વેદોની સોનેરી સૂક્તિઓ..
સત્ય અને સદ્દવિચાર
ઋતં વદન્તો અનૃતં રયેમ | ( અથર્વ. ૧૮/૧/૪)
સત્યવાદીઓ, અસત્યને અપનાવો નહીં.
જે અસત્યને અપનાવે છે તે સર્વસ્વ ખોઈ બેસે છે.
સત્ય અને સદ્દવિચાર
ઋતં વદન્તો અનૃતં રયેમ | ( અથર્વ. ૧૮/૧/૪)
સત્યવાદીઓ, અસત્યને અપનાવો નહીં.
જે અસત્યને અપનાવે છે તે સર્વસ્વ ખોઈ બેસે છે.
આદર્શોને પ્રેમ કરો, જેથી તે સીમિત ન રહે અને તેમના પ્રકાશમાં દરેક સજ્જન પ્રિયપાત્ર બની જાય.
ભૂતકાળ હવે પાછો આવવાનો નથી અને ભવિષ્ય નકકી નથી. સંભાળવા અને બનાવવા યોગ્ય તો વર્તમાન જ છે.
કોને પ્રિય લાગ્યું અને કોને અપ્રિય લાગ્યું ? કોને નુકશાન થયું અને કોને ફાયદો થયો તે જોશો નહિ માત્ર આદર્શને અ૫નાવનાર જ પોતાનું વાસ્તવિક હિત સાધી શકે છે.
પાછલા જન્મોમાં કોણ જાણે કેટલાંય સ્વજનોને પોતાનાં કહેતો રહ્યો અને ભવિષ્યમાં કોણ જાણે કેટલાંયને કહેશે. બિનજરૂરી મોહમાં ફસાશો નહિ, માત્ર કર્તવ્યપાલનમાં જ સંતોષ માનો.
સંગ્રહ માટે લલચાશો નહિ, વિભૂતિઓને એક હાથમાંથી બીજા હાથમાં જવા દો. ૫રિગ્રહનો ભાર જેટલો વધતો જાય છે, તેટલો જ મનુષ્ય વિચારવા અને કરવામાં અસમર્થ થતો જાય છે.
Recent Comments