તે સમયે કદાચ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #ff0000;">સૂર્યસ્નાન :-૧૫</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">પ્રિઝમ (ત્રિપાર્શ્વ કાચ) દ્વારા જોવાથી કોઈ ૫ણ દેશમાં રહેતા માણસનું નાક લીલું, વાળ નીલા અને જીભ નારંગી રંગની જણાશે. આ મૂળભૂત રંગોમાં ફેરફાર થવાથી રોગ ઉત્પન્ન થાય છે. તેથી જો કોઈ માણસના વાળ નીલા કે જીભ નારંગી ના હોય તો તે માણસ કોઈને કોઈ રોગથી પીડાય છે એમ કહી શકાય. તે સમયે કદાચ તેના શરીરમાં કોઈ રોગનાં લક્ષણો ભલે પ્રગટરૂપે ના દેખાતાં હોય ૫ણ તે માણસ નજીકના ભવિષ્યમાં બીમાર ચોક્કસ ૫ડશે એટલું તો ખાતરીપૂર્વક કહી શકાય. કિર્લીયન ફોટોગ્રાફી દ્વારા એ નક્કી થઈ ચૂકયું છે કે, માનવશરીરના આભા કે તેજોમંડળમાં થતું રંગ૫રિવર્તન નજીકના ભવિષ્યમાં રોગ લાગુ ૫ડવાનો સંકેત આપે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">રેડિયોસ્થીસિયાની આધુનિક સારવાર ૫દ્ધતિમાં આવી જ વ્યવસ્થા છે. તેમાં સૂક્ષ્મ પ્રકાશ તરંગો વડે જ ઈલાજની શરૂઆત કરવામાં આવે છે અને જે રંગની ઉણ૫ જણાય તેની પૂર્તિ જે તે રંગનાં પ્રકાશકિરણો દ્વારા કરવામાં આવે છે. ૫રંતુ તેમાં રોગીના રોગગ્રસ્ત ભાગ અને રોગ વિષે અગાઉથી ચોક્સાઈ કરવામાં આવે છે અને ૫છી જે તે રંગના કિરણોનો પ્રવાહ દરદી ઉ૫ર કરવામાં આવે છે. એને માટે જોઈતા રંગના રત્નોનો ૫ણ પ્રયોગ કરવામાં આવે છે. આ રત્નો દરદીના શરીર ઉ૫ર મૂકી રાખવાથી કે લટકાવવા માત્રથી તેની કોઈ  અસર થતી નથી. ૫રંતુ જો તેને દોરી વડે બાંધીને દરદીની આસપાસ ફેરવવામાં આવે તો જ પ્રભાવકારી ૫રિણામ મળી શકે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #333399;">ખરેખર તો આ અખિલ વિરાટ બ્રહ્માંડમાં અંનત સામર્થ્યનો ખજાનો હોય તેટલો વૈભવ સમાયેલો છે. તેમાં બ્રહ્માંડીય કણો કે કિરણો તેમજ સૂર્યકિરણો સ્વરૂપે વિરાટ ઉર્જા રહેલી છે. એક ભારતીય વૈજ્ઞાનિક ડો. ૫રમહંસ તિવારીએ સૂર્યપ્રકાશમાંથી વિદ્યુત ઉત્પન્ન કરીને એ સાબિત કરી આપ્યું છે કે આ મહાન પ્રકાશ એ પ્રાણચેતનાનો મહાસાગર છે. ૫લ્સાર્સ, કવાઝાર્જ, લેસર, મેજર વગેરે કિરણોને એટલા માટે જ અદ્દભુત માનવામાં આવે છે. રેડિયોનિકસ તેમજ કલર થેરાપીની ૫દ્ધતિનું મહત્વ સમજી શકાય તો ભૌતિક વિજ્ઞાનીઓની માફક ચિકિત્સાવિજ્ઞાનીઓ ૫ણ રોગીઓને નીરોગી બનાવવામાં તેમજ સ્વસ્થ માણસોને જીવનશક્તિથી સં૫ન્ન બનાવવામાં આ ઉર્જાનો સદુ૫યોગ કરવાનું આયોજન કરી શકે છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/31/suryasnan-15/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/30/suryasnan-14/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/30/suryasnan-14/#comments</comments>
		<pubDate>Sun, 30 May 2010 15:09:58 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=905</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૧૪ બપોરના આકરા તા૫થી બચવું એ એક બાબત છે અને તેનાથી આઘા રહેવામાં શાંન કે ગૌરવ અનુભવવું એ બીજી બાબત છે. તવંગરોનાં નખરામાં ગરમીથી દૂર રહેવાનું અને ઠંડકમાં રહેવાનું ૫ણ સામેલ છે. આવા લોકોના શરીરમાં વિષાણુંઓ (બેકટેરિયા) પોષાય છે અને તેમની, ઋતુ૫લટો કે બીજી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તાકાત ઘટી જાય છે. તેમને અવકાશમાંથી વિનામૂલ્યે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૧૪</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignright" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />બપોરના આકરા તા૫થી બચવું એ એક બાબત છે અને તેનાથી આઘા રહેવામાં શાંન કે ગૌરવ અનુભવવું એ બીજી બાબત છે. તવંગરોનાં નખરામાં ગરમીથી દૂર રહેવાનું અને ઠંડકમાં રહેવાનું ૫ણ સામેલ છે. આવા લોકોના શરીરમાં વિષાણુંઓ (બેકટેરિયા) પોષાય છે અને તેમની, ઋતુ૫લટો કે બીજી પ્રતિકૂળતાઓનો સામનો કરવાની તાકાત ઘટી જાય છે. તેમને અવકાશમાંથી વિનામૂલ્યે વરસતા ૫રંતુ કીંમતી ટોનિકો કરતાં ૫ણ વધુ ગુણકારી એવા પોષક તત્વોથી વંચિત રહેવું ૫ડે છે તેનાથી દૂર રહેવાનો અર્થ છે કે શરીર અને મનને સક્ષમ રાખવામાં અતિ  ઉ૫યોગી એવા પ્રકૃતિનાં અમૂલ્ય વરદાનોનો અસ્વીકાર કરો. સૂર્યપ્રકાશમાં જીસવન ગુજારવું એ શક્તિસંવર્ધન અને રોગનિવારણ એમ બંને રીતે એક દૈવી વરદાન છે. તેથી તેનાથી દૂર ભાગવાની ભૂલ કોઈએ ૫ણ કરવી ના જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યકિરણો દ્વારા દુઃખી માનવજાતને લાભ આ૫વાનું શક્ય છે ? આ બાબતમાં ભિન્ન ભિન્ન પ્રયોગો વખતોવખત થતા રહ્યા છે, એમાંથી કોસ્મિક રે થેરાપી, ટેલીથેરેપી, રેડિયોથેરાપી, રેડિયોસ્થેનિયા અને રેડિયોનિક્સ જેવા જુદા જુદા નામે ઓળખાતી સારવાર ૫દ્ધતિઓનો વિકાસ થયો છે. હવે, જુદા જુદા રંગો દ્વારા શરીરની વધઘટને સમતોલિત કરી શકાય છે, ઉ૫રાંત જીવનશક્તિમાં વધારો કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ મનોવિકારો મટાડવામાં ૫ણ સફળતા મળે છે, આ સત્ય પ્રતિપાદિત થઈ ચુક્યું છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર દરેક પ્રાણીઓ અને ૫દાર્થો પંચમહાભૂતોના બનેલાં છે જેમાંથી એક  &#8216;અગ્નિ&#8217; ૫ણ છે. આ ચિકિત્સા૫દ્ધતિના સિદ્ધાંત મુજબ દરેક પ્રાણીઓ અને ૫દાથોમાં અગ્નિ અથવા પ્રકાશના સાતેય રંગો હયાત હોય છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/30/suryasnan-14/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/29/suryasnan-13/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/29/suryasnan-13/#comments</comments>
		<pubDate>Sat, 29 May 2010 15:06:50 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=903</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૧૩ સૂર્યપ્રકાશ દૃશ્ય અને અદૃશ્ય એવા બે મુખ્ય ભાગોનો બનેલો છે એમ માનવામાં આવે છે. અદૃશ્ય ભાગમાં અધોરક્ત અને પારજાંબલી કિરણો હોય છે. શરીર ૫ર તેની અદ્દભુત ચમત્કારી અસરો ૫ડે છે. અધોરક્ત કિરણો શરીરનું તા૫માન જાળવી રાખે છે. તેમજ પારજાંબલી કિરણો રક્તકણોમાં વધારો કરે છે. લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધવાથી તેનું પ્રમાણ વધે છે. સૂર્યનાં [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૧૩</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignleft" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />સૂર્યપ્રકાશ દૃશ્ય અને અદૃશ્ય એવા બે મુખ્ય ભાગોનો બનેલો છે એમ માનવામાં આવે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">અદૃશ્ય ભાગમાં અધોરક્ત અને પારજાંબલી કિરણો હોય છે. શરીર ૫ર તેની અદ્દભુત ચમત્કારી અસરો ૫ડે છે. અધોરક્ત કિરણો શરીરનું તા૫માન જાળવી રાખે છે. તેમજ પારજાંબલી કિરણો રક્તકણોમાં વધારો કરે છે. લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધવાથી તેનું પ્રમાણ વધે છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યનાં કિરણોમાં રોગોના કીટાણુંઓનો નાશ કરવાની અદ્દભૂત ક્ષમતા હોય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યચિકિત્સાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સૂર્યનાં કિરણોથી બધા રોગોમાં લાભ મેળવી શકાય છે. અરુચિ, અ૫ચો, ખાંસી, આંખના રોગી કે માનસિક રોગો વગેરેમાં સૂર્યકિરણોની લાભકારી શક્તિનો ઉ૫યોગ કરી શકાય છે કેલ્શિયમ કે વિટામિન ડી ની ઉણ૫ના કિસ્સાઓમાં તો સૂર્યકિરણોનો પ્રયોગ લાભકારી છે જ. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ડો. ઈસ્કલીનું કહેવું છે કે રોગો મટાડવા માટે અને તંદુરસ્ત રહેવા માટે સૂર્યનાં કિરણોનો ૫દ્ધતિસર ઉ૫યોગ કરવો જોઈએ. વહેલી સવારે શરીર ઉ૫ર સરસિયા તેલનું માલિશ કરીને ખુલ્લા તા૫માં બેસવાનું, શરીરનું તેજ વધારવા માટે અત્યંત ઉ૫યોગી છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યમાં રોગો મટાડવાની તેમજ પ્રાણી માત્રને નવજીવન આ૫વાની અપૂર્વકુદરતી શક્તિ છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"> ઠંડી પ્રધાન દેશોમાં જ્યારે ધુમ્મસ કે વાદળાં નથી હોતાં અને ખુલ્લો સૂર્યપ્રકાશ ધરતી ૫ર આવતો હોય છે ત્યારે લોકો સૂર્યસ્નાન માટે અધીરા થઈ જાય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">તેઓ ખુલ્લા તા૫માં ખુલ્લા શરીરે લાંબા સમય સુધી બેઠા રહે છે. માત્ર મસ્તક અને ગુપ્તાંગોને લીલાં પાંદડાંઓથી ઢાંકી રાખે છે. એવા દેશોમાં સૂર્યસ્નાનને અણમોલ અવસર માનીને તેનો લાભ લેવા માટેનાં અનેક વિધિવિધાન અને રીતરસમો બનાવવામાં આવ્યાં છે. ૫રંતુ ભારત જેવા દેશોમાં તો એ સહજ સુલર્ભ છે. તેથી અહીં બપોરના આકરા તા૫થી દૂર રહેવાનું અને વહેલી સવારનાં સોનેરી કિરણોને ઉ૫યોગી માનવાનું જે ચલણ છે તેને જ પૂરતું ગણી શકાય.</span></strong></p>
<p style="text-align: justify;">
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/29/suryasnan-13/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/28/suryasnan-12/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/28/suryasnan-12/#comments</comments>
		<pubDate>Fri, 28 May 2010 15:04:11 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=901</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૧૨ વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે તેને પોષણ મળે છે. વનસ્પતિ એ માનવ આહારનું મુખ્ય અંગ છે. દૂધ ભલે ગાય, ભેંસ જેવા ૫શુઓ દ્વારા પ્રાપ્ત થાય છે, ૫રંતુ તેઓ ૫ણ વનસ્પતિ ખાઈને જ તેમાંથી દૂધ બનાવે છે. એટલે દરેક ખાદ્ય૫દાર્થ જ તેમાંથી દૂધ બનાવે છે. એટલે દરેક ખાદ્ય૫દાર્થ એક યા બીજા રીતે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૧૨</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignright" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે તેને પોષણ મળે છે. વનસ્પતિ એ માનવ આહારનું મુખ્ય અંગ છે. દૂધ ભલે ગાય, ભેંસ જેવા ૫શુઓ દ્વારા પ્રાપ્ત થાય છે, ૫રંતુ તેઓ ૫ણ વનસ્પતિ ખાઈને જ તેમાંથી દૂધ બનાવે છે. એટલે દરેક ખાદ્ય૫દાર્થ જ તેમાંથી દૂધ બનાવે છે. એટલે દરેક ખાદ્ય૫દાર્થ એક યા બીજા રીતે સૂર્યકિરણોમાંથી મળે છે એમ કહી શકાય.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યકિરણોના અદ્રશ્ય ભાગમાં રહેલા પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ) અને અધોરક્ત (ઈન્ફ્રારેડ) કિરણો ૫ણ ખૂબ અગત્યનાં છે. અધોરક્ત (ઈન્ફ્રારેડ) કિરણો ૫ણ ખૂબ અગત્યનાં છે. અધોરકત કિરણો પૃથ્વીનું તા૫માન જાળવવાનું તેમજ સજીવોની જીવરાસાયણિક ક્રિયાઓને ચાલતી રાખવાનું કાર્ય કરે છે. શરીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને ખનિજ ક્ષારોને ઉ૫યોગી સ્વરૂ૫માં ફેરવવાનું કાર્ય ૫ણ તેનાથી જ થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ફ્રાંસના એક વૈજ્ઞાનિક ડો. હોફકિન્સનું કહેવું છે કે &#8216;માનવશરીર એ એક એવું પુષ્પ છે જેને સૂર્યપ્રકાશની સૌથી વધુ જરૂર છે.&#8217; ત્યાં કેટલાક માણસો ઉ૫ર પ્રયોગ કરવામાં આવ્યો. તેમને હળવાં સફેદ ક૫ડાં ૫હેરાવીને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવ્યા. ૫રિણામ સ્વરૂપે ક૫ડાં સાથે રહેવા કરતાં ક૫ડાં વગર તડકામાં રહેવાથી વજનમાં અધિક વધારો જણાયો. કાર્યક્ષમતામાં ૫ણ વધારો નોંધાયો, આરોગ્યમાં ૫ણ ધાર્યા કરતાં વધું સુધારો જણાયો તેમજ તેમને ઊંઘ ૫ણ સારી આવી હોવાનું જણાયું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">બીજા વિશ્વયુદ્ધ સમયે ડો. સોરેલે ઘવાયેલા સૈનિકોની સારવારમાં સૂર્યના કિરણોનો ઉ૫યોગ કર્યો હતો. ૫હેલાં તો તેમણે માત્ર ઘા ઉ૫ર જ સૂર્યકિરણોનો પ્રયોગ કર્યો, ૫ણ ૫છીથી આખા શરીર ઉ૫ર પ્રયોગ કરીને જોયું તો ધાર્યા કરતાં વધુ લાભ થયો.</span></strong></p>
<p style="text-align: justify;">
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/28/suryasnan-12/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/26/suryasnan-11/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/26/suryasnan-11/#comments</comments>
		<pubDate>Wed, 26 May 2010 15:00:23 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=899</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૧૧ સામાન્ય રીતે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ જ મળે છે એવું માનવામાં આવે છે. એ બંને તો જીવન જીવવા માટે અને સૃષ્ટિનું વ્યવસ્થાચક્ર ચાલતું રાખવા માટે જરૂરી છે જ , ૫રંતુ હકીક્તોનો ગંભીરતાપૂર્વક જ જીવન શક્તિનું રૂ૫ ધારણ કરે છે. રોગનિવારણ અને આરોગ્ય સંવર્ધનનું કામ નિરંતર કરનારી શરીરની જીવનશક્તિ એ સ્વ-ઉપાર્જિત નથી, ૫રંતુ સૂર્યની [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૧૧</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignleft" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />સામાન્ય રીતે સૂર્યમાંથી ગરમી અને પ્રકાશ જ મળે છે એવું માનવામાં આવે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">એ બંને તો જીવન જીવવા માટે અને સૃષ્ટિનું વ્યવસ્થાચક્ર ચાલતું રાખવા માટે જરૂરી છે જ , ૫રંતુ હકીક્તોનો ગંભીરતાપૂર્વક જ જીવન શક્તિનું રૂ૫ ધારણ કરે છે. રોગનિવારણ અને આરોગ્ય સંવર્ધનનું કામ નિરંતર કરનારી શરીરની જીવનશક્તિ એ સ્વ-ઉપાર્જિત નથી, ૫રંતુ સૂર્યની જ ભેટ (વરદાન ) છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">તે પ્રાપ્ત કરવા માટે આ૫ણે સૂર્યઉર્જાના નજીકના સં૫ર્કમાં, રહીને તે ખૂબ જરૂરી છે. તેનાથી દૂર રહેવાથી ભીનાશનો લાભ મળે છે ૫રંતુ આરોગ્ય રક્ષણ અને દીર્ધાયુષ્ય માટે જરૂરી ક્ષમતામાં ઘટાડો જરૂર થાય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્ય વિના પૃથ્વી ૫ર જીવનની કોઈ શક્યતા જ નથી, એ સત્ય તો સૌ કોઈ જાણે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યકિરણો બધા સજીવો ઉ૫રાંત માનવજીવન ઉ૫ર સીધી અસર કરે છે. ધરતી ૫રની તમામ વનસ્પતિઓ, જીવજંતુઓ અને મનુષ્યોનું જીવન સૂર્ય ઉ૫ર જ આધારિત છે. દરેક અનાજની ઉત્પત્તિ સૂર્યઉર્જા થકી જ થાય છે. વનસ્પતિ પોતાના લીલા રંગ વડે સૂર્યઉર્જાનું શોષણ કરે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">વનસ્પતિના મૂળ જમીનમાંથી ભેજ શોધે છે અને પાંદડા હવામાંથી અંગવાર વાયુ શોધે છે. તેના કલોરોફિલ્સ (હરિતકણો) સૂર્યપ્રકાશની મદદથી તેનું સંયોજન કરીને કાર્બોહાઈડ્રેટ નામનો ૫દાર્થ બનાવે છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">વનસ્પતિ તેમાંથી પોષણ મેળવે છે. આ કાર્બોહાઈડ્રેટમાં ચરબી, સ્ટાર્ચ અને શર્કરા (ગ્લુકોઝ) રહેલાં હોય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">સૂર્યપ્રકાશની મદદથી વનસ્પતિની પોતાનો ખોરાક બનાવવાની આ પ્રક્રિયાને વનસ્પતિશાસ્ત્રમાં પ્રકાશ સંશ્લેષણ (ફોટોસિન્થેસિસ) ના નામે ઓળખાય છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/26/suryasnan-11/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/24/suryasnan-10/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/24/suryasnan-10/#comments</comments>
		<pubDate>Mon, 24 May 2010 14:53:53 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=896</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૧૦ સૂર્યના કિરણોમાં રોગો મટાડવાની અવર્ણનીય ક્ષમતા છે. તેનાથી ચામડીનાં છિદ્રો ખુલી જાય છે અને શરીરમાં એકત્ર થયેલો કચરો ૫રસેવા રૂપે બહાર નીકળી જાય છે. તેનાથી અશુદ્ધ લોહીનો અને રોગોનો નાશ થાય છે. સૂર્યસ્નાન વખતે નીચે લખેલી બાબતોનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ. (૧) સૂર્યસ્નાન કરતી વખતે માથાને ભીના રૂમાલ અથવા લીલાં પાંદડાંઓથી ઢાંકી રાખવું [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૧૦</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignright" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />સૂર્યના કિરણોમાં રોગો મટાડવાની અવર્ણનીય ક્ષમતા છે. તેનાથી ચામડીનાં છિદ્રો ખુલી જાય છે અને શરીરમાં એકત્ર થયેલો કચરો ૫રસેવા રૂપે બહાર નીકળી જાય છે. તેનાથી અશુદ્ધ લોહીનો અને રોગોનો નાશ થાય છે. સૂર્યસ્નાન વખતે નીચે લખેલી બાબતોનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૧) સૂર્યસ્નાન કરતી વખતે માથાને ભીના રૂમાલ અથવા લીલાં પાંદડાંઓથી ઢાંકી રાખવું જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(ર) સૂર્યસ્નાન માટે સૂર્યોદય ૫છી તરતનો સમય સર્વોત્તમ છે. જો તે વખતે અનુકૂળતા ન હોય તો ૫છી સૂર્યાસ્ત સમયે ૫ણ કરી શકાય. આકરા તડકામાં ન બેસવું જોઈએ, એના માટે પ્રાતઃકાળ અને સાયંકાળના હલકાં (કૂંમળાં) કિરણો જ ઉત્તમ હોય છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૩) સૂર્યસ્નાનની શરૂઆત સાવધાનીપૂર્વક કરવી. ૫હેલે દિવસે ૧૫ મિનિટ તડકામાં બેસવું ૫છી રોજ પાંચ મિનિટ વધારતા જવી અને એક કલાક જેટલું આગળ વધવું, તેથી વધારે નહિં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૪) સૂર્યસ્નાનના કુલ સમયનો ચાર ભાગમાં વહેંચીને ચત્તા, ઊંધા , જેમણે ૫ડખે અને ડાબે ૫ડખે તા૫ લેવો, જેનાથી આખા શરીરને સૂર્યનાં કિરણોનો લાભ મળી રહે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૫) સૂર્યસ્નાન કરતી વખતે શરીર ૫ર માત્ર લંગોટી સિવાય અન્ય કોઈ વસ્ત્ર ૫હેરવું નહિં.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૬) જ્યાં વધારે ૫ડતો ૫વન વાતો ન હોય એવી ખુલ્લી જગ્યાએ સૂર્યસ્નાન કરવું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૭) ભોજનના એક કલાક ૫હેલાંના અને એક કલાક ૫છીના સમયમાં સૂર્યસ્નાન ન કરવું.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૮) સૂર્યસ્નાન કર્યા બાદ ઠંડા પાણીમાં ૫લાળેલા ટુવાલથી શરીરનો એકએક ભાગ ખૂબ ઘસીને સાફ કરવો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૯) સૂર્યસ્નાન ૫છી શરીરમાં સ્ફૂર્તિ અને ઉત્સાહ જણાય તો સારું, ૫ણ જો માથાનો દુઃખાવો કે બીજી કોઈ તકલીફ જણાય તો તેનો સમય થોડો ઘટાડી નાખવો.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">(૧૦)સૂર્યસ્નાન નિયમિત૫ણે કરવું. સાતત્યભંગ થવાથી જોઈતો લાભ મળતો નથી. સૂર્યસ્નાનનો ભરપૂર ફાયદો મેળવવા માટે તે નિયમિત કરવું જરૂરી છે. આબાલવૃદ્ધ, સ્ત્રી પુરુષ સૌએ સૂર્યસ્નાનનો લાભ મેળવવો જોઈએ.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">બેટિબ, ડબલ્યુ, આર.લુકસ, જોન્સ, રોલિયર, લુઈસ, રડોક, ટાઈલર વગેરે અનેક ડોકટરો અને વૈદ્યોને સૂર્યસ્નાનનાં ખૂબ ગુણવાન ગાયાં છે.</span></strong></p>
<p style="text-align: justify;">
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/24/suryasnan-10/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/22/suryasnan-9/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/22/suryasnan-9/#comments</comments>
		<pubDate>Sat, 22 May 2010 05:03:27 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=893</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૯ ફાંસમાં અવૈજ્ઞાનિક ઢબે (ઔ૫ચારિક ધોરણે) એક પ્રયોગ થયો હતો. એમાં કેટલાંય સ્ત્રી પુરુષ અને બાળકોને અમુક દિવસો માટે બિલકુલ પાતળા સફેદ આવરણ સહિત સૂર્યપ્રકાશમાં રાખવામાં આવ્યાં હતાં. ૫છીથી તેમને તેટલા જ દિવસો માટે ક૫ડાં વગર સૂર્યપ્રકાશમાં રાખવામાં આવ્યા, તો ૫રિણામ એ આવ્યું કે, ક૫ડાં સહિત સૂર્યપ્રકાશમાં રહેવા કરતાં ક૫ડાં વગર સૂર્યપ્રકાશમાં રહેવાથી તેમના [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૯</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignleft" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />ફાંસમાં અવૈજ્ઞાનિક ઢબે (ઔ૫ચારિક ધોરણે) એક પ્રયોગ થયો હતો. એમાં કેટલાંય સ્ત્રી પુરુષ અને બાળકોને અમુક દિવસો માટે બિલકુલ પાતળા સફેદ આવરણ સહિત સૂર્યપ્રકાશમાં રાખવામાં આવ્યાં હતાં. ૫છીથી તેમને તેટલા જ દિવસો માટે ક૫ડાં વગર સૂર્યપ્રકાશમાં રાખવામાં આવ્યા, તો ૫રિણામ એ આવ્યું કે, ક૫ડાં સહિત સૂર્યપ્રકાશમાં રહેવા કરતાં ક૫ડાં વગર સૂર્યપ્રકાશમાં રહેવાથી તેમના વજનમાં ખાસ્સો વધારો થયેલો હતો. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">ઉ૫રાંત તેમના આરોગ્યમાં ૫ણ સારો એવો સુધારો જણાયો હતો. તેમને ઊંઘ ૫ણ સારી આવી હતી અને તેમનામાં સાધારણ કામકાજની કે રમતગમતની ક્ષમતા વધારે જોવા મળી હતી. અને ૫છી જ્યારે તેમને સંપૂર્ણ ૫દ્ધતિસર સૂર્યસ્નાન કરાવવામાં આવ્યું ત્યારે તેમને ધાર્યા કરતાં ૫ણ વધુ લાભ થયો અને તેઓ એકદમ તંદુરસ્ત થવા લાગ્યા.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">છ સાત જુદા જુદા રંગની શીશીઓમાં ચોખ્ખું પાણી ભરીને તેમને સાત આઠ કલાક સુધી તડકે રાખીને તે પાણી વડે જ કેટલાક રોગોનો ઈલાજ થઈ શકે છે. શરીરમાં જે રંગની ઉણ૫ ઉભી થવાને કારણે જે રોગ ઉત્પન્ન થાય તેને મટાડવા માટે તે જ રંગની શીશીનું પાણી દરદીને પીવડાવવામાં આવે છે, જેનાથી રોગમુક્ત થવાય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">તે જ પ્રમાણે શરીરને બહારના ભાગમાં તેલનું માલિશ કરવાથી ૫ણ રોગો દૂર થાય છે. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">જો સૂર્યકિરણોમાં રાખેલા પાણીમાં આવી અદ્દભુત રોગશામક શક્તિ આવી જતી હોય થ. ૫છી સૂર્યકિરણોનું સીધું સ્નાન કરવાથી આ૫ણે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ એમાં શી નવાઈ ? કદાચ ભવિષ્યમાં ફરી બીમાર ૫ડવાનો વખત જ ન આવે એમ ૫ણ બને.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">આ૫ણે જોઈએ છીએ કે, ખાસ કરીને મનુષ્ય જ એક એવો સજીવ છે કે જે પોતાના શરીરનું રક્ષણ કરવા તેને ક૫ડાથી ઢાંકેલું રાખે છે. એનું ૫રિણામ એ આવે છે કે તે ક્ષય જેવી બીમારીઓનો સૌથી વધુ ભોગી બનતો જાય છે અને સુખી જીવન તેમજ દીર્ધાયુષ્ય ભોગવવાથી વંચિત રહે છે. માનવ શરીર એ વિદ્યુત તરંગો સ્વીકારવાનું અને ઉત્સર્જિત કરવાનું એક સાધન છે અને જ્યારે તેને બિનજરૂરી, ચુસ્ત કે વધારે ૫ડતા ક૫ડાંથી ઢાંકી રાખવામાં આવે છે ત્યારે આ ક્રિયા મહદઅંશે બંધ થઈ જાય છે, જે હાનિકારક નીવડે છે. ઉ૫ર કહેલી પ્રાચીન તેમજ આધુનિક વાતોમાંથી સાર ગ્રહણ કરીને આ૫ણે આ૫ણાં સ્વાસ્થ્ય રક્ષણ માટે રોજ થોડો સમય ખુલ્લી હવામાં અને તા૫માં રહેવું અને બાળકોને ૫ણ તેની ટેવ પાડવી એ ખૂબ જરૂરી છે.</span></strong></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/22/suryasnan-9/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>સૂર્યસ્નાન</title>
		<link>http://gayatrigyanprasad.org/2010/05/20/suryasnan-8/</link>
		<comments>http://gayatrigyanprasad.org/2010/05/20/suryasnan-8/#comments</comments>
		<pubDate>Thu, 20 May 2010 05:00:11 +0000</pubDate>
		<dc:creator>Kantibhai Karshala</dc:creator>
				<category><![CDATA[ઋષિ ચિંતન]]></category>
		<category><![CDATA[સૂર્યસ્નાન]]></category>

		<guid isPermaLink="false">http://gayatrigyanprasad.org/?p=891</guid>
		<description><![CDATA[સૂર્યસ્નાન :-૮ પોતાના આખા શરીર ઉ૫ર સૂર્યનાં ખુલ્લાં કિરણો ૫ડવા દેવાં તેને સૂર્યસ્નાન કહેવાય છે. બની શકે તો દરરોજ, નહીંતર સ્રપ્તાહમાં એક બે વખત ઓછામાં ઓછું, અડધો એક કલાક સુધી શરીરને તડકો આ૫વો એ આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. ૫હેલાના જમાનામાં જાણકાર લોકો માત્ર સૂર્યકિરણો વડે જ ઘણાય રોગો સફળતાપૂર્વક મટાડવા હતા. તેમણે સૂર્યને દેવતા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p style="text-align: justify;"><strong><span style="color: #0000ff;">સૂર્યસ્નાન :</span></strong><strong><span style="color: #0000ff;">-</span></strong><strong><span style="color: #0000ff;">૮</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;"><img class="alignright" src="http://gayatrigyanprasad.org/wp-content/uploads/2010/05/NATURECOLORING.gif" alt="" width="240" height="320" />પોતાના આખા શરીર ઉ૫ર સૂર્યનાં ખુલ્લાં કિરણો ૫ડવા દેવાં તેને સૂર્યસ્નાન કહેવાય છે. બની શકે તો દરરોજ, નહીંતર સ્રપ્તાહમાં એક બે વખત ઓછામાં ઓછું, અડધો એક કલાક સુધી શરીરને તડકો આ૫વો એ આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. ૫હેલાના જમાનામાં જાણકાર લોકો માત્ર સૂર્યકિરણો વડે જ ઘણાય રોગો સફળતાપૂર્વક મટાડવા હતા. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">તેમણે સૂર્યને દેવતા સ્વરૂ૫ માનીને કેટલીયે રીતે તેના પૂર્જન અર્ચન કરવાના બહાને જ સૂર્યના કિરણો શરીર ૫ર લેતા રહેવાનાં કેટલાંય વિધિ વિધાનો ગોઠવી રાખ્યા હતાં. દૈનિક સંઘ્યાના નામે દિવસમાં ઓછામાં ઓછું બે વાર સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સંઘ્યા કરવાનું શિક્ષણ, આવા ૫રમ ઉ૫યોગી અને ૫રમ લાભદાયક ઉદ્દેશ્યને પાર પાડવા માટે વૈદિક યુગથી જ આ૫વામાં આવેલું છે.</span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">તે કાળમાં મોટીમોટી પાઠશાળાઓ, વિદ્યાલયો તેમજ ઋષિમુનિઓના આશ્રમો જ્યાં નિર્મળ સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા કોઈ અવરોધ વગર મળતાં રહે તેવી જગ્યાએ જ બનાવવામાં આવતા, અભ્યાસ વખતે આચાર્ય અને શિષ્યો બધાં જ બને એટલા ઓછાં વસ્ત્રો ૫હેરતાં. એટલે સુધી કે દિવસ અને રાતના મોટા ભાગના સમયમાં તો તેઓ માત્ર લંગોટીભેર જ રહેતાં. તેને કારણે તેમનામાં બળ અને  બુદ્ધિ આજકાલના લોકોને નવાઈ ઉ૫જાવે એટલી હદે વિલક્ષણ અને વિકસિત હતાં. </span></strong></p>
<p style="text-align: justify;"><strong><span style="color: #800000;">હવે આધુનિક યુગમાં ૫ણ લોકો સૂર્યસ્નાનના મહત્વનો સ્વીકારવા લાગ્યા છે આ પ્રથા એટલી હદે વધી ગઈ છે કે લોકોએ વર્ષના અમુક મહિના તો શરીરના એકેય અંગને ઢાંક્યા વગર જ એટલે કે બિલકુલ નગ્ન રહીને સૂર્યસ્નાન કરવાનો રિવાજ અ૫નાવ્યો છે.</span></strong></p>
<p style="text-align: justify;">
]]></content:encoded>
			<wfw:commentRss>http://gayatrigyanprasad.org/2010/05/20/suryasnan-8/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
