Archive

Archive for December 22nd, 2009

પ્રેરણા દાયક પ્રવચન : આત્મશક્તિનો વિકાસ

December 22nd, 2009 No comments

પ્રેરણા દાયક પ્રવચન : આત્મશક્તિનો વિકાસ

મનુષ્યના જીવનને મુખ્ય ઉદ્દેશ્ય પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરવાનો છે. જે પ્રાણી મનુષ્યનો દેહ ધારણ કરવા છતાં પણ આત્મિક શક્તિઓનો વિકાસ કરી શકતું નથી, પોતાના આત્માની નજીક પહોંચી શકતું નથી તે આ સંસારમાં શાન્તિ પ્રાપ્ત કરી શકતું નથી અને પરલોકને સુખમય બનાવી શક્તું નથી. તેથી જો મનુષ્ય સાચી શાંતિ મેળવવા ઈચ્છતો હોય, પોતાના જીવનને સુખી બનાવવા ઈચ્છતો હોય તો એણે અવશ્ય પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ, કારણ કે આત્મા જ પૂર્ણ શાંતિ અને સુખનો ભંડાર છે.

આપણે ભૂલ કરીએ છીએ અને સાંસારિક વિષયોમાં સુખ શોધીએ છીએ, પરંતુ સંસારના વિષયોમાં સુખ ક્યાં છે? તેઓ તો જડ છે. સુખ એ ચેતન પદાર્થનો ગુણ છે.

બિચારો જડ પદાર્થ આપણને કઈ રીતે સુખ આપી શકે? જે વસ્તુ પોતે જ ક્ષણભંગુર છે તે આપણને શાશ્વત શાંતિ કેવી રીતે આપે? સાંસારિક વિષયભોગ તો બાળક નચિકેતાના કથન પ્રમાણે કાલ સુધી જ રહેવાના છે. એમની પાસેથી સુખ મળવું તો દૂર રહ્યું, પરંતુ તેઓ આપણી ઈન્દ્રિયોનાં તેજ અને શક્તિને પણ નષ્ટ કરી નાખે છે.

આજનું ચિંતન :

December 22nd, 2009 No comments

મનુષ્ય ભૂલો થી ભરેલો છે. દરેકમાં કોઈક દોષ તો હોય જ છે, તેથી બીજાના દોષો તરફ ધ્યાન ન આપતાં તેમના ગુણો ને ઓળવવા જોઈએ અને પરસ્પર હળી મળીને એકબીજાને પ્રેમપૂર્વક સુધારતાં સુધારતાં આગળ વધવું જોઈએ.

અવગુણો મનુષ્યને પહેલાં અજાણ વ્યક્તિની જેમ મળે છે અને હાથ જોડીને નોકરની જેમ તેની સામે ઊભા થઈ જાય છે. પછી મિત્ર બની જાય છે અને નિકટ આવી જાય છે. પછી માલિક બની જાય છે અને તેને હંમેશને માટે દાસ બનાવી દે છે.

કાદવમાં જ કમળ ખિલે છે. ખાતરના ઢગલામાં ગુલાબ મહેકે છે. આપ વિપરીત પરિસ્થિતિઓમાં પણ સુંદર જીવન કેમ જીવી શકતા નથી?

સલાહ આપનારાઓની ઊણપ નથી, પરંતુ અંતરાત્માથી વધારે ઉત્તમ સલાહ આપનાર બીજો કોઈ નથી. ગુમરાહ કરનારા ઘણા છે, પરંતુ લાલચથી વધારે મોટો ધુતારા બીજો કોઈ નથી.

પ્રકૃતિની પ્રકૃતિ છે પ્રગતિ. તે તેનાથી સંબંધિત દરેક પ્રાણી અને ૫દાર્થને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે. જે પાછળ રહે છે, ડગમગે છે અને નિષ્ક્રિયતા અ૫નાવે છે તેમને તે ૫તનનો અભિશા૫ આપીને આગળ જતી રહે છે.


Categories: સુવિચાર Tags: