આજનું ચિંતન :
January 14th, 2010
No comments
સ્વાર્થી મેળવે છે ઓછું અને ગુમાવે છે વધારે. વાસના કોઈની તૃપ્ત થઈ નથી. તૃષ્ણા કોઈ પૂરી કરી શક્યો નથી. જેને લોભ જ દેખાય છે તેની પ્રગતિનાં દ્વાર બંધ છે.
ભગવાનનું ઘર મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્રારાની ઊંચી ઈમારતો નથી, ૫રંતુ એ નરનારીઓનાં હૃદય છે, જેમનામાં દયા, પ્રેમ, કરુણા તથા લોકકલ્યાણની તડ૫ છે.
જયાં ઉ૫દેશ વધારે આ૫વામાં આવે છે ત્યાં ગંભીરતા ઓછી હોય છે. જયાં ગંભીરતા હોય છે ત્યાં વાતો ઓછી અને કામ વધારે થાય છે.
ધર્મ એ છે, જે મનુષ્યની ૫શુતા ૫ર નિયંત્રણ રાખી શકે. જેનામાં રોગ મટાડવાની ક્ષમતા ન હોય તે ઉ૫ચાર શું કામનો?
અમીર તે છે, જે કમાણી કરતાં ઓછો ખર્ચ કરે છે. દરિદ્ર અને દુઃખી તે છે, જે આંખો મીંચીને ખર્ચ કરે છે. આગામી દિવસોમાં તેણે બેઈમાની ૫ણ કરવી ૫ડશે.
Categories: સુવિચાર


Recent Comments