આજનું ચિંતન :

February 8th, 2010 No comments

બીજા લોકો તમારી સાથે કેમ વર્તે છે તેની ચિંતા ન કરો, આત્મોન્નતિ માટે તત્પર રહો. જો આ તથ્યને સમજી લીધું તો એક મોટા રહસ્યને પામી લીધું સમજો.

સૌ પ્રથમ પોતાની જાતને શિસ્તબદ્ધ બનાવો કારણ કે આચરણ વિના આત્માનુભવ નહીં થઈ શકે. નમ્રતા, સરળતા, સાધુતા અને સહનશીલતા- આ બધા આત્માનુભવ કરાવવા માટેના મુખ્ય અંગો છે.

સહનશીલતા કેળવો, તમારી જવાબદારી સમજો. કોઈના દોષ જોઈને તેના ઉપર ટીકાટિપ્પણી કરતા પહેલાં તમારા પોતાના દોષોને બારીકાઈથી તપાસો. જો તમારી વાણી પર કાબુ ન મૂકી શકતા હો તો તેને બીજા સામે ન વાપરતાં તમારા માટે વાપરો.

યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે આ સંસારમાં મનુષ્ય માટે કોઈ વસ્તુ કે ઉપલબ્ધિ અપ્રાપ્ય નથી તથા કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે અયોગ્ય નથી. અયોગ્યતા માત્ર એક જ છે અને તે છે પોતાના પ્રત્યે અવિશ્વાસ. જો પોતાનું સાચું મૂલ્યાંકન કરવામાં આવે તો કોઈપણ મુશ્કેલી મનુષ્યને તેના લક્ષ્ય સુધી પહોંચાતાં રોકી શકતી નથી.

જગતમાં કેટલાક લોકો પોતાને જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા જુદા માને છે. આમ વિચારવું કેટલું નુકસાનકારક છે તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે. પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 7th, 2010 No comments

બેજવાબદારી અને લાપરવાહીની જેટલી નિંદા થાય છે તેટલી અસફળતાની થતી નથી.

સદ્દગુણી દેખાતી વ્યક્તિઓના દુર્ગુણયુકત વ્યવહારને જોઈને સમાજ તેમને દુર્ગુની તથા વ્યસની લોકોના દુર્ગુણો અને વ્યસનો કરતાં વધારે ઉપહાસપાત્ર માને છે.

કોઈનું પણ અમંગળ ઈચ્છવાથી પહેલાં પોતાનું જ અમંગળ થાય છે.

મહાન વ્યક્તિઓ હંમેશા એકલા જ ચાલ્યા છે અને તેના કારણે જ દૂર સુધી ચાલી શક્યા છે. આવા એકલવીરોએ પોતાના સહારે જ સંસારના મહાનમાં મહાન કાર્યો કર્યા છે. તેઓને પોતાનું જ પ્રેરણાબળ મળતું રહ્યું છે. તેઓ પોતાના જ આંતરિક સુખમાં સદૈવ પ્રફુલ્લિત રહ્યા છે. બીજાની મદદથી દુ:ખ દૂર કરવાની તેઓને કદી આશા રાખી નથી. પોતાના વિચારોનો જ તેમણે સહારો લીધો છે.

ધીરજ અને આશા જાળવી રાખશે તો જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતા તમારામાં આવશે. પોતાના જ બળ ઉપર ઊભા રહો. જરૂર પડે તો સમસ્ત સંસારને પડકાર ફેંકો, તેમાં તમારું કોઈ નુકસાન નહીં થાય. ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કર્યા પછી જ સંતોષ થવો જોઈએ. બીજા લોકો ભૌતિક ખજાનાને શોધ કરતા હોય છે પણ તમે અંત:કરણના ખજાનાને શોધો.

તમારે તમારા મનને સદૈવ કાર્યરત્ રાખવું જોઈએ. તેને બેકાર ન રહેવા દો. જીવન તરફ ગંભીર બનો. આત્મોન્નતિ પ્રાપ્ત કરવાનું વિરાટ કાર્ય તમારી સમક્ષ છે અને સમય ઘણો ઓછો છે. જો તમે બેદરકારીને લીધે ભટકી ગયા તો તમારે દુ:ખી થવું પડશે અને એથી પણ ખરાબ સ્થિતિ પ્રાપ્ત થશે.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 6th, 2010 No comments

આ જીવન એક સંગ્રામ છે, એમાં યુદ્ધ જેવી તત્પરતા જેઓ રાખતા નથી તેઓ હારી જાય છે, પરંતુ જેઓ પ્રયત્ન અને પુરુષાર્થનું ગાંડીવ ઉઠાવીને યુદ્ધ માટે તૈયાર થઈ જાય છે તેઓ જ અંતે જીતે છે.

પોતાની સંપત્તિની યાદી તૈયાર કરશો નહિ કે તેનું અભિમાન કરશો નહિ. પોતાને જ સંસારની સંપત્તિ સમજો કેમ કે અન્ય લોકોના સહકારથી જ તમારું વ્યક્તિત્વ બન્યું છે અને વૈભવ વધ્યો છે.

કોઈ દેશની મહાનતા તેના વિસ્તાર પર નહિ, પરંતુ ત્યાંના રહેવાસીઓના ચરિત્ર પર આધારિત છે.

પહેલા ઈમાનદાર અને પ્રમાણિક બનો. પછી બની શકો તો કુશળ વિદ્ધાન અને સમૃદ્ધ પણ બનો.

લોકો પ્રશંસા કરે છે કે નિંદા કરે છે તેની ચિંતા છોડો. માત્ર એક વાતનો વિચાર કરો કે ઈમાનદારીથી જવાબદારીઓ પૂરી કરવામાં આવી છે કે નહિ.

સત્યની શ્રેષ્ઠતા સર્વોપરી છે. સ્પષ્ટરૂપે તેનો વિરોધ થઈ શકતો નથી.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 5th, 2010 No comments

સૌથી મોટો અને વિભૂતિવાન માણસ તે છે, જેના અંત:કરણમાં ઉત્કૃષ્ટ જીવન જીવવાનો અને આદર્શવાદી પ્રવૃતિઓ અપનાવવાનો ઉત્સાહ નિરંતર જાગતો હોય.

આપણા જીવનનો વ્યવહાર જ આપણા હ્રદયની સચ્ચાઈનું એકમાત્ર પ્રમાણ છે.

બંધ કર્યું નથી તે બરાબર છે, પરંતુ એ પણ કયાં ખોટું છે કે આ શિલાઓએ હાર માની નથી. વાસ્તવમાં આપણે પણ ભાંગી પડવું જોઈએ નહિ અને હાર માનવી જોઈએ નહી.

તુચ્છ સ્થિતિમાં રહેતા લોકો જયારે ઊંચી સફળતાઓનાં સ્વપ્ન જુએ છે ત્યારે સ્થિતિ અને લક્ષ્ય વચ્ચે ખૂબ અંતર દેખાય છે અને લાગે છે કે આટલી પહોળી ખાઈ કૂદી શકાશે નહિ, પરંતુ અનુભવથી એવું જોવા મળ્યું છે કે તકલીફ માનતા હતા એટલી મોટી નહોતી. ધીમે પરંતુ સતત ચાલતી રહેનારી કીડી પહાડોને પાર કરી શકે છે, તો પછી ધીરજ, સાહસ, મનોયોગ કરનારી વ્યક્તિને પ્રગતિની મંજીલ પાર કરતાં કોણ રોકી શકે?

જીવન એક નાનો દિવસ છે, પરંતુ તે કામનો છે, પરંતુ તે કામનો દિવસ છે, રજાનો નહિ. સંભવ છે કે તમે કોઈ કામ કરતાં કરતાં કોઈક બૂરાઈ તરફ જઈ રહ્યા છો, પરંતુ કામ ન કરવું એ કદી કોઈ ભલાઈ તરફ નથી લઈ જઈ શક્તું.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 4th, 2010 No comments

જેના જીવનનું કોઇ નિશ્ચિત લક્ષ્ય હોતું નથી તેને ખરાબ કામનાઓ તરત જ પ્રલોભન આપે છે.

વાસનાઓ ચોર સમાન હોય છે. જેવી રીતે ચોર અંધારાનો લાભ લઈને નિર્બળ વ્યક્તિને લૂંટી લે છે, તેવી જ રીતે વાસનાઓ પણ નિર્બળ ઇચ્છાશક્તિવાળી, નિર્બળ ચારિત્ર્યવાળી મૂઢ વ્યક્તિ વ્યક્તિઓ પર હૂમલો કરે છે.

જીવનની ઉન્નતિમાં યોગ્યતાના અભાવ કરતાં સાહસના અભાવ વધારે બાધક હોય છે.

કર્તવ્યપાલન જ જીવનનું સાચું મૂલ્ય છે.

જેઓ પોતાની ઉચ્ચ વૃત્તિઓ તરફ ધ્યાન આપે છે તેઓ ઊંચા થઈ જાય છે. જેઓ સદાય પોતાની હલકી વૃત્તિઓ તરફ જ ખેંચાય છે તેઓ વાસ્તવમાં નાના રહી જાય છે.

અધિકારના મદમાં કોઈને કટુ શબ્દો કહેવા એ અસભ્યતાનો પરિચય આપવા બરાબર છે.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 3rd, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

શ્વસિત્યપ્શુ હંસો ન સીદન્ |    ( ઋગ ૧/૬૫/૬૬)

હંસની જેમ ગુણગ્રાહક બનો

બેકાર અને ખરાબ વાતોને છોડી કેવળ ઉપયોગી હોય તેને જ સ્વીકારો.

જીવિતાં જ્યોતિરભ્યેહિ |    ( અથર્વ ૮/૨/૨)

જીવતા માણસો પ્રકાશ તરફ જાય છે

વિવેક અને પુરુષાર્થ જેમના સાક્ષી છે તેઓ જ પ્રકાશ પ્રાપ્ત કરશે.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

વેદોની સોનેરી સૂક્તિઓ..

February 3rd, 2010 No comments

સત્ય અને સદ્દવિચાર

તમોઅ વ્યસ્ય |    ( અથર્વ ૧૨/૩/૧૨)

અંધકારમાં પડ્યા રહો નહીં.

જે અજ્ઞાન અને આળસમાં ડૂબેલો છે તે અંધારામાં ભટકશે.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 3rd, 2010 No comments

આ સંસારમાં નબળા રહેવું તે સૌથી મોટો અપરાધ છે.

જે આત્મવિશ્વાસુ છે તેની આશા કયારેય ક્ષીણ થઈ શકતી નથી, તે ફકત ઉજ્જવળ ભવિષ્ય પર જ વિશ્વાસ રાખે છે.

ચારિત્ર્ય મનુષ્યની સૌથી મોટી સંપત્તિ છે. તેના રક્ષણ માટે જો બીજાઓની સરખામણીમાં ગરીબીનું, સાદગીનું તથા અભાવભર્યું જીવન જીવવું પડે તો તેને પોતાનું ગૌરવ સમજ્વું જોઈએ.

કર્તવ્યપાલન કરતાં કરતાં મૃત્યુને ભેટવું એને મનુષ્યજીવનની સૌથી મોટી સફળતા અને સાર્થકતા માનવામાં આવે છે.

પરિશ્રમ અને આત્મવિશ્વાસ એકબીજા વિના અધૂરા છે. લક્ષ્ય સુધી પહોંચવા માટે બંને ભેગા મળી જાય તો જ સમર્થ બની શકે છે.

પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને તેમના પ્રત્યે ઈર્ષા ન કરો, પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની વ્યક્તિનાં ઉદાહરણો જોઈને તેમની સાથે પોતાની  સરખામણી કરશો તો તમને પ્રસન્નતા થશે કે ઈશ્વરે તમને એ લોકો કરતાં કેટલી વધારે સુવિધાઓ આપી છે.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 2nd, 2010 No comments

દુનિયાને ચલાવવાની અને સુધારવાની જવાબદારી આપણી નથી, પરંતુ આપણી સામે જે કર્તવ્યો છે તેમને પૂરાં કરવામાં સાચા મનથી લાગી જવું અને તેમને સુંદર રીતે પૂરાં કરી બતાવવાં તે ચોક્કસ આપણી જવાબદારી છે.

જેનું હ્રદય સુંદર છે તે જ સુંદર છે. જેઓ આકૃતિમાં ખૂબ સુંદર છે, જેના શરીરનો રંગ અને ચહેરો ખૂબ આકર્ષક છે, પરંતુ જો તેના હ્રદયમાં દુર્ગુણો અને દોષો ભરેલા હોય તો તે મનુષ્ય વાસ્તવમાં ગંદો અને કુરૂપ છે.

જો પડી જાઓ તો નિરાશ ન થશો. પડી જવું ખરાબ નથી કારણ કે પડી ગયા પછી પણ ઊભા થઈ શકાય છે. જે ચઢશે છે તે જ પડે છે. ગભરાશો નહિ. ચાલો, ઊઠો અને ફરીથી આગળ વધો.

જયારે તમે ઉન્નતિ માટે પ્રવૃત્ત હો ત્યારે મોટા લોકોની સાથે રહો અને જયારે તમે શિખર પર પહોંચી જાઓ ત્યારે નાના મનુષ્યો ને સાથે રાખો.

જયારે તમે ઉન્નતિ માટે પ્રવૃત્ત હો ત્યારે મોટા લોકોની સાથે રહો અને જયારે તમે શિખર પર પહોંચી જાઓ ત્યારે નાના મનુષ્યો ને સાથે રાખો.

કોઈ એવું કામ ન કરવું જોઈએ, જેથી આપણો અંતરાત્મા જ આપણને ધિક્કારે.

Tweet This Post

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 1st, 2010 No comments

વિવેક વગરનો ઉત્સાહ તોફાનથી ઘેરાયેલા જહાજ જેવો હોય છે, જેના ડૂબવાની શંકા દરેક ક્ષણે રહે છે.

આ દુનિયામાં ત્રણ મોટાં સત્ય છે.

-આશા, – આસ્થા, આત્મીયતા. જેમણે સાચા મનથી આ ત્રણેયને જેટલા પ્રમાણમાં હ્રદયમાં ઉતાર્યા હશે તેમને સફળ જીવનનો આધાર એટલા જ પ્રમાણમાં જ પ્રાપ્ત થશે.

જગતમાં કેટલાક લોકો પોતાને જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા જુદા માને છે. આમ વિચારવું કેટલું નુકસાનકારક છે તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે. પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?

સફળતા અને કાર્યક્ષમતાનો આયુષ્ય સાથે કોઈ સંબંધ નથી, ઉત્સાહ, લગન અને સંકલ્પ મજબૂત બની જાય તો કોઈ પણ ઉંમર કે સ્થિતિમાં યુવાન રહી શકાય છે.

જેને નૈતિકતા પ્રત્યે આસ્થા તો હોય, પરંતુ તે માટે લડવાની હિંમત ન હોય તે ભલે ગમે તેટલી ડીગ્રીઓ લઈ ચૂકયો હોય, છતાં તેને સુશિક્ષિત કહી શકાય નહિ.

Tweet This Post

Categories: સુવિચાર Tags:
SEO Powered by Platinum SEO from Techblissonline