Archive

Archive for February 23rd, 2010

આજનું ચિંતન :

February 23rd, 2010 No comments

કોઈપણ લોભલાલચ માટે આપ પોતાની સ્વતંત્રતા ના વેચશો. કોઈપણ ફાયદાના બદલામાં આત્મગૌરવની હત્યા ના કરશો. એમ કરવાથી આપની પ્રતિષ્ઠા વધશે અને આત્મગૌરવને પ્રોત્સાહન મળશે. આત્મગૌરવથી જીવવામાં જ જિંદગીનો સાચો આનંદ છે. ત્યાગ કરીને પણ કષ્ટમાં જીવવાનું સ્વીકારી લો.

કુપાત્રને નહિ આપું એમ કહેશો નહિ. તમારા બગીચાનાં ફૂલ આવો ભેદભાવ કરતાં નથી અને ઘાસના મેદાનો પણ ગાયોને આવી મનાઈ કરતાં નથી. હવા અને સૂર્ય તમને અનુદાન આપતી વખતે ક્યાં પરીક્ષા લે છે ? પછી તમે આટલી ઊંડી તપાસ શા માટે કરવા લાગ્યા ?

મેઘગર્જનાને બધા જુએ છે અને ગડગડાટ સાંભળે છે, પરંતુ વિરલા જ એ જાણે છે કે એની પાછળ વિજળીની શક્તિ કામ કરે છે. નજરે દેખાતાં કાર્યોની પાછળ અદ્રશ્ય ઉમંગની ભૂમિકા રહે છે.

પરિસ્થિતિઓ કોઈને મજબૂત કે કમજોર બનાવતી નથી, પરંતુ એ તો માત્ર એ સિદ્ધ કરે છે કે વાસ્તવમાં તે કેવો હતો? સન્માનની મૂડી આપવાથી પછી મળે છે, વહેંચવાથી વધે છે અને ભેગી કરવાથી ખતમ થઈ જાય છે.

જે અજ્ઞાનરૂપી વૃત્રાસુરથી આખો સમાજ છવાઈ ગયો છે.  જેમને કાન છે તેઓ સમાજની પીડા અને પતનની મર્મભેદી ચીસ સાંભળી શકે છે તથા આંખો વડે જોઈ શકે છે.  આ સમય મોજમજા કરવા માટે નથી.  આપણે યુગસંધીના સમયમાં જીવીએ છીએ.  અતિ નિકટના ભવિષ્યમાં સર્વનાશની ઉંડી ખીણમાં પડી જઈશું અથવા ઉન્નતિના ઉચ્ચશિખરએ પહોંચી જઈશું. આજે દધીચિ જેવા આત્મદાનીઓની આવશ્યકતા છે.  શરીરનો નાશ તો થવાનો છે, પરંતુ આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં તે ઉપ્યોગી થાય તો જ એની સાર્થકતા છે.

Categories: સુવિચાર Tags: