Home > અમૃતવાણી > સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ

સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ

December 4th, 2009 Leave a comment Go to comments

સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ

સંધર્ષ આપણા અંત:કરણ સાથે, સંધર્ષ આપણા બાહ્ય વાતાવરણ સાથે કરો. સંધર્ષ સત્યની પ્રાપ્તિ માટે, જીવન માત્રના કલ્યાણ માટે, ઈશ્વરતત્વની પ્રાપ્તિ માટે કરો.

સંધર્ષ વિના પ્રગતિ અસંભવ છે.

તમે નાપાસ થઈ શકો છો, હારી શકો છો, પરંતુ ફરીથી ઊભા થાવ. તમારી સંપૂર્ણ ઊર્જાને ફરીથી કેન્દ્રિત કરો અને પોતાના દોષો સાથે લડો. અંધકાર સાથે લડો અને સંકીર્ણ વિચારો સાથે લડો.

આ એક અનંત પ્રક્રિયા છે. યુદ્ધ પહેલાં પોતાની જાત સાથે, પછી બાહ્ય વાતાવરણ સાથે કરો. બંને પ્રક્રિયાઓ સાથે ચાલવા દો.

- આ સંસાર (જીવન) યુદ્ધક્ષેત્ર છે. તે આપના આરામ માટે નથી, પરંતુ સમાજને આરામદાયક બનાવવા માટે છે.

- દુ:ખની, મુસીબતની ક્ષણો આવશે, પરંતુ નિરાશ ન થાઓ, વિચલિત ન થાવ. એ કઠિનાઈની ક્ષણો સ્થાયી નથી, પરંતુ ક્ષણિક હશે. જયાં સુધી આ મુશ્કેલીઓનાં વાદળો ખસે નહિ ત્યાં સુધી ધીરજ રાખો અને પ્રતીક્ષા કરો. તે સૂર્યકિરણો વધુ તીવ્રતાથી આપના જીવનમાં ચમકવાનાં છે.

- નિરાશાજનક (નકારાત્મક) વિચારોના તળાવમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરો. આશાવાદી બનો. પરમપૂજ્ય ગુરુદેવ તથા મા ગાયત્રીનું સ્મરણ કરો. તેઓ હંમેશાં આપની સાથે છે. આપને મદદ કરવા તત્પર છે, સહારો આપવા તત્પર છે.

- કઠિનતાની ક્ષણોમાં, અંધકારની ક્ષણોમાં તમે તમારી જાતને ચારે બાજુના વાતાવરણથી, સંપર્કમાં આવતી વ્યક્તિઓથી દૂર રાખો અને પરમ પૂજ્ય ગુરુદેવ સાથે સંપર્ક કરો. ધીમેધીમે અંધકારના ઘેરાવમાંથી તમે બહાર આવી જશો. જોતજોતામાં તમારી સમસ્યાઓને ઉકેલી શકશો કે જે તમને પરેશાન કરતી હતી. આ રીતે તમારું લક્ષ્ય તમારી અંદર અને બહાર તથા સમાજમાં રહેલા અંધકાર સાથે લડવાનું જ છે.

- સંઘર્ષ સમાજના વિઘટન માટે નહિ, પરંતુ એકીકરણ (સંગઠન) માટે કરો. એકીકરણનો અર્થ છે, ઈશ્વરત્વ તરફ જવું, કેમ કે ઈશ્વર એક છે.

- આ સંઘર્ષ સમજદારીપૂર્વક કરવો પડશે. જો કે તે ત્યાગ અને તપસ્યા દ્વારા જ સંભવ છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.