આજનું ચિંતન :
પેટ ભરવા માટે પોતાનું જ મોઢું ચલાવવું પડે છે. ભણવા માટે પોતાની જ બુદ્ધિ કામ આવે છે.
બીજાના મુખ દ્વારા કોઈનું પેટ કદી ભરાયું છે? બીજાની બુદ્ધિથી કોણ વિદ્વાન બન્યું છે?
આત્મિક પ્રગતિની આકાંક્ષા પણ પોતાના જ સાધનાત્મક પુરુષાર્થથી પૂર્ણ થાય છે.
*****
ભકત એ નથી, જે ભગવાનના નામનું રટણ કરતો રહે છે,
પરંતુ તે છે જે એની પ્રજાને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાની સગવડોનો ત્યાગ કરે છે.
*****
પરમાર્થ કરો અને તેને કૂવામાં નાખો. ઉપકારોનો ઢંઢેરો પીટશો નહિ.
પરમાર્થનું પરિણામ ભલે બિલાડીના ટોપની જેમ ન ઊગે,
પરંતુ તેનાં મૂળ ધરોની જેમ સદા સજીવ રહે
Categories: સુવિચાર


Recent Comments