Home > સુવિચાર > વેદોની સોનેરી સૂક્તિઓ..

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 9th, 2010 Leave a comment Go to comments

સત્ય અને સદ્દવિચાર

યે શ્રદ્ધા ધનકામ્યા ક્રવ્યાદા સમાસતે |  (અથર્વ ૧૨/૨/૫૧)

જે શ્રદ્ધાને છોડીને તૃષ્ણામાં ફસાયા છે

તેઓ નાશની તૈયારી કરી રહ્યા છે.

આત્મોન્નતિથી વિમુખ થઈ મૃગતૃષ્ણા

પાછળ ભટકવાની મૂર્ખતા કરો નહીં.

અચેતનસ્ય પથ: મા વિદુક્ષ: |

( ઋગ્  ૭/૪/૭)

અજ્ઞાનીઓ જે માર્ગે જાય છે

તે માર્ગ પર ન જાઓ.

અજ્ઞાનીઓ એ છે જે કુમાર્ગે ચાલીને

સુખની આશા રાખે છે.

મા ગતાનામાદીધીથા |

( અથર્વ ૮/૧/૮)

ગુજરી ગયેલાં માટે શોક ન કરો.

સંસારની દરેક વસ્તુ નાશવંત છે,

નિશ્ચિત છે તે માટે રોવું શા કામનું ?

મા ક્રુધ : |

( અથર્વ ૧૧/૨/૨૦)

ક્રોધ ન કરો.

ક્રોધ એક પ્રકારનું ગાંડપણ છે,

એનાથી સમસ્યાઓ ઘટતી નથી, વધે છે.

મા વિદિધ્ય : |

( અથર્વ ૯/૧૮)

ચિંતા કરવી નકામી છે.

ચિંતામાં લોહી બાળવા અને

સમય નષ્ટ કર્યા વગર મુશ્કેલીનો ઉપાય વિચારો.


Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.