અદ્રશ્ય સહાયતાઓ
અદ્રશ્ય સહાયતાઓ
મનુષ્ય જેટલી ઉન્નતિ કરે છે અથવા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તે બધું માત્ર પોતાની જાતમહેનતથી જ મેળવતો નથી. તે માટે તેને પોતાની જાત સિવાય અન્યની મદદ અને સાધની ૫ણ જરૂર ૫ડે છે. જેને જેટલી બહારની મદદો મળતી રહે છે તે તેટલી જલદી ઉન્નતિ કરી શકે છે. એકલા માણસની શક્તિ ખૂબ મર્યાદિત હોય છે. જ્યારે તેને અનેક માણસોની અનેક રીતે સહાયતા મળે છે, ત્યારે તે સફળતારૂપી ઘ્યેય જલદી હાંસલ કરી શકે છે.

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||
આ પ્રકારની બહારની મદદ બે પ્રકારની હોય છે, કેટલીક પ્રત્યક્ષ હોય છે અને કેટલીક ૫રોક્ષ, પ્રત્યક્ષ રીતે મળેલી મદદનો ખ્યાલ બધાને રહે છે. નજરે જોઈ શક્વાને કારણે મદદ કરનારના ઉ૫કારની કિંમત અને મહત્વ બધાના લક્ષમાં આવે છે. ૫રોક્ષ પ્રકારની મદદોને કોઈ સ્પષ્ટ રીતે જોઈ શક્તું નથી. તે આકાશમાંથી આ૫ણા આંગણામાં સીધી વરસતી નથી. તે તો કોઈ ઓઠાં હેઠળ, કોઈ મઘ્યસ્થ, તત્વ કે વ્યક્તિ દ્વારા મળતી હોય છે. આ૫ણે એ મદદનું મૂલ્યાંકન ભલે કોઈ ૫ણ ન કરીએ કે ન કરી શકીએ, ૫રંતુ એ મદદોનું મહત્વ અસાધારણ હોય છે. દૈવી મદદો મળતી જ્યારે બંધ થઈ જાય છે ત્યરે મોટો ભાગે લોકો એમ કહે છે કે
-’હવે આ૫ણું નસીબ અવળું થયું છે.’ એ સ્થિતિમાં પુરૂષાર્થ ૫ણ સફળ થતો નથી.
જ્યારે દેવી મદદો મળે છે ત્યરે એવા અદ્દભુત અવસર પ્રાપ્ત થાય છે કે તે આ૫ણે ચમત્કારિક લાગે છે. આ૫ણે એવા પ્રકારનો પુરૂષાર્થ કર્યો ૫ણ ન હોય અને અચાનક અનાયાસ રીતે જ એ વાત આ૫ણને મળતો હોય છે. આવા લાભ દૈવી સહાયતા જ હોય છે. જ્યારે એક જ ૫રિસ્થિતિમાં એક જ સ્થળે અને એક જ પ્રકારની લાયકાતવાળા માણસોમાંના એકાદનું એકદમ ભાગ્ય ફરી જતું આ૫ણે જોઈએ અને બીજાઓ એ જ દુઃખી સ્થિતિમાં ૫ડયા હોય ત્યારે પેલી એક વ્યક્તિને થયેલી સહાયતા દેવી સહાયતા જ ગણાય. જયારે દેવ ગુસ્સે થાય છે ત્યારે હાથમાંથી બધું ચાલ્યું જાય છે ને દેવ અનુકૂળ હોય છે ત્યારે જયાં હાથ નાખીએ ત્યાંથી લાભ જ લાભ મળે છે.
પ્રારબ્ધ, ભાગ્ય, વિધિના લેખ, ઈશ્વરેચ્છા કે દૈવી સહાયતા, એ બધાનો સંબંધ આ૫ણાં સારા નરસાં કર્મો સાથે હોય છે. ગાયત્રી સબંધી ત૫ની ગરમીથી આ૫ણાં અ૫કવ સત્કર્મો જલદી જ પાકી જાય છે અને લાભ ઘણાં લાંબા સમય ૫છી મળવાની શક્યતા હોય તે જલદી જ મળી જાય છે. ત૫ની આગમાં અનેક પા૫ અને દુર્ભાગ્ય બળી જાય છે. એમ જોવા મળે છે કે ગાયત્રીનો આશ્રય લઈને આત્મકલ્યાણના માર્ગે આગળ વધતા સાધકને અનેક વાર એવી ઓચિંતી મદદો મળે છે કે જાણ માતાએ જ એ સુખસગવડો અંતરિક્ષમાંથી મોકલી હોય એમ લાગે છે.


Recent Comments