આજનું ચિંતન :
મારા બલિદાનને મારા જીવન સાથે સરખાવશો નહિ, મારા દેશની પરંપરાઓ સાથે સરખાવજો, મારા પૂર્વજોનાં શૌર્ય, પ્રરાક્રમ અને કીર્તિ સાથે સરખાવજો. જો હું મારાં બલિદાનોને માટે આ બધા કરતાં ઓછો પડું તો મારા માટે પ્રાર્થના કરો કે હું વારંવાર જન્મ લઉં અને મારાં બલિદાનોને મારા રાષ્ટ્રની કીર્તિની કસોટીમાં પાર ઊતરવા માટે સક્ષમ બનાવું.
મહાપુરુષોમાં જ મહાપુરુષ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. હાથીઓના ટોળામાં જ હાથી મોટા થાય છે. ઉંદર તો કરડી ખાનારાઓની જમાતમાં જ વધે છે.
પોતાના દોષોનો આરોપ ઈશ્વર પર મૂકશો નહિ અને પાપ કરતી વખતે એમ કહેશો નહિ કે એણે કરાવ્યું માટે કર્યું.
આંધળા થઈને અમુક વિચારને વળગી રહેવાના બદલે શંકાશીલ બની ધાર્મિક સત્યોની શોધ કરવી ઉત્તમ છે.
બેશક, શરીરની ઉપયોગિતા વધારે છે, પરંતુ તેને એટલું સજાવશો નહિ કે આત્માનો મહિમા ફીકો થઈ જાય.
જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ તેમ તેમ ઉદારતા વધતી જાય છે.
પ્રત્યેક દુર્લભ વસ્તુ મોંઘા ભાવે ખરીદવામાં આવે છે, જેમ કે શ્રદ્વા અને સદ્દભાવ.
ઈશ્વર અને પાપ સિવાય બીજા કોઈથી પણ ડરશો નહિ. મૃત્યુંથી પણ નહિ.
Recent Comments