આજનું ચિંતન :
તમારી શક્તિ મુજબનું જ કામ કરો અને તેમાં તમારો પ્રાણ રેડી દો. કોઈ પણ ઘટનાથી હતોત્સાહ ન બનો.
તમારો અધિકાર તમારા પોતાનાં કર્મો પર જ છે, બીજાનાં કર્મો પર નહીં.
ટીકા ન કરો, આશા ન રાખો, ભય ન રાખો, બધું સારું જ થશે. અનુભવો તો થતા જ રહેશે.
ગમગીન ન થાવ. તમે દ્રઢતાની અડીખમ દીવાલને અઢેલીને ઊભેલો છો.
હડકાયા કૂતરાથી જેટલા સાવધ રહેવું જોઈએ તેટલા જ, અહંકારથી સાવધ રહો.
જેમ તમે ઝેર કે ઝેરી સાપને અડકતા નથી, તેવી જ રીતે સિદ્ધિઓથી પણ અળગા રહો અને એવા લોકોથી પણ અળગા રહો જેઓ તેનો વિરોધ કરતા હોય છે.
તમારા મન અને હ્રદયની દરેક ક્રિયાઓને ઈશ્વર ભણી વાળી દો.
બીજાઓનો ભરોસો તમને અત્યંત અસહાય અને દુ:ખી બનાવી દેશે.
માર્ગદર્શન માટે તમારા તરફ જ જુઓ, બીજા તરફ નહીં.
તમારી સચ્ચાઈ તમને મક્ક્મ બનાવશે અને એ મક્કમતા તમને લક્ષ સુધી પહોંચાડશે.
Categories: સુવિચાર
Recent Comments