Home > પં.શ્રીરામ શર્મા આચાર્ય > ચેતનાની ક્ષણે – 49

ચેતનાની ક્ષણે – 49

September 12th, 2011 Leave a comment Go to comments

સંવેદનાનો વિકાસ કરો.

બીજાના દુઃખની અસર થવી એને દયા કહે છે અથવા દુઃખી જીવો પ્રત્યે જે પ્રેમભાવ રાખવામાં આવે છે તેને દયા કહેવાય છે. આ દયાની વૃત્તિથી સંવેદનાશક્તિ વધે છે. દયાવૃત્તિનો ભક્તિ અને પ્રેમ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે. જે મનુષ્ય પ્રાણીમાત્રના અંતઃકરણમાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને ભક્તિ કરે છે તે જ બધાંની સાથે પ્રેમભાવ રાખી શકે છે. એનાથી બીજાઓનું દુઃખ જોઈ શકાતું નથી. બીજાઓનું દુઃખ જોઈને તે પોતે દુઃખ અનુભવે છે. તેનું હૃદય તરત જ પીગળી જાય છે અને પોતાને થયેલા દુઃખને દૂર કરવા માટે તે દુઃખી પ્રાણીને મદદ કરવા તૈયાર થઈ જાય છે. તેથી ભક્તિથી પ્રેમ અને દયાવૃત્તિ પુષ્ટ થાય છે.

જયારે પ્રેમવૃત્તિ જાગે છે ત્યારે મનુષ્ય શક્તિ અને દયા કરે છે. જો દયાવૃત્તિ હશે તો જ પ્રીતિ અને ભક્તિ પુષ્ટ થશે. આમ આ ત્રણેય વૃત્તિઓનો ૫રસ્પર સંબંધ છે. આથી જ વિવેકી સજ્જનો બીજાઓ પ્રત્યે દયા રાખે છે.

જેવી રીતે આ૫ણને આ૫ણું જીવન વહાલું હોય છે તે જ રીતે બીજાં પ્રાણીઓને ૫ણ પોતાનું જીવન વહાલું હોય છે. તેથી બીજાઓને પોતાના આત્મા જેવા ગણીને સજ્જનો હંમેશાં દયા કરતા રહે છે.

૫રો૫કાર દ્વારા દયાવૃત્તિનો જેટલો વધારે વિકાસ થતો જશે એટલા જ પ્રમાણમાં સુખશાંતિમાં વધારો થતો જશે.

  1. No comments yet.
  1. No trackbacks yet.