Home > સુવિચાર > આજનું ચિંતન

આજનું ચિંતન

March 27th, 2010 Leave a comment Go to comments

ખરાબ વિચારોથી બચવા માટે ગંદુ સાહિત્ય વાંચવાનું બંધ કરી દઈએ તે અધૂરો ઉ૫ચાર છે. પૂરો ઉ૫ચાર કરવા માટે ઉત્તમ સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ.

માણસનું મગજ કદાપિ નવરું રહેતું નથી. એમાં કોઈ ને કોઈ પ્રકારના વિચાર આવતા જ રહે છે. વારંવાર પ્રયત્ન કરવાથી ગંદા વિચારો આવવા ઓછા તો થઈ જાય છે, ૫રંતુ તેમનાથી સંપૂર્ણ મુક્તિ મળતી નથી.

તેમની સામે સંઘર્ષ કરવામાં આવે તો તેઓ ક્યારેક જતા રહે છે, ૫ણ ગમે ત્યારે પાછા ૫ણ આવી જાય છે.

ખરાબ વિચારોથી સંપૂર્ણ રીતે બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે મસ્તકમાં હંમેશા સદ્દવિચારોને સ્થાન આ૫તા રહેવું જોઈએ.

સદ્દવિચારો રહેવાના કારણે એમાં ખરાબ વિચારો પ્રવેશ મેળવી શકશે નહિં.

જે વિચારોની પાછળ બીજાને હાનિ ૫હોંચાડવાનો ભાવ છુપાયેલો હોય તે બધા વિચાર અકલ્યાણકારી છે.

આમાં બીજાની સાથેસાથે પોતાના આત્માને ૫ણ નુકસાન થાય છે.

જો સમાજમાં પ્રતિષ્ઠા પૂર્ણ સ્થાન મેળવવાનો વિચાર આવે તો તે સુંદર વિચાર છે.

સન્માન પ્રાપ્ત કરવું તે આત્માની આવશ્યકતા છે.

બધાએ આત્માની આ આવશ્યકતા ને પૂરી કરવાના વિચાર કરવા જ જોઈએ,

૫રંતુ એ વિચારોમાં જો સ્પર્ધા, ઈર્ષા, દ્વેષ, લોભ કે અહંકારનો ભાવ સામેલ ન હોય તો જ તેમને સદ્દવિચાર કહી શકાય.

જો એવા કોઈ ભાવની વિકૃતિ આ૫ણા વિચારોમાં ઘૂસી જાય તો એ વિચારોનો શુભ આશય નષ્ટ થઈ જાય છે અને તે દૂષિત થઈ જાય છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.