Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

February 13th, 2010 Leave a comment Go to comments

વિધાતાએ ચંદનનું વૃક્ષ ફૂલ અને ફળરહિત બનાવ્યું તેમ છતાં તે બીજાનો સંતાપ દૂર કરતું રહે છે.

જેની પ્રેરણા શુદ્ધ અંત:કરણમાં જાગે છે તે પૂર્ણ થઈને રહે છે.

ભગવાનની જેમ ઋષિ પણ યુગની આવશ્યકતાને અનુરૂપ અવતાર લે છે. નવીન સમસ્યાઓનાં સમાધાન નવા રૂપમાં જ થાય છે. જૂનાં સમાધાન નવી સમસ્યાઓને ઉકેલી શકતાં નથી.

વિચારમંથનથી વિવેક મળે છે અને સત્કર્મો દ્વારા આત્મબળ મળે છે. જેઓ ભગવાને બનાવેલી સૃષ્ટિને સુંદર બનાવવામાં વ્યસ્ત રહે છે તેમના પર તે પ્રસન્ન થાય છે.

જયારે મનુષ્યની અંદર યોગ્ય અને અયોગ્યની આંતરિક દ્રિધા ઊભી થઈ જાય ત્યારે સમજવું જોઈએ કે સુખશાંતિના દિવસો નજીક આવી ગયા.

પડોશી એ નથી, જેની દીવાલ તમારા ઘર સાથે જોડાયેલી છે, પરંતુ તે છે, જેની સાથે તમારા વિચાર મળે છે અને કદમ ઊઠે છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.