Archive

Archive for December 31st, 2009

પ્રેરણા દાયક પ્રવચન : શક્તિનો સંચય કરો

December 31st, 2009 No comments

શક્તિનો સંચય કરો

જીવન એક પ્રકારનો સંગ્રામ છે. એમાં ડગલેપગલે વિપરીત પરિસ્થિતિઓ સામે તથા મુશ્કેલીઓ સામે લડવું  પડે છે. મનુષ્યે અનેક વિરોધી તત્વોને ચીરીને પોતાની યાત્રા ચાલું રાખવી પડે છે. જ્યાં પર નજર નાખીને ત્યાં આપણે શત્રુઓથી ઘેરાયેલાં છીએ એવું લાગશે. “ દુર્બળ લોકો સબળ લોકોનો ખોરાક છે” આ કડવા સત્યનો લાચાર થઈને સ્વીકાર કરવો પડે છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. મોટાં વૃક્ષો આસપાસનાં નાના છોડવાઓનો ખોરાક ખેંચી લે છે અને તેથી પેલા નાના છોડવાઓ મૃત્યુના મુખમાં પહોંચી જાય છે. નાનાં જીવડાંને પક્ષીઓ ખાય જાય છે અને એ પક્ષીઓને બાજ જેવાં મોટા પક્ષીઓ મારી ખાઈ છે. ગરીબ લોકોનું અમીરો શોષણ કરે છે અને બળવાન દુર્બળને સતાવે છે.

આ બધી બાબતો પર વિચાર કરતાં આપણે એક જ નિર્ણય પર પહોંચવું પડે છે કે જો આપણે સબળ લોકોનો શિકાર ન બનવું હોય તો દુર્બળતા દૂર કરીને આપણે  એટલી શક્તિનો સંચય તો અવશ્ય કરવો જોઈએ કે કોઈ આપણને નષ્ટ ન કરી નાખેં.

સાંસારિક જીવનમાં પ્રવેશ કરતાં એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે ફક્ત જાગરૂક અને બળવાન લોકો જ આ દુનિયામાં આનંદમય જીવનના અધિકારી બની શકે છે.

પ્રેરણા દાયક પ્રવચન : પ્રેમનું સાચું સ્વરૂપ.

December 31st, 2009 No comments

પ્રેમનું સાચું સ્વરૂપ.

પ્રેમ અને આત્માનું ઉદ્દગમસ્થાન અંતરાત્મા જ છે. એને પરમાત્માની સાથે જોડવાથી જ અપાર અને સ્થાયી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સાંસારિક નાશવંત વસ્તુઓના ખભે જો આત્મીયતાનો ભાર નાખવામાં આવે તો એ નાશવંત વસ્તુઓનો નાશ થતાં સહારો છૂટી જાય છે અને તેથી તેમના ખભે નાખેલો બોજ એકદમ નીચે આવી જાય છે. એના પરિણામે ખૂબ ચોટ લાગે છે અને આપણે ઘણા સમય સુધી તરફડીએ છીએ. ધનનો નાશ થતાં, પ્રિયજનનું મૃત્યું થતાં કે અપયશ મળતાં કેટલાય લોકો રડતા કકળતા અને જીવનને નષ્ટ કરતા જોવા મળે છે.

રેતી પર મહેલ બનાવીને એને અજરઅમર રાખવાનું સ્વપ્ન જોનારાઓની દુર્દશા થાય છે. એવી જ દુર્દશા આ હાહાકાર કરતા પ્રેમીઓની થાય છે. ભૌતિક પદાર્થો નાશવંત છે. તેથી એમની સાથે પ્રેમ જોડવો તે એક લૂલો લંગડો અને અધૂરો સહારો છે, જે ગમે ત્યારે તૂટી પડે છે અને તે તૂટી જતાં પ્રેમીને હ્રદયવિદારક વેદના થાય છે. પ્રેમનો ગુણ તો આનંદ છે.

પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે પરમાત્માને આત્માનો આધાર બનાવવામાં આવે. ચેતન અને અજરઅમર આત્માનો આધાર સચ્ચિદાનંદ પરમાત્મા જ બની શકે. તેથી જડપદાર્થો, ભૌતિક વસ્તુઓ વગેરેમાંથી ચિત્તને ખસેડીને પરમાત્મા સાથે જોડવું જોઈએ.

આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ

December 31st, 2009 No comments

આ૫ણે પોતે જ આ૫ણા સ્વામી બનીએ

તમે બીજાઓના અનર્થકારી સંદેશાઓને નકામા ગ્રહણ કરો છો. બીજાઓ જે કહે છે તેને તમે સાચું માની બેસો છો. તમે પોતે જ પોતાને દુઃખી કરો છો અને કહો છો કે બીજા કલોકો મને શાંતિ મળવા દેતા નથી. તમે પોતે જ તમારા દુઃખનું કારણ છો અને તમે જ તમારા શત્રુ છો. બીજા જે કહે છે તેને તમે માની લો છો અને એ જ કારણે તમે ઉદ્ધિગ્ન રહો છો.

સાચો મનુષ્ય ઉત્તમ સંકલ્પ કરતી વખતે એ નથી જો તો કે લોકો શું કહે છે. તે પોતાના વિચારોમાં અડગ હોય છે. સોક્રેટિસને ઝેરનો પ્યાલો આ૫વામાં આવ્યો, ૫ણ એમના વિચારોને કોઈ બદલી ના શકયું. બંદા વૈરાગીને ઘેટાનું ચામડું ૫હેરાવીને તથા મોં કાળું કરીને ગલીએ ગલીએ ફેરવ્યા, છતાં એમણે શત્રુઓની વાત ના માની.

બીજાઓના ઈશારે નાચવું, બીજાઓની મદદ ૫ર આધારિત રહવું, બીજાઓની ટીકાથી ઉદ્ધિગ્ન થવું તે માનસિક દુર્બળતા છે. જયાં સુધી મનુષ્ય પોતે જ પોતાનો સ્વામી બનતો નથી ત્યાં સુધી એનો પૂરતો વિકાસ થતો નથી. બીજાઓનું અનુકરણ કરવાથી મનુષ્ય પોતાની મૌલિકતા ખોઈ બેસે છે.

પોતે જ વિચાર કરતાં શીખો. બીજાઓના પ્રભાવમાં ના તણાશો. કર્તવ્યના કમાર્ગે આગળ વધતાં બીજાઓ શું કહેશે એની ચિંતાના કરો. જો તમારામાં એટલું ૫ણ સાહસ નહીં હોય, તો આખી જિંદગી ગુલામીના બંધનોમાં જકડાયેલા રહેશે.

અખંડજયોતિ, મે-૧૯૪૫, પેજ-૧ર૦

પ્રેરણા દાયક પ્રવચન : જ્ઞાનની ઉપાસના કરો

December 31st, 2009 No comments

જ્ઞાનની ઉપાસના કરો

જ્ઞાનથી જ મનુષ્યને આ સંસારમાં સુખ મળે છે અને એના અભાવથી બંધનમાં બંધાઈને તે દુઃખ સહન કરે છે. જેનામાં પૂર્ણ જ્ઞાન નથી તેને સફળતા મળતી નથી. જ્ઞાનમાં ઉણ૫ રહેવાથી અસફળતા મળવાના કારણે મનુષ્ય દુઃખી રહે છે. આ સંસારમાં જ્ઞાનથી વધારે ૫વિત્ર વસ્તુ બીજી કોઈ નથી. જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. ૫રમાત્મા જ્ઞાન સ્વરૂ૫ છે. જયારે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે ત્યારે મનુષ્ય જન્મ અને મૃત્યુનાં બંધનોથી રહિત બનીને મુક્તિ માર્ગનો યાત્રી બની જાય છે. આવો જ્ઞાની પુરુષ બધી અવસ્થામાં પોતાની જાતને ૫રમાત્માને સમર્પિત કરી દે છે.

આ૫ણે બાહ્ય વિષયોમાં જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ છીએ તે વસ્તુતઃ આ૫ણી અંદર જ છે. સત્ય અને અસત્યની સાચી ઓળખ કરવી, પોતાને ઉ૫યોગી વસ્તુઓનો સ્વીકાર કરવો તથા બિનઉ૫યોગી ચીજોનો ત્યાગ કરવો એ બધું સાચા જ્ઞાનથી જ શકય બને છે. આ જ્ઞાન સ્વાઘ્યાય અને સત્સંગથી પ્રાપ્ત થાય છે. સદ્દગ્રંથોનો સ્વાઘ્યાય કરવો તથા જ્ઞાની સંતોનો સંગ કરવો તે મનુષ્ય જીવનને સુધારવા માટે ખૂબ જરુરી છે. જે સમાજ તથા દેશમાં સાચી જ્ઞાનીઓની સંખ્યા જેટલી વધારે હશે તેની આત્મોન્નતિ એટલી જ વધારે થશે અને તે ઈચ્છિત લક્ષને પ્રાપ્ત કરી શકશે.

આજનું ચિંતન :

December 31st, 2009 No comments

કાંટાઓની વચ્ચે જિંદગી વિતાવવાનું તમને અસહ્ય નથી લાગતું?”  ચાંદનીએ ગુલાબને પૂછયું, ફૂલે કહ્યું “ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકો વચ્ચે કાંટા પણ રહે છે, તો પછી સહિષ્ણુતા અપનાવવામાં મને જ શા માટે તકલીફ થાય?”

ભાગ્યના મોકલવાથી કષ્ટો આવતાં નથી. તેમને આપણી અણછાજતી પ્રવૃતિઓ દ્વારા આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ. ઈશ્વર તો આપણેને સુધારવા તથા પ્રતિભા નિખારવા માટે આવે છે.

દરિદ્ર તે છે, જેની તૃષ્ણા વિશાળ છે. જે થોડામાં સંતોષ માને છે તે જ સમૃદ્ધ છે અને તે જ પ્રગતિશીલ છે. મૂર્ખ એક તરફ જુએ છે, જયારે બુદ્ધિમાન બધી તરફ જુએ છે. બધાને આંખો હોય છે, પરંતુ વિવેકદ્રષ્ટિ સૌભાગ્યશાલીઓને જ મળે છે.

એ ઈશ્વરની પૂજા કરો, જેને તમે ખિસ્સામાં રાખી શકો. તેને શોધતા ફરશો નહિ,  જે સાતમા આસમાનમાં રહે છે અને એક જ ભાષા જાણે છે.

એ વાતની પરવા ન કરો કે લોકો તમને શું કહેશે. લોકો તો પોતપોતાના મનની વાત કહેશે. તેમણે રાગ કે દ્રેષનાં ચશ્માં પહેર્યા હશે તો તે પ્રમાણે જ બોલશે, એમની પ્રશંસાથી ફુલાઈ ન જાઓ અને એમની નિંદાથી ગભરાઈને લક્ષ્યથી દુર ના જશો.

Categories: સુવિચાર Tags: