Archive

Archive for January 26th, 2010

વેદોની સોનેરી સૂક્તિઓ..

January 26th, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

ઋતસ્ય શ્લોકો બધિરાતતર્દ કર્ણા |    ( ઋગ્ .)

સત્યનો પોકાર બહેરા કાનોને પણ પહોંચે છે.

જે સચ્ચાઈ છે તેને આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે જ.

આજનું ચિંતન :

January 26th, 2010 No comments

ઈશ્વર કેવો છે અને કયાં છે ? એ ઝંઝટમાં ભલે ન ૫ડો, ૫રંતુ એ જુઓ કે તમને શા માટે બનાવવામાં આવ્યા અને કેવી રીતે જીવવાનું કહેવામાં આવ્યું છે.

પાછળનો ૫ગ ઉપાડીને જ આગળ ડગલું ભરી શકાય છે. તેચ્છનો ત્યાગ કરવાથી જ ગૌરવ મેળવી શકાય છે.

માનવજીવન આપીને ઈશ્વરે પોતાનું ચરિત્ર આપી દીધું. હવે તમારો વારો છે કે તેની દુનિયામાં તમે શાંતિનાં બીજ વાવો અને તેના ૫ર બદલામાં ઉ૫કાર કરો.

ધન જયાં સુધી ધાતુ અને કાગળના રૂ૫માં છે ત્યાં સુધી તે કચરા સિવાય બીજું કશું જ નથી, ૫રંતુ જયારે તે યોજનાઓ અને ભાવનાઓ સાથે જોડાય છે ત્યારે તે બધાની શક્તિ બને છે.

જે હસી નથી શકતો તેને જીવતાં જ નથી આવડતું.

એટલા કઠોર બનશો નહિ કે કરુણા જ ગુમાવી બેસો અને એટલા સરળ ૫ણ ન બનો કે ધુતારાઓનો ભોગ બનવું ૫ડે.

Categories: સુવિચાર Tags: