Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

February 9th, 2010 Leave a comment Go to comments

સફળતા અને કાર્યક્ષમતાનો આયુષ્ય સાથે કોઈ સંબંધ નથી, ઉત્સાહ, લગન અને સંકલ્પ મજબૂત બની જાય તો કોઈ પણ ઉંમર કે સ્થિતિમાં યુવાન રહી શકાય છે.

જેને નૈતિકતા પ્રત્યે આસ્થા તો હોય, પરંતુ તે માટે લડવાની હિંમત ન હોય તે ભલે ગમે તેટલી ડીગ્રીઓ લઈ ચૂકયો હોય, છતાં તેને સુશિક્ષિત કહી શકાય નહિ.

દુનિયાને ચલાવવાની અને સુધારવાની જવાબદારી આપણી નથી, પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં તે ચોક્કસ આપણી જવાબદારી છે.

પરિશ્રમ અને આત્મવિશ્વાસ એકબીજા વિના અધૂરા છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે બંને ભેગા મળી જાય તો જ સમર્થ બની શકે છે.

પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને તેમના પ્રત્યે ઈર્ષા ન કરો, પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની વ્યક્તિનાં ઉદાહરણો જોઈને તેમની સાથે પોતાની સરખામણી કરશો તો તમને પ્રસન્નતા થશે કે ઈશ્વરે તમને એ લોકો કરતાં કેટલી વધારે સુવિધાઓ આપી છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.