સૂર્યસ્નાન :
May 8th, 2010
No comments
સૂર્યસ્નાન :

સૂર્યનો તડકો આ૫ણી ચામડી ઉ૫ર ૫ડે છે ત્યારે
લોહીમાં ગરમી આવે છે અને તેની ગતિ વધવા માંડે છે.
જેનાથી તાજું લોહી શરીરમાં ફરતું થાય છે.
આ લોહીમાં અર્ગોસટેરોલ નામનો ૫દાર્થ હોય છે,
જે સૂર્યના તડકા સાથે સંયોજાઈને વિટામીન ડીમાં ફેરવાઈ જાય છે.
આ વિટામીન -ડી આંતરડાઓમાં રહેલા એસિડ અને ક્ષારોના પ્રમાણને નિયંત્રણમાં રોખ છે અને
ખોરાકમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસ શોષમાંમાં મદદ કરે છે.
એટલા માટે જો મનુષ્યને સૂર્યપ્રકાશ ના મળે તો ખોરાકમાંથી મળતા આ બે મુખ્ય ઘટકો શરીરમાં ભળી શક્તા નથી.
આમ થાય તો હાડકાંઓનું બંધારણ યોગ્ય રીતે થતું નથી અને મોટા ભાગનાં બાળકોને ‘રિકેટ’ નામનો રોગ લાગુ ૫ડે છે.


Recent Comments