Archive

Archive for December 29th, 2009

આજનું ચિંતન :

December 29th, 2009 No comments

શ્રેષ્ઠ વ્યક્તિઓનાં ત્રણ રૂપ હોય છે -

1. પ્રમાણિક હોય તો ચિંતાઓથી મુક્ત રહે છે.

2. બુદ્ધિમાન હોય તો સમસ્યાઓથી મુક્ત રહે છે.

3. સશકત હોય તો ભયથી મુક્ત રહે

બુદ્ધિપ્રધાન પરંતુ હ્રદયશૂન્ય વ્યક્તિ ભૌતિક જીવનમાં ભલે ગમે તેટલી સફળ હોય, પરંતુ ભાવનાઓના સાગરની ચેતન લહેરો સુધી પહોંચવામાં તે અસમર્થ હોય છે.

શાંતિ માટે પ્રયત્ન કરવો જોઈએ અને પરિસ્થિતિઓ સામે યુદ્ધ કરીને પણ તે મેળવવી જોઈએ. ક્યારેક ક્યારેક બળપ્રયોગ કરીને પણ તેને સ્થાપિત કરવી જોઈએ. આ બાબત ઘર અને રાષ્ટ્ર બંનેને લાગુ પડે છે.

યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે આ સંસારમાં મનુષ્ય માટે કોઈ વસ્તુ કે ઉપલબ્ધિ અપ્રાપ્ય નથી તથા કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે અયોગ્ય નથી. અયોગ્યતા માત્ર એક જ છે અને તે છે પોતાના પ્રત્યે અવિશ્વાસ. જો પોતાનું સાચું મૂલ્યાંકન કરવામાં આવે તો કોઈપણ મુશ્કેલી મનુષ્યને તેના લક્ષ્ય સુધી પહોંચાતાં રોકી શકતી નથી.

જગતમાં કેટલાક લોકો પોતાને જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા જુદા માને છે. આમ વિચારવું કેટલું નુકસાનકારક છે તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે. પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?

Categories: સુવિચાર Tags: