આજનું ચિંતન :
ઉપાસનાનો અર્થ છે દેવત્વની સમીપ બેસવું અથવા પોતાના સ્થાને દેવતાને ખેંચી લાવવા. સદ્દગુણોથી પોતાને ઓતપ્રોત કરવા એ જ બંનેનો સારાંશ છે.
જે મનુષ્યનો ત્યાગ તેની જાતિ સુધી સીમિત છે તે એક ખાસ પ્રકારનો સ્વાર્થી છે. તેનું સ્વાર્થીપણું સમગ્ર જાતિને સ્વાર્થી બનાવી દે છે.
સ્મશાન જોઈને ગભરાવાની જરૂર નથી, એ નવજીવનનું ઉધાન છે. એમાં સૂતેલા આત્માઓ મધુર સપનાં સજાવી રહ્યા છે, જેથી વિગતની અપેક્ષાએ આગતને વધારે સુંદર બનાવી શકે. ડરશો નહિ. મરણ એ અસ્તિત્વની સ્માપ્તિ નથી, માત્ર ખોળિયું બદલાઈ જાય છે એટલું જ. જયારે આપણને હંમશા પરિવર્તન ગમે છે ત્યારે મનગમતાના આગમન પર રુદન શા માટે?
ઘણી વખત જૂનાં ખંડેરો તોડવાં પડે છે અને જૂનાં કપડાં બદલવાં પડે છે. આ જ બાબત પ્રથાઓને પણ લાગુ પડે છે. ઘણીવાર નવાં વિવેકપૂર્ણ પ્રતિપાદનો પણ એવાં સુંદર હોય છે, જાણે કે ઝાકળનાં બિંદુઓંથી શોભતું કમળનું પુષ્પ હોય !
પ્રસન્નતા અંત:કરણની પરિપક્વતાની નિશાની છે, જ્યારે ખિન્નતા બગડેલાં બાળકોની મસ્તી જેવી ખરાબ ટેવ છે.
Recent Comments