Home > સુવિચાર > આજનું ચિંતન :

આજનું ચિંતન :

December 31st, 2009 Leave a comment Go to comments

કાંટાઓની વચ્ચે જિંદગી વિતાવવાનું તમને અસહ્ય નથી લાગતું?”  ચાંદનીએ ગુલાબને પૂછયું, ફૂલે કહ્યું “ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકો વચ્ચે કાંટા પણ રહે છે, તો પછી સહિષ્ણુતા અપનાવવામાં મને જ શા માટે તકલીફ થાય?”

ભાગ્યના મોકલવાથી કષ્ટો આવતાં નથી. તેમને આપણી અણછાજતી પ્રવૃતિઓ દ્વારા આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ. ઈશ્વર તો આપણેને સુધારવા તથા પ્રતિભા નિખારવા માટે આવે છે.

દરિદ્ર તે છે, જેની તૃષ્ણા વિશાળ છે. જે થોડામાં સંતોષ માને છે તે જ સમૃદ્ધ છે અને તે જ પ્રગતિશીલ છે. મૂર્ખ એક તરફ જુએ છે, જયારે બુદ્ધિમાન બધી તરફ જુએ છે. બધાને આંખો હોય છે, પરંતુ વિવેકદ્રષ્ટિ સૌભાગ્યશાલીઓને જ મળે છે.

એ ઈશ્વરની પૂજા કરો, જેને તમે ખિસ્સામાં રાખી શકો. તેને શોધતા ફરશો નહિ,  જે સાતમા આસમાનમાં રહે છે અને એક જ ભાષા જાણે છે.

એ વાતની પરવા ન કરો કે લોકો તમને શું કહેશે. લોકો તો પોતપોતાના મનની વાત કહેશે. તેમણે રાગ કે દ્રેષનાં ચશ્માં પહેર્યા હશે તો તે પ્રમાણે જ બોલશે, એમની પ્રશંસાથી ફુલાઈ ન જાઓ અને એમની નિંદાથી ગભરાઈને લક્ષ્યથી દુર ના જશો.

Categories: સુવિચાર Tags:
  1. No comments yet.
  1. No trackbacks yet.