Archive

Archive for December 30th, 2009

આજનું ચિંતન :

December 30th, 2009 No comments

મુગટ બનીને અભિમાન કરતા ફૂલની પ્રશંસા કેવી? એ કાંટાઓની પ્રશંસા કરો, જે ડાળીની રક્ષા કરવા માટે કમર કસીને તૈયાર રહે છે.

દિવા સ્વપ્ન જોશો નહિ, પાંખ વિના ઊડશો નહિ. એ જ કરો, જે આજની પરિસ્થિતિઓમાં કરી શકાય તેમ છે.

ફકત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે, જે ક્યાંય પણ, કોઈપણ અવસ્થામાં અને કોઈપણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી.

દુ:ખથી નુકશાન ત્યારે જ થાય છે, જયારે મનુષ્ય તેનાથી ટેવાઈ જઈને દીનહીન બની જાય અને તેનાથી છુટકારો મેળવવા માટે પ્રયત્ન જ ના કરે.

વિપત્તિઓ અને અસફળતાઓની શંકાનું વિષ પીતા રહેવાથી સાહસ અને પુરુષાર્થ ખતમ થઈ જાય છે. આ પ્રકારનું અશુભ ચિંતન જેના મનમાં ચાલતું હોય છે તેઓ નિરાશ રહે છે અને ભવિષ્યને વિપત્તિગ્રસ્ત માની લઈને શોકસંતાપમાં ડૂબેલા રહે છે.

Categories: સુવિચાર Tags: