Archive

Archive for December 28th, 2009

આજનું ચિંતન :

December 28th, 2009 No comments

ચાર વાતો ભૂલવી ન જોઈએ -

1 મોટાઓનો આદર કરવો.

2. નાનાઓને સલાહ આપવી.

3. બુદ્ધિશાળીઓ પાસેથી સલાહ લેવી.

4. મૂર્ખાઓ સાથે વિવાદ કરવો નહિ.

જો પડી જાઓ તો નિરાશ ન થશો. પડી જવું ખરાબ નથી કારણ કે પડી ગયા પછી પણ ઊભા થઈ શકાય છે. જે ચઢશે છે તે જ પડે છે. ગભરાશો નહિ. ચાલો, ઊઠો અને ફરીથી આગળ વધો.

મનુષ્ય ભૂલો થી ભરેલો છે. દરેકમાં કોઈક દોષ તો હોય જ છે, તેથી બીજાના દોષો તરફ ધ્યાન ન આપતાં તેમના ગુણો ને ઓળવવા જોઈએ અને પરસ્પર હળી મળીને એકબીજાને પ્રેમપૂર્વક  સુધારતાં સુધારતાં આગળ વધવું જોઈએ.

સત્ય માર્ગ દ્વારા ઉન્નતિ કરવી જોઇએ પરમેશ્વર બધાંજ કાર્યોને બરાબર જાણે છે, તેથી કોઇ પણ વ્યક્તિ પાપ કરીને તેનાથી બચી શકતી નથી

જેઓ પાપ પસંદ કરે છે તેઓ મૂર્ખ છે અને દુ:ખ ભોગવે છે. તમારા માટે બીજો માર્ગ ખુલ્લો છે, જેમાં ભલે અડધા ભૂખ્યા રહેવું પડે, પરંતુ પાપકર્મોની નજીક જવું નહિ.

Categories: સુવિચાર Tags: