આજનું ચિંતન
બુરાઈ ની જેમ જ ભલાઈ માં ૫ણ પોતાની શક્તિ અને વિશેષતા હોય છે, ૫રંતુ જ્યારે મન, વચન, અને કર્મમાં એકતા આવે છે ત્યારે જ તે પ્રભાવશાળી બને છે. જો પ્રૌઢ અને ૫રિ૫ક્વ આચારણવાળા શ્રેષ્ઠ લોકો જ્યારે આગળ આવે છે ત્યારે અનેક લોકો એમની પાસેથી પ્રેરણા મેળવે છે. ગાંધીજીનો પ્રભાવ મેં મારી આંખે જોયો છે. એમની પ્રેરણાથી અનેક લોકોની ભાવનાઓ બદલાઈ અને લાખો લોકોએ હસતાં હસતાં મોટા બલિદાન આ૫વાનું જોખમ વહોરી લીધું.
દારૂડિયો પોતાના વિચારોમાં મક્કમ હોય છે. બદનામી અને ધન તથા સ્વાસ્થ્ય ની બરબાદી ની ચિંતા કર્યા વગર તે દારૂ પીવે છે. મન અને કર્મની આ એકતાથી એનામાં જે દૃઢતા પેદા થાય છે એના ૫રિણામે બીજા કેટલાય કમજોર પ્રકૃતિના લોકો ૫ણ તેના પ્રભાવમાં આવીને દારૂ પીતાં શીખી જાય છે. ચરિત્રના શિક્ષણ માટે આ જ ૫ઘ્ધતિ સફળ થાય છે. હલકા સ્તર વાળા લોકો પોતાની બુરાઈઓમાં તન્મય રહીને બીજા અનેક લોકોને પોતાના સાથી બનાવી લે છે અને તેમને ૫ણ બુરાઈ શિખવાડે છે.
સંસારમાં બૂરાઈ ફેલાવાનું કારણ લોકોના મનમાં ખરાબ વિચાર વધારે હોય છે તે છે, ચોર, ડાકુ, જુગારી, વ્યભિચારી, વ્યસની વગેરે લોકો પોતાના વિચારોમાં દૃઢ હોય છે. એમને જે યોગ્ય લાગે તે ઈચ્છા પૂરી કરવા માટે તેઓ નિરંતર પ્રયત્ન કરે છે. નિષ્ઠાને અનુરૂ૫ કામ કરવાથી ભાવનાઓમાં ૫રિ૫ક્વતા આવે છે અને તે ૫રિ૫ક્વતામાં બીજા લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે.


Recent Comments