આજનું ચિંતન :
જયારે પાણીનું દબાણ વધારે હોય છે ત્યારે ઝરણાં અને નદીઓ તીવ્ર વેગે વહે છે.
એમની લહેરો ઊછળતી, કલકલ નિનાદ કરતી અને હિલોળા લેતી ચાલે છે.
પાણીનું દબાણ ન હોય તો જલધારા મંદ થઈ જાય છે. એટલું જ નહિ, તે નિર્જીવ દેખાય છે.
મહામાનવો અને સામાન્ય વ્યક્તિઓમાં આ જ ફરક છે.
*****
આપણે યશ કરતાં ચરિત્રને નિર્મળ બનાવવા વિશે વિચારવું જોઈએ.
ચરિત્રવાન અને નૈતિક પુરુષોનો યશ તો ફૂલોની મહેકની જેમ ફેલાય છે.
*****
શરીર ક્રિયાશીલતા છોડી દે તો મૃત્યુ છે.
સૃષ્ટિનાં કાર્યો અટકી જાય તો પ્રલય છે અને મનુષ્ય કર્તવ્ય છોડી દે તો તેનું પતન છે.
Categories: સુવિચાર


Recent Comments