ચેતનાની ક્ષણે – 57
પોતાનો દ્રષ્ટિકોણ ઊંચો રાખો
જો આજે પણ તમે ખરાબ પરિસ્થિતિઓ તથા વાતાવરણથી જકડાયેલા હો તો પણ નિરાશ ના થશો, તમારા ભાગ્યને દોષ ના દેશો કે બીજા કોઈને દોષી ના માનશો. માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલો. બૂરાઈનું કારણ તો તમારામાં જ રહેલું છે. એને સમજીને કોઈપણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા દો. એ ઘટના તમે પોતે જ ઊભી કરેલી છે. એને તમે તરત જ દૂર કરી શકો છો. જો તમે તમારા દ્રષ્ટિકોણ બદલી નાખો, સદાય ઉત્તમ વિચારોમાં લીન રહો, તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો, તો બાહ્યજીવનમાં પણ તમે જેના માટે ચિંતિત હતા તે દશા સુધરી શકે છે.
જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અસંગત માનસિક દોષોનો શિકાર બનવા છતાંય ઉન્નત બનાવવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષા વગેરે કુવિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
મનના વિચારોને, ચિંતનને ઉચ્ચ બનાવતા રહો તથા સદાય સુખમય જીવનની આશા લઈને આગળ વધો. પછી તમે જોશો કે તમારી સ્થિતિમાં આશાજનક સુધાર થઈ રહ્યો છે. જે ખરાબ સ્થિતિના કારણે જીવન ભારરૂપ બની રહ્યું હતું તે સુધરી રહી છે.


Recent Comments