Archive

Archive for January 15th, 2010

આજનું ચિંતન :

January 15th, 2010 No comments

જો તમે મહેનતની સાથે ભલાઈનું અનુસરણ કરશો તો મહેનત જતી રહેશે અને ભલાઈ રહી જશે. જો તમે બૂરાઈનું અનુસરણ સુખથી સાથે કરશો તો સુખ જતું રહેશે અને બૂરાઈ રહી જશે.

કોઈ શાસ્ત્રો એ દ્રષ્ટિએ ન વાંચો કે એમાં જે લખ્યું છે તે તમારા માટે જ છે. તે અનેક લોકો માટે અનેક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યાં છે. એમાં તમારા માટે જે યોગ્ય હોય તેની જ પસંદગી કરો.

દિવસે એવાં કામ કરો કે રાત્રે ચેનથી સૂઈ શકો અને રાત એ રીતે વિતાવો કે દિવસે મોઢું બતાવવા લાયક રહો.

ધીરજ જેમના પિતા છે અને ક્ષમા જેમની જનની છે, ચિરશાંતિ જેમની પત્ની છે, સત્ય પુત્ર છે, દયા બહેન છે, મનને સંયમ ભાઈ છે, પૃથ્વી જ જેમની શય્યા છે, દિશાઓ વસ્ત્ર છે, જ્ઞાનામૃત ભોજન છે – આ બધાં જેમનાં કુટુંબીજનો છે એવા યોગીજનોને કોનો ભય હોઈ શકે ?

માણસને જગાડવાની બાબતમાં વિજ્ઞાનને સફળતા મળી છે પણ માણસના વિવેકને જગાડી દેવાની બાબતનો સંપૂર્ણ યશ તો એક માત્ર ધર્મના ફાળે જ જાય છે.

Categories: સુવિચાર Tags: