આજનું ચિંતન :
માણસ જયારે પોતાને જ સર્વસ્વ માની બેસે છે, પોતાને માટે જ વિચારે છે તથા કરે છે ત્યારે તે કુકર્મો કરે છે અને આફતોની કાંટાળી વાડમાં કેદ થાય છે.
પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે.. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે…. અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે. !!
ધુળ જેવી છે જીંદગી આપણી…… આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર. !!!
બે વાતો ભૂલી જવા જેવી છે – એક તે ઉ૫કારને, જે આપણા દ્વારા કોઈના માટે થઈ શકયો તથા બીજી તે બદી, જે બીજાએ આ૫તણી સાથે કરી. બે વાતો યાદ રાખવા યોગ્ય છે. – એક કર્તવ્ય અને બીજી મરણ.
લોભી તેની યોગ્યતા અને મહેનત કરતાં વધારે ઈચ્છે છે. આથી તેને અનીતિ અ૫નાવવી ૫ડે છે અને કંજૂસાઈ કરવી ૫ડે છે. આ બંને આધાર એવા છે, જે કોઈને ૫ણ ડુબાડે છે. આ કારણથી જ લોભી કમાય છે ઓછુ અને ગુમાવે છે વધુ.


Greatings, Thanks for article. Everytime like to read you.
BernieR