આજનું ચિંતન :
જો તમે શાંતિ, સામર્થ્ય અને શક્તિ મેળવવા ઈચ્છતા હો તો તમારા અંતરાત્માનો સહારો લો. તમે સમસ્ત સંસારને છેતરી શકો છો પંરતુ પોતાના આત્માને કોણ છેતરી શક્યું છે? જો દરેક કાર્યમાં તમે તમારા અંતરાત્માને પૂછતા રહેશો તો તમારી વિવેકદ્રષ્ટિ જળવાઈ રહેશે. દુનિયાભરનો વિરોધ હોવા છતાં જો તમે તમારા અંતરાત્માને અનુસરી શકયા તો તમારી સફળતાને કોઈ રોકી શકશે નહીં.
જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને અદ્રિતીય વ્યક્તિ સમજવા લાગે છે અને પોતાને જ શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમજવા લાગે છે ત્યારે તેનું આધ્યાત્મિક પતન થાય છે. જ્યાં સુધી આપણામાં અહંકારનો ભાવ રહેશે ત્યાં લગી ત્યાગની ભાવના જાગવી મુશ્કેલ છે.
મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો, બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું, વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો, હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું, અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું – આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે. મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.


Recent Comments