આજનું ચિંતન :
નિત્ય હસતા રહો, મુખને ક્યારેય ખિન્ન ના રાખો. આ જગતમાં ચિંતાએ તમારા માટે જન્મ જ લીધો નથી એવો નિશ્ચય કરી લો. આનંદનાં સ્ત્રોત સ્વરૂપ આ જીવનમાં હાસ્ય સિવાય ચિંતાને માટે જરાપણ સ્થાન ક્યાં છે?
આનંદ વહેંચી શકાય છે, કેમ કે તેને લેવા માટે ઘણા તૈયાર છે. દુ:ખની વહેંચણી કરીને પોતાનો ભાર હળવો કરવાનું મુશ્કેલ છે, કેમ કે તેને લેવા માટે કોઈ તૈયાર હોતું નથી.
અણઘડ લોકો પ્રત્યેક સંકટ માટે બીજાને દોષ દે છે. વિવેકવાન મનુષ્ય પોતાના દોષ શોધે છે અને તત્વજ્ઞાની પ્રકૃતિમાંથી પેદા થતી ભરતીઓટની માત્ર વિલક્ષણતા જોએ છે.
પરમેશ્વરને જોવા માટે તમારે એવાં ચશ્માં પહેરવાં પડશે, જે તેણે તમારી પરખ કરવા માટે તેની આંખો પર પહેરી રાખ્યાં છે.
નીચે પડી ગયેલા ને ઊભા કરો, પડતા હોય તેને ટેકો આપો, પરંતુ કોઈને ધક્કો ના મારો. વિચારો કે જો કોઈ તમને ધક્કો મારે તો તમારું હ્રદય તેને કેવો અભિશાપ આપે છે, એવી જ રીતે એનું હ્રદય પણ તમને અભિશાપ આપશે.
Recent Comments