Home > પં.શ્રીરામ શર્મા આચાર્ય > પ્રેરણા દાયક પ્રવચન : ઉદ્દેશ્ય ઊંચો રાખો

પ્રેરણા દાયક પ્રવચન : ઉદ્દેશ્ય ઊંચો રાખો

December 20th, 2009 Leave a comment Go to comments

પ્રેરણા દાયક પ્રવચન  :  ઉદ્દેશ્ય ઊંચો રાખો

માટીનાં રમકડા જેટલી સહેલાઇથી મળે છે એટલી સહેલાઇથી સોનું મળતું નથી.  મન પાપ તરફ સહેલાઇથી જાય છે, પરંતુ એને પુણ્ય કર્મો તરફ વાળવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે છે.  પાણીનો પ્રવાહ નીચેની તરફ ખૂબ ઝડપથી વહે છે, પરંતુ પાણીને જો ઊંચે ચઢાવવું હોય તો પંપ મૂકવો પડે છે.

ખરાબ વિચાર તથા તામસી સંકલ્પ એવી બાબતો છે, જે આપણું મનોરંજન કરતાં કરતાં આપણા મનમાં ઘૂસી જાય છે અને સાથે સાથે પોતાની મારકશક્તિને પણ લઇ આવે છે.  સ્વાર્થમયી નીચ ભાવનાઓનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે તે કાળા રંગની છરીઓ સમાન તીક્ષ્ણ અને તેજાબની જેમ દાહક હોય છે.  તેમને જો થોડીક જગ્યા મળે તો તે પોતાના જેવી ઘણી સામગ્રીને ખેંચી લે છે.  વિચારોમાં પણ પૃથ્વી વગેરે તત્વોની જેમ ખેંચવાની અને સીંચવાની શક્તિ હોય છે. તે અનુસાર પોતાની ભાવનાને પૃષ્ટ કરનાર એ જ જાતના વિચારો ઊડી ઊડીને ત્યાં એકત્રિત થવા લાગે છે.

આવું જ સારા વિચારોની બાબતમાં પણ છે.  તેઓ પણ પોતાના જેવા વિચારોને એકઠા કરીને સશક્ત બનવામાં પાછા પડતા નથી.  જેમણે ઘણા લાંબા સમય સુધી ખરાબ વિચારોને પોતાના મનમાં સ્થાન આપ્યું છે એમને ચિંતા, ભય તથા નિરાશાનો શિકાર થવું જ પડશે.

  1. No comments yet.
  1. No trackbacks yet.