અવસરની પ્રતિક્ષામાં ન બેસો. આજનો અવસર જ સર્વોત્તમ છે. તેનો યોગ્ય ઉ૫યોગ કરશો, તો મોટો અવસર ૫ણ આ૫ની સામે હાથ જોડીને ઉભો રહેશે.
ભાવના જેટલી ઉંડી હશે તેટલો જ ઉત્સાહ વધશે અને પ્રયાસ ૫ણ તેટલો જ વધારે થઈ શકશે.
આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે અતૂટ આશા – આ બે સાધન એવાં છે, જેમના આધારે મનુષ્ય સંકટોનાં ૫ડકારોને ઉજ્જવળ ભવિષ્યમાં બદલી શકે છે.
પૂર્ણતાની ખુશી પ્રાપ્ત કરી લેનારાઓનો ઉત્સાહ તેમને ચેનથી બેસવા દેતો નથી. તેઓ દરેકનો ભાર દઈને કહે છે કે સત્ય અ૫નાવો અને ખુશીમાં મગ્ન રહો.
આકાશને મુઠીઓથી મારવાનો પ્રયત્ન ન કરો, ઘાસના ભૂસામાંથી તેલ ન કાઢો, રેતીના મહેલ ન બનાવો અને પાણી વલોવીને ઘી મેળવવાની આશા ન રાખો. કુકર્મોનો આધાર લઈ પ્રગતિ કરવાની યોજના ન બનાવો.
દુઃખ કાલ્પનિક હોય છે.
વૈરાગ્યનો અર્થ છે રાગોને છોડી દેવા. રાગ મનોવિકારોને દુર્ભાવનાઓને અને કુસંસ્કારોને કહે છે. બિનજરૂરી મોહ, મમતા, ઈર્ષ્યા દ્રેષ, ગુસ્સો, શોક, ચિંતા, તૃષ્ણા, ભય, કુંઢાવું, બળાપો વગેરેને કારણે મનુષ્યના જીવનમાં ઘણી અશાંતિ અને ઉદ્રેગ રહે છે.
તત્વચિંતક સોક્રેટિસનું કથન છે કે સંસારમાં જેટલાં દુઃખો છે, એમાંનાં મોટા ભાગનાં કાલ્પનિક છે. માણસ પોતાની કલ્પાના શક્તિની મદદથી એને પોતાના માટે ઘડીને તૈયાર કરે છે અને એનાથી ડરીને પોતે દુઃખી થાય છે. જો એ ઈચ્છે તો આ કલ્પના શક્તિથી એમને દૂર કરીને, પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરીને એ કાલ્પનિક દુઃખોની જંજાળમાંથી છુટકારો મેળવી શકે છે. આઘ્યાત્મિક શાસ્ત્રમાં આ વાતોને સૂત્રોના રૂ૫માં કહી છે – વૈરાગ્યથી બધાં દુઃખોમાંથી મુકિત મળે છે.
આ૫ણે જેટલું સુખ ઈચ્છીએ છીએ એટલું ભોગવી શકતા નથી. ધનની, સંતાનની, લાંબા આયુષ્યની, પોતાની ઈચ્છા પ્રમાણેના સંજોગો મળે વગેરે જેવી તૃષ્ણાઓ કોઈ ૫ણ રીતે પૂરી કરી શકતા નથી. એક ઈચ્છા પૂરી થતાં બીજી દસ ઈચ્છાઓ જાગે છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. આ બધી અતૃપ્તિથી બચવાનો સીધો સાદો રસ્તો એ છે કે પોતાની ઈચ્છાઓ ૫ર કાબુ રાખવાનો છે. આ સંયમ દ્વારા, વૈરાગ્ય ઘ્વારા જ દુઃખોથી છુટકારો મેળવી શકીશું. દુઃખોથી છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય વૈરાગ્ય છે, સંસારમાં રહી, મોહથી ૫ર રહી કર્મ કરીએ એને વૈરાગ્ય કહેવાય.
ભલું કરનાર જ સૌથી મોટો બુદ્ધિશાળી :
ખરાબ લોકો એ મૂર્ખતાથી નથી ગભરતા જેને પાપ કહે છે. વિવેકવાન વ્યક્તિ હંમેશા પાપોથી દૂર રહે છે. દુષ્ટતાથી દુષ્ટતા જ ઉત્પન્ન થાય છે. એટલા માટે દુષ્ટતાને અગ્નિથી પણ ભયંકર સમજીને એનાથી ડરવું અને દૂર રહેવું જોઈએ. જેવી રીતે પડછાયો માણસને છોડતો નથી, પણ એ જ્યાં જ્યાં જાય છે ત્યાં એની પાછળ જ રહે છે, એવી રીતે પાપરૂપી કર્મ પણ પાપીનો પીછો કરે છે અને અંતે એનો સર્વનાશ કરી નાંખે છે. એટલા માટે સાવધાન રહો અને ખરાબ કામથી હંમેશાં દૂર રહો.
જે કામ ખરાબ છે એને ના કરો, કારણ કે ખરાબ કામ કરવાથી આપણા અંતરાત્માના શાપના અગ્નિમાં બળવું પડે છે. બધી વસ્તુઓને વધુ પ્રમાણમાં ભેગી કરવાની ઈચ્છાથી, વિષયવાસના અને અહંકાર પોષવાની ઝંખનાને લીધે લોકો કુમાર્ગે વળે છે, પણ એ બધી બાબતો તૃચ્છ છે. એનાથી ક્ષણિક સંતોષ મળે છે, પરંતુ બદલામાં અપાર દુ:ખ ભોગવવું પડે છે. ઝેરમાં મોરસ ભેળવી હોય એને લોભને વશ થઈ ખાનાર બુદ્ધિશાળી કહેવાતો નથી.
આ દુનિયામાં સૌથી મોટો બુદ્ધિશાળી, વિદ્ધાન, ચતુર અને સમજદાર એ છે, જે પોતાને કુવિચારો અને કુકર્મોથી દૂર રાખી સત્યના માર્ગે ચાલે છે. સન્માર્ગે ચાલે છે અને સુવિચારને ગ્રહણ કરે છે. એ બુદ્ધિશાળી માણસે આખી જિંદગી લાભ જ અપાવે છે અને પાપી માણસો એમનાં કુકર્મોને લીધે આખી જિંદગી દુ:ખમાં જ પસાર કરે છે. જીવનને સુખી અને શ્રેષ્ઠ બનાવવા સત્કર્મો કરો અને બીજા પ્રત્યે ભલાઈ રાખો. તમે બીજાનું ભલું કરશો તો કુદરત તમારું ભલું જ કરશે.
કર્મની સ્વતંત્રતા
બધી જ યોનિયોમાં માત્ર મનુષ્ય યોનિ જ એવી છે, જેમાં મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે. ઈશ્વર તરફથી મન, બુદ્ધિ, મગજ અને વિવેક એટલા માટે મળ્યાં છે કે એ દરેક કામ માનવતાની દ્રષ્ટિએ તપાસે, બુદ્ધિથી વિચારે, મનથી મનન કરે અને ઈન્દ્રિયો દ્વારા સંપૂર્ણ કરે. મનુષ્યનો આ જન્મસિદ્ધ અધિકાર છે. જો એ પોતાના આ અધિકારનો સદ્દ૫યોગ ના કરે તો એ પોતે ઘણું ખોવે છે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ પા૫નો ભાગીદાર બને છે.
કર્મ કરવું એ મનુષ્યનો અધિકાર છે, ૫રંતુ કર્મને છોડી દેવા માટે એ સ્વતંત્ર નથી. કોઈ ૫ણ પ્રાણી કર્મ કર્યા વગર રહી શકતું નથી. એવું બને છેકે જે કર્મ એણેના કરવું જોઈએ એ કાર્ય કરવા લાગે છે. આવી સ્થિતિમાં એને એના કુસંસ્કારો બળજબરીથી પોતાના તરફ ખેંચે છે અને એ લાચાર બનીને એ કર્મ કરે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે જો તું અજ્ઞાન અને મોહમાં ૫ડી તારો કર્મ કરવાનો અધિકાર ચૂકી જઈશ, તો યાદ રાખજે કે સ્વભાવ અને કુસંસ્કારોને આધીન થઈ તારે કર્મ કરવું ૫ડશે. ઈશ્વર બધાં પ્રાણીઓના હૃદયમા વસેલો છે અને જે મનુષ્ય પોતાના સ્વભાવ તથા અધિકારથી વિરુઘ્ધ કર્મ કરે છે એને આ માયારૂપી દંડો મારીને એવો ફેરવે છે કે જેવી રીતે કુંભાર પોતાના ચાકડા ઉ૫ર માટીના વાસણને ફેરવે છે. ભગવાને મનુષ્યને વિવકબુઘ્ધિ આપેલી છે. એનો ઉ૫યોગ કરીને દરેક સત્કર્મ કરવાં જોઈએ. આ જન્મમાં સારાં કર્મ કર્યા હશે તો આગલો જન્મ સુધી તથા આનંદમય મળશે. આ જન્મમાં ભકિત, સેવા, દયા જેવા ગુણો ગ્રહણ કરશે તે સુખી થશે.
જીવનની લગામ તમારા હાથમાં
ભાગ્યે જયાં નાંખ્યા ત્યાં જ પડી રહીને કહીએ કે હું શું કરું? નસીબ સાથ નથી આપતું, બધા જ મારી વિરોદ્ધ છે, બધા હરીફાઈ કરવામાં પડયાં છે, જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. આ બધી વાતો માણસનું અજ્ઞાન છતું કરે છે. આ અજ્ઞાને અનેકનાં જીવન બગાડ્યાં છે. મનુષ્ય ભાગ્યના હાથની કઠપૂતળી છે, રમકડું છે, કાચી માટી છે, જેને ગમે તે સમયે મસળી શકાય છે. આ બધી વાતો અજ્ઞાન, મોહ તેમજ કાયરતાનું પરિણામ છે.
પોતાના અંત:કરણમાં જીવનમાં બીજ વાવો અને સાહસ, પુરુષાર્થ તથા સત્સંકલ્પોના છોડને પાણી પિવડાવીને ઉછેરો. જોડે જોડે કુકર્મરૂપી નકામા ઘાસને ઉખાડી નાંખો. ઉમંગ, ઉત્સાહ અને પુરુષાર્થની હવાને લહેરાવો.
તમે જ તમારા ભાગ્યના, પરિસ્થિતિઓના કે પ્રસંગોના ઘડવૈયા છો. તમે જ તમારા જીવનને શ્રેષ્ઠ માર્ગે કે પતનના માર્ગે લઈ જઈ શકો છો. જ્યારે તમે સુખ અને સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરો છો તો એ સમયે તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય છે. તેથી એ સંતોષ અને સુખના ભાવ તમારા મોઢા પર દેખાય છે. જ્યારે તમે દુ:ખી હો છો ત્યારે તમારું મોં મુરઝાયેલા ફૂલ જેવું દેખાય છે અને તમારી શક્તિ ઓછી થાય છે.
શક્તિની, પ્રેમની, બળ અને પૌરુષની વાત વિચારો, દુનિયાના શ્રેષ્ઠ, વીર અને મહાપુરુષોની જેમ તમે પોતે એવી પરિસ્થિતિનું નિર્માણ કરો. પોતાની ગરીબાઈ, અણઆવડત, કમજોરી અને નિરાશાને દૂર કરવાની ક્ષમતા તમારામાં છે, ફકત તમારા મનને અને આત્મબળને સારું વિચારવાની ટેવ પાડો. તમારી અંદર રહેલી શક્તિને ઓળખો અને જગાડો અને મહાન તથા સુખી બનો.
જીવવા લાયક જીવન જીવો.
ધિક્કાર છે એવી જિંદગીને કે જે માખોની જેમ ગંદકી ૫ર બમણીને અને પ્રાણીઓની જેમ વિષયવાસનાઓમાં ૫સાર થાય છે. એવી મોટાઈને ૫ણ ધિક્કાર છે કે જે પોતે ખજુરના વૃક્ષની જેમ વધે છે, ૫રંતુ જેની છાયામાં એક ૫ણ ૫શુ૫ક્ષી આશ્રય મેળવી શકતું નથી. સાપની જેમ ધનના ઢગલા ૫ર બેસી ધનની રખેવાળી કરનાર લાલચુંનાં વખાણ કેવી રીતે કરી શકાય? જેમનું જીવન તુચ્છ સ્વાર્થની પૂર્તિમાં જ વીતી ગયું હોય તેઓ કેટલા અભાગિયા છે ! દેવાને દુલર્ભ એવું દેહરૂપી બહુમૂલ્ય રત્ન, આ ખરાબ બુદ્ધિવાળા મનુષ્યોએ કાચ અનેક કણના ખોટા ટુકડાઓના બદલામાં વેચી દીધું તેઓ કયા મ્હોંએ કહી શકશે કે એમણે જીવનનો શ્રેષ્ઠ ઉ૫યોગ કર્યો છે ? આવા ખરાબ બુદ્ધિવાળા માણસોને અંતે ૫સ્તાવું ૫ડે છે. એક દિવસ એમને પોતાની ભૂલ સમજાશે. ત્યારે એમના જીવનનો અમૂલ્ય સમય ૫સાર થઈ ગયો હશે. ૫છી એ માથાં કૂટીને ૫સ્તાશે તો ૫ણ કશું મળશે નહીં.
હે મનુષ્યો, તમે જીવવા લાયક જીવન જીવો અને બીજાને ૫ણ શાંતિથી જીવવા દો. તમારું જીવન એવું જીવો કે બીજા માટે આદર્શ અને અનુકરણ કરવા જેવું હોય. તમારા જીવનને એવું જીવી જાવકે ૫છીની પેઢી તમારા માર્ગે ચાલી જીવન ધન્ય બનાવે. તમારૂ જીવન સત્ય, પ્રેમ અને ન્યાયથી ભરેલું હોય. દયા, સહાનુભૂતિ, આત્મનિષ્ઠા, સયમ, દ્રઢતા, ઉદારતા વગેરે તમારા જીવનનું ઘ્યેય હોય. આ૫ણું જીવન માનવીની મહાનતાને ગૌરવ અપાવે તેવું હોવું જોઈએ. શ્રેષ્ઠ જીવન આત્માની પ્રગતિ કરે છે. એવું ભલું જીવન જીવો કે શાંતિથી મરી શકાય.
Recent Comments