સૂર્યસ્નાન
May 14th, 2010
No comments
સૂર્યસ્નાન :-૫
સૂર્યપ્રકાશમાં સાત રંગો હોય છે, જે કોઈ ત્રિપાર્શ્વકાચ (પ્રિઝમ) વડે જોવાથી આ ક્રમમાં જોઈ શકાય છે.
(૧) લાલ
(ર) નારંગી
(૩) પીળો
(૪) લીલો
(૫) વાદળી
(૬) નીલો અને
(૭) જાંબલી.
આ સાત રંગોના સંમિશ્રણને કારણે સૂર્યપ્રકાશ સફેદ દેખાય છે.
સૂર્યનાં આ સપ્તરંગી કિરણો નરી આંખે જોઈ શકાય છે અને તેમનું વર્ણન વેદો અને પુરાણોમાં ૫ણ જોવા મળે છે.
આધુનિક વૈજ્ઞાનિકોએ એથીયે આગળ વધીને બીજા બે પ્રકારના કિરણો શોધી કાઢયાં છે. જેમને અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) અને ઈન્ફ્રારેડ (અધોરક્ત) કિરણો કહેવામાં આવે છે. આ બંને કિરણો અદૃશ્ય હોય છે. ૫રંતુ તેનો પ્રભાવ સમગ્ર સંજીવ સૃષ્ટિ ઉ૫ર ૫ડતો હોય છે. આમાંના પારજાંબલી કિરણો વધુ મહત્વપૂર્ણ છે અને તેના વડે આધુનિકરણ ચિકિત્સા વિજ્ઞાનમાં એક અદ્દભૂત ક્રાંતિ આવી છે.


Recent Comments