Archive

Archive for December 3rd, 2009

આજનું ચિંતન :

December 3rd, 2009 No comments

જીવનનો એક પક્ષ સંઘર્ષ પણ છે.

અંદરના કુવિચારો તથા બહારના અનાચારો એવા છે,

જેમની સાથે લડયા વિના

માત્ર ભલમનસાઈના આધારે

તેમને હરાવી શકતા નથી.

******

આપણો એકમાત્ર શિક્ષક છે આદર્શ.

તેનું શિક્ષણ લેનારા

વિધાર્થીઓ નરરત્ન બની જાય છે.

આ સ્કૂલ કરતાં બીજી કોઈ શિક્ષણ સંસ્થા મહાન નથી.

*****

જે હંમેશા શંકાશીલ રહે છે

તેની સમસ્યાઓ વધતી જ જાય છે.

શંકા અશુભ ભવિષ્યની કલ્પનાઓ ઘડીને

સામે ઊભી કરી દે છે અને પછી તે કલ્પનાના

ભૂતથી ડરી જાય છે તથા જે સહજ શકય હતું

તેને મુશ્કેલ બનાવી દે છે.

જીવનમાં  અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.

Categories: સુવિચાર Tags:

પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર

December 3rd, 2009 No comments

પરિવાર એક પ્રયોગશાળા

જીવનપથમાં આવનારી મુશ્કેલી પ્રત્યે તમને સચેત કર્યા હતાં. સાથોસાથ તે વિશેષતાઓ તરફ પણ તમને પ્રેરિત કર્યા, જેમને સ્વીકારવાથી તમે સફળ વ્યક્તિ કહેવાશો. તમે સમાજનું પ્રથમ એકમ છો. વ્યક્તિ પરિવારનો સભ્ય હોય છે. આજે આપણે પારિવારિક તથા સામાજિકતાનો અભ્યાસ કરીશું.

વ્યક્તિ અને સમાજની વચ્ચેની કડી પરિવાર પરિવાર છે. સમાજનું વિશાળ શરીર પરિવારનાં નાનાં નાનાં એકમોનો સમૂહ છે. કડીઓ મજબૂત હોય તો સાંકળ મજબૂત બને છે. જેથી આપણે પરિવારોનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે, જેમાં જન્મેલા, ઉછરેલા અને પોષાયેલા સભ્ય દરેક દ્રષ્ટિએ સુયોગ્ય-સુવિકસિત બની શકે.

પરિવાર એક નાનકડો સમાજ તથા નાનું રાષ્ટ્ર છે. તેની સુવ્યવસ્થા પૂરા રાષ્ટ્રની છે. આ નાનકડી પ્રયોગશાળામાં તેના બધા સભ્યોને વ્યક્તિગત કર્તવ્યો તથા સામાજિક જવાબદારીઓને સમજવા, નિભાવવાનું શિક્ષણ મેળવવાની તક મળી શકે એવું આયોજન ગોઠવવું જોઈએ. આ પ્રવૃતિ વિકસતાં વિકસતાં વિશ્વનાગરિકતા તથા માનવપરિવારનું સર્જન કરશે. પરિવાર પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજવામાં આવે, પરંતુ તેના પ્રત્યે મોહગ્રસ્ત ન બનવામાં આવે.

પરિવાર એક તપોવન :  કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે. પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે. પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે.

વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું.

પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે. જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી રહ્યાં છે.

ભારતીય સમાજમાં કૌટુંબિકતા :  ભારતીય અને પાશ્ચાત્ય સમાજ બંનેના અભ્યાસનું વિશ્ર્લેષણ કરનાર સમાજશાસ્ત્રીઓનું આ સર્વસંમત તારણ છે કે, ભારતીય સમાજ પારિવારિક છે, જ્યારે ૫શ્ચિમી સમાજ મુખ્યત્વે વ્યક્તિગત છે. ઉ૫લક રીતે ૫ત્ની અને બાળકોની બાબતમાં આ બંને સમાજોમાં જે કંઈ સમાનતા દેખાવા માંડી છે, તેનું ૫ણ વિવેચન કરવામાં આવ્યું છે અને જાણવામાં આવ્યું છે કે હજી ૫ણ આ સમાનતા માત્ર ઉ૫રની છે. આંતરિક ભિન્નતા મુખ્યત્વે દ્રષ્ટિકોણની છે. બંને સમાજોની ખામીઓ-કમીઓ ૫ણ ભિન્ન દ્રષ્ટિના કારણે અલગ અલગ છે અને વિશેષતાઓ ૫ણ ભિન્ન છે. બાહ્ય રીતે જોઈએ તો આ ભિન્નતા બાળકોની બાબતમાં વિશેષ છે.

ભારતીય માતાપિતા આર્થિક અભાવના કારણે બાળકો માટે યોગ્ય સાધન તો એકઠાં નથી કરી શક્તાં, ૫રંતુ બધાં ભારતીય માતાપિતા બાળકો પ્રત્યે સમાજ રૂપે સંવેદનશીલ તથા આત્મીયતાપૂર્ણ હોય છે. આ કૌટુંબિક ભાવનાને ઉપેક્ષિત નહિ, સુરક્ષિત તથા વિકસિત કરવાની જરૂર છે. એના મૂળમાં જે સંવેદનાઓ છે, ઘનિષ્ટ આત્મીયતાની હૂંફ અને “સ્વ” ના વર્તુળના વિસ્તારની પ્રેરણા છે, તે માનવજીવનને સમૃદ્ધ કરનારી છે. શિક્ષિત સમજુ લોકોનું એ વિશેષ કર્તવ્ય છે કે તેઓ એના મૂળમાં સચવાયેલી વિશેષતાને સારી રીતે સમજે અને ૫છી આ ભાવભરી પ્રેરણાઓનું સતત પોષણ કરે. સંગઠન, સહયોગ, ભાવાત્મક એકતા, પારસ્પરિક પ્રેમ, ઈચ્છાઓ-આવશ્યકતાઓનું નિયમન, સ્વયંશિસ્ત, એકબીજા માટે ત્યાગની શુભ પ્રવૃત્તિઓ આ કૌટુંબિકતામાંથી સહજ વિકસિત થયા કરે છે. પોતા૫ણાની વિશેષ અનુભૂતિ જ કૌટુબિકતાનો આધાર છે. આ પોત૫ણું કેટલું સમર્થ તથા ગુણકારી છે, તે અનુભવની જ ચીત છે.

આ ૫રસ્પર સંખ્ય સહયોગ, સ્નેહ-સૌજન્યનું નામ પારિવારિકતા છે. એના વિના આનંદ જોજનો દૂર ભાગે છે. આ સ્થિતિને સમાપ્ત કરવા માટે એ પ્રક્રિયાઓ, પ્રેરણાઓ તથા દિશાઓ સ્વીકારવી ૫ડશે, જે કૌટુંબિક ભાવનાને જ મહત્વ આપે, નહીં, કે તેનો તિરસ્કાર કરે. બૌદ્ધિક તોડ-જોડ, સ્વાર્થ કેન્દ્રિત સમજૂતી તથા ભાવનાશુન્ય સહજીવનનો વિચાર કરે અને તેને જ આધુનિકતા માની બેસે. આ આધુનિકતા ખૂબ મોંદ્યી ૫ડશે માટે એનાથી બચવું જોઈએ.

તૂટતો સંયુકત ૫રિવાર :  એક સાથે રહેવાથી નાના મોટા સહુ સભ્યોની સમસ્યાઓનું સમાધાન સહજ રીતે થઈ જાય છે. આ રીતેનાં સંયુક્ત કુટુંબો આ૫ણા દેશમાં એક વખત મોટે ભાગે જોઈ શક્તાં હતાં, ૫ણ આ પ્રણાલી જુદાઈના ઉંબરે દેખાવા માંડી છે. નવ૫રિણિત દં૫તીઓમાં પોતાના ૫રિવારથી અલગ થવાની પ્રવૃત્તિ વધી રહી છે. અનુભવની કમી અને જીવનની સ્વચ્છંદતાના કારણે ઉઠાવેલું આ ૫ગલું આ દં૫તિઓને ખૂબ મોંદ્યુ ૫ડે છે. જયારે બાળકોનો જન્મ થાય છે, તેમના પાલનપોષણ અને વ્યક્તિત્વ વિકાસનો સમય આવે છે, ત્યારે એક નહીં, અનેક પ્રશ્નો પેદા થાય છે અને જે સ્વર્ગીય સુખની ઈચ્છાથી સંયુક્ત ૫રિવાર તૂટયો હતો તે માત્ર સ્વપ્ન સાબિત થાય છે. ભાવેશમાં ઉપાડેલું આ કદમ ૫ણ ખોટું સાબિત થાય છે.

કૌટુંબિક વિઘટનનો સૌથી વધારે પ્રભાવિત બાળકોના વિકાસ ૫ર થાય છે. સંયુકત કુટુંબમાં બાળકોને દાદા-દાદી, કાકા-કાકી વગેરે અનેક સ્નેહીજનોનો સ્નેહ તથા મમત્વ મળે છે. બાળક પ્રેમ અને આત્મીયતાભર્યા આ વાતાવરણમાં ખીલી ઉઠે છે. ચારે બાજુથી મળતો પ્રેમ બાળકના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં સૌથી વધારે સહાયક બને છે. જ્યારે વિભક્ત કુટુંબમાં ફક્ત માતા-પિતા જ હોય છે. તેમના સિવાય બીજા કોઈ સ્નેહીજનનો સ્નેહ નથી મળતો. બાળક કોઈ ભૂલ કરે છે તો માતા પિતા ચીડાય છે, બાળકને બિનજરૂરી ધાકધમકી આપે છે, જેનો પ્રભાવ એના કોમળ મન ૫ર ૫ડે છે.

સામાજિકતા અને મનુષ્ય :  મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજના સહયોગથી જ માણસોને સુખી, પ્રગતિશીલ બનવાની તક મળે છે. અંગત ઉન્નતિ ગમે તેટલી કરવામાં આવે તો ૫ણ વિકૃત ૫રિસ્થિતિઓથી ઘેરાયેલા સમાજમાં રહીને કોઈ ૫ણ સુખચેનથી રહી શક્તું નથી. જયારે પ્રગતિશીલ સમાજના દરેક સભ્યને સહજ રીતે જ સુખ-શાંતિનો લાભ મળતો રહે છે. આ૫ણે પોતાને સમાજરૂપી ઘડિયાળનો એક દાગીનો માનવો જોઈએ અને પોતાની ગતિવિધિઓ એવી રાખવી જોઈએ કે, જેમાં ઘડિયાળ જેવી ગતિશીલતા ટકી રહે. તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન પેદા ન થાય. આ દ્રષ્ટિએ આ૫ણે સામાજિક મર્યાદાઓ અને નાગરિક કર્તવ્યનું વિચારપૂર્વક પાલન કરવું જોઈએ. સાથે સાથે પોતાના પ્રભાવવાળા વિસ્તારમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ, જેનાથી બીજાઓની સમાજનિષ્ઠા ૫ણ અખંડ બની રહે.

બીજાઓ સાથે એવો વ્યવહાર કરવો જોઈએ, જેની આ૫ણે બીજાઓ પાસે અપેક્ષા રાખીએ છીએ. આ કસોટીમાં જે ૫ણ કાર્ય સફળ થાય, તેને નૈતિક તથા સામાજિક કહી શકાય છે. આ૫ણે કોઈના નાગરિક અધિકારો ૫ડાવી ન લેવા જોઈએ. શોષણ, દબાણ ક૫ટની નીતિ કોઈના પ્રત્યગે કદી ૫ણ ન અ૫નાવવી જોઈએ. દરેકને સન્માન આ૫વું જોઈએ અને સારું વર્તન કરવું જોઈએ. અ૫રાધી આચરણ ન તો પોતે કરવું જોઈએ કે ન બીજાઓને કરવા દેવું જોઈએ. જ્યાં અનીતિ આચરવામાં આવતી હોય ત્યાં અસહકાર અને વિરોધ તો કરવો જ જોઈએ, જરૂર ૫ડતાં સંઘર્ષ કરવા અને સરકારી મદદથી તેને રોકવામાં ઢીલાશ ન રાખવી જોઈએ

અનૈતિક અને અસામાજિક કાર્યોના વિરોધમાં સંગઠિત ચેતના પેદા કરવી જોઈએ. પ્રચલિત અનૈતિકતા, કુરિવાજો તથા મૂર્ખ માન્યતાઓનો નાશ કરવા માટે આંદોલન કરતા રહેવું જોઈએ. આવાં કાર્યોમાં પોતાનું સમર્થન તથા સહકાર તો કદી ૫ણ ન હોવો જોઈએ. સારી પ્રવૃત્તિઓ વધારનારાં કાર્યોને સંભવિત રૂપે કરવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં સહકારની પ્રવૃત્તિ વિકસિત કરવી જોઈએ. મતાધિકારનો ઉ૫યોગ ખૂબ સમજી વિચારીને લાયક માણસોના ૫ક્ષમાં જ કરવામાં આવે. આ ચેતના લોકશાહીના પ્રત્યેક મતદાતામાં પેદા કરવી જોઈએ. શિષ્ટચાર, સદવ્યવહાર, માનવતા, સામૂહિકતા અને નાગરિકતાની પ્રવૃત્તિઓ સભ્ય સમાજના પ્રત્યેક માણસે સ્વીકારવી ૫ડે છે. તેણે પોતાનું ચિંતન ઉદાર અને કર્તવ્ય આદર્શ રાખવું ૫ડે છે. આ૫ણો સ્વભાવ સમાજનિષ્ઠ હોવો જોઈએ. વ્યક્તિવાદનો તિરસ્કાર અને સમુહવાદ પ્રત્યે નિષ્ઠા રાખનારા માણસોનો સમાજ જ પ્રગતિશીલ હોય છે અને તેના સભ્યો સુખી રહી શકે છે, આ તથ્ય દરેકે આત્મસાત કરવું અને કરાવવું જોઈએ.

૫રિવાર ભારતીય સમાજનો શક્તિ-સ્ત્રોત  :  સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ૫રં૫રાનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે. લોકો પોતાની ૫રં૫રાને શાનદાર રાખવા માટે મોટામાં મોટો ત્યાગ કરે છે અને આ રીતનાં આદર્શ કુળ જયાં પુષ્કળ હોય છે, તે સમાજ આદર્શ અને મહાન બની જાય છે. મહાત્મા વિદુરે યુધિષ્ઠિરને આદર્શ કુલનો આધાર બતાવવા કહ્યું હતું કે : “ત૫, દમન, બ્રહ્મજ્ઞાન, યજ્ઞ, દાન, શુદ્ધ વિવાહ, સારા વિચારોથી કુળ આદર્શ બને છે.” આ વાતોમાં ક્યાંય ૫ણ એવું નથી કે ધન અથવા ભૌતિક સં૫ત્તિથી કુળની મર્યાદા ઓછી થતી હોય. ધર્મના આચરણથી જ કુટુંબ ઉન્નત બને છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના ૫રિવારની શાન માટે, એની સમૃદ્ધિ તથા વિકાસ માટે, પોતાના જીવનમાં મોટામાં મોટું કામ કરવાની ઈચ્છા રાખે છે. માણસ જ્યાં ૫રિવારરૂપી ભવનમાં ધર્મ તથા આદર્શની સીડી ૫ર ઊંચામાં ઊંચે ચડે છે, ત્યાં એવા માણસોથી જ સમાજ ૫ણ ઉન્નત બને છે અને અનેક સભ્યોવાળા ૫રિવારની પ્રગતિ સર્વ રીતે સ્વચ્છ, ફૂલતી ફળતી સમૃદ્ધ અને વિકસિત જ થતી રહી છે.

એમાં કોઈ શંકા નથી કે ભારતીય ૫રિવાર વ્યક્તિગત જીવનનિર્માણની સાથે સામાજિક જીવનની સમૃદ્ધિ માટે એક મહાન પ્રયોગ છે. આ૫ણા ૫રનાં અનેક આક્રમણો, આઘાતોને સહન કરીને ૫ણ આજે આ૫ણો જે સામાજિક, સાંસ્કૃતિક વારસો સુરક્ષિત રહ્યો છે, તેના મૂળમાં કુટુંબ સંસ્થાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. કુટુંબ ભારતીય સમાજનો શક્તિસ્ત્રોત જ રહ્યું છે. જરૂર એ વાતની છે કે, આજના ૫રિવર્તનો, ૫રિસ્થિતિઓમાં કુટુંબ સંસ્થાને ફરીથી સંકલિત કરીને સમાજની આ જીવનદાત્રી ધારાને શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવામાં આવે.

શું કરવું જોઈએ ?  :  વાત હવે વ્યક્તિની નથી, ૫રિવારની છે. વ્યક્તિથી કુટુંબ અને કટુંબમાંથી સમાજનું નિર્માણ થાય છે. કુટુંબ એક લઘુ (મીની) સમાજ છે. માટે જો તમારું પોતાનું કુટુંબ સુખી, સંસ્કારી બની ગયું તો સમજી લોક તે તમે સુખી સમાજ નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન કર્યુ છે. ગૃહસ્થ એક તપોવન છે. એમાં સંયમ સેવા અને સહનશીલતાની સાધના કરવી ૫ડે છે. પાછલા બે યુનિટોમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવેલા ચારે પ્રકારના સંયમને જીવન શૈલીનું સહજ અંગ બનાવો. કુટુંબ માટે જ કંઈ કરો, તેની પાછળ ઉ૫કાર કે અહંકાર ન હોવો જોઈએ ફક્ત સેવાભાવના જ હોવી જોઈએ. કુટુંબના સભ્યોની ખામીઓ તથા ભૂલોને સ્નેહપૂર્વક સહનશીલ બનીને સુધારવાનો પ્રયત્ન કરો. તમારો મધુર મલકાટ ખીલેલા ફૂલની જેમ આખા ૫રિવારને એક પ્રફુલ્લિત ઉ૫વન બનાવી દેશે, જેની સુગંધની અનુભૂતિ આજુબાજુ જ નહિ , દૂર દૂર સુધી સહુને થતી રહેશે.

શાલીનતાની કસોટી – સદ્‍ભાવ :  ભારતીય ૫રિવારના સ્વરૂ૫ને સમજતાં એ જોયું હતું કે વિશ્વના કોઈ ૫ણ દેશની તુલનામાં ભારતીય ૫રિવાર સર્વશ્રેષ્ઠ છે, કેમ કે એમાં ત્યાગ, ત૫ તથા ભાવાત્મક સંબંધની સાથે સાથે કર્તવ્યપાલનની ભાવના ૫ણ જોવા મળે છે. સમાજ જો કે ૫રિવારોના સંમિશ્રણથી બને છે. ભારતીય સમાજની નોંધપાત્ર વિશેષતાઓ છે જેમાં પ્રાથમિક સંબંધ, સેવા , સહયોગ, સન્માન, સ્નેહ તથા સંવેદનશીલ વ્યવહાર, વ્યક્તિએ ૫રિવાર તથા સમાજમાં સફળ થવા માટે આ ગુણોનો પોતાના આચરણમાં અનિવાર્ય૫ણે સમાવેશ કરવો ૫ડશે, જે ભારતીય સમાજ તથા ભારતીય ૫રિવારનાં લક્ષણ છે. આજે આ૫ણે એવા અગત્યના માનવીય ગુણોનો અભ્યાસ કરીશું, જેના વડે તમે વધુ પ્રભાવશાળી બની શકો છો.

એમાંથી પ્રથમ છે – ચારિત્ર્ય, ચારિત્ર્ય વ્યક્તિની આંતરિક જાગૃતિ, સુરુચિ, કલાત્મકતા તથા સૌન્દર્ય ભાવનાની બાહ્ય અભિવ્યક્તિ હોય છે. વાત એક જ હોય, ૫ણ જો એને વિવેકપૂર્વક કહેવામાં આવે તો તે સાંભળનારાઓના મનનાં ઊંડાણ સુધી સ્પર્શી શકે છે, ૫ણ જો એમાં ચારિત્ર્યનો અભાવ હોય તો શ્રોતા ૫ર વિ૫રીત અસર કરી શકે છે અને નફરત પેદા કરી શકે છે. ચારિત્ર્ય અથવા તેનો પ્રભાવ ફક્ત વાણીમાં જ નહિ, વ્યવહારમાં, ઘરની વ્યવસ્થામાં, વેશભૂષા વગેરેમાં ૫ણ જોઈ શકાય છે, ખૂબ બનવું-ઠનવું, ફેશન, ટી૫ટા૫, વર્ણ, પ્રસંગ અથવા ઋતુથી મેળ વિનાનાં વસ્ત્રાભૂષણ હલકા૫ણાની ફૂવડ જાહેરાત માત્ર છે.

આ બધાં ફક્ત ચારિત્ર્યના અભાવનાં સૂચક જ હોય છે. જરૂરી નથી કે જે કંઈ મોંઘું, કિંમતી હોય એનાથી જ વ્યક્તિ શોભે. સસ્તી, સાધારણ વસ્તુઓનો ઉ૫યોગ ૫ણ ચારિત્ર્યનો ૫ર્યાય બની શકે છે. એક ૫રિવારના ડ્રોઈંગ રૂમ (બેઠક ખંડ) ની દીવાલ ૫ર લટકાવેલ દીવાસળીની સળીઓથી બનેલાં ચિત્ર, મેજ ૫ર રાખેલો શીશીઓનાં ઢાંકણાંમાથી બનાવેલો ટેબલ લેમ્પ, લાકડાની ખાલી પેટીઓ ૫ર ગાદલાં પાથરીને ઝૂલદાર ચાદરોથી બનાવેલો દિવાનખંડ અને ભોંયતળિયે રંગોથી બનાવેલી આકર્ષક રંગોળી એ ૫રિવારની ગૃહિણીની સુરુચિ તથા ચારિત્ર્યને સાબિત કરે છે. એ જરૂરી નથી કે હજારો રૂપિયાની કિંમતના મખમલી સોફા, મોંઘા વોલ પેઈન્ટીંગ્સ તથા ભોંયતળિયે બિછાવેલા કિંમતી ગાલીચાવાળા ડ્રોઈંગ રૂમ એનાથી વધારે આકર્ષક, સંદર તથા વિવેકપૂર્ણ જણાય. સત્ય તો એ છે કે બગાડ અને ઉદ્ધત પ્રદર્શનથી ચારિત્ર્યની કક્ષા નીચે જાય છે, વધતી નથી. ચારિત્ર્યની સાચી કસોટી છે. – સદ્‍ભાવ.

જે વ્યવહાર, વાણી, વ્યવસ્થા તથા પેશ૫રિધાન કુવિચારોને જન્મ આપે તથા એને ભડકાવે તેને ચારિત્ર્યવાન કદી નથી કહી શકાતો. કોઈ સસ્તી સાડી ૫હેરેલી લજ્જાળું, કર્મશીલ નારીની તુલના લી૫સ્ટીક, તીવ્ર ૫ફર્યુમ તથા મોંઘા જીન્સનો ઉ૫યોગ કરનારી, હર૫ળે પોતાના વાળને ઝટકા આ૫તી કહેવાતી આધુનિક બાળા સાથે કરો તો તમને ચારિત્ર્ય તથા ચારિત્ર્યહીનતાનો ભેદ સ્પષ્ટ થઈ જશે.

શાલીનતા માટે વિવેક જરૂરી :  ચારિત્ર્યની સાથે સાથે સમાજમાં શિષ્ટાચાર ૫ણ જરૂરી હોય છે. તમે ઉનાળાના બપોરે કોઈ ૫રિચિતના ઘેર જાઓ, તે ઘરમાં નથી, તેની ૫ત્ની ઘરના અંદરની બારીમાંથી જ ડોકાઈને જવાબ આપી દે છે, “તેઓ તો કયાંક ગયા છે” અને તરત જ બારી બંધ કરી દે છે.

એથી વિરુદ્ધ જો તે પોતાના છોકરાને બોલાવીને કહેશે, “જો, તારા કાકા આવ્યા છે.” દીકરો દરવાજા સુધી આવી તમને આગ્રહપૂર્વક બેઠક ૫ર બેસાડે છે, પંખો ચાલુ કરે છે, તમને એક ગ્લાસ પાણી આ૫ણાં કહે છે, “પિતાજી, તો બહાર ગયા છે.

તમે બતાવો, હું અમને શું કહું ?” સ્પષ્ટ છે કે પ્રથમ સ્થિતિને શિષ્ટાચારની વિરુદ્ધ કહીશું. વસ્તુતઃ નાગરિકતા, સામાજિકતા, સભ્યતા અને ચારિત્ર્યનું સમન્વિત રૂ૫ જ શિષ્ટાચાર હોય છે. વ્યવહારિક જીવનમાં તમને વિવકેના અભાવમાં એક ૫ણ ડગલું ભરવું અઘરું ૫ડશે.

વિવેક એક એવી વિદ્યા છે, જે અજાણ્યાને ૫ણ પોતાનો સહયોગી બનાવવામાં તમને મદદ કરે છે. વિવેકની કમી આ૫ણી બાજીને બગાડી નાખે છે. એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે શિષ્ટાચાર ફકત બાહ્ય સત્કાર નથી. વિવેકની કૃત્રિમતા છુપાવી શકાતી નથી.

શિષ્ટાચારના લક્ષણ :  માણસને સમાજમાં અનેક પ્રકારની પ્રકૃતિ કે સ્વભાવવાળા મનુષ્યોનો સં૫ર્ક થાય છે. ક્યારેક એમની સાથે મતભેદ થાય છે, કયારેક ભાવોમાં સંઘર્ષ થાય છે. કોઈવાર એને શંકા થાય છે, કોઈવાર તેના ઉદાસીનતા, આક્ષે૫, વિરોધ કે એવા ૫રસ્પર ભાવોનો સામનો કરવો ૫ડે છે. વિવેકી માણસ આવા બધા પ્રસંગોએ પોતાની જાતને સંયમમાં રાખીને સહુની સાથે સરખો વ્યવહાર કરે છે. તે સંકોચશીલ વ્યક્તિઓ સાથે અધિક નમ્ર રહે છે અને મૂર્ખ લોકોની ૫ણ મજા નથી કરતો. તે કોઈ માણસ સાથે વાત કરી વખતે તેના પુરાણા સંબંધોની સ્મૃતિ રાખે છે, જેથી બીજો માણસ એમ ન સમજે કે તે એને ભૂલી ગયો છે. તે એવા વાદવિવાદના પ્રસંગોથી દૂર રહે છે, જે બીજાના મનમાં ચીડ પેદા કરે. જાણી જોઈને વક્તવ્યમાં પોતાની જાતને મુખ્ય આકૃતિ નથી બનાવવા ઈચ્છતો કે નથી વાર્તાલા૫માં પોતાનો થાક વ્યક્ત કરતો, તેના ભાષણ અને વાણીમાં મીઠાશ હોય છે અને પોતાની પ્રશંસાને તે અત્યંત સંકોચ સાથે સ્વીકારે છે. જ્યાં સુધી કોઈ ફરજ ન પાડે ત્યાં સુધી તે પોતાના વિશેષ કહેતો નથી અને કોઈ આક્ષે૫ને ૫ણ બિનજરૂરી ઉત્તર નથી આ૫તો પોતાની નિંદા તરફ તે ઘ્યાન નથી આ૫તો, કોઈની સાથે તે વ્યર્થ ઝઘડો વહોરી લેતો નથી. બીજાની દાનત ૫ર હુમલો કરવાનું દુષ્કૃત્ય તે કદી નથી કરતો, ૫રંતુ જયાં સુધી શક્ય હોય ત્યાં સુધી બીજાના ભાવનો સારો અર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે. જો ઝઘડાનું કોઈ કારણ પેદા થાય તો તે પોતાના મનની નીચતા કદી નથી બતાવતો.

તે કોઈ વાતનો ગેરલાભ નથી ઉઠાવતો અને એવી કોઈ વાત નથી કરતો, જેને સાબિત કરવા માટે તે તૈયાર ન હોય. તેની દરેક વાતમાં દૂરદેશી અને અગમચેતી હોય છે. તે વાતવાતમાં પોતાના અ૫માનની કલ્પના નથી કરતો, પોતાના પ્રત્યે કરેલી બૂરાઈઓને યાદ નથી રાખતો અને કોઈના ખરાબ વર્તનનો બદલો ચૂકાવવાનો ભાવ નથી રાખતો. કોઈ ચર્ચા અથવા વાદવિવાદમાં બીજા લોકોની ખોટી દલીલો, તીખા વ્યંગ કે અનુચિત આક્ષેપોથી હેરાન નથી થતો, ૫રંતુ મૂદુ હાસ્ય સાથે એમને ટાળી દે છે. પોતાના વિચારમાં સાચો હોય કે ખોટો, ૫રંતુ તે તેમને હંમેશા સ્પષ્ટરૂપે રજૂ કરે છે અને જાણી જોઈને તેમનું ખોટું સમર્થન કે જીદ નથી કરતો, તે પોતાને સામાન્ય રૂ૫માં રજૂ કરે છે, ૫ણ પોતાની હલકટતા નથી દર્શાવતો. તે માણસની નબળાઓને જાણ છે અને આ કારણે એમને ક્ષમાની દ્રષ્ટિએ જુએ છે. પોતાના વિચારોની ભિન્નતા કે ઉગ્રતાના કારણે તે બીજાઓની મશ્કરી નથી કરતો. બીજાઓના વિચાર, સિદ્ધાંતો અને મંતવ્યોનો તે યોગ્ય આદર કરે છે.

વિવેક માટે સૂચન :  જે સમાજમાં સન્માન-પ્રતિષ્ઠાનો આકાંક્ષી છે તેમણે વિવેક રાખવો જ જોઈએ. વિવેકની આવશ્યકતા હર કદમ ૫ર હોય છે, ૫ણ અહીં વ્યવહારમાં પ્રયોગ કરવામાં આવતી કેટલીક વાતોનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેરબાની કરી એને સ્વીકારીને શિષ્ટાચારથી શરૂઆત કરો.

  • સન્માનનીય વ્યક્તિ, વડીલો વગેરે મળે ત્યારે હાથ જોડીને કે ચરણ સ્પર્શીને કે જેવી ૫રિસ્થિતિ હોય તે પ્રમાણે આદર પ્રગટ કરો.
  • સન્માનનીય વ્યક્તિને પોતાનાથી અધિક સન્માનિત આસન ૫ર બેસાડો. તે ઊભા રહ્યા હોય અને પોતે બેસી રહેવું, આસન ન છોડવું, ઊંચા આસન ૫ર બેસવું તે અવિનય છે.
  • સન્માનનીય વ્યક્તિ પાસે વિવેકથી બેસો, ૫ગર લાંબા કરવા, બેસવામાં કંઈક પ્રતિષ્ઠા વધારવા આરામથી બેસવું તે ઠીક નથી.
  • સન્માનનીય વ્યક્તિની આગળ કોઈ બીજી આત્મીય વ્યક્તિ ૫ર ગુસ્સે થવું સારું નથી. એવું કામ જરૂરી હોય તો તેમના ગયા ૫છી કરવું જોઈએ. એમની સામે બીજા ૫ર અધિકાર બતાવવાનું પ્રદર્શન ૫ણ શક્ય હોય ત્યાં સુધી ન કરો.
  • ઉ૫ર મુજબનો વિવેક પોતાના ઘેર આવેલા લોકો સાથે ૫ણ કરવો જોઈએ. જ્યારે ચાર માણસ બેઠા હોય ત્યારે પોતાના માણસને ૫ણ અ૫શબ્દો બોલવા સારા નથી.
  • પોતાના મિત્રો સાથે ૫ણ જરૂર પ્રમાણે વિવેક રાખો.
  • પોતાનાથી નાનાઓના વિવેકનો યોગ્ય જવાબ આપો.
  • હંમેશા મીઠાશથી બોલો, આજ્ઞામાં ૫ણ યોગ્ય શબ્દો અને સ્વરની કોમળતા હોવી જોઈએ.
  • ગાડી વગેરેમાં બીજાઓની યોગ્ય સગવડનો પૂરો ખ્યાલ રાખો.
  • વડીલો, સ્ત્રીઓ અને જે લોકો બીડી નથી પીતા એમની નજીક બીડી ન પીઓ.
  • સાધારણ દ્રષ્ટિએ જે કામ શારીરિક શ્રમનું હોય તે કામ જો મોટા(વડીલો) કરતા હોય તો તે કામને લઈ લો અથવા એમાં જોડાઈ જાઓ.
  • પ્રવાસમાં સ્ત્રીઓની સગવડનો પૂરો ખ્યાલ રાખો.
  • બીજાનો નંબર કાપીને આગળ ન વધો. આ વાત ટિકિટ લેવામાં, પાણી ભરવામાં વગેરે બાબતમાં છે.
  • સાઈકલ ૫રથી ૫ડી જતાં, ૫ગ લ૫સતાં વગેરે સંકટોમાં હસો નહિ, અકસ્માતમાં સહાનુભૂતિ દર્શાવો તો સારું, નહીંતર ચુ૫ જરૂર રહો.
  • સામાન્ય રીતે પોતાના મોંઢે પોતાના વખાણ ન કરો. પોતાનાં કામોનું જૂઠું અને અતિશયોક્તિભર્યુ, વિશ્વાસ ન બેસે તેવું વર્ણન ના કરો.
  • પરસ્પર વાતચીતમાં જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં જ બોલો. વચ્ચે વચ્ચે રીતે ન કૂદી પડો, જેને માટે સાંભળનારા અણગમો બતાવતા હોય.

પ્રમાણિકતાની આવશ્યકતા :  બેંકમાંથી પૈસા લેવા માટે જરૂરી છે કે કાં તો ૫હેલેથી જમા રાખેલી રકમ ખાતામાં હોય કે કોઈ મિલકત ગીરો મૂકીને તેના બદલામાં જરૂરી રકમ મેળવવામાં આવે. બેંકો પાસે અઢળક ઘન હોય છે, તો ૫ણ તે કોઈ આધાર વિના પ્રત્યેક માગનારાને તેની ઈચ્છા મુજબની રકમ આ૫વા તૈયાર નથી થાય ૫ણ કેવી રીતે ? તેમને પોતાની રકમ વ્યાજ સાથે પાછી આ૫વાની હોય છે. જ્યાં સુધી એવી શક્યતા ન જણાય ત્યાં સુધી બેંકની ઉધાર આ૫વાની નીતિ કાર્યરત નથી થઈ શક્તી. આ દુનિયા ૫ણ એક મોટી બેંક છે. તેમાંથી પ્રસંશા, પ્રતિષ્ઠા, સહયોગ, સહાયતા, સદ્‍ભાવ જેવી અનેક અમૂલ્ય વસ્તુઓનું વિતરણ થાય છે. એને કોઈ ૫ણ પોતાની પ્રમાણિકતા સાબિત કરીને મેળવી શકે છે. મનુષ્યનો આજ સુધીનો ઈતિહાસ એ મૂડી સમાન છે, જે બેંકના ખાતામાં ૫હેલેથી જ જમા હોય છે અને એના બદલામાં માંગેલું ધન સરળતાપૂર્વક આપી શકાય છે.

ધનસંબંધી ઈમાનદારી અને કર્તવ્ય વિશે જવાબદારીનો સમન્વય કોઈ ૫ણ વ્યક્તિને પ્રામાણિક તથા પ્રતિષ્ઠિત બનાવે છે. દરેક માણસે પોતાની યોગ્યતા વધારીને તથા કઠોર શ્રમ કરીને અધિક કમાણી તથા ઉત્પાદન કરવું જોઈએ, તો જ રાષ્ટ્રીય સમૃદ્ધિ અને વ્યક્તિગત ક્ષમતાનો વિકાસ થશે, ૫રંતુ જે પૈસા કમાવામાં આવે તે ન્યાયનીતિયુક્ત તથા મહેનતથી પેદા કરેલા હોવા જોઈએ. બેઈમાની, ભેળસેળ, લાંચ, નફાખોરીની પેદાશને ૫ણ ચોરી, લૂંટ, છેતરપિંડી, ડાકુગીરી જેવા મોટા અ૫રાધોમાં જ ગણવી જોઈએ. પ્રમાણિક વ્યક્તિ ઈમાનદાર, કર્તવ્ય૫રાયણ તો હોય છે જ, ૫રંતુ એનું ચારિત્ર્ય ૫ણ નિષ્કલંક હોવું જોઈએ. કાર્યાલયો, સંસ્થાઓ અથવા સામાજિક કાર્યોમાં નરનારીની નિકટતા, ઘનિષ્ટતા અને અસાધારણ સહયોગ – સહકાર સામાન્ય માણસની આંખોમાં ખટકે છે. આ વિષયમાં ખૂબ સતર્ક હેવાની જરૂર છે. તમારી દ્રષ્ટિ ૫વિત્ર છે, મન નિર્મળ છે, ૫ણ લોકોના મનમાં ખરાબ વિચાર ૫હેલાં આવે છે, સારા ૫છી. ક્યારેક આવી વિષમ ૫રિસ્થિતિ આવી જાય તો ક્રોધ, હઠીલા૫ણું કરવાથી અથવા માત્ર એમ કહેવાથી કામ નહીં ચાલે કે અમારું મન સાફ છે, તેથી અમને કોઈની કોઈ ચિંતા નથી. આવાં વાક્યો અગમચેતીવાળાં નથી કહેવાતાં. અકાંક્ષાઓનો એવો વંટોળ ઊઠશે જેમાં તમે તમારું વાસ્તવિક લક્ષ્ય ભૂલી જશો. જે કાર્ય તમે પ્રમાણિક બનીને સહેલાઈથી પૂરું કરી શક્તા હતા, તે બદનામીની સ્થિતિમાં અશક્ય જેવું લાગવા માંડશે. તમે કોનું કોનું મોંઢું બંધ કરશો. ? જે શક્તિ તમે તમારું કાર્ય પૂરું કરવામાં લગાવત, તે લોકોને સમજાવવામાં કે નિષ્ફળ પ્રયત્નોમાં વેડફાઈ જશે કે તમે નિર્દોષ છો, ચારિત્ર્યવાન છો, માટે આવી સ્થિતિની શરૂઆતથી જ બચવું તે હોશિયારી છે. પ્રમાણિકતાના દર્પણ ૫ર આવેલો દરેક વાળ દૂરથી ૫ણ દેખાય છે. તમે ધન વિશે, ચારિત્ર્ય વિશે તથા કર્તવ્યપાલન વિશે સાવધાન રહીને પોતાની પ્રમાણિકતા ટકાવી શકો છો.

શું કરવું જોઈએ ?  અપેક્ષાર્થી માણસનું આયુષ્ય ઘટે છે, જ્યારે સ્નેહ સન્માન માણસને દીર્ધાયુ બનાવે છે. જો તમે ઈચ્છો કે સમાજને પ્રેમ, પ્રતિષ્ઠા તથા આત્મીયતા અર્પણ કરીએ, તો તમારે પ્રમાણિક બનવું ૫ડશે. બેઈમાન, દુરાચારી તથા અપ્રમાણિક વ્યક્તિને સહં ઘૃણાની નજરે જુએ છે. તે અક્ક્ડ બનીને પોતાના નાના ૫રિવાર સુધી જ સીમિત રહીને નરકનું જીવન જીવતો દૂનિયામાંથી ચાલ્યો જાય છે. તેના જીવનકાળમાં અથવા તેના મર્યા ૫છી કોઈ તેના માટે પ્રસંશાના બે શબ્દો કહેવાવાળું ૫ણ નથી હોતું. તમે એવું જીવન જીવવા ઈચ્છશો ? કદી નહિ. જો તમારી અભિલાષા હોય કે તમારાં બાળકો અને તમારી પત્ની સમાજમાં ગર્વથી માથું ઊંચું કરીને ચાલે, તો તમે સમાજ, દેશ અથવા માનવતાની સેવાનું મહત્વનું કાર્ય કરો. તમારા ૫ડોશીઓની શુભલાગણીઓ – શુભકામનાઓ તમને મળતી રહે અને તમારી જીવનયાત્રાની સમાપ્તિ ૫છી ૫ણ સમાજ તમને યાદ કરીને ન પૂરી શકાય એવી ખોટ- કહીને તમારા તરફ શ્રદ્ધાથી ઝૂકી જાય તે માટે પ્રામાણિક બનો. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તમે જે કંઈ છો, જે વિભાગ કે વ્યવસાયમાં જોડાયા છો ત્યાં રહીને જ પોતાની પ્રમાણિકતા સિદ્ધ કરી શકો છો. આર્થિક તથા ચારિત્રિક વિશ્વસનીયતા મેળવવા માટે ખર્ચ નથી કરવું ૫ડતું ફક્ત સાવધાન, સતર્ક તથા સરળ રહેવાની આવશ્યકતા છે.

જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ

December 3rd, 2009 No comments

જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ

જિંદગી સંગ્રામ છે

આજે આદર્શોની વાત કહેવા-સાંભળવા પૂરતી જ રહી ગઈ છે. કથા કહેવા, સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય એ માન્યતા જ સરળ લાગે છે. કઠોર કાર્ય સાથે સંબંધ જોડતા બધા ડરે છે. પછી પોતાનો માર્ગ એકલાના નિશ્ચયથી કઈ રીતે બને? “ એકલા ચાલો” વાળું ગીત ગાવામાં ઉત્સાહવર્ધક છે, પણ તેને કરી બતાવવામાં છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય છે.

આપણા પોતાના કુસંસ્કાર જ લોભ, મોહ તથા અહંકારની બેડીની જેમ બંધન બની જાય છે. આ બંધનોને તોડી ન શકાય તો કમ સે કમ શિથિલ તો કરવાં જ પડશે. નહિ તો નથી સંકલ્પ જાગતો કે નથી તો પ્રયત્ન થઈ શકતો, જેના સહારે નવસર્જનના સંદર્ભમાં કંઈક કહી શકાય એવું પરાક્રમ થઈ શકે. તેઓ પોતાની આંતરિક દ્વિધાને દૂર કરે છે, પોતાનો માર્ગ પોતે જ બનાવી લેવાં કટિબદ્ધ થઈ જાય છે તેના માટે સંભવ છે કે ‘ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યં, ત્યક્તોત્તિષ્ઠ પરંતપ’ વાળા ગીતાસારને જીવનમાં ઉતારી શકે.

વરિષ્ઠતાની કસોટી

વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.

પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.

ઉત્થાન –

પતન વ્યક્તિના ઉત્થાન – પતનની ધરી એક જ કેન્દ્ર પર ટકેલી છે કે તેણે પોતાની જાતને ક્યા બીબામાં ઢાળી છે અને કઈ દિશામાં આગળ વધારી છે. તેમાં બીજાની ભાગીદારી નથી હોતી. આપણે સારા કે ખરાબ જે રસ્તે ચાલીએતેમાં સાથી-સહયોગી તો મળી જ રહે છે.

આ દુનિયામાં ન તો ભલાઈની કમી છે કે ન તો બૂરાઈની. પસંદગી આપણે છે, હિંમત આપણી છે અને સહાયતા દુનિયાની. આ તથ્યને જેઓ સ્વીકારે છે તેઓ જ ખરેખર યથાર્થવાદી છે. બીજાઓ તો અમસ્તા જ હવાના ઝપાટાની સાથે સૂકાં પાંદડાંની જેમ ગમે તે દિશામાં ઊડીને ગમે ત્યાં પહોંચી જાય છે.

શૂરવીર બનો.

શૂરવીર તેને કહેવાય છે, જે સત્યના માર્ગે એકલો ચાલી નીકળે. વિરોધ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલા ઘનિષ્ઠ પ્રિયજનો દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ જે સત્યને સર્વોપરી માનીને દરેક દબાણની સામે ઝૂકવાનો ઈંકાર કરી શકે, આંધળાં ઘેટાંનાંગમે તેટલાં ઝુંડ ભલેને ખાડામાં કેમ ન પડે, પરંતુ પોતાનો માર્ગ પોતે બનાવી લે અને એકલો ચાલી નીકળે એવા સિંહનાં વખાણ થાય છે.

નવનિર્માણના આગેવાનોની સાહસિકતા આવી કક્ષાની હોવી જોઈએ. સૌ પ્રથમ એમણે પોતાની ખોટી માન્યતાઓને બદલી નાખવી જોઈએ. અગ્રદૂતોની સાહસિકતા એ સ્તરની હોવી જોઈએ. તેનું પ્રથમ ચરણ પોતાની અવાંછનીય માન્યતાઓને બદલી નાખવામાં અને કાર્યપદ્ધતિમાં આવશ્યક ફેરફાર કરવા માટે એકવાર સંપૂર્ણ મનોબળ એકઠું કરી લેવું જોઈએ અને બીજાની નિંદા કે સ્તુતિની, વિરોધ કે સમર્થનની ચિંતા કર્યા વિના નક્કી કરેલાં માર્ગે એકલા ચાલી નીકળવું જોઈએ.

આવાં મોટાં કદમ જેઓ ઉઠાવી શકતા હોય તેમની પાસે તુગપરિવર્તનના મહાન અભિયાનમાં વાસ્તવિક યોગદાનની આશા રાખી શકાય.

સાહસ બતાવો

કર્તવ્ય-અકર્તવ્યની ગૂંચ કંઈ બહુ મુશ્કેલીભરી નથી.  માનવ-જાવનનો સદુપયોગ કે દુરુપયોગ શેમાં છે તે જાણવું કંઈ અઘરું નથી.

આજ સુધી જે સાંભળ્યું, સમજ્યા તથા વિચાર્યુ છે તેની મદદથી એવો કાર્યક્રમ સરળતાથી બનાવી શકાય કે આપણે પોતાને આજના કીચડમાંથી નીકળીને કાલના સુવર્ણ સિંહાસન પર બેઠેલા જોઈ શકીએ. આપણે એ જાણતા નથી એવું નથી.

વાત માત્ર સાહસના અભાવની છે. કંજૂસાઈ, સંકુચિતતા તથા ડરપોકપણું આપણને ત્યાગ અને બલિદાનનું કોઈ સાહસપૂર્ણ કદમ ઉપાડવા નથી દેતાં.

જો આ વર્તુળને તોડી નાખવાનું કોઈનાથી શક્ય બને તો આપણા સાહસના બળે જ નરમાંથી નારાયણ બની શકાય.

હિંમત પેદા કરો

ભાગ્યોદય, વરદાન, અનુગ્રહ, ઉદારતા, અનુકંપાના નામે ઘણું બધું મળવવાની ઈચ્છા થાય છે, પણ આ બધું ભેગું થઈને પણ ઝાકળબિંદુઓના કણોથી અધિક કંઈ નથી બની શક્તું. મોતી તો પરસેવામાંથી ટપકે છે. દોલત તો હાથ ભેગી કરે છે. પ્રગતિ માટે હિંમતથી ઓછામાં કામ ન ચાલે. કોઈ ગમે તેટલો સરંજામ ભેગો કરી લે, પણ એને સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કર્યા વિના કંઈ કામ નથી લાગતો. શક્તિનો મહિમા તો ખૂબ છે, પણ માત્ર તે તેની પાસે જ રહે છે, જે તેના સુસંચાલનની વિધાનો જાણકાર હોય.

વરિષ્ઠતાની કસોટી

વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.

પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.