Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

January 28th, 2010 Leave a comment Go to comments

અનિચ્છનીય વિચારોને મસ્તિષ્કમાં સ્થાન આપવાનો અને તેમને ત્યાં મૂળિયા નાખવાની તક આપવાનો અર્થ એ છે કે ભવિષ્યમાં આપણે એવા સ્તરનું જીવન જીવવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. ભલે આવું નિર્માણ અનાયાસે કે અનિચ્છાએ થઈ રહ્યું હોય. પરંતુ તેનું પરિણામ તો મળશે જ. યોગ્ય એ છે કે આપણે યોગ્ય અને રચનાત્મક વિચારોને જ મસ્તિષ્કમાં પ્રવેશવા દઈએ. જો ઉપયોગી અને હકારાત્મક વિચારોનું આવાહન કરવાનો અને તેમને આચરણમાં ઉતારવાનો સ્વભાવ બનાવી દેવામાં આવે તો નિશ્રિતરૂપે પ્રગતિના માર્ગે આગળ વધવાની શક્યતાઓ આશ્ચયજનક ગતિએ વિકસિત થઈ શકે છે.

વિચારોની શક્તિ આગ કે વીજળી જેવી છે. તેની સાથે મજાકમસ્તી કરવી ખતરનાક છે.

જેનું મન હારી જાય છે તે ઘણું બધું હોવા છતાં પણ અંતે પરાજિત થઈ જાય છે. જેની પાસે શક્તિ ન હોય તે પણ જો મનથી હાર ન માને, તો દુનિયાની કોઈ તાકાત તેને પરાસ્ત કરી શકતી નથી.

આત્માનિરીક્ષણ અને આત્મશુદ્ધિની વૃત્તિને સ્વભાવમાં ઉતાર્યા વગર ક્યારેય પણ કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય મહાન બન્યું નથી. વાસ્તવમાં આ બંને ચારિત્ર્યનિર્માણ માટેનાં મહાન સાધનો છે.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.