વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
ભદ્રં કર્ણેભિ: શૃનુયામ | ( યજુ ૩૦)
કાનો વડે સારા વિચાર જ સાંભળો.
બીજાંઓની નિન્દા અને ત્રૂટિઓને સાંભળવામાં પોતાનો સમય ન બગાડો.
સત્ય અને સદ્દવિચાર
ભદ્રં કર્ણેભિ: શૃનુયામ | ( યજુ ૩૦)
કાનો વડે સારા વિચાર જ સાંભળો.
બીજાંઓની નિન્દા અને ત્રૂટિઓને સાંભળવામાં પોતાનો સમય ન બગાડો.
આદતો આપણે પાડતા હોઈએ છીએ, ભલે તેનો અભ્યાસ યોજના બનાવીને કરવામાં આવ્યો હોય અથવા વલણ, સંપર્ક, વાતાવરણ, પરિસ્થિતિ વગેરે કારણોથી અનાયાસ જ થતો ગયો હોય. આ આદતો જ મનુષ્યનું વાસ્તવિક વ્યક્તિત્વ કે ચરિત્ર હોય છે. મનુષ્ય શું વિચારે છે તથા શું ઈચ્છે છે તેનું વધારે મહત્વ નથી. પરિણામ તો એ બધી પ્રવૃત્તિઓનું જ આવે છે, જે આદતોને અનુરૂપ કામ કરે છે. ફળ તો કર્મ જ ઉત્પન્ન કરે છે. તે કર્મો અન્ય કારણો ઉપરાંત મુખ્યત્વે આદતોથી પ્રેરિત હોય છે.
બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવનો રુઆબ અને માનપાન રેતીની દીવાલ જેવાં હોય છે. જે થોડીક જ હવા ફુંકાય તો જમીનદોસ્ત થઈ જાય છે.
તુચ્છ સ્થિતિમાં રહેતા લોકો જયારે ઊંચી સફળતાઓનાં સ્વપ્ન જુએ છે ત્યારે સ્થિતિ અને લક્ષ્ય વચ્ચે ખૂબ અંતર દેખાય છે અને લાગે છે કે આટલી પહોળી ખાઈ કૂદી શકાશે નહિ, પરંતુ અનુભવથી એવું જોવા મળ્યું છે કે તકલીફ માનતા હતા એટલી મોટી નહોતી. ધીમે પરંતુ સતત ચાલતી રહેનારી કીડી પહાડોને પાર કરી શકે છે, તો પછી ધીરજ, સાહસ, મનોયોગ કરનારી વ્યક્તિને પ્રગતિની મંજીલ પાર કરતાં કોણ રોકી શકે?
બેજવાબદારી અને લાપરવાહીની જેટલી નિંદા થાય છે તેટલી અસફળતાની થતી નથી.
સદ્દગુણી દેખાતી વ્યક્તિઓના દુર્ગુણયુકત વ્યવહારને જોઈને સમાજ તેમને દુર્ગુની તથા વ્યસની લોકોના દુર્ગુણો અને વ્યસનો કરતાં વધારે ઉપહાસપાત્ર માને છે.
મહામાનવોનો આધાર લેવો તે જહાજનો આધાર લઈ સામે પાર પહોંચવા જેવું છે. બુદ્ધિમાન લોકો આ પ્રકારના અવસરનું ધ્યાન રાખે છે અને જો મળી જાય તો તેનો લાભ લેવાનું ચૂકતા નથી.
Recent Comments